Book Title: Hriday Pradip Shat Trinshika
Author(s): Mrigendravijay, Nileshwari Kothari
Publisher: Jain Yog Foundation

View full book text
Previous | Next

Page 112
________________ કલ્પના કરે છે. શોધે છે. છતાં તે ત્યાં ઉપલબ્ધ થતું નથી. એટલે મન ફરી અશાંતિ અનુભવે છે. આ અશાંતિનું વિષચક્ર અવિરત ફરતું જ રહે છે. ‘‘સંતોષાવૃતતૃતાનાં, યત્ મુત્યું શાંતખેતમાં । कुतस्तद् धनलुब्धानां इतश्चेतश्च धावताम् ।। " જેઓ ધનાર્જન માટે આમતેમ દેશ-પરદેશમાં ભટકે છે. તેમની દશા ખરેખર દયાજનક છે. કવિ સૂરદાસ કહે છે : मेरो मन जानत नांही कहाँ सुख पावे 1 जैसे उड़ि जहाज पंछी फिर जहाज पर आवे ।। અર્થ સ્પષ્ટ છે. : સંસારીજીવને ઘર, વ્યાપાર, પરિવાર વગેરેના સેંકડો કાર્યો કરવાના હોય છે તેમાંથી તેને ફુરસદ મળતી નથી અને જીવન પુરૂં થતાં પણ જંજાળ સમાપ્ત થતી નથી. માટે જ હે જીવ ? તું સારાસાર નો વિવેક કરીને સ્થિર અને સ્થિતપ્રજ્ઞ બન. ૧૧૧

Loading...

Page Navigation
1 ... 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124