Book Title: Dadini Prasadi
Author(s): Mavjibhai Mumbaiwala
Publisher: Mavjibhai Mumbaiwala

View full book text
Previous | Next

Page 18
________________ [આહાર, નિદ્રા, ભય અને મૈથુનની બાબતમાં પશુ અને માણસમાં કોઈ ફરક નથી. માણસમાં ધર્મ એક એવી ચીજ છે જે પશુમાં હોતી નથી. આથી ધર્મ વિનાનો માણસ પશુ જેવો જ લેખાય.]. ઇ-ઈ इतो भ्रष्टस्ततो नष्टः। [અહી જઈશ તો ભ્રષ્ટ થઈશ. ત્યાં જઈશ તો નષ્ટ થઈશ.] इदमद्य करिष्यामि श्वः कर्तास्मि इति वादिनम्। कालो हरति संप्राप्तो नदीवेग इव दुमम् || [જેમ નદીમાં આવેલું પૂર પોતાના વેગમાં વૃક્ષને તાણી જાય છે તેમ આ કામ આજે કરીશ આ કામ કાલે કરીશ એવી વાતો કરનારાને સમયનું પૂર પોતાની સાથે ખેંચી જાય છે.] ईशावास्यमिदं सर्वं यत् किञ्च जगत्यां जगत्। तेन त्यक्तेन भुञ्जीथा मा गृधः कस्यस्विद् धनम्॥ [ ઈશાવાસ્ય ઉપનિષદનો તત્વજ્ઞાનીઓને ખૂબ જ પ્રિય એવો શ્લોક. જડ અને ચેતનતત્વના બનેલા આ જગતના અણુએ અણુમાં ઈશ્વર છે અને તે જ તેનો સ્વામી છે. આ જગતને માણ પણ ત્યાગના ભાવ સાથે માણ. એવું માનતો નહિ કે તારા એકલાની કોઈ ચીજ છે. જે કંઈ છે તેના પર અન્યનો પણ એટલો જ અધિકાર છે. અન્યના અધિકારને કદી છીનવી લેતો નહિ.] ઉ-ઊ उत्तमो नातिवक्ता स्यात् अधमो बहु भाषते। न काञ्चने ध्वनिस्तादृक् यादृक् कांस्ये प्रजायते॥ [નકામો માણસ બહુ બોલ બોલ કરે એટલે ઉત્તમ વક્તા બની જતો નથી. સોનાનો જેટલો અવાજ આવે તેના કરતાં કાસાનો અવાજ અનેકગણો આવે છે.] 18

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73