Book Title: Hriday Pradip Shat Trinshika
Author(s): Mrigendravijay, Nileshwari Kothari
Publisher: Jain Yog Foundation

View full book text
Previous | Next

Page 78
________________ આજથી થોડા વર્ષ પહેલાના ભૂતકાળમાં ડોકીયું કરતાં જણાશે કે – જ્યારે ધર્મમાં આવી પરિસ્થિતિ ઊભી થઈ ત્યારે ધર્મ પેટપૂર્તિનું સાધન બની ગયો હતો. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મ. આ વાતનો એકરાર કરતાં શ્રી સીમંધર સ્વામિના સ્તવનમાં કહે છે કે ' “ધૂમધામે ધમાધમ ચલી, જ્ઞાન મારગ રહ્યો દૂર રે, સ્વામિ સીમંધરા વિનતિ.” સાચા સાધકો આવા સસ્તાં લોકરંજનમાં ન પડતાં આત્મરંજનનો જ આગ્રહ રાખે છે. અહિં આવા સાધકોની સાચી ઓળખાણ આપી છે. જેઓ ઐહિક અને પારલૌકિક બંને પાર્થિવ લાભોથી નિરપેક્ષ છે. રાગ-દ્વેષથી અલિપ્ત છે. તત્વચિંતનમાંજ એક માત્ર રૂચિ છે. જેમણે અભિમાન - અહંવૃત્તિને ઓગાળી દીધી છે. જેઓની નિષ્પાપ જીવન-ચર્યા છે. ઈત્યાદિ ગુણોથી સમૃધ્ધ સાધુ પોતાની સાધનામાં જ દત્તચિત્ત રહે છે. ૭૭

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124