________________
ખંડ - ૫ : ઢાળ - ૨
૩૧૫
તો એકવાર“છોડવાના જ હતા. તો વહેલા છોડી દીધા. એમ સમજશું અમે સૌ સોળે સખીઓ શાંતિથી આ સામે મહેલમાં રહીએ છીએ. ।૧૨। અમે સૌએ ઘર છોડ્યાનું દુઃખ વિસારી દીધું. સોળે સખીઓ વિદ્યાધરના પ્રેમને વહન કરીએ છીએ. યૌવનવયના રંગે રંગાએલી સોળે સખીઓ, વરને વરવાની ઈચ્છાથી સદાયે બંને નણંદની સાથે આનંદથી રહીએ છીએ. સુખમાં દિવસો પસાર કરીએ છીએ. ।।૧૩।।
સોળ સખીનાં નામ : એક દિવસ અમારા મોટા નણંદીએ કહ્યું કે અલીઓ ! ભાભી થવા તો આવી છો. તો તમો સોળે તમારા નામ તો કહો. ત્યારે મેં પણ અમારી જાતિ-કુળ-કળા લક્ષણથી યુક્ત એવાં સોળેનાં નામ કહ્યાં. ॥૧૪॥ પ્રથમ સખીનું નામ શ્રીચંદ્રા (૧) છે. જે શ્રીચંદ રાજાની દીકરી છે. સારાં લક્ષણોવાળી છે. જુદી જુદી કળાને જાણનારી છે. સાક્ષાત્ લક્ષ્મીનો અવતાર ન હોય. તેવી છે. વળી જે ગીત ગાવામાં અતિકુશળ છે. અને ગાંધર્વ કળામાં જે હોંશિયાર છે. તે સખી બીજી છે. જેનું નામ છે શ્રીસેના. (૨)
પશુના અવાજ જાણનારી ત્રીજી સખીનું નામ છે સેના. (૩) યુદ્ધની કળાને જાણે છે તે સખીનું નામ વિજયસેના (૪). વળી ચંદ્રદેવની સેવા જેને બહુ ગમે છે તેનું નામ શ્રીસોમા. (૫) ત્રીજી-ચોથીપાંચમી-સેના, વિજયસેના અને શ્રીસોમા એમ ત્રણ સખીઓ તે મંત્રીપુત્રી છે. દુઃખ વિસારીને અહીં રહેલી છે. ।।૧૬। વળી છઠ્ઠી સામુદ્રિક લક્ષણોને જાણે છે તેનું નામ શ્રીદેવી.(૬) છ દર્શનની જાણનારી એ સાતમી સખીનું નામ છે. સુમંગલા. (૭) નાટ્યની કથા નૃત્યકળા વગેરે જાણે છે તે આઠમી સોમમિત્રા. (૮) સમય-કાળને જાણે છે તે સખીનું નામ છે મિત્રવતી. (૯) ।।૧૭ના
ચિત્રકળાને સારી રીતે જાણે છે સારી રીતે દોરે છે તે જશોમતી. (૧૦) પત્રછેદન વિદ્યામાં જે નિપુણ છે તે સખીનું નામ ગંધારી. (૧૧) અષ્ટાંગ નિમિત્ત શાસ્ત્રને જાણે છે તેનું નામ જયસેના. (૧૨) આ સાતે પુત્રીઓ શ્રેષ્ઠી કન્યા - અર્થાત્ શેઠની પુત્રીઓ છે. ૧૮। મંત્ર વિદ્યાના વિધિ-વિધાન જાણે છે તે સુનંદા. (૧૩) ચંદ્રની વિવિધ કળાની જેમ વિવિધ કળાઓને જાણે છે તે સોમદત્તા. (૧૪) આ બંને સુનંદા ને સોમદત્તા - સાર્થવાહની પુત્રીઓ છે. જ્યોતિષ અને વૈદક શાસ્ત્રને જાણે છે તે શ્રીમતી (૧૫) તે રાજાની પુત્રી છે. ।૧૯।।
વળી ચંદ્રરાજાના કુળમાં ઉત્પન્ન થયેલી અમૃત સરખી પવિત્ર ઉત્પાતિકી બુદ્ધિવાળી એવી હું સોળમી મિત્રસેના (૧૬) નામે છું. હે આર્ય ! સ્વર્ગપુરીના જેવા મહેલમાં સુખભર રહીએ છીએ. અને તે વિદ્યાધર વિદ્યા સાધીને આવશે અને તે અમને પ્રેમે પરણશે. મેં અમારી વાત કરી. ॥૨૦॥ અમારી સોળ સખીનો વૃત્તાંત સાંભળી નણંદી બોલી. રે ! સખીઓ ! તમારી આગળ અમારી પણ વાત કરું તે સાંભળો. તમને તો તમારો પતિ મળી ગયો. જેથી ઘણા હરખમાં છો. પણ જ્ઞાની ગુરુનાં મુખે સાંભળેલો હજુ અમને અમારો પતિ-સ્વામી મળ્યો નથી. તેથી અંતરમાં તે દુઃખ ૨હે છે. I૨૧॥
ઊગતા નવયૌવનની અમારી આ વેળા પિયુ-મિલન વિના નિષ્ફળ જાય છે. હવે અમારો આ બંધુ વિદ્યા સિદ્ધ કરીને આવશે. પછી અમે પણ અમારા સ્વામીની શોધ કરશું. ॥૨૨॥ વિદ્યા સાધના કરી રહેલા તે વિદ્યાધરની ખબર લેવા, સખીઓએ અને બે નણંદોએ મને અહીં મોકલી છે. અને તે હું અહીં તમારી સામે ઊભી છું. બાળાનું વચન સાંભળી ધમ્મિલ વિચાર કરવા લાગ્યો. અહો ! આ બાળા જેની વાત કરે છે તે જ સાધક, વિના અપરાધે, મારાથી હણાયો. રે ! હું આ બાળાને શી રીતે વાત કરું ? ।।૨૩।
ધમ્મિલ હવે હૈયે ધીરજ ધરીને, મનમાં વિચારી રહ્યો હતો. વાત તો કરવી જ પડે. સાહસ કરીને મન મજબૂત કરીને, જે બનેલી તે સઘળી બીના તે બાળાને કહી. અર્થાત્ તું જેની ખબર લેવા આવી છે તે વિદ્યાધર