________________
આપ્તવાણી-૬
૧૩૫
૧૩૬
આપ્તવાણી-૬
પ્રશ્નકર્તા : તો પછી કરવા જેવું કશું રહેતું નથી એમ ?
દાદાશ્રી : કરવા જેવુંય કશું રહેતું નથી ને ના કરવા જેવુંય કશું રહેતું નથી. જગત જાણવા જેવું છે.
પ્રશ્નકર્તા : જાણવું કઈ રીતે ?
દાદાશ્રી : “આ શું બને છે ?” એ “જોયા કરવાનું ને ‘જાણ્યા” કરવાનું.
પ્રકૃતિનું પૃથક્કરણ પ્રશ્નકર્તા : પ્રકૃતિનું ‘એનાલિસીસ’ કઈ રીતે કરવું તે સમજાવો.
દાદાશ્રી : સવારના ઊઠીએ ત્યારથી મહીં ચાની બૂમ પાડે છે કે શાની બૂમ પાડે છે, એવી ખબર ના પડે ? એ પ્રકૃતિ છે. પછી બીજું શું માગે છે ? ત્યારે કહે કે, “જરાક નાસ્તો, ચેવડો કંઈક લાવજો.’ એ પણ ખબર પડે ને ? આવું આખો દહાડો પ્રકૃતિને જુએ તો પ્રકૃતિનું એનાલિસીસ' થઈ જાય. એનાથી દૂર રહીને બધું જોવું જોઈએ ! આ બધું આપણી મરજીથી કોઈ નથી કરતું, પ્રકૃતિ કરાવે છે !
પ્રશ્નકર્તા : આ તો સ્થૂળ થયું. પણ અંદર જે ચાલતું હોય તે કઈ રીતે જોવું ?
દાદાશ્રી : એ ઈચ્છા કોને થઈ, એ આપણે જોઈ લેવું? આ ઇચ્છા મારી છે કે પ્રકૃતિની છે, એ આપણે જોઈ લેવું. કારણ મહીં બે જ વસ્તુ
કરવાનો કહીએ છીએ. એનાથી આપણા મનમાં એમ થાય કે “આપણે આ લગામ ઝાલી છે, તો જ આ ચાલે છે.’ એ નીકળી જાય.
પ્રશ્નકર્તા : લગામ ઝાલી એમ કહ્યું, એટલે એ અહંકાર થયો ને?
દાદાશ્રી : હા, પણ એ પેલો ડિસ્ચાર્જ અહંકાર છે. અહંકારને આપણે જાણી લેવો જોઈએ અને એ પણ જાણવું જોઈએ કે આ શેના આધારે ચાલે છે ? છતા હજુ પાછો એનો ભાવ અવળો રહે છે કે મારે લીધે ચાલે છે ! એટલે આવો પ્રયોગ કરીએ ને, તો એ બધું બહાર નીકળી જાય !
આ તો છોકરો આપણને કહે, ‘હું તારો બાપ છું.’ તો તે ઘડીએ આપણને એમ હોય કે, ‘એ જ બોલે છે.' તો આપણને રીસ ચઢે અને ક્યારે છોકરો “શું બોલશે ?” તે કહેવાય નહીં. એટલે વાણી રેકર્ડ છે, તે બોલનારની એની શક્તિ નથી, આપણીય શક્તિ નથી. આ તો પારકી વસ્તુ ફેંકાઈ જાય છે, એવી જાગૃતિ રહેવી જોઈએ.
એવી રીતે આગળ વધતાં વધતાં તો કોઈ ‘ચંદુભાઈ’ની હું વાત કરું, તો તે ઘડીએ મને એ “શુદ્ધાત્મા’ છે એવો મહીં ખ્યાલ જ રહેવો જોઈએ. કોઈ પુસ્તક વાંચતા હોઈએ ત્યારે તેમાં ‘મંગળાદેવીએ આમ કર્યું ને મંગળાદેવીએ તેમ કર્યું.’ તો તે વખતે મંગળાદેવીનો આત્મા દેખાવો જોઈએ.
પ્રશ્નકર્તા : છૂટા રહીને ‘જોવું એ જાતની પ્રેકટિસ કરવી પડે ?
દાદાશ્રી એક જ દહાડો કરે તો આ બધું આવડી જ જાય પછી. આ બધું એક જ દહાડો કરવાની જરૂર. બીજા બધા દિવસો તેનું તે જ પુનરાવર્તન છે.
એટલે અમે એક રવિવારને દહાડે લગામ છોડી દેવાનો પ્રયોગ
આ પ્રકારે જેટલું થાય એટલું કરવું. એવું નહીં કે આજે ને આજે જ પૂરું કરી લેવું. આમાં ‘ક્લાસ’ લાવવાનો નથી. પણ ‘પોસિબલ’ કરવું જ. ધીમે ધીમે બધા જોડે શુદ્ધ પ્રેમસ્વરૂપ થવાનું છે.
પ્રશ્નકર્તા : શુદ્ધ પ્રેમસ્વરૂપ એટલે કેવી રીતે રહેવું?
દાદાશ્રી : કોઈ માણસ હમણાં ગાળ ભાંડીને ગયો અને પછી તમારી પાસે આવ્યો તોય તમારો પ્રેમ જાય નહીં, એનું નામ શુદ્ધ પ્રેમ. ફૂલ ચઢાવે તોય વધે નહીં. વધે-ઘટે એ બધી આસક્તિ. જ્યારે વધે નહીં, ઘટે નહીં, એનું નામ શુદ્ધ પ્રેમ.