________________
આપ્તવાણી-૬
૧૬૭
૧૬૮
આપ્તવાણી-૬
દાદાશ્રી : ‘પ્રીકૉશન” તો હોતાં હશે? એની મેળે થાય, એનું નામ ‘પ્રિકશન.’ આમાં ‘પ્રીકૉશન” લેનાર હવે કોણ રહ્યો ?
ધોળે દહાડે, તમે ઠોકરો ખાવ છો ! તેમાં “પ્રીકૉશન” લેનાર તમે કોણ ? શું માણસ “પ્રીકૉશન” લઈ શકે ? એનામાં સંડાસ જવાની સ્વતંત્ર શક્તિ જ નથી ત્યાં !
કાપનારાઓની શી જરૂર ? ભગવાને શું કામ જન્મ આપ્યો હશે ? અલ્યા, એ ના હોય તો તમારા ગજવાં કોણ ખાલી કરી આપે ? ભગવાન જાતે આવે ? તમારું ચોરીનું ધન કોણ પકડી જાય ? તમારું ધન ખોટું હોય તો કોણ લઈ જાય ? એ તો એમની જરૂર છે. એ નિમિત્ત છે બિચારાં ! આ બધાંની જરૂર છે.
પ્રશ્નકર્તા : કોઈની પરસેવાની કમાણી જતી રહે છે.
દાદાશ્રી : એ પરસેવાની જતી રહે છે, એની પાછળેય રહસ્ય છે. એ આ ભવની પરસેવાની લાગે છે. પણ પહેલાંનો બધો હિસાબ છે. ચોપડા બધા બાકી છે તેથી, નહીં તો કોઈ દહાડો આપણું કોઈ કશું લે નહીં. કોઈની એવી શક્તિ જ નથી અને લઈ લે તો જાણવું કે આપણો જ કંઈ આગળ-પાછળનો હિસાબ છે. એટલું બધું નિયમવાળું આ જગત છે. સાપ પણ અડે નહીં. આ આખું ચોગાન સાપથી ભરાયું હોય પણ કોઈ તેને અડી શકે નહીં, એટલું બધું નિયમવાળું જગત છે ! બહુ સુંદર જગત છે. સંપૂર્ણ ન્યાયસ્વરૂપ છે, છતાં લોકોને ના સમજાય ને પોતાની ભાષામાં બોલે, તે શું થાય ?
પ્રીકૉશત - એ જ ચાંચલ્યતા ! પ્રશ્નકર્તા : જો વરસાદ પડે તો આમ કરીએ એવું થાય, તો શું એ વિકલ્પ કહેવાય ? સહજ ભાવે બધો વિચાર તો કરવો પડે ને ? વિચારીને કર્યા પછી જે બને તે સાચું. પણ આ વિચારવું એ શું ડખો કર્યો કહેવાય ? કે વિકલ્પ કર્યો કહેવાય ?
જગત આખું “પ્રીકૉશન” લે છે, છતાં શું ‘એક્સિડન્ટ નથી થતાં ?” જ્યાં ‘પ્રીકૉશન” નથી હોતાં, ત્યાં કશા ‘એકિસડન્ટ નથી થતાં! પ્રીકૉશન” લેવું એ એક જાતનું ચાંચલ્ય છે ! વધારે પડતી ચંચળતા છે. એની જરૂર જ નથી. જગત એની મેળે સહજ ચાલ્યા જ કરે છે.
પ્રશ્નકર્તા : પણ કાળજી કર્તાભાવથી નથી, પણ ‘ઓટોમેટિક' તો થાય ને ?
દાદાશ્રી : એ તો એની મેળે થઈ જ જાય.
પ્રશ્નકર્તા: કર્તા નથી, પણ વિચાર સહજ રીતે આવે તો પછી વિવેકબુદ્ધિથી કરવું એમ ?
દાદાશ્રી : ના, એની મેળે બધું જ થઈ જાય. ‘તમારે જોયા કરવાનું કે શું થાય છે ? એની મેળે બધું જ થઈ જાય છે ! હવે તમે વચ્ચે કોણ રહ્યા છો, તે મને કહો ? તમે ‘શુદ્ધાત્મા’ છો કે “ચંદુલાલ' છો?
પ્રશ્નકર્તા : તમે કહો છો કે વચ્ચે તમે કોણ ? તો વચ્ચે મન તો ખરું ને ?
દાદાશ્રી : મનની અમે ક્યાં ના પાડી છે ? મનમાં તો એની મેળે કુદરતી રીતે જ વિચાર આવ્યા કરે ! અને કોઈ વખત વિચાર ના પણ આવે !
દાદાશ્રી : જેણે “જ્ઞાન” લીધું ના હોય તેને એ બધું વિકલ્પ જ કહેવાય. જેણે “જ્ઞાન” લીધું હોય ને તે સમજી ગયો હોય, તેને વિકલ્પ ના રહે પછી. શુદ્ધાત્મા તરીકે ‘આપણને જરાય વિચાર કરવાનો હોતો જ નથી. એની મેળે જે આવે, તે વિચાર જાણવાનો હોય છે !
પ્રશ્નકર્તા : એનો અર્થ એવો થયો કે કંઈ “પ્રીકૉશન’ લેવાની જ નહીં ?
એવું છે, મન તો છેલ્લા અવતારમાંય ક્ષણે ક્ષણે ચાલ્યા કરતું હોય, ત્યારે ફક્ત ગાંઠોવાળું મન ના હોય. જેવા ઉદય આવે તેવું હોય !
જ્ઞાન પછી તમે ‘શુદ્ધાત્મા’ છો ને વ્યવહારથી ‘ચંદુલાલ’ છો ! હવે