________________
[હે દેવી સરસ્વતી, તારો ખજાનો ખરેખર અનોખો છે. જો તે વાપરીએ તો વધતો રહે છે અને જો તે સાચવીને રાખી મૂકીએ તો તેમાં ઘટાડો થાચ છે. જ્ઞાનનું એવું છે કે તે જેમ ઉપયોગમાં લેવાય તેમ વધે અને ઉપયોગ કર્યા વિના પડ્યું રહે તો કટાઈ જાય.]
अयं निजः परो वेति गणना लघुचेतसाम् ।
उदारचरितानां तु वसुधैव कुटुम्बकम्॥
[આ મારું છે, તે બીજાનું છે એવી ગણતરી તો જેનું મન સાંકડું હોય તેવા લોકોની હોય. જેનું મન ઉદાર હોય તેને તો આખું ય જગત પોતાના કુટુંબ જેવું લાગે.]
अरसिकेषु कवित्वनिवेदनं शिरसि मा लिख मा लिख मा लिख ।
[હે વિધાતા, અરસિક માણસો પાસે કવિતા પ્રસ્તુત કરવાનું મારા કપાળે ન લખ, ન લખ, ન લખ. કાલિદાસે કોઈક વખત કંટાળીને આવી પ્રભુપ્રાર્થના કરી હોવાનું મનાય છે.]
अर्थातुराणां न गुरुर्न बन्धुः कामातुराणां न भयं न लज्जा । विद्यातुराणां न सुखं न निद्रा क्षुधातुराणां न रुचिर्न वेला ॥
[જેમને પૈસા કમાવાની આતુરતા હોય તેને ન તો ગુરુ દેખાય, ન ભાઈ દેખાય. જેને કામેચ્છા જાગે તેને ન કોઈનો ડર લાગે, ન કોઈની શરમ નડે. જેને વિદ્યા પ્રાપ્તિની તડપ જાગે તેના જીવને ન શાંતિ હોય,
ન ઊંઘ આવે. જેને ભૂખ લાગે તે ન રૂચિ જૂએ કે ન શું સમય થયો છે તે જૂએ.]
अल्पकार्यकराः सन्ति ये नरा बहुभाषिणः ।
शरत्कालिनमेघास्ते नूनं गर्जन्ति केवलं ॥
[ઓછું કામ કરવાવાળા બહુ બોલ બોલ કરતા થઈ જાય. શરદ ઋતુમાં મેઘરાજા વરસે ઓછું ને ગરજે વધુ.]
अल्पानामपि वस्तूनां संहतिः कार्यसाधिका । तृणैर्गुणत्वमापन्नैर्बध्यन्ते मत्तसन्तिनः॥
12