Book Title: Apurva Avsar Pravachan
Author(s): Shrimad Rajchandra, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 183
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૭૫) તેરમી ભૂમિકા એટલે કેવળજ્ઞાનમાં જે લોકાલોકનું સ્વરૂપ જણાયું તે કેવળી ભગવાન પણ વાણી દ્વારા કહી શકયા નહીં; કારણ કે વાણી જડ છે, તેમાં ક્રમ પડે છે; અને જ્ઞાન અક્રમ-અપરિમિત છે; માટે જેટલું જ્ઞાનમાં જણાય (અનુભવાય) તેટલું વાણી દ્વારા આવે નહીં. જે પદ શ્રી સર્વશે પૂર્ણ-પ્રત્યક્ષ જ્ઞાન (કેવળજ્ઞાન) માં દીઠું છે, તે વાણી દ્વારા સાક્ષાત્ તીર્થકર ભગવાન પણ પૂર્ણપણે કહી શકયા નહીં, કારણ કે વાણી જડ હોવાથી અંશ માત્ર જણાવાય. સર્વજ્ઞ ભગવાન બધા આત્માને પ્રત્યક્ષ દેખે છે, પણ છબી જ્ઞાની પ્રત્યક્ષ દેખી શકે નહીં, છતાં સ્વાનુભવથી પોતાના સ્વરૂપની શાંતિ-આનંદ વેદી શકે છે. ભાવશ્રુત-ઉપયોગની સ્થિરતા વખતે છદ્મસ્થનો અનુભવ અંશે પ્રત્યક્ષ પણ છે. (સર્વથા પ્રત્યક્ષ કેવળજ્ઞાનમાં છે). જેમ અંધ મનુષ્ય સાકર ખાય, તેનો સ્વાદ વેદ-ભોગવે, પણ તેનો આકાર દેખી શકે નહીં, તેમ સમ્યક્દર્શનરૂપ ચોથી ભૂમિકામાં તથા ઉપલી ભૂમિકાઓમાં અધિક અધિક અંશે આત્માના આનંદનો અનુભવ થાય, પણ આત્માના પ્રદેશોને પ્રત્યક્ષ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 181 182 183 184 185 186 187 188 189 190