________________
उत्तिष्ठत जाग्रत प्राप्य वरान्निबोधत। क्षुरस्य धारा निशिता दुरत्यया दुर्गं पथस्तत्कवयो वदन्ति॥
[કઠોપનિષદ અધ્યાય-૧ વલ્લી-૩નો શ્લોક: ઊઠો જાગો તમારાથી ચડિયાતા જાણકારો પાસેથી જ્ઞાન મેળવો. કવિઓ (એટલે કે વિદ્વાનો) કહે છે કે જ્ઞાનપ્રાપ્તિનો માર્ગ છરીની ધાર પર ચાલવા જેવો मारो छ.]
उत्पद्यन्ते विलीयन्ते दरिद्राणां मनोरथाः।
[ગરીબ માણસને મનમાં ઇચ્છાઓ જાગતી રહે ને ભૂલાતી રહે. તેનું પરિણામ કંઈ ન આવે].
उत्सवप्रियाः खलु मनुष्याः।
[કાલિદાસનું કથનઃ બધા માણસોને તહેવાર માણવા ગમે છે]
उत्साहो बलवानार्य नास्त्युत्साहात्परं बलम्। सोत्साहस्य च लोकेषु न किंचिदपि दुर्लभम्॥
[ઉત્સાહમાં ખૂબ બળ હોય છે. ઉત્સાહથી વધુ મોટું બળ કોઈ નથી. એટલે ઉત્સાહી માણસો માટે કોઈ ग्राम सघनथी.]
उदये सविता रक्तो रक्तश्चास्तमने तथा। सम्पत्तौ च विपत्तौ च साधूनामेकरूपता॥
[ઊગતો સૂરજ લાલ રંગનો હોય છે, આથમતો સૂરજ પણ લાલ રંગનો જ હોય છે. સજ્જન માણસના રંગ ઢંગ સુખમાં કે દુઃખમાં સરખા જ રહે છે.]
उदारस्य तृणं वित्तं शूरस्य मरणं तृणं। विरक्तस्य तृणं भार्या निस्पृहस्य तृणं जगत्॥