________________
रम्याणि वीक्ष्य मधुरांश् च निशम्य शब्दान् पर्युत्सुकी भवति यत् सुखेतेऽपि जन्तुः। तच् चेतसा स्मरति नूनम् अबोधपूर्वं भाव स्थिराणि जननान्तर सौहृदानि॥
(અભિજ્ઞાન શાકુંતલમ અંક - પાંચમો)
[નિહાળી કશું રમણીય ને સૂણી કો નિશબ્દ મીઠું ગાન કદી અલિપ્તજનને હૈયે પણ જાગે કુતુહલનું તોફાન સ્મૃતિઓ ઊભરે અદીઠ અજાણી મનને કંઈ નવ સમજાય તાણાવાણા કો પૂર્વ જનમના જાણે વણાય ને વિખરાય]
रम्यान्तरः कमलिनीहरितैः सरोभिश्छायाद्रुमैर्नियमितार्कमयूखतापः। भूयात्कुशेशयरजोमृदुरेणुरस्याः शान्तानुकूलपवनश्च शिवश्च पन्थाः॥
(અભિજ્ઞાન શાકુંતલમ - અંક ચોથો)
[માર્ગ બને રમણીય તારો ખીલ્યા હરિત કમળ ભરેલો તાપ ન પહોંચે તારા સુધી રહેજો સૂર્ય વન ટોચ સૂતેલો તારા હળવા પદરવથી ન ઊડજો રજ જરી યે કાળી પગ નીચે પથરાઈ રહેજો વનની અખંડ હરિયાળી વહેજો પવન શાંત મજાનો હો રસ્તો સુખ શાંતિ ભરેલો]
राजा राष्ट्रकृतं पापं राज्ञः पापं पुरोहितः। भर्ता च स्त्रीकृतं पापं शिष्यपापं गुरुस् तथा॥
[ જો એક દેશ કે રાષ્ટ્ર ખોટું કામ કરે તો તેનો રાજા ખરો ગુનેગાર ગણાય. જો રાજા ખોટું કામ કરે તો તેના સલાહકાર કે મંત્રીઓ ખરા ગુનેગાર છે. સ્ત્રી ખોટું કામ કરે તો તેનો પતિ સાચો અપરાધી છે અને જો શિષ્ય પાપ કરે તો તે પાપ માટેની બધી જવાબદારી તેના ગુરુની છે.]