Book Title: Aptavani 05 06
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 170
________________ આપ્તવાણી-૬ ૧૩૭ ૧૩૮ આપ્તવાણી-૬ પ્રકૃતિ પર કંટ્રોલ કોણ કરે ? પ્રશ્નકર્તા : આપે. દાદાશ્રી : તે ઘડીએ તમારે કઈ દૃષ્ટિએ રહેવું પડે ? પ્રશ્નકર્તા : જ્ઞાતા-દ્રષ્ટા. દાદાશ્રી : આપણને, એશઆરામ કરવા જઈએ તો ગંધ આવે, એટલે જ્ઞાતા-દ્રષ્ટા જ રહેવું. પ્રકૃતિમાં ગટરો-બટરો આવે, ત્યારે તેમાં જાગૃત રહેવું. પ્રશ્નકર્તા : “આપણે” “પાડોશી’ને ‘જોયા કરીએ અને તેને વાળીએ નહીં, તો એ કેમ ચાલે ? એ દંભ ના કહેવાય ? દાદાશ્રી : આપણને વાળવાનો શો અધિકાર ? ડખલ કરવાની નહીં. એ કોણ ચલાવે છે, એ જાણો છો ? આપણે ચલાવતા નથી, આપણે વાળતાય નથી, એ ‘વ્યવસ્થિત'ને તાબે છે. તો પછી ડખો કરીને શું કામ છે ? જે આપણો ધર્મ નથી, તેમાં ડખો કરવા જઈએ તો પરધર્મ ઉત્પન્ન થાય ! પ્રશ્નકર્તા : પ્રકૃતિ ઉપર કંટ્રોલ આવતો નથી. બાકી શુદ્ધાત્માભાવ બરોબર રહે છે. દાદાશ્રી : કંટ્રોલ કરવાનું તો પોલીસવાળાને સોંપી દેવું ! પ્રકૃતિ ઉપર કંટ્રોલ લાવવાનો નથી. કંટ્રોલ લાવવાનું શુભાશુભ માર્ગમાં હોય છે, તમારી પ્રકૃતિ ઉપર કંટ્રોલ કોણ લાવે હવે ? તમે માલિક નથી. તમે હવે ‘ચંદુલાલ” નથી અને જે કરે છે તે બધું ‘વ્યવસ્થિત કરે છે. હવે તમે એમાં કેમનું કંટ્રોલ લાવશો ? પ્રશ્નકર્તા : દોષો દેખાય છે તે જશે ને ? દાદાશ્રી : જે દેખાવા માંડ્યા, એ તો ચાલ્યા જ ગયા જાણો ને ! જગતને પોતાના દોષ દેખાય જ નહીં. પારકાંના દોષ દેખાય. તમને પોતાના દોષ દેખાયા ને ? પ્રશ્નકર્તા : પોતાના દોષ દેખાય છે, પણ તે ટાળી શકાતા નથી. દાદાશ્રી : ના એવું કશું ના કરતા. એવું આપણે નથી કરવાનું. આ વિજ્ઞાન છે. આ તો તમારે ‘ચંદુલાલ’ શું કરે છે, એ તમારે જોયા કરવાનું. બસ, આટલું જ તમારે કરવાનું. બીજું તમારે કશું કામ જ નહીં. ચંદુલાલના ઉપરી તમે. ચંદુલાલ તો ‘વ્યવસ્થિત'ના તાબે છે. ‘વ્યવસ્થિત પ્રેરણા આપે ને ચંદુલાલ ભમરડાની પેઠે ફર્યા કરે ! અને ચંદુલાલની બહુ મોટી ભૂલ હોય ત્યારે તમારે કહેવાનું કે “ચંદુલાલ ! આવું કર્યું નહીં પોસાય.” આટલું આપણે કહેવું ! પ્રકૃતિની પજવણી પ્રશ્નકર્તા : મોક્ષ અનુભવાય છે, પણ પ્રકૃતિ એનો સ્વભાવ છોડતી નથી. તેનો કંટાળો આવે છે. દાદાશ્રી : પ્રકૃતિ એનો સ્વભાવ છોડે જ નહીં ને ? ઘર આગળ સરકાર ચોગરદમ ગટર ખોલે તો ? ગટર એનો ગુણ આપે કે ના આપે ? પ્રશ્નકર્તા ઃ અમને આ ભવે જ જ્ઞાનથી જ અવળું વર્તન ‘સ્ટોપ' થઈ જશે કે નહીં ! દાદાશ્રી : થઈ જાય ! ‘જ્ઞાનીપુરુષ’ના કહ્યા પ્રમાણે કરે તો પાંચદસ વર્ષમાં થઈ જાય. અરે, વરસ દહાડામાંય થઈ જાય ! ‘જ્ઞાની પુરુષ તો ત્રણ લોકનો નાથ કહેવાય. ત્યાં આગળ શું ના થાય ? કશું બાકી રહે ખરું ? આ દાદા પાસે બેસીને બધું સમજી લેવું પડે. સત્સંગ માટે ટાઈમ કાઢવો પડે. ‘અમે કેવળજ્ઞાન પ્યાસી, દાદાને કાજે આ ભવ દેશું અમે જ ગાળી......’-નવનીત આમને તૃષા શેની લાગી છે ?

Loading...

Page Navigation
1 ... 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222