________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૯) અપ્રતિહત, ધારાપ્રવાહી, જ્ઞાનબળની જાગૃતિથી આગળ વધે ત્યાં ઉપશમ નહિ પણ ક્ષય કરવાનું બળ રહે છે. અગ્નિને રાખથી ભારે તેમ ઉપશમે નહિ પણ પાણીથી ઓળવી નાખે તેમ ક્ષયથી અહીં ભાવના ઉપાડી છે. આત્મા જ્ઞાનમૂર્તિ પવિત્ર શુદ્ધ છે, તેના ભાનમાં રહીને સમ્યકદર્શન, જ્ઞાન ચારિત્રસ્વરૂપ મોક્ષમાર્ગમાં પ્રગટ અવસ્થાપણે સ્થિરતા વધારું, રાગ-દ્વેષનો નાશ થતાં દેખું અને મારા સ્વરૂપનો વિકાસ થતો જોઉં; એટલે વિશેષ નિર્મળ અવસ્થા જોઉં એમ અહીં કહ્યું છે. રાગ, દ્વેષ, હર્ષ, શોક, રતિ, અરતિ વગેરે ચારિત્રમોહની અવસ્થા અહીં ઘટતી જાય છે.
વર્તે એવું શુદ્ધસ્વરૂપનું ધ્યાન જો ” એમ જણાવ્યું છે. તેનો અર્થ એ છે કે પરમાણુમાત્રનો મારે સંબંધ નથી. તેમજ રાગદ્વેષ પુણ્યાદિ અસ્થિરતાનો પણ સંબંધ જ્ઞાનમાં નથી, એવો હું શુદ્ધ જ્ઞાનઘન છું. અગ્નિનો અંગારો (લીલા લાકડાના ધુમાડા વિનાનો) કેવળ અગ્નિમય દીપતો હોય, એવો ચૈતન્ય-જ્યોત (પ્રકૃતિના મળમેલરૂપ ધુમાડા વિનાનો) છે. પૂર્વ ભૂલના નિમિત્તથી આવેલ આવરણ વચ્ચે પડયાં છે, પણ તે ઉદય વખતે ફળ દેખાડીને ખરી જાય છે. તે ઉદય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com