________________
અહિં આ જાણવું રસપ્રદ થશે કે - મનુસ્મૃતિ આ અંગે કડક આદેશ જારી કરે છે. નૈષ્ઠિક બ્રહ્મચારીએ સ્ત્રી સાથે સંભાષણ કરવું નહીં, સ્મરણ કરવું નહી અને મુખદર્શન પણ ન કરવું. મનુસ્મૃતિમાં આ પ્રમાણે ઉલ્લેખ મળે છે કે
मात्रा स्वस्त्रा दुहित्रा वा, नैकशय्यासनो भवेत् ।
बलवान् इन्द्रियग्रामो, विद्वांसमपि कर्षति । ઈન્દ્રિયો નો સ્વભાવ સામાન્ય રીતે નિરંકુશ હોય છે. તે કયારે દગો દેશે તે કહેવું મુશ્કેલ છે. તે વિદ્વાનને પણ છોડતી નથી. માટે પોતાની સગી માતા, ભગિની-બહેન, કે પુત્રી સાથે એકાંતમાં એકસ્થાને બેસવું કે રહેવું નહીં.
એ નિર્વિવાદ છે કે – કુદરતના કમમાં આ વાતનો ઇન્કાર કરી શકાય તેમ નથી.
૫૫