Book Title: Apurva Avsar Pravachan
Author(s): Shrimad Rajchandra, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 177
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૬૯) આત્માનો સ્વભાવ શાંત આનંદમય છે, પણ પોતાને ભૂલીને હું ઉપાધિવાળો, અશાંતિવાળો છું, એમ અજ્ઞાની જીવ માને છે, તોપણ જે આનંદશાંતિસ્વભાવ છે તે ટળી જતો નથી. જેમ કાચા ચણામાં સ્વાદ અપ્રગટ છે, તે શેકતાં તેમાંથી જ પ્રગટ થાય છે, તેમ ચેતનમાં આનંદ, શાંતિ, બેહદ સુખ શક્તિરૂપે અપ્રગટ છે, તે યથાર્થ વિધિથી પ્રગટ થાય છે. ભગવાન આત્મા કેવળ આનંદમૂર્તિ છે, તેને ભૂલીને ઊણો, હીણો કે વિકારી જે માને છે, તે રાગ-દ્વેષનો કર્તા થાય છે, અને સુખ-દુઃખની કલ્પનાથી વ્યાકુળ બની હર્ષ-શોકને ભોગવે છે. પોતાના જ્ઞાનમાં અસ્થિરતા ભોગવે છે, પણ પરને કોઈ આત્મા વેદતો-ભોગવતો નથી. સ્ત્રી, ધન, આબરૂ, દેહાદિ, રાગ-દ્વેષ કે કોઈ પરવસ્તુ આત્મામાં પેસી ગઈ નથી. પોતે અતીન્દ્રિય શાશ્વત છતાં, પોતાને ભૂલીને પરવસ્તુમાં રાગ-દ્વેષ વડે પોતાપણું સ્થાપે છે, અને હર્ષ-શોકરૂપ પોતાની વિકારી અવસ્થાને ભોગવે છે. વીંછી કરડે તેથી દુઃખ થાય છે એમ માને છે એ દેહની મમતાનો રાગ છે. કાંઈ વીંછીના ઝેરના પરમાણુ-રૂપી રજકણ તે અરૂપી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190