Book Title: Dash Vaikalik Sutra Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 48
________________ મન નહિ થાય. દુ:ખ ગમે તેટલું અકારું લાગવા માંડે, સુખ ગમે તેટલું સારું લાગે તોપણ પાપ જેને ખરાબ લાગતું હોય તે ગૃહસ્થપણાને સારું માની ન શકે. સાધુપણામાં આવતાંની સાથે જ ઉપસર્ગો ને પરિષહો તો આવવાના જ. એવા વખતે દુઃખ વેઠવાનો અભ્યાસ ન પાડવામાં આવે તો અવિરતિ ઉપાદેય લાગતાં વાર ન લાગે. ડોકટર પાસે ગયા પછી દુ:ખ તો પડે છતાં ‘રોગ જશે' - એનો આનંદ હોય ને ? તેમ સાધુભગવંતને પણ પરિષહ અને ઉપસર્ગ વેઠતી વખતે સંસાર જશે અને મોક્ષ મળશે - એનો આનંદ હોય. સ૦ સાધુભગવંતો બાર મહિને અનુત્તરનાં સુખોને વટાવી જાય ને ? સુખને વટાવે એટલે વેશ્યાને વટાવી જાય - એમ સમજવું. ત્યાં જેવી શુભ લેયા હોય તેનાથી ચઢિયાતી લેશ્યા તેમની હોય છે, તે જણાવવા માટે ‘ગુવનામનાલ્યો મવતિ' એમ કહ્યું છે. અનુત્તરમાં જે સુખ છે તે પૌગલિક નથી, માનસિક છે. ત્યાં શાસ્ત્રોના ચિંતનનું સુખ છે. ત્યાં સંગીત અદ્વિતીય છે, પણ સાંભળનાર કોઈ નથી, વિષયો સર્વોત્તમ છે, પણ ભોગવનાર કોઈ નથી. મળે છે ઘણું પણ અડતું કશું નથી. કશું જોઈતું નથી : એ જ મોટામાં મોટું સુખ છે. માટે જ કહ્યું છે કે ‘નિઃસ્પૃહત્વ મામુવમ્ |’ સાધુપણામાં જે સુખ છે તે સંસારનું કોઈ પણ પ્રકારનું સુખ જોઈતું નથી અને દુ:ખ ગમે તેવું આવે તો ય ચિંતા નથી - એનું છે. પણ જે નિકાચિત કર્મો ન ખપ્યાં તે છેવટે સાડા બાર વરસની ઘોર સાધના કરીને ખપાવ્યાં. પાપથી ગભરાવાની જરૂર છે. પાપ કર્યા પછી આવેલા દુ:ખથી ગભરાવાની જરૂર નથી. પાપ ખરાબ લાગે તો દીક્ષા લેવાની, દુ:ખ ખરાબ લાગતું હોય ત્યાં સુધી ઉતાવળ કરવાની જરૂર નથી. મારા ગુરુમહારાજ કહેતા હતા કે – ધર્મ કરવાની ઉતાવળ ન કરો, પાપ છોડવાની ઉતાવળ કરો. પાપ ચાલુ રાખીને ધર્મ કરશો તોય પાપની સજા માફ નહિ થાય. આજે જે કાંઈ પ્રયત્ન ચાલુ છે તે પાપ ન કરવું પડે તે માટેનો પ્રયત્ન ચાલું છે કે પાપની સજા ભોગવવી ન પડે તે માટેનો ? નવકારશી શેના માટે કરો છો ? નરકમાં ન જવું પડે માટે ને ? નરકમાં જવું પડે - એવાં કામ ચાલુ રાખીને પણ નરકથી બચવું છે ને ? પાપ ચાલુ રાખીને સજા માફ કરવા ધર્મ કરવો તે પ્રતિક્રમણ વિનાનો ધર્મ છે. પ્રતિક્રમણ, નિંદા અને ગહ વગરનો ધર્મ સંસારથી તરવા કામ નહિ લાગે. જેને રાગદ્વેષ નડે તે વીતરાગ ન બની શકે તેમ જેને પાપ ગમે તે પ્રતિક્રમણ કરી ન શકે. રોજ ‘ાન વા ઢોસેળ વ તેં નિંદ્ર નં ૨ લિમિ' બોલનાર પાછા રાગદ્વેષ કરવા તૈયાર થાય ને ? રાગની નિંદા કરીએ, પણ રાગ ગમે છે ને ? આપણે બીજા ઉપર રાગ કરીએ કે ન કરીએ, પણ બીજા આપણી ઉપર રાગ કરે તો ગમે ને ? જ્યાં સુધી પાપ ગમે છે ત્યાં સુધી પ્રતિક્રમણ થવાનું જ નથી. પ્રતિક્રમણ એટલે પાપથી પાછા ફરવું. પાપ ન કરવાનો નિર્ણય કરવો. નિંદા એટલે ‘મેં આ ઘણું ખોટું કર્યું' એવી આત્મસાક્ષીએ કરેલી કબૂલાત. અને ગહ એટલે પાપરહિત બનાવનાર આગળ પાપની કબૂલાત કરવી. પગમાં કાંટો વાગતાંની સાથે પગ ઊંચો થઈ જાય અને બીજો પગ અધ્ધર પડે તેનું નામ પ્રતિક્રમણ. 'ક્યાં હું આમ વાતો કરતાં કરતાં જોયા વિના ચાલ્યો’ એવો અફસોસ થવો તેનું નામ નિંદા. અને કોઈ જાણકાર પાસે જઈને કહેવું કે - ‘આ કાંટો વાગ્યો છે, તો જરા કાઢી આપશો ?' તેનું નામ ગણું પ્રતિક્રમણમાં અને નિંદામાં જે દુ:ખ નથી તે દુ:ખ ગહમાં હોય છે. કારણ કે ગહ કરતી વખતે સામાના હાથમાં સોય આપવી પડે અને તે ગમે તેટલું કોતરે તોપણ ભાગાભાગ ન કરાય. કાંટો કઢાવતી વખતે પીડા થાય છતાં આઘાપાછા ન થાય તો પ્રતિક્રમણ અને નિંદા સાચી કહેવાય. પેટ બગડ્યા પછી આહાર બંધ કરવો તેનું નામ પ્રતિક્રમણ, ‘ક્યાં મેં આગ્રહવશ થઈને કે લોભના કારણે ખાધું” આવો પસ્તાવો થવો તેનું નામ નિંદા અને ડોક્ટર સ૦ કોઈ તીર્થંકરભગવંતને ઉપસર્ગો વિના ટૂંક ગાળામાં કેવળજ્ઞાન મળી ગયું ને કોઈને ઘોર ઉપસર્ગ તથા કઠોર સાધના પછી કેવળજ્ઞાન મળ્યું તેનું કારણ શું ? બધા જ ભગવંતો કર્મોની નિર્જરા કરવા તો તત્પર જ હતા. પરંતુ જેમણે તેવા પ્રકારનાં પાપ કરેલાં હતાં અને તે નિકાચિત હોવાથી પૂર્વભવની સાધનાથી ખપ્યાં ન હતાં, તેમને છેલ્લા ભવમાં ખપાવવાનાં રહ્યાં. જેમણે તેવાં પાપકર્મ કર્યા ન હતાં અથવા જેમનાં ખપી ગયાં હતાં તેમને અલ્પ સમયમાં કેવળજ્ઞાન મળ્યું. બાકી બધા જ ભગવાનનું ચારિત્ર તો એકસરખું જ હતું. શ્રી મલ્લિનાથ ભગવાનને તો દીક્ષાના દિવસે જ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હતું. જ્યારે શ્રી મહાવીર પરમાત્માને પૂર્વભવે અગિયાર લાખ એંશી હજાર છસો પિસ્તાલીશ માસક્ષમણ કરવા છતાં (૯૨) = (૯૩)

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92