Book Title: Aptavani 05 06
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 169
________________ આપ્તવાણી-૬ ૧૩૫ ૧૩૬ આપ્તવાણી-૬ પ્રશ્નકર્તા : તો પછી કરવા જેવું કશું રહેતું નથી એમ ? દાદાશ્રી : કરવા જેવુંય કશું રહેતું નથી ને ના કરવા જેવુંય કશું રહેતું નથી. જગત જાણવા જેવું છે. પ્રશ્નકર્તા : જાણવું કઈ રીતે ? દાદાશ્રી : “આ શું બને છે ?” એ “જોયા કરવાનું ને ‘જાણ્યા” કરવાનું. પ્રકૃતિનું પૃથક્કરણ પ્રશ્નકર્તા : પ્રકૃતિનું ‘એનાલિસીસ’ કઈ રીતે કરવું તે સમજાવો. દાદાશ્રી : સવારના ઊઠીએ ત્યારથી મહીં ચાની બૂમ પાડે છે કે શાની બૂમ પાડે છે, એવી ખબર ના પડે ? એ પ્રકૃતિ છે. પછી બીજું શું માગે છે ? ત્યારે કહે કે, “જરાક નાસ્તો, ચેવડો કંઈક લાવજો.’ એ પણ ખબર પડે ને ? આવું આખો દહાડો પ્રકૃતિને જુએ તો પ્રકૃતિનું એનાલિસીસ' થઈ જાય. એનાથી દૂર રહીને બધું જોવું જોઈએ ! આ બધું આપણી મરજીથી કોઈ નથી કરતું, પ્રકૃતિ કરાવે છે ! પ્રશ્નકર્તા : આ તો સ્થૂળ થયું. પણ અંદર જે ચાલતું હોય તે કઈ રીતે જોવું ? દાદાશ્રી : એ ઈચ્છા કોને થઈ, એ આપણે જોઈ લેવું? આ ઇચ્છા મારી છે કે પ્રકૃતિની છે, એ આપણે જોઈ લેવું. કારણ મહીં બે જ વસ્તુ કરવાનો કહીએ છીએ. એનાથી આપણા મનમાં એમ થાય કે “આપણે આ લગામ ઝાલી છે, તો જ આ ચાલે છે.’ એ નીકળી જાય. પ્રશ્નકર્તા : લગામ ઝાલી એમ કહ્યું, એટલે એ અહંકાર થયો ને? દાદાશ્રી : હા, પણ એ પેલો ડિસ્ચાર્જ અહંકાર છે. અહંકારને આપણે જાણી લેવો જોઈએ અને એ પણ જાણવું જોઈએ કે આ શેના આધારે ચાલે છે ? છતા હજુ પાછો એનો ભાવ અવળો રહે છે કે મારે લીધે ચાલે છે ! એટલે આવો પ્રયોગ કરીએ ને, તો એ બધું બહાર નીકળી જાય ! આ તો છોકરો આપણને કહે, ‘હું તારો બાપ છું.’ તો તે ઘડીએ આપણને એમ હોય કે, ‘એ જ બોલે છે.' તો આપણને રીસ ચઢે અને ક્યારે છોકરો “શું બોલશે ?” તે કહેવાય નહીં. એટલે વાણી રેકર્ડ છે, તે બોલનારની એની શક્તિ નથી, આપણીય શક્તિ નથી. આ તો પારકી વસ્તુ ફેંકાઈ જાય છે, એવી જાગૃતિ રહેવી જોઈએ. એવી રીતે આગળ વધતાં વધતાં તો કોઈ ‘ચંદુભાઈ’ની હું વાત કરું, તો તે ઘડીએ મને એ “શુદ્ધાત્મા’ છે એવો મહીં ખ્યાલ જ રહેવો જોઈએ. કોઈ પુસ્તક વાંચતા હોઈએ ત્યારે તેમાં ‘મંગળાદેવીએ આમ કર્યું ને મંગળાદેવીએ તેમ કર્યું.’ તો તે વખતે મંગળાદેવીનો આત્મા દેખાવો જોઈએ. પ્રશ્નકર્તા : છૂટા રહીને ‘જોવું એ જાતની પ્રેકટિસ કરવી પડે ? દાદાશ્રી એક જ દહાડો કરે તો આ બધું આવડી જ જાય પછી. આ બધું એક જ દહાડો કરવાની જરૂર. બીજા બધા દિવસો તેનું તે જ પુનરાવર્તન છે. એટલે અમે એક રવિવારને દહાડે લગામ છોડી દેવાનો પ્રયોગ આ પ્રકારે જેટલું થાય એટલું કરવું. એવું નહીં કે આજે ને આજે જ પૂરું કરી લેવું. આમાં ‘ક્લાસ’ લાવવાનો નથી. પણ ‘પોસિબલ’ કરવું જ. ધીમે ધીમે બધા જોડે શુદ્ધ પ્રેમસ્વરૂપ થવાનું છે. પ્રશ્નકર્તા : શુદ્ધ પ્રેમસ્વરૂપ એટલે કેવી રીતે રહેવું? દાદાશ્રી : કોઈ માણસ હમણાં ગાળ ભાંડીને ગયો અને પછી તમારી પાસે આવ્યો તોય તમારો પ્રેમ જાય નહીં, એનું નામ શુદ્ધ પ્રેમ. ફૂલ ચઢાવે તોય વધે નહીં. વધે-ઘટે એ બધી આસક્તિ. જ્યારે વધે નહીં, ઘટે નહીં, એનું નામ શુદ્ધ પ્રેમ.

Loading...

Page Navigation
1 ... 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222