________________
શીખ્યો કે નહિ ?' નાવિકે ના પાડી એટલે શેઠે કહ્યું કે - ‘તો તારી અડધી જિંદગી પાણીમાં ગઈ.' પછી પાછું શેઠે પૂછ્યું કે, ‘તું પરણ્યો ?' નાવિકે ના પાડી. એટલે શેઠે કહ્યું કે ‘તો તો તારી પોણી જિંદગી પાણીમાં ગઈ.” એટલી વારમાં નદીમાં તોફાન ચઢ્યું અને નદી હાલમડોલમ થવા માંડી. એટલે નાવિકે શેઠને પૂછ્યું કે - “શેઠ ! તમને તરતાં આવડે છે ?' શેઠે ના પાડી. ત્યારે નાવિકે કહ્યું કે ‘તો શેઠ ! તમારી આખી જિંદગી પાણીમાં ગઈ - એમ સમજે !' આના ઉપરથી પણ સમજાય ને કે જ્યાં જેની જેટલી મહત્તા હોય તેટલી જ મહત્તા ત્યાં અંકાય.
સવ બીજું મહાવ્રત મુખ્ય અને ચોથું ગૌણ - એમ ?
આવું ક્યાંથી લઈ આવ્યા ? આ તો તમે ચોથાને મુખ્ય માની બીજાને ગૌણ માનો છો માટે આટલી વાત કરી. બાકી વ્રત તો એકે ગૌણ નથી. બધાં જ સાધુપણી માટે સમાનરૂપે મુખ્ય છે. જેને જે નડે તેના ઉપર તે ભાર આપે તે જુદી વાત, જે ખૂટતું હોય તેના માટે મહેનત વધારે કરવાની - એય જુદી વાત. બાકી સાધુપણામાં એકે વિના ન ચાલે. શરીરનું કયું અંગ ન હોય તો ચાલે ? તેમ અહીં પણ પાંચમાંથી એકે ગૌણ નથી. તમે ઊંધું ના સમજશો. ચોથું ન હોય તો ચાલે - એવી વાત જ નથી. ચોથું પાળનારામાં પણ બીજા વ્રતની ખામી હોય તો ન જ ચાલે - એટલી વાત છે. બાકીનાં મહાવ્રતોમાં ખામી હોય તો માત્ર પોતાને જ નુકસાન થાય જ્યારે ઉત્સુત્રભાષણ કે ઉન્માર્ગદશનારૂપ બીજા મહાવ્રતની ખામીના કારણે પોતાની સાથે બીજા અનેકોના નુકસાનનું કારણ હોવાથી શાસ્ત્રમાં તેની ભયંકરતા વર્ણવી છે.
अहावरे पंचमे भंते ! महव्वए परिग्गहाओ वेरमणं, सव्वं भंते ! परिग्गह पच्चक्खामि, से अप्पं वा बह वा अणुं वा थूलं वा चित्तमंतं वा अचित्तमंतं वा नेव सयं परिग्गहं परिगिहिजा नेवऽन्नेहिं परिग्गहं परिगिण्हाविजा परिग्गहं परिगिण्हंतेऽवि अन्ने न समणुजाणामि जावजीवाए तिविहं तिविहेणं, मणेणं वायाए काएणं न करेमि न कारवेमि करतंपि अन्नं न समणुजाणामि, तस्स भंते ! पडितमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि । पंचमे भंते ! महव्वए ૩ક્િfષ દળો ઘf Tદારૂનો વેરાન છે || (મૂત્ર-૭).
ta૧૨) =
હવે ચારથી અન્ય એવા પાંચમા મહાવ્રતને વિષે હે ભગવન્ ! પરિગ્રહથી વિરામ પામવાનું ભગવાને જણાવ્યું છે, તેથી હે ભગવન્ ! સર્વ પ્રકારના પરિગ્રહનું હું પચ્ચખાણ કરું છું. પછી તે થોડું હોય કે ઘણું હોય, નાનું હોય કે મોટું હોય, સચિત્ત હોય કે અચિત્ત હોય : કોઈ પણ પ્રકારનો પરિગ્રહ હું જાતે રાખીશ નહિ, બીજા પાસે પરિગ્રહ રખાવીરા નહિ, પરિગ્રહ રાખનાર બીજાને સારા માનીશ પણ નહિ. જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી ત્રિવિધે ત્રિવિધે મનથી વચનથી કાયાથી પરિગ્રહ રાખવાનું પાપ કરીશ નહિ, કરાવીશ નહિ, કરતાને અનુમોદીશ પણ નહિ. ભૂતકાળમાં મેં જે કાંઈ પરિગ્રહનું પાપ કર્યું છે તેનાથી હે ભગવન્ ! પાછો ફરું છું, આત્મસાક્ષીએ તેની નિંદા કરું છું, આપની સમક્ષ ગહ કરું છું અને એ પાપથી યુક્ત એવા મારા આત્માને વોસિરાવું છું. આ રીતે પાંચમા મહાવ્રતને વિષે હે ભગવન્ ! હું સર્વ પ્રકારના પરિગ્રહથી વિરામ પામવા માટે આપની સમક્ષ ઉપસ્થિત થયો છું.
સંયમની સાધનામાં ઉપયોગી એવાં ઉપકરણથી અધિક ઉપકરણ જો સાધુ રાખે તો સાધુને પરિગ્રહનું પાપ લાગે છે. એ જ રીતે સાધના માટે ઉપયોગી ઉપકરણો પ્રત્યે પણ મૂચ્છ રાખવાથી પરિગ્રહનું પાપ લાગે છે. સંયમની સાધના માટે તો જેટલાં ઉપકરણો જોઈએ એ છાબમાં સમાઈ જાય એટલાં હતાં અને એ છાબ તો કુમળી વયની છોકરીઓ પણ પોતાના માથે ઉપાડીને મજેથી ચાલી શકતી હતી. આજે તો અમારો સામાન ઉપધિ બાંધીને ઉપાડી શકાય એટલો નથી રહ્યો. હવે તો બોકસ પણ ઓછું પડે - એવી હાલત છે ને ? સાધુની જરૂરિયાતો વધી અને શ્રાવકોની ઉપેક્ષા વધી એટલે રાખવા-૨ખાવવાનું કામ શરૂ થઈ ગયું. સાધુઓ જરૂરિયાત ઘટાડી દે અને શ્રાવકો સાધુસાધ્વીનું ધ્યાન રાખતા થઈ જાય તો આજે અડધો પરિગ્રહ ઓછો થઈ જાય. શ્રી મહાવીરપરમાત્માના જન્મકલ્યાણકને પચીસસો વરસ થયાં તેની ઉજવણી રાષ્ટ્રીય સ્તર ઉપર કરવાનું કેટલાક લોકોએ નક્કી કરેલું, તેના વિરોધનું કાર્ય આચાર્યભગવંતે આરંવ્યું. તે વખતે સાહેબે કહેલું કે આ કાર્યમાં પૈસાની પણ જરૂર પડવાની. ત્યારે એક ભાઈએ કહેલું કે વીસ લાખ સુધીની જરૂર હોય ત્યાં સુધી કોઈને કહેશો નહિ. આવી તૈયારી બતાવનારા શ્રાવકો મળી આવે તો ફરક પડે ને ?
अहावरे छट्टे भंते ! वए राईभोयणाओ बेरमणं, सव्वं भंते ! राईभोयणं पच्चक्खामि, से असणं वा पाणं वा खाइमं वा साइमं वा, नेव सयं राई भंजेजा
(૧૧૩)