________________
રચના તે વખતના દ્રવ્યક્ષેત્રકાળભાવને આશ્રયીને કરવામાં આવી છે, વર્તમાનના દ્રવ્યાદિ તેને અનુકૂળ ન હોવાથી આ સૂત્રોમાં બતાવેલ માર્ગ વર્તમાનમાં વ્યવહારુ નથી... આવું બોલી-બોલીને જ્યાં અપવાદનું સ્થાન ન હોય ત્યાં પણ અપવાદના નામે માર્ગમાં કાપકૂપ કરવા માંડી છે. ભગવાને બતાવેલો અપવાદમાર્ગ તો ઉત્સર્ગમાર્ગને સ્થિર કરનારો હતો, જ્યારે આ દ્રવ્યાદિના નામે સેવાતા અપવાદ તો ઉત્સર્ગમાર્ગનો લોપ કરનાર છે. પરમાત્માના સિદ્ધાંત કે પરમાત્માની આજ્ઞા પ્રત્યે પ્રેમ નથી – તેનું આ પરિણામ છે. તમને પણ પરમાત્માની આજ્ઞા પ્રત્યે કેટલો પ્રેમ છે ? પરમાત્માનું મંદિર ન બંધાયાનું દુ:ખ છે કે તેમની આજ્ઞા ન પાળ્યાનું દુ:ખ છે ? દીક્ષા ન લેવાય - એવું ય બને અને મંદિર ન બંધાવી શકાય - એવું ય બને. છતાં દુ:ખ શેનું થાય ? પૈસા મળે, સંયોગો ગોઠવાય તો મંદિર બંધાવવું છે - એવો વિચાર આવે, પણ શક્તિ મળે તો દીક્ષા લેવી છે - એવો વિચાર ન આવે ને ?
પ્રવેદિત અને સ્વાખ્યાત પછી સુન્નત્તા-સુપ્રઝમ જણાવ્યું છે. આ જીવનિકાય નામનું અધ્યયન ભગવાને પોતે સારી રીતે પાળીને પછી બતાવ્યું છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ રીતે તેનું પાલન કરીને પછી પોતે જેટલું પાળ્યું તેના અનંતમા ભાગે આપણને બતાવ્યું છે, જેથી કોઈ એમ કહી ન શકે કે ભગવાને અશક્ય વસ્તુનો ઉપદેશ આપ્યો છે. ‘પવેઇઆ’, ‘
સુ ખાયા’ અને ‘સુન્નત્તા’ આ ત્રણ પદોનો અર્થ જેને સમજાય અને યાદ રહે તેને ભગવાનના વચનમાં ક્યારેય શંકા ન પડે. આવાં શાસ્ત્રવચનોનું સંશોધન કરવાનું હોય કે તેનો સ્વીકાર કરવાનો હોય ? નિરૂપણના ધોરણે કે પ્રયોગાત્મક ધોરણે જેનું સંશોધન થઈ ચૂક્યું છે તેમાં સંશોધન શું કરવાનું ? જે વચનમાં શંકાને અવકાશ નથી, જેમાં અશક્ય અનુષ્ઠાનનો ઉપદેશ નથી, જે વચન જ્ઞાનથી પરિપૂર્ણ છે તે વચન પાળવા તૈયાર થવાનું કે તેમાં વિકલ્પ કરવા બેસવાનું ? ભગવાનનું વચન સમજાઈ ગયા પછી તેને આચરવા તૈયાર થયું છે.
સવ ભગવાન તો સમર્થ હતા, અમે અસમર્થ છીએ તો કઈ રીતે આચરી શકીએ ?
ભગવાનને સમર્થ માનો છો ખરા ? જે ભગવાનને સમર્થ અને તમારી જાતને અસમર્થ માનતા હો તો દ્રવ્યક્ષેત્રકાળભાવ જોવા ન નીકળતા. ભગવાને આ કાળ અને આ ક્ષેત્ર માટે જેવો આચાર બતાવવો જોઈએ એવો જ આચાર બતાવ્યો છે, હવે એમાં બાંધછોડ નથી કરવી. ભગવાનનું વચન પાળવાનું સામર્થ્ય ન હોય તોપણ ભગવાનના વચનમાં ફેરફાર કરવાનું સાહસ ખેડવું નથી. જે ભગવાનની આજ્ઞાને માથે ચઢાવે તેને સંઘ કહેવાય. સંઘ તો ભગવાનની આજ્ઞામાં હોય, પોતાની ધારણા પ્રમાણે કાયદા ઘડનાર ન હોય.
સવ બધા ભેગા મળીને નિર્ણય કરે તો ?
બધા ભેગા મળીને નક્કી કરે કે ‘તમારા ઘરે ચોરી કરવી’ તો કરવા દો કે પોલીસને બોલાવો ? બહુમતીએ લીધેલા નિર્ણયો માન્ય કોટિના ખરા ને ? બધા ભેગા થઈને તમારા ઘરે ચોરી કરે એ ન ચાલે અને અહીં ભગવાનના માર્ગનો લોપ કરે, પરમપદના પ્રગટ ચોર બને - એ ચાલે ? ભગવાનની આજ્ઞાને માથે રાખે તેને જ સંઘ કહેવાય. જે આજ્ઞાને માનનારો હોય તે આજ્ઞાથી નિરપેક્ષપણે એકે ઠરાવ ન કરે. આજે તો ઘણા આચાર્યો પણ બોલવા માંડ્યા છે કે - આ સૂત્રોની
(૫૮) =
શ્રમણ ભગવાન મહાવીરે જે પજવનિકા નામનું અધ્યયન સારી રીતે જણાવ્યું છે તે અધ્યયન ધર્મની પ્રજ્ઞપ્તિ અર્થાત્ ધર્મના જ્ઞાનનું અને ધર્મની પ્રાપ્તિનું કારણ હોવાથી તે ભણવું એ મારા માટે શ્રેયસ્કર છે, કલ્યાણકર છે. આ પ્રમાણે શ્રી સુધર્માસ્વામીજીએ કહ્યા બાદ તેમના શિષ્ય શ્રી જંબુસ્વામીજી તેમને પૂછે છે કે - તે છજીવનિકા નામનું અધ્યયન કર્યું છે કે – જે શ્રી મહાવીરપરમાત્માએ જણાવ્યું છે અને ધર્મપ્રાપ્તિનું કારણ હોવાથી મારે ભણવું કલ્યાણકારી છે ? આ રીતે અહીં જે શિષ્યનું પ્રશ્નવાક્ય જણાવ્યું છે તે એવું સમજાવવા માટે છે કે મોક્ષના અભિલાષી અને સમ્યજ્ઞાનાદિની પ્રત્યે અવિતથ શ્રદ્ધા ધરાવનાર શિષ્ય અભિમાનનો ત્યાગ કરી સર્વ કાર્યો ગુરુને પૂછીને જ કરવાં, દરેક વાતમાં ગુરુને પૂછવું. ત્યાર બાદ શ્રી સુધર્માસ્વામીજી પણ 'તે અધ્યયન આ પ્રમાણે છે...' ઇત્યાદિ દરેક પદોનો અનુવાદ કરીને જણાવે છે. આના ઉપરથી એ સૂચવ્યું છે કે ગુણવાન શિષ્યને ગુરુએ ઉપદેશ આપવો જ જોઈએ. એની ઉપેક્ષા ન કરવી જોઈએ. હવે તે છyવનિકાય કયા પ્રકારના છે તે જણાવે છે :
तंजहा - पुढविकाइया आउकाइया तेउकाइया वाउकाइया वणस्सइकाइया तसकाइया । पुढवी चित्तमंतमक्खाया अणेगजीवा पुढोसत्ता अन्नत्थ सत्थपरिणएणं, आउ चित्तमंतमक्खाया अणेगजीवा पुढोसत्ता अन्नत्थ
(૫૯)