________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૫) આત્મા સ્વાધીન તત્ત્વ વસ્તુ છે, તે કદી પણ સ્વભાવે ભૂલરૂપ ન હોય. મોહકર્મની એક જડ પ્રકૃતિનું નામ “દર્શનમોહ છે તે તો નિમિત્ત માત્ર છે. અજ્ઞાન અવસ્થામાં જીવ ટકયો છે ત્યાં લગી પોતાને અન્યથા તે માને ભલે, પણ તે કદી અન્યપણે (પરનો કર્તા-ભોક્તા) થતો નથી. ભૂલ ટળે છે, માટે ભૂલ તે સ્વભાવ નથી; પણ યોગ્યતા છે. ભૂલ થવામાં ઉપાધિરૂપ નિમિત્ત કારણ બીજું જોઈએ, માટે વિકારી અવસ્થામાં પર નિમિત્ત હોય છે, નિમિત્ત તો પરવસ્તુ છે એમ યથાર્થપણે, પરવસ્તુની અવસ્થાનું ભાન નહિ હોવાના કારણે, પૂર્વે ભૂલનું નિમિત્ત પામીને, જે રજકણો સત્તામાં પડયા હતા તે રાગદ્વેષરૂપે ઉદયમાં આવતા જ્ઞાનમાં દેખાય છે. ત્યારે તે જ જાણે હું છું એમ માની તેમાં એકાકાર થઈ તે રૂપે પોતાની હયાતી અજ્ઞાની દેખે છે; પોતાને પરરૂપ તથા પરને પોતારૂપ માને છે; પોતે રાગી, દ્વેષી, મોહી બને છે, તેનું નિમિત્ત પામીને નવા રજકણો (આત્મ ગુણ ઘાતક નિમિત્ત કર્મરૂપ ) બંધાય છે. અજ્ઞાન અવસ્થાની પરંપરામાં તે રજકણો નિમિત્ત થયા કરે છે, પણ જે સમયે જીવ જ્ઞાનભાવે અજ્ઞાન અવસ્થાનો અભાવ કરે છે તે સમયે અનાદિ પ્રવાહથી જે દર્શનમોહ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com