________________
पिण्डे पिण्डे मतिर्भिन्ना कुण्डे कुण्डे नवं पयः। जातौ जातौ नवाचाराः नवा वाणी मुखे मुखे॥
[દરેક માણસ પોતાની રીતે વિચારે છે. દરેક કુંડમાં અલગ અલગ પ્રકારનું પાણી હોય છે. દરેક જાતના લોકના રિવાજ જુદા હોય છે. દરેક માનવીના મોઢામાંથી અવનવી વાણી સાંભળવા મળે છે.]
पिबन्ति नद्यः स्वयम् एव न अम्भः। स्वयं न खादन्ति फलानि वृक्षाः॥ न अदन्ति सस्यं खलु वारिवाहा। परोपकाराय सतां विभूतयः॥
[નદી પોતાનું પાણી પીતી નથી વૃક્ષ પોતાના ફળ ખાતા નથી. ખેતરમાં થયેલા પાકના ઢગલા અનાજ ખાઈ જતા નથી. સંત માણસોની સિદ્ધિ-સંપત્તિ પરોપકાર માટે જ હોય છે.]
पुरा कवीनां गणना प्रसङ्गे कनिष्ठिकाधितिष्ठित कालिदासः। अद्यापि तत्तुल्य कवेराभावात् अनामिका सार्थवती बभूव॥
[અગાઉ જ્યારે કવિ કેટલા તેની ગણતરી થતી ત્યારે સૌ પહેલું કાલિદાસનું નામ સૌથી નાની આંગળી પર લેવાતું હતું પણ પછી બીજી આંગળી આગળ ગણતરી અટકી જતી હતી. હજુ સુધી કોઈ કવિ કાલિદાસની કક્ષાનો ન જણાયો નથી તેથી એ આંગળીનું ‘અનામિકા' નામ સાર્થક બની ગયું છે.]
पुराणमित्येव न साधु सर्वं न चापि काव्यं नवमित्यवद्यम्। सन्तः परीक्ष्यान्यतरद्धजन्ते मूढः परप्रत्ययनेयबुद्धिः॥
[કાલિદાસ કૃત માલવિકાગ્નિમિત્રમનો આ શ્લોક છે. જે જુનું છે તે બધું સારું જ છે એવું માની ન લેવાય. કવિતા નવી હોય એટલે સારી જ હોય તેવું નથી. ડાહ્યા માણસો બરાબર ચકાસણી કર્યા પછી જ નિર્ણય પર આવે છે પણ મૂઢ માણસો બીજાની બુદ્ધિથી દોરવાય છે.]
पुस्तकस्था तु या विद्या परहस्तगतं धनं। कार्यकाले समुत्पन्ने न सा विद्या न तद्धनम्॥