Book Title: Gatha Manjari
Author(s): Harivallabh Bhayani
Publisher: S S Singhvi

View full book text
Previous | Next

Page 10
________________ પ્રાકૃત કાવ્યનું ગૌરવ આંમઅં પાઇઅ-કવ્યું, પઢિઉં સોઉં-ચ જે ન-યાણંતિ : કામરૂ તત નત્તિ, કુણંતિ તે કહ ન લર્જતિ | અમૃત જેવી પ્રાકૃત કવિતાના પઠન કે શ્રવણથી જેઓ અજ્ઞાત છે, ને છતાં જેઓ કામતત્ત્વનો ઊહાપોહ કરવા બેસે છે, તેઓ કેમ લાજતા નહીં હોય?’ ગાહાણે ગીયાણ, તંતી-સદાણ પોઢ-મહિલાણા તાણ-ચિય સો દંડો, જે તાણ રસ ન-વાણંતિ છે. “જેઓ ગાથાકાવ્યોના, ગીતોના, વીણાવાદનના અને પ્રૌઢ નારીઓના રસથી અજાણ છે, તેમનો તે જ દંડ.” ગાહાણ રસા મહિલાણ વિક્સમાં કઇયણાણ ઉલ્લાવા !' કસ્સન હરંતિ હિયય, બાલાણ-મમ્મણલ્લાવા | ગાથાઓના રસ, મહિલાઓના હાવભાવ, કવિજનોની ઊક્તિઓ અને બાળકોના કાલા બોલ કોના હૃદયને હરતા નથી?' મુત્તાહલં-વ કળં , સહાવ-વિમલ સુવષ્ણ-સંઘડિયા સોયાર-કણ-કુહરશ્મિ પડિયું પાયર્ડ હોઈ // “મૌક્તિક સમું કાવ્ય સહજનિર્મળ અને સુવર્ણજડિત હોય તો પણ શ્રોતાના કર્ણવિવરમાં પ્રકટ થાય ત્યારે જ તેનું સાચું પ્રાકટ્ય થાય છે.' દુખ કરઈ કવ્વ, કબૂમિ કએ પઉંજણા દુખ ! સંતે પઉંજમાણે, સોયારા દુલહા હોતિ // “એક તો કાવ્ય રચવું કઠિન છે, રચ્યા પછી તેનો પઠન-પ્રયોગ કઠિન છે, ને પઠન-પ્રયોગ થાય ત્યારે યોગ્ય શ્રોતા મળવા કઠિન છે.'

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60