________________
આપ્તવાણી-પ
કરી દઈએ. કારણ અમે જાણીએ કે આ તો અવળે રસ્તે ચાલ્યું.
પ્રશ્નકર્તા : પણ અમારાથી તમારી વિરાધના થઈ જાય તો ? દાદાશ્રી : અમારી વિરાધના કરવાના તમારામાં પરમાણુઓ જ ના હોય. એવી તો અમને શંકા જ ઉત્પન્ન ના થાય. આખો દહાડો જેની આરાધના કરતા હો તેની વિરાધના હોય જ નહીં ને ! ‘દાદા’ની આરાધના કરી એ જ ‘શુદ્ધાત્મા’ની આરાધના કર્યા બરાબર છે અને એ જ પરમાત્માની આરાધના છે અને એ જ મોક્ષનું કારણ છે.
આત્મસુખનું લક્ષણ
દાદાશ્રી : સુખ આત્મામાંથી આવે છે કે પુદ્ગલમાંથી ? પ્રશ્નકર્તા : આત્મામાંથી.
૬૧
દાદાશ્રી : એ આત્માનું સુખ છે કે પુદ્ગલનું સુખ છે, એ કેમ ખબર પડે ?
પ્રશ્નકર્તા : અતીન્દ્રિય અનુભવ હોય ને ?
દાદાશ્રી : એ બધાને ખબર ના હોય. આત્માના સુખનું લક્ષણ એટલે નિરાકુળતા રહેતી હોય. સહેજે આકુળતા-વ્યાકુળતા થાય તો જાણવું કે બીજી જગ્યાએ ઉપયોગ છે. માર્ગ ભૂલ્યા. બહારથી અકળાઈને આવ્યો ને તે પંખો ફેરવે તે બહુ સરસ લાગે. એને શુદ્ઘ ઉપયોગ ના કહેવાય. એનેય જાણવું જોઈએ. અશાતા વેદનીય હોય તેનેય જાણવું જોઈએ અને નિરાકુળતાયે રહેવી જોઈએ. બન્નેને જાણવું જોઈએ. શાતા વેદનીય જોડે એકાકાર થઈ જાય તે ભૂલ કહેવાય.
વેદતીય ઉદયો - જ્ઞાતજાગૃતિ
પ્રશ્નકર્તા : શાતા વેદનીયમાં મીઠાશ તો આવે ને ?
દાદાશ્રી : મીઠાશ તો આવે પણ મીઠાશને જાણવી જોઈએ. તે
ઘડીએ જ્ઞાન હાજર રહેવું જોઈએ કે આ શાતા વેદનીય છે ને આ
આપ્તવાણી-૫
નિરાકુળતા છે. અશાતા વેદનીય આવે, તો અશાતા વેદનીય છે એવું જાણે. બાહ્યમાં અશાતા હોય ને અંતરમાં નિરાકુળતા હોય !
૬૨
સુખી થવું, દુઃખી થવું એટલે ભોક્તા થવું. કર્તા ને ભોક્તા બધામાં કર્મ બંધાય અને જ્ઞાતામાં કર્મ ના બંધાય. આપણે જાણીએ કે અત્યારે ‘ચંદુભાઈ’ને અશાતા વર્તે છે. સુખી કે દુઃખી થવાનો અર્થ શું છે ?
આજે મરણ આવે કે પચીસ વરસ પછી આવે તેનો વાંધો નથી. પ્રશ્નકર્તા : મરણનો ભય નથી પણ મરણ વખતે જે દુ:ખ થાય છે, એનો ડર લાગે છે.
દાદાશ્રી : દુ:ખ શું ?
પ્રશ્નકર્તા : શારીરિક વ્યાધિ.
દાદાશ્રી : એમાં બીક શું ? ‘વ્યવસ્થિત’ છે ને ? ‘વ્યવસ્થિત’માં આંધળા થવાનું હશે તો આંધળું થવાશે ને ? પછી એની બીક શું ? ‘વ્યવસ્થિત’ આપણે ‘એક્સેપ્ટ' કર્યું છે પછી કોઈ દહાડો કશું અડે એવું નથી, કોઈ ભય રાખવા જેવો નથી. નિર્ભય થઈને ફરો.
પ્રશ્નકર્તા : વેદનાનો ભય રહ્યા કરે.
દાદાશ્રી : વેદના થવાની જ નથી ત્યાં વેદનાનો ભય ક્યાંથી થાય ? વેદના તો તેને થાય કે જેને ભય હોય ! જેને ભય નથી તેને વેદના શી ? આ તો તમારો ‘ણિક માલ’ ભરેલો ને ? તે એકદમ પોચો હોય.
આ સફરજન ખાઈએ ને બીજું જામફળ ખાઈએ, તો એ બેમાં ફેર નહીં ? જામફળ જરા કઠણ હોય ને સફરજન પોચું લાગે એટલે તમારે ‘ચંદુભાઈ’ને કહેવાનું કે ‘દાદા’એ કહ્યું છે : ‘વ્યવસ્થિત’. ‘વ્યવસ્થિત’કહ્યા પછી ભય શો ?
પ્રશ્નકર્તા : બે દહાડાથી માથું દુખતું હતું. તે જરાય સહન થતું
દાદાશ્રી : “મને સહન થતું નથી.' એવું કહ્યું કે એ વળગ્યું !
નહોતું.