Book Title: Apurva Avsar Pravachan
Author(s): Shrimad Rajchandra, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 165
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૫૭) ઊણો, હીણો કે વિકારી માનવો તે મોટામાં મોટું પાપ ( મિથ્યાદર્શન) છે. સ્વરૂપની હિંસા છે, અને અનંત ભવમાં રખડવાનું તે મૂળ કારણ છે. - દરેક વસ્તુ (પદાર્થ) સત્ છે; “છે' તે ત્રિકાળ હોય, સ્વતંત્ર હોય; કોઈ વસ્તુ સ્વભાવે વિકારી–મલિન હોય નહીં. સોનામાં તાંબુ હોય તેથી કાંઈ સોનું સોનાના કારણે મલિન કહેવાય નહીં. તેવી રીતે આત્માનો સ્વભાવ શુદ્ધ છે, અબંધ છે; તેને ભૂલીને જીવે પરના નિમિત્તનો સ્વીકાર કર્યો છે, અને માન્યું છે કે હું બંધવાળો છું; પણ જો એમ જ હોય તો જીવ બંધનથી કદી છૂટી શકે નહીં, ક્રોધ ટાળી ક્ષમા કરી શકે નહીં, પણ તેમ (ક્રોધ ટાળી ક્ષમા) થઈ શકે છે, માટે સંસારનો પ્રેમ છોડીને પરમાર્થ માટે જે નિવૃત્તિ ન લે તેનું જીવન વૃથા જાય છે. આખી જિંદગીમાં આત્મા સંબંધી વિચાર કે સત્સમાગમ ન કર્યો તેને આત્માની રુચિ કયાંથી થાય ? શ્રીમદે નાની ઉંમરમાં લખ્યું છે કે - “હું કોણ છું? કયાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું?” આ વાતનો વિચાર જેને અંતરથી જાગે છે તેને ભવનો અંત કેમ ન થાય? અનંત Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190