________________
स्वाभिमानो धनंयेषां चिरजीवन्ति ते जनाः । स्वाभिमानविहीनानां किं धनेन किमायुषा ॥
[જેમની પાસે સ્વાભિમાનરૂપી સંપત્તિ છે તે માણસો શાશ્વત જીવે છે. જેમની પાસે સ્વાભિમાન નથી તેમની પાસે ધન કે આયુષ્ય હોય તો પણ શું કામનું ? ]
ય
षट्पदः पुष्पमध्यस्थो यथा सारं समुद्धरेत् ।
तथा सर्वेषु शास्त्रेषु सारं गृहिण्न्त पण्डिताः ॥
[જેમ ભમરો દરેક પુષ્પ પર જઈ તેનું ઉત્તમ તત્વ એકઠું કરે છે તેમ ડાહ્યા માણસે દરેક શાસ્ત્ર વાંચી તેનો સાર મગજમાં ઉતારવો જોઈએ.]
9-0
हंसः श्वेतो बकः श्वेतो को भेदो बकहंसयोः । नीरक्षीरविवेके तु हंसः हंसो बको बकः ॥
[હંસ સફેદ દેખાય છે. બગલો પણ સફેદ દેખાય છે. પરંતુ જ્યારે પાણી અને દૂધ અલગ કરવાની વાત આવે ત્યારે હંસ હંસ જેવો અને બગલો બગલા જેવો સાબિત થઈ જાય છે.]
हीयते हि मतिस्तात् हीनैः सह समागतात्।
समैस्च समतामेति विशिष्टैश्च विशिष्टितम्॥
[મહાભારતનો શ્લોક છેઃ હીન એટલે કે અધમ માણસો સાથે રહેવાથી આપણી બુદ્ધિ અધમ થઈ જાય છે. સમાન માણસો સાથે રહેવાથી સમાન રહે છે અને વિશિષ્ઠ એટલે કે ખૂબ પ્રતિભાવાન સાથે રહેવાથી આપણી પ્રતિભા પણ ખિલે છે.]
71