________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૬૫ )
ઉપજાવતી નથી. આત્મા અરૂપી જ્ઞાનથન, જ્ઞાનપિંડ છે, તેમાં રાગ-દ્વેષ ઉપાધિનો અંશ નથી; તો પછી પરવસ્તુ પ્રત્યે ક્ષોભ શા માટે કરવો ? ૫૨વસ્તુ છે તે તદ્દન ભિન્ન, તેના ભાવે સ્થિત છે. એમ સ્વતંત્ર વસ્તુસ્વભાવને ભિન્ન જાણે, તો ‘મારામાં ક્રોધ નથી, દ્વેષ-અણગમો નથી, ઉપાધિ નથી ' એમ દેખાશે.
,
આત્મા જ્ઞાતા, સાક્ષી છે; અરૂપી જ્ઞાનમાં ગમવું-ન ગમવું આદિ વિકલ્પ (ઉપાધિ ) નો અંશ નથી. લોકો ૫૨ વસ્તુથી સુખ-દુઃખ કલ્પી બેઠા છે, અને પોતાને રાગવાળો માને છે, પણ જો આત્મા રાગાદિરૂપ થઈ ગયો હોય તો રાગ ટળી શકે નહીં. વળી જીવ પરના કા૨ણે પોતાને સુખી-દુઃખી કલ્પે છે તે પણ ખરું નથી. જો બીજાથી જીવને દુઃખ થાય એવું હોય તો જીવ ક્ષમા રાખી શકે નહિ; પણ તેમ તો થતું નથી. આત્મા ગમે તેવા પ્રતિકૂળ સંયોગોમાં-પ્રસંગમાં ક્ષમા, સમતા, શાંતિ રાખી શકે છે તેમાં કોઈ ના પાડી શકે નહીં. નિમિત્ત ગમે તેવાં મળો, પણ તેનો સવળો અર્થ થઈ શકે છે. પવિત્ર આત્મજ્ઞાનીની પણ કોઈ વાર નિંદા થાય, નિંદાનાં પુસ્તકોનાં પુસ્તકો લખાય, પણ તેમાં આત્માને શું?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com