Book Title: Apurva Avsar Pravachan
Author(s): Shrimad Rajchandra, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 190
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (18) વિકાસ કરી એ પરમપદને (વીસમી ગાથામાં કહ્યું તેને) પામવાનો છું. પ્રભુ આજ્ઞા (વીતરાગની આજ્ઞા) નું બહુમાન કરીને કહે છે કે, મારા આત્મા વિષે એવો નિ:સંદેહ નિશ્ચય છે કે એક જ દેહ પછી બીજો દેહ નથી. પ્રભુ આજ્ઞા” એટલે સર્વજ્ઞ–વીતરાગ ભગવાને જેવો ચૈતન્ય સ્વભાવ જાણો છે, તેવા જ ભાવ-અનુસાર વર્તવું. વીતરાગ સ્વરૂપની આરાધના નિગ્રંથમા, જિનઆજ્ઞા અનુસાર કરી તે પરમાત્મસ્વરૂપ થઈશું તેમાં શંકા-સંદેહ નથી; એવો કોલ–કરાર આત્મામાં નિશ્ચલ ર્યો છે. આ જાતની અનુભવદશામાં નિઃસંદેહતા વર્તતી હોય, ત્યાં એક જ ભવ બાકી હોય એમ પ્રભઆજ્ઞાનો આદર કરીને કહ્યું. આ મહા મંગળિક કર્યું છે. પ્રભુ આજ્ઞા' એ મહાન સૂત્ર છે; તેમાં ભગવાન સર્વજ્ઞના જ્ઞાનમાં રહેલી આજ્ઞા અને તે સાથે પોતાના ભાવની સંધિનો યથાર્થ નિર્ણય પ્રમાણ થયો છે, એમાં “મોક્ષસ્વરૂપ પ્રગટ કરશું” તેના ભણકાર છે. એવા ભણકારનો “અપૂર્વ અવસર' કયારે આવશે? એમ મંગળિક કરીને, મહામંગળિક કહીને “અપૂર્વ અવસર' કાવ્ય પૂરું થાય છે. ૐ સમાપ્ત ૐ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 188 189 190