________________
[અન્ય ક્ષેત્રે કરેલું પાપ તીર્થમાં જઈ ધોઈ શકાય છે. પણ તીર્થક્ષેત્રમાં જો પાપ કરીએ તો તે વજૂલેપ બની જાય છે.]
अपमानितोऽपि कुलजो न वदति पुरुषं स्वभावदाक्षिण्यात्। नहि मलयचन्दनतरु: परशुप्रहत: स्रवेत् पूयम्॥
[કુહાડીથી પ્રહાર થવા છતાં મલય પર્વત પર ઊગતા ચંદનના વૃક્ષમાંથી જેમ નકામો પદાર્થ બહાર આવતો નથી તેમ અપમાન થવા છતાં કુળવાન માણસો પોતાનું સૌજન્ય છોડી જેમ તેમ બોલતા નથી.]
अपि क्रियार्थं सुलभं समित्कुशम् जलान्यपि स्नानविधिक्षमाणि ते । अपि स्वशक्त्या तपसि प्रवर्तसे शरीरमाद्यं खलु धर्मसाधनम् ||
[કાલિદાસ કૃત કુમારસંભવમ્ સર્ગ-૫-૩૩. યજ્ઞ કરવા માટે સમધના ટૂકડાં અને કુશ ઘાસ સહેલાઈથી મળે છે? સ્નાન માટે પાણી યોગ્ય છે? તમે તમારી શક્તિ અનુસાર તપ કરો છો ? શરીર ધર્મ કરવા માટેનું સાધન છે.]
अपि स्वर्णमयी लङ्का न मे लक्ष्मण रोचते। जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी॥
(હે લક્ષ્મણ, આ લંકા સોનાની છે તો પણ તે મને ગમતી નથી. જનની અને જન્મભૂમિ એ તો સ્વર્ગથી પણ મહાન છે. વાલ્મિકી રામાયણમાં લંકા વિજય પછી લંકાનું રાજ સ્વીકારવાની ના પાડતા રામ આ વાક્ય કહે છે.]
अपूर्व: कोपि कोशोयं विद्यते तव भारति। व्ययतो वृद्धिम् आयाति क्षयम् आयाति संचयात्॥