Book Title: Aptavani 05 06
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 185
________________ આપ્તવાણી-૬ ૧૬૭ ૧૬૮ આપ્તવાણી-૬ દાદાશ્રી : ‘પ્રીકૉશન” તો હોતાં હશે? એની મેળે થાય, એનું નામ ‘પ્રિકશન.’ આમાં ‘પ્રીકૉશન” લેનાર હવે કોણ રહ્યો ? ધોળે દહાડે, તમે ઠોકરો ખાવ છો ! તેમાં “પ્રીકૉશન” લેનાર તમે કોણ ? શું માણસ “પ્રીકૉશન” લઈ શકે ? એનામાં સંડાસ જવાની સ્વતંત્ર શક્તિ જ નથી ત્યાં ! કાપનારાઓની શી જરૂર ? ભગવાને શું કામ જન્મ આપ્યો હશે ? અલ્યા, એ ના હોય તો તમારા ગજવાં કોણ ખાલી કરી આપે ? ભગવાન જાતે આવે ? તમારું ચોરીનું ધન કોણ પકડી જાય ? તમારું ધન ખોટું હોય તો કોણ લઈ જાય ? એ તો એમની જરૂર છે. એ નિમિત્ત છે બિચારાં ! આ બધાંની જરૂર છે. પ્રશ્નકર્તા : કોઈની પરસેવાની કમાણી જતી રહે છે. દાદાશ્રી : એ પરસેવાની જતી રહે છે, એની પાછળેય રહસ્ય છે. એ આ ભવની પરસેવાની લાગે છે. પણ પહેલાંનો બધો હિસાબ છે. ચોપડા બધા બાકી છે તેથી, નહીં તો કોઈ દહાડો આપણું કોઈ કશું લે નહીં. કોઈની એવી શક્તિ જ નથી અને લઈ લે તો જાણવું કે આપણો જ કંઈ આગળ-પાછળનો હિસાબ છે. એટલું બધું નિયમવાળું આ જગત છે. સાપ પણ અડે નહીં. આ આખું ચોગાન સાપથી ભરાયું હોય પણ કોઈ તેને અડી શકે નહીં, એટલું બધું નિયમવાળું જગત છે ! બહુ સુંદર જગત છે. સંપૂર્ણ ન્યાયસ્વરૂપ છે, છતાં લોકોને ના સમજાય ને પોતાની ભાષામાં બોલે, તે શું થાય ? પ્રીકૉશત - એ જ ચાંચલ્યતા ! પ્રશ્નકર્તા : જો વરસાદ પડે તો આમ કરીએ એવું થાય, તો શું એ વિકલ્પ કહેવાય ? સહજ ભાવે બધો વિચાર તો કરવો પડે ને ? વિચારીને કર્યા પછી જે બને તે સાચું. પણ આ વિચારવું એ શું ડખો કર્યો કહેવાય ? કે વિકલ્પ કર્યો કહેવાય ? જગત આખું “પ્રીકૉશન” લે છે, છતાં શું ‘એક્સિડન્ટ નથી થતાં ?” જ્યાં ‘પ્રીકૉશન” નથી હોતાં, ત્યાં કશા ‘એકિસડન્ટ નથી થતાં! પ્રીકૉશન” લેવું એ એક જાતનું ચાંચલ્ય છે ! વધારે પડતી ચંચળતા છે. એની જરૂર જ નથી. જગત એની મેળે સહજ ચાલ્યા જ કરે છે. પ્રશ્નકર્તા : પણ કાળજી કર્તાભાવથી નથી, પણ ‘ઓટોમેટિક' તો થાય ને ? દાદાશ્રી : એ તો એની મેળે થઈ જ જાય. પ્રશ્નકર્તા: કર્તા નથી, પણ વિચાર સહજ રીતે આવે તો પછી વિવેકબુદ્ધિથી કરવું એમ ? દાદાશ્રી : ના, એની મેળે બધું જ થઈ જાય. ‘તમારે જોયા કરવાનું કે શું થાય છે ? એની મેળે બધું જ થઈ જાય છે ! હવે તમે વચ્ચે કોણ રહ્યા છો, તે મને કહો ? તમે ‘શુદ્ધાત્મા’ છો કે “ચંદુલાલ' છો? પ્રશ્નકર્તા : તમે કહો છો કે વચ્ચે તમે કોણ ? તો વચ્ચે મન તો ખરું ને ? દાદાશ્રી : મનની અમે ક્યાં ના પાડી છે ? મનમાં તો એની મેળે કુદરતી રીતે જ વિચાર આવ્યા કરે ! અને કોઈ વખત વિચાર ના પણ આવે ! દાદાશ્રી : જેણે “જ્ઞાન” લીધું ના હોય તેને એ બધું વિકલ્પ જ કહેવાય. જેણે “જ્ઞાન” લીધું હોય ને તે સમજી ગયો હોય, તેને વિકલ્પ ના રહે પછી. શુદ્ધાત્મા તરીકે ‘આપણને જરાય વિચાર કરવાનો હોતો જ નથી. એની મેળે જે આવે, તે વિચાર જાણવાનો હોય છે ! પ્રશ્નકર્તા : એનો અર્થ એવો થયો કે કંઈ “પ્રીકૉશન’ લેવાની જ નહીં ? એવું છે, મન તો છેલ્લા અવતારમાંય ક્ષણે ક્ષણે ચાલ્યા કરતું હોય, ત્યારે ફક્ત ગાંઠોવાળું મન ના હોય. જેવા ઉદય આવે તેવું હોય ! જ્ઞાન પછી તમે ‘શુદ્ધાત્મા’ છો ને વ્યવહારથી ‘ચંદુલાલ’ છો ! હવે

Loading...

Page Navigation
1 ... 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222