________________
આપ્તવાણી-૬
૧૫૩
૧૫૪
આપ્તવાણી-૬
દાદાશ્રી : હા, એને આપણે જ ચીકણી કરી છે, માટે આપણે એની ચીકાશ કાઢવાની છે અને ભોળા માણસની બધી ફાઈલો ભોળી હોય.
પ્રશ્નકર્તા : ચીકણી ફાઈલોવાળા લુચ્ચા હોય ?
દાદાશ્રી : ના, એમને લુચ્ચા ના કહેવાય. અહંકારે કરીને ચીકણું કર કર કર્યા કરે. અને ભોળા માણસ ‘સારું ત્યારે' કહીને છોડી દે. એને અહમૂની કશી જ પડેલી ના હોય ને.'
અમે એક ગામમાં ‘કંટ્રાકટ’ કરવા ગયા હતા. પુલ બાંધવાનો હતો, ૧૯૩૯ની સાલમાં. ત્યારે મારી ઊંમર ૩૦-૩૧ વર્ષની હતી. તે ગામનો વાણિયો આખો દા'ડો ધંધો કરે પણ રાત્રે જુગાર રમી આવે ને પૈસા બગાડે. રાત્રે વાણિયો મોડો આવે એટલે તેની વહુ છે તે એને સારો કરીને મારે. તે ગામના લોકો અમને કહેવા આવ્યા કે, “હંડો શેઠ, ત્યાં જોયા જેવું છે.” કહ્યું, ‘અલ્યા, શું જોયા જેવું છે ?” ત્યારે એ લોકો કહે, ‘તમે ચાલો તો ખરા.” તે અમે ત્યાં ગયા. ત્યાં તો બારણું અંદરથી વાસેલું જોયું. અંદર એની બાયડી લાકડી આમ મારતી હશે ત્યારે વાણિયો શું કહે, ‘લે લેતી જા, લે લેતી જા, લે લેતી જા !!!’ આ તો ખરું ! આ નવું શાસ્ત્ર ભણ્યા આપણે !! ત્યારે ગામડાવાળા મને કહે કે બઈ રોજ આને આમ મારે છે ને શેઠિયો શું બોલે છે કે લે લેતી જા !! આ શેઠેય છે ને અક્કલવાળો. આ તો દુનિયા છે. દુનિયામાં જાત જાતના રંગ હોય ! વાણિયાએ આબરૂ રાખી ને ? આપણે તો એવી આબરૂ રાખવાની નથી, આપણે તો આબરૂ રહેલી જ છે. આપણે તો ફક્ત ‘સમભાવે નિકાલ કરવાનો છે.
વાણીમાં મધુરતા - “કૉઝિઝ'તું પરિણામ
દોષ જ બધા વાણીના છે. વાણી સુધરે નહીં, મીઠી ના થાય તો આગળ ફળે નહીં. દેહના દોષ તો ઠીક છે, એને ભગવાને ‘લેટ ગો’ કર્યા. પણ વાણી તો બીજાને વાગે ને ?
વાણીમાં મધુરતા આવી કે ગાડું ચાલ્યું. એ મધુર થતી થતી છેલ્લા અવતારમાં એટલી મધુર થાય કે એની જોડે કોઈ ‘ફૂટ’ને સરખાવી ના શકાય, એટલી મીઠાશવાળી હોય ! અને કેટલાક તો બોલે તો એવું લાગે કે પાડાઓ બોંગડે છે ! આય વાણી છે ને તીર્થકર સાહેબોનીય વાણી
એક વકીલ તો એના અસીલને કહે કે, ‘તમે અહીંથી જાવ છો કે નહીં ? નહીં તો તમને કૂતરું કંડાવીશ !” આનું નામ વકીલ. LL.B. !! હવે અસીલેય એવા બધા.
ઠામ-ઠેકાણાં વગરની આ દુનિયા છે. અમે આને પોલમપોલ કહીએ છીએ. ગુનેગાર છટકી જાય ને બિનગુનેગાર પકડાઈ જાય ! આને પોલમ્પોલ ના કહેવાય, તો શું કહેવાય ? આ જગતના વ્યવહારથી જગત પોલમ્પલ છે અને કુદરતના નિયમથી જગત બિલકુલ કાયદેસર છે. લોકોને આનો હિસાબ ગણતાં નથી આવડતો. આ દેખાય છે તે હિસાબ આવ્યો ? ના, ના. આ કુદરત કહે છે, પહેલાંનો હિસાબ હતો તે આ આવ્યો અને હવે આનો હિસાબ તો પછી આવશે. માટે આપણે ભૂલ ભોગવી લેવાની. જે અત્યારે દુ:ખ ભોગવતો હોય એ એની પોતાની જ ભૂલ છે, બીજા કોઈની ભૂલ નથી.
પ્રશ્નકર્તા : આ ચીકણી ફાઈલો’ છે તેય આપણી જ ભૂલને ?
પ્રશ્નકર્તા: ભાવ એવા કર્યા હોય કે આવી સ્યાદ્વાદ વાણી પ્રાપ્ત હો, આવી મધુરી વાણી પ્રાપ્ત હો તો તે ભાવ જ એવી વાણીની રેકર્ડ કાઢે ને ?
દાદાશ્રી : ના. એવું નહીં. વાણી તો આપણે ભાવથી એવી માંગણી દરરોજ કરવાની કે મારી વાણીથી કોઈને પણ દુઃખ ના હો અને સુખ હો. પણ એકલી માંગણી જ કરવાથી કશું ના વળે. એવી વાણી ઉત્પન્ન થાય, એનાં ‘કૉઝિઝ કરવાનાં. તેથી તેવું ફળ આવે. વાણી એ ફળ છે. સુખ દેવાવાળી વાણી નીકળે, એટલે એ મીઠી થતી જાય અને દુઃખ દેવાવાળી વાણી કડવી થતી જાય. પછી પાડા બગડે ને એ બોંગડે, બેઉ સરખું લાગે !