________________
મહર્ષિ વેદવ્યાસે આ વિષમતાનું વર્ણન-ચિત્રણ આ રીતે કર્યું છે :तर्को 5 प्रतिष्ठः स्मृतयोपि भिन्नाः, नैको मुनिर्यस्य वचः प्रमाणम् ।
धर्मस्य तत्वं निहितं गुहायां, महाजनो येन गतः स पन्थाः ॥ તર્ક - અનુમાનના માપદંડથી પ્રશ્નોનું નિરાકરણ કરવું અશકય છે. સ્મૃતિઓ, શ્રુતિઓ, ઉપનિષદો વળી કાંઇક જુદુંજ પ્રતિપાદન કરે છે. પુરાણ કથાઓ પુરાણી થઈ ગઈ છે. ઉપદેશકો - પ્રવચનકારોમાં મતમતાંતર છે એટલે તેમનું પ્રામાણ્ય શંકાસ્પદ છે. ધર્મશાસ્ત્રોનું રહસ્ય આજ સુધી ગુફામાં ગુમ રહ્યું છે. એટલે હવે ઉપાય તરીકે શિષ્ટ-પ્રતિષ્ઠિત મહાજનના માર્ગને અનુસરવું એ જ રાજમાર્ગ છે. | દાર્શનિક જગતની આ અરાજકતા જોઇને અધ્યાત્મ યોગી શ્રી આનંદધનજી પ્રભુની સ્તુતિમાં આ રીતે નિવેદન કરે છે -
અભિનંદન જિન દરિસણ તલસીએ,
દરિસણ દુર્લભ દેવ, મત મત ભેદરે જો જઇ પૂછીએ
સહુ થાપે અહમેવ. હેતુ વિવાદે હો ચિત્ત ઘરી જોઈએ
અતિદુર્ગમ નયવાદ, આગમવાદે હો ગુરૂગમ કો નહિ
એ સઘળો વિખવાદ. શ્રીમદ્ રાજચંદ્રજી પણ આવો જ અભિગમ સ્વીકારે છે :
રચના જિન ઉપદેશકી, પરમોત્તમ તિન કાળ,
ઇનમે સબ મત રહત હૈ, કરતે નિજ સંભાળ સમગ્રરીતે જોતાં કહી શકાય કે - આત્મલક્ષી બનીને હે આત્મનું? તું તારું હિત સાધી લે. એમાં જ તારૂં કલ્યાણ છે.
(૮૨)