________________
(22) EXPLANATION :
The nature of a truly detached and holy being is described in this verse. True saints are (1) desire-free (2) totally detached (3) devoted to Truth (4) devoid of pride and (5) seekers of self-contentment.
Such beings have no need to please people deceitfully. They only seek genuine bliss, which is in fact the true nature of the 'self', by cultivating spiritual virtues.
શ્લોકાઈઃ જેઓ નિઃસ્પૃહી છે. જેમને જગતના પૌગલિક પદાર્થોમાં રાગ કે આસકિત નથી. (ઉપલક્ષણથી વેષ પણ નથી). જીવાદિ તત્વોમાં એકનિષ્ઠા વાળા છે. જે અભિમાની નથી. (નમ્ર છે) જે સંતોષવૃત્તિના પોષણમાંજ મગ્ન છે તેઓ પોતાના મનનું જ રંજન કરે છે પણ લોકોનું રંજન કરતા નથી. (૨૨) ભાવાનુવાદ:
નાટકમાં વિદૂષકનું પાત્ર હોય છે. તેનું કાર્ય લોકોનું મનોરંજન કરવાનું હોય છે. જેણે માત્ર યેન કેન પ્રકારેણ લોકોનું રંજન જ કરવું છે. તેને
સ્વહિતની કે આત્મરંજનની ખેવના નથી તેઓ સાચા અર્થમાં સાધક કે મુમુક્ષુ નથી પણ નાટકીયા છે.
“જનમન રંજન ધર્મનું મૂલ ન એક બદામ” અધ્યાત્મના ક્ષેત્રમાં જનરંજનને કોઈ જ સ્થાન નથી. તેમ છતાં ધર્મમાં મનોરંજન પ્રવેશે છે ત્યારે ધર્મ પોતાની ગુણવત્તા ઘટાડે છે.
(૭૬ )