________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૩૧) શુદ્ધતા” છે. અનંત વીર્ય પૂર્ણપણે ઊઘડી ગયું, તેથી
કૃતકૃત્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાશ જો” એ દશા હોય છે. એ વીર્યગુણ આત્માના સર્વ ગુણને ટકાવી રાખનાર છે, એવું કૃતકૃત્ય વીર્ય (સ્વરૂપનું બળ) ને સહજ સ્વભાવમાં એકરૂપ છે.
પ્રશ્ન:- આ પૂર્ણ કૃતકૃત્ય શુદ્ધ સ્વભાવ કેમ ઊઘડ્યો એટલે કે પ્રાપ્તની પ્રાપ્તિ કયા ક્રમથી થઈ ?
ઉતર:- જીવ અનાદિથી ભેદજ્ઞાન રહિત હોવાથી દેહાદિ, પુણ્ય-પાપ, રાગાદિ જડ કર્મમાં એકતાથી (મારાપણાની માન્યતાથી) બંધપણામાં ટક્યો હતો, સત્સમાગમ વડે આત્માના શુદ્ધ
સ્વરૂપની યથાર્થ પ્રતીતિ કરતાં સ્ત્ર અને પરનો વિવેક જાગ્યો; સ્વાનુભવદશા જાગૃત કરી. હું શુદ્ધ છું એવી યથાર્થ શ્રદ્ધા અને ભેદજ્ઞાન સહિત સ્થિરતાના અભ્યાસ વડે ચારિત્રમોહ ક્ષય કરીને નિરાકુળ આનંદ, બેહદ સુખ શાંતિસ્વરૂપની પ્રાપ્તિ થઈ. પૂર્ણ પ્રભુત્વ શક્તિ પ્રગટ થઈ, ત્યાં કોઈ વિનરૂપ આવરણ રહ્યું નથી.
બારમી ભૂમિકાએ ચારિત્રમોહનો ક્ષય થવાથી પૂર્ણ વીતરાગતાની શુદ્ધતા પ્રગટે છે. તે અનંતજ્ઞાન, અનંત
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com