Book Title: Apurva Avsar Pravachan
Author(s): Shrimad Rajchandra, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 178
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૭) જ્ઞાન-આત્મામાં પેસી ગયા નથી; પણ આત્મા પોતાને ભૂલીને દેહમાં આત્માનો આરોપ કરીને હું દુઃખી છું એમ માને છે. પોતે પોતાને પરરૂપ થયો માને છે, પણ તેવો થઈ જતો નથી. જો પરભાવરૂપે થઈ જતો હોય તો પછી પોતે ક્ષમા, શાંતિ, આનંદ, જ્ઞાન વગેરે સ્વગુણપણે થઈ શકે નહીં. જ્ઞાનપણે આત્મા સદાય પ્રગટ છે છતાં તેમાં બીજાં માનવું કે પરનું કર્તુત્વ-ભોક્નત્વ માનવું તે અજ્ઞાનભાવ છે, માટે સિદ્ધ થાય છે કે મોક્ષ તે આત્માનો સ્વભાવ છે, બંધ એ ઉપાધિભાવ છે, સ્વભાવભાવ નથી. બેહદ આનંદ, બેહુદ સુખ, બેહુદ શ્રદ્ધા અને અનંત સામર્થ્યથી આત્મા પૂર્ણ છે. જેનો સહજ સ્વભાવ શુદ્ધ જ છે તે સ્વભાવને હુદ શી ? એ નિજતત્ત્વ જેમ છે તેમ ઓળખે, તેની રુચિ કરે અને તે જાતના પુરુષાર્થ વડે સ્થિરતા કરે તો આ આત્મા પૂર્ણ કૃતકૃત્ય થઈ સહુજ સ્વતંત્ર સુખદશા પ્રગટ કરે. શાસ્ત્રમાં કહે છે કે - બધા જીવાત્મા સુખ ઈચ્છે છે, પણ સુખનાં કારણો મેળવતાં નથી; અનંત સુખનું કારણ સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યક્રચારિત્ર છે. તેનો માર્ગ સંસારી જીવોએ કદી સાંભળ્યો નથી. તેથી તેઓ સુખ તો Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190