________________
सत्थपरिणएणं, तेऊ चित्तमंतमक्खाया अणेगजीवा पुढोसत्ता अन्नत्थ सत्थपरिणएणं, वाऊ चित्तमंतमक्खाया अणेगजीवा पुढोसत्ता अन्नत्थ सत्थपरिणएणं, वणस्सई चित्तमंतमक्खाया अणेगजीवा पुढोसत्ता अन्नत्थ सत्थपरिणएणं, तंजहा - अग्गबीया मलबीया पोरबीया खंधबीया बीयरुहा समुच्छिमा तणलया, वणस्सइकाइया सबीया चित्तमंतमक्खाया अणेगजीवा पुढोसत्ता अन्नत्थ सत्थपरिणएणं ।। से जे पुण इमे अणेगे बहवे तसा पाणा, तंजहा - अंडया पोयया जराउया रसया संसेइमा संच्छिमा उब्भिया उववाइया । जेसिं केसिंचि पाणाणं अभिक्वंतं पडिकंतं संकुचियं पसारियं रुयं भंतं तसियं पलाइयं आगइगइविन्नाया जे य कीडपयंगा जा य कंपिपीलिया सव्वे बेइंदिया सव्वे तेइंदिया सव्वे चउरिदिया सव्वे पंचिदिया सव्वे तिरिक्खजोणिया सव्वे नेरइया सव्वे मणुआ सव्वे देवा सव्वे पाणा परमाहम्मिआ । एसो खलु छठ्ठो નવનિજાગો તHવાડ ત્તિ પવુ // (-)
તે છજીવનિકાય આ પ્રમાણે છે - પૃથ્વીકાયિક (પૃથ્વીકાય), અષ્કાયિક, તેઉકાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક, ત્રસકાયિક : આ છયે જીવનિકાયમાં જીવત્વને જણાવવા માટે આગળનાં પદો છે કે – જે પૃથ્વી શસ્ત્રથી પરિણત ન હોય અર્થાત્ જેના પર શસ્ત્ર લાગેલું ન હોય તે પૃથ્વી પૃથર્ આત્મા છે જેમના એવા અનેકજીવોવાળી હોવાથી સચિત્ત-ચિત્તવાળી કહેલી છે. એ જ રીતે પાણી, તેજ-અગ્નિ, વાયુ અને વનસ્પતિ પણ જો શસ્ત્રથી પરિણત ન હોય તો તે જુદાજુદા આત્માવાળા - અનેકજીવોવાળા હોવાથી સચિત્ત કહેલા છે. વનસ્પતિના અનેક ભેદ કહ્યા છે, તે આ પ્રમાણે - અગ્રબીજવાળી, મૂળસ્વરૂપ બીજવાળી, પર્વસ્વરૂપ બીજવાળી, સ્કંધરૂપ બીજવાળી, બીજગુહ અર્થાત્ બીજ વાવવાથી ઊગનારી, જેનું બીજ પ્રસિદ્ધ નથી તેવા ઘાસ વગેરે અને તૃણલતા વગેરે અનેક ભેદવાળી સબીજ વનસ્પતિ જો શસથી પરિણત ન હોય તો તે પૃથઆત્માવાળા - અનેકજીવોવાળી વનસ્પતિ સચિત્ત કહેલી છે. હવે ત્રસકાયને જણાવતાં કહે છે કે - જે આ અનેક પ્રકારવાળા ઘણા ત્રસ પ્રાણીઓ છે, તે આ પ્રમાણે - અંડજ - ઈંડામાંથી ઉત્પન્ન થનાર, પોતજ, જરાયુજ, રસજ, સંસ્થેદિમ - પરસેવાથી ઉત્પન્ન થનાર, સંમૂર્છાિમ, ઉભિજી, ઔપપાતિક જીવો છે કે જે પ્રાણીઓનું અભિક્રમણ - સામે આવવાનું થાય છે, પ્રતિક્રમણ - પાછા ફરવાનું થાય છે, સંકોચાવાનું, પ્રસાર
પામવાનું, અવાજ કરવાનું. ભમવાનું, ત્રાસ પામવાનું - ઉદ્વેગ પામવાનું બને છે તેમ જ જે જીવો પોતાની જવા-આવવાની ક્રિયાને જાણનારા છે; જે કૃમિપતંગિયા કે કંથવા-કીડી વગેરે સર્વે બેઈન્દ્રિય, સર્વે તેઇન્દ્રિય, સર્વે ચઉરિન્દ્રિય, સામાન્યથી સર્વે પંચેન્દ્રિય, વિરોષથી સર્વે ગાય વગેરે તિર્યંચયોનિ વાળા, સર્વે નારકો, સર્વે મનુષ્યો, સર્વે દેવો... આ સર્વે પ્રાણીઓ પરમધર્મ અર્થાત્ સુખના અભિલાષી છે... આ કીડા વગેરે સ્વરૂપ છઠ્ઠો જીવનિકાય ત્રસકાય કહેવાય છે.
શ્રી દશવૈકાલિકસૂત્રના ચોથા અધ્યયનના આ પહેલા સૂત્રમાં જીવનું જ્ઞાન વિસ્તારથી આપ્યું છે. આમ તો આપણા પરમ પુણ્યોદયે જૈનશાસનમાં જનમવાના કારણે, આગળ વધીને સદગુરનો યોગ થવાથી પૃથ્વીકાય વગેરેને આપણે જીવ તરીકે જાણીએ છીએ, પરંતુ એ જ્ઞાન શેના માટે છે તે લગભગ જાણતા નથી. અહીં ગ્રંથકારશ્રી બધા જીવોને સુખના અભિલાષી તરીકે જણાવવા દ્વારા એમ ફરમાવવા માંગે છે કે કોઇ પણ જીવને દુ:ખ ન આપવું. જીવનું જ્ઞાન જીવની હિંસાથી વિરામ પામવા માટે છે, માત્ર તત્ત્વજ્ઞાન પામવાથી વિસ્તાર નથી થવાનો. આથી જ જીવાજીવના જ્ઞાનનો અધિકાર પૂરો થયા પછી બીજો ચારિત્રનો અધિકાર જણાવ્યો છે. એક પણ જીવની હિંસા કર્યા વગર કઈ રીતે જિવાય તેનો ઉપાય આ ચારિત્રધર્મમાં જણાવ્યો છે. જૈનશાસનમાં આચારથી છૂટકારો કોઈને ન મળે. આરાધક હોય કે પ્રભાવક હોય, નાના હોય કે મોટા હોય, અભ્યાસી હોય કે અભ્યસ્તદશાવાળા હોય : આચારનું પાલન દરેક માટે ફરજિયાત છે. તત્ત્વનો અવગમ એ જ્ઞાન છે, તત્ત્વની રુચિ એ શ્રદ્ધા છે અને તત્ત્વની પરિણતિ એ ચારિત્ર છે. તેમાંથી માત્ર તત્ત્વજ્ઞાની થઈને ચાલ્યા જાય એ ન ચાલે. જેને તત્ત્વજ્ઞાન જોઈએ અને તત્ત્વની પરિણતિ ન જોઈએ તેને ભણાવવાનો સખત નિષેધ છે. ગૃહસ્થને ભણાવવાની ના પાડી છે તે પણ આ જ આશયથી ના પાડી છે કે તેમને તત્ત્વની પરિણતિ પ્રાપ્ત થતી નથી. ચૌદ રાજલોકના કોઈ પણ જીવને દુભવ્યા વગર જીવવાનું સામર્થ્ય કેળવવું છે. નજરે દેખાતા જીવને પણ દુભવ્યા વગર જીવવાની તૈયારી ન હોય તો અહીં સુધી કઈ રીતે પહોંચાશે ? આજે તો પૃથ્વી વગેરેમાં જીવને માનનારા મા-બાપ સાથે, ઘરના સાથે બાખડતા હોય - એવું બને ને ? ભણ્યા પછી આચરીએ નહિ તો મુસીબતનો પાર નથી. જેઓ કલેશકંકાસ કરે, કષાયને આધીન થઈને વર્તે તેઓ પોતાના જ્ઞાનને નિંદાપાત્ર બનાવવાનું