________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(co) એવો કુદરતી નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. પાંચ ઈન્દ્રિય, ચાર કષાય અને કેશલેશન (શરીરની શોભાનો ત્યાગ) એમ દસ પ્રકારે મુંડન છે. પાંચ ઇન્દ્રિયના વિષય વિકલ્પની લાગણીને બુઠ્ઠી કરી નાખવી તથા ક્રોધ, માન, માયા, લોભને ટાળી નાખવાં, એમ કષાયભાવ મુંડન થયે તે વિભાવની જાત ફરી પાંગરે નહીં. તેનો મૂળથી ક્ષય થાય એવી સાધકદશા હોય ત્યાં બાહ્યથી કેશલેચન (વાળને ઉખાડવા) નું નિમિત્ત-કાર્ય અવશ્ય બને જ, એવો સનાતન નિયમ છે. પણ કાળનો મહિમા છે તેથી વીતરાગમાર્ગથી ઊંધું કહેનારા વેષધારી સાધુઓ જગતમાં જાગ્યા; જે કહે છે “અસ્તર વડે વાળ કાઢવા, સ્નાન કરવું” પણ ભાઈ રે! જે સનાતન મુનિ ધર્મ છે તેમાં પોતાની દષ્ટિએ બીજાં ઘાલવું કે કહેવું તે અનંત જ્ઞાનીથી પ્રતિકૂળ છે, પોતાથી તેવો પુરુષાર્થ ન બને એ જુદી વાત છે તથા ઊંધું માનવું તે જુદી વાત છે. ત્રિકાળ નિયમ છે કે, મુનિધર્મ નિગ્રંથ જ હોય, બાહ્ય પરિગ્રહથી રહિત અને અત્યંતર રાગાદિ કષાયથી રહિત, એ રીતે દ્રવ્ય અને ભાવથી લૂખાશપણું હોય ત્યાં નગ્નપણું જ હોય; એવો ત્રણે કાળનો માર્ગ છે. કોઈ જાતના
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com