Book Title: Dash Vaikalik Sutra Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 33
________________ તે આપણી જાતને સુધારવા માટે આવ્યા છીએ, બીજાને સુધારવા માટે નહિ; તો તેઓ ઘણા દોષોથી બચી જાય. એટલું પણ નક્કી રાખવું છે કે જે ફરીયાદ કરવી હોય તે દોષ આપણામાં ન હોવો જોઈએ ! આમ તો કોઈના દોષ બતાવવા જ નથી. છતાં તમને સુધારવાનું બહુ મન હોય અને તેથી દોષ બતાવવો જ હોય તોય એટલો તો નિયમ રાખવો કે આપણામાં જે દોષ હોય એવો દોષ બીજાનો ન બતાવવો. બીજાના દોષ ગાવાનું બહુ મન થાય તો આપણી જાત સામે જોઈ લેવાનું. નિંદા કરવાની ટેવ પડી હોય અને તે જતી ન હોય તો પણ આટલી મર્યાદા બાંધવી છે કે આપણામાં જે દોષ ન હોય તેની નિંદા કરવી. એક સ્ત્રી અનાચારી, હતી તેથી તેને બધા પથ્થર મારતા હતા. એ જોઈને એક સંતપુરુષે બધાને એક ક્ષણ માટે ઊભા રાખીને કહ્યું કે - જેને પથ્થર મારવા હોય તે ભલે મારે, પણ જેણે જીવનમાં એક પણ અનાચાર સેવ્યો હોય, એક પાપ ક્યું ન હોય તેણે પથ્થર મારવા. બધા શું કરે ? હાથ હેઠા જ પડે ને ? કામ કરે છે. જ્ઞાન મેળવ્યા પછી ચારિત્ર લીધા વિના ન રહેવું - એ આ ગ્રંથનો સાર છે. આ સંસારમાં અનંતાનંત જીવો છે. કોઈ પણ જીવને દુ:ખ લેશમાત્ર પણ ગમતું નથી, છતાં આ સંસારમાં કોઈને દુઃખ આપ્યા વગર જીવી શકાતું નથી - આટલું સમજાય તો એટલા ખાતર પણ સંસારનો ત્યાગ કરવાનું મન થયા વિના નહિ રહે. બીજાને પીડા ન આપવાના કારણે આપણે સમાધિનો અનુભવ અંશે કરી જોયો છે ને ? તો ચૌદ રાજલોકના જીવને અભય આપવાથી કેવી સમાધિ મળે, એની કલ્પના આવે ને ? સંસારનું આવું સ્વરૂપ જાણ્યા પછી, સાધુપણામાં આવ્યા પછી પણ કોઈને દુ:ખ ન પહોંચાડવાનો પરિણામ જાગતો નથી માટે સાધુપણામાં ભલીવાર આવતો નથી. નિરવદ્ય-નિર્દોષ જીવન જીવવાનું સહેલું છે પણ જ્યણાપૂર્વકનું જીવન જીવવાનું કામ કરવું છે. પ્રવૃત્તિ નિષ્પાપ બનવી – એ જુદું છે અને પરિણામમાં યતના આવવી - એ જ છે. ‘આ સંસારમાં દુઃખ વેઠવું પડે છે' એના બદલે ‘આ સંસારમાં દુ:ખ આપવું પડે છે' - એ પરિણામ વધુ મહત્ત્વનો છે. માત્ર ઘરના લોકોને પણ દુ:ખ આપ્યા વગર જીવવાનું કામ કપરું છે, તો ચોદ રાજલોકના જીવોને દુ:ખ આપ્યા વગર જીવવાનું કેટલું કપરું છે - એ સમજી શકાય એવું છે. આપણા ઘરના લોકોને આપણે દુ:ખ નથી આપતા ને ? ઘરના ઘાટીને પણ દુ:ખ નથી આપવું - આટલો વિચાર આવે ? સવ આપણને અનુકૂળ વત્તે તેને દુઃખ ન આપવું ! એટલું ય નક્કી રાખવું છે ? અનુકૂળતા આપનારને દુ:ખ નથી આપવું - એટલું નક્કી રાખો તો ય નિતાર થઈ જાય. ઘરના લોકોએ ક્યારે ય આપણી અનુકૂળતા સાચવી નથી ને ? વર્તમાનમાં નથી સાચવતા ? અમારાં સાધુસાધ્વી પણ વિચારે કે ગુરભગવંત કે સહવર્તીએ આપણી કેટલી અનુકૂળતા સાચવી છે – તો તેઓ ગુર્નાદિકને દુ:ખ થાય તેવું વર્તન નહિ કરી શકે. સ૦ સાધુપણામાં સાધુ સાધુને શું દુ:ખ આપે ? સાધુપણામાં આવેલા જો પોતાનું સાધુપણું ભૂલી જાય તો તમે ન આપો એવું દુ:ખ સાધુ સાધુને આપે ! એકબીજાની ચાડી ખાવી, નિંદા કરવી, અપમાન કરવું, ઉતારી પાડવું, કહેલું ન માનવું... આવા અનેક પ્રકારનાં દુ:ખ આપવાનું બની શકે. સાધુસાધ્વી એટલું નક્કી કરી લે કે સાધુપણામાં આપણે આવ્યા છીએ આ સંસાર અનંતદુ:ખમય હોવા છતાં છૂટતો કેમ નથી ? સુખની લાલચે દુઃખ ભોગવવા માટે ટેવાઈ ગયા છીએ અને બીજાને દુ:ખ આપતાં આંચકો નથી આવતો માટે. દુ:ખ વેઠવાનો અભ્યાસ ગમે તેટલો હોય તોપણ દુ:ખ આપવું પડે છે માટે સંસાર નથી જોઈતો - આટલું નક્કી કરવું છે ? દુ:ખ વેઠવાના ઉદ્દેગને બદલે દુઃખ આપવામાં ઉદ્વેગ આવે તો સંસાર ક્ષણવારમાં છૂટી જાય. આપણે આપણને કોણ કોણ દુ:ખ આપે છે એનો વિચાર કરીએ છીએ જ્યારે શાસ્ત્રકાર પરમર્ષિએ આપણે કોને કોને દુ:ખ આપીએ છીએ - તે જણાવવા માટે છજીવનિકાય અધ્યયન બતાવ્યું છે. આપણે દુ:ખની ફરીયાદ તો એવી રીતે કરીએ કે જાણે આ સંસારમાં બધા આપણને દુ:ખ આપવા જ સર્જાયા ન હોય ?! આપણને કોણ કોણ હેરાન કરે છે, તેની નોંધ આપણી પાસે છે. પણ આપણે કોને કોને હેરાન કરીએ છીએ એની નોંધ આપણી પાસે નથી. તેથી આ અધ્યયનની રચના કરી છે. આટલા જીવોને દુ:ખ આપવું પડતું હોય એવા સંસારમાં રહેવાનું શું કામ છે - આવો વિચાર આવે ને ? પૃથ્વીકાયાદિનું લક્ષણ કરતાં જણાવે છે કે કાઠિન્યાદિલક્ષણવાળી પૃથ્વી છે કાયા જેની તેને પૃથ્વીકાય કહેવાય છે. પૃથ્વીમાં જેવી કઠિનતા છે તેવી બીજે

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92