Book Title: Aptavani 05 06
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 182
________________ આપ્તવાણી-૬ ૧૬૧ ૧૬૨ આપ્તવાણી-૬ સાસુઓને પૂછે ત્યારે કહેશે, ‘મારી વહુ ખરાબ છે.” તેમ બધી વહુઓને પૂછે, ત્યારે કહેશે કે ‘મારી સાસુ ખરાબ છે !” અલ્યા, એવું કેમ કરીને બની શકે ? બધી વહુઓ, બધી સાસુઓ ખરાબ છે ? આ જાનવરોય અમુક હદનાં દુઃખોને ‘રિસ્પોન્સ’ આપતાં નથી. અને મનુષ્યો રિસ્પોન્સ આપી દે છે. એટલી બધી ‘ફૂલિશનેસ’ છે ! આ લોકોનું દૃષ્ટિબિંદુ ૧૦૦ ટકા રોંગ છે. પ્રશ્નકર્તા : બધાય ૧૦૦ ટકા રોંગ હોય, તે કઈ રીતે કહેવાય ? દાદાશ્રી : ઉઘાડી આંખે અંધા છે. ઉઘાડી આંખે અંધા એટલે પોતાના હિતાહિતનું ભાન નથી. હું શું બોલું તો હિત ને શું કરું તો હિત, હું શું જાણું તો હિત, એની ખબર જ નથી. જેમાં ને તેમાં નકલો કરવામાં શૂરા થઈ ગયા છે ! બધું બદલાઈ ગયું છે. આપણા હિન્દુસ્તાનના લોક તો કોઈની નકલ કરે જ નહીં. અસલમાં તો આપણા ઉપરથી જગત નકલો કરેલી. આ મોડર્ન જમાનો આવ્યો છે, તેનો મને વાંધો નથી. હું જાણું છું કે આ યુગ છે, તે આ યુગ આવી રીતે ચાલ્યા જ કરવાનો છે. હું યુગથી છૂટો રહું નહીં. પણ આ હિત કર્યું કે અહિત કર્યું તે હું જાણું. આ લોકોએ સંપૂર્ણ અહિત કર્યું છે. મને ગમે તેટલો તાવ આવે પણ ઘરનાંએ ક્યારેય કોઈએ જાણ્યું નથી. એમાં શું જણાવવાનું ? આ લોક તાવવાળા નથી ? આમને શું જણાવવાનું ? આ તો પાછા ભૂલી જશે બિચારાં ! ‘હું તો અનંત શક્તિવાળો છું.” મારે વળી આ લોકોને શું જણાવવાનું? આ લોકો તો ‘તાવ છે, તાવ છે' કરીને પાછા પેલું થર્મોમીટર લાવીને મૂકે ! ૧૦૦૧, ૧૦૧, ૧૦૨° એમ ગણ્યા કરે ! અલ્યા, આ તો તાવ જાણવાનું સાધન છે. સાધ્ય વસ્તુ નથી ! મને દુઃખ છે એમ કહો છો ? દુઃખ તો હતું “રીલેટિવ'માં, એ ‘રીયલ'માં હતું નહીં. એ આરોપિત હતું. જ્યાં તમે નથી ત્યાં દુઃખ માનવામાં આવેલું છે ‘રોંગ બિલીફ'થી ! ૨૫ ટકા હતું, તેને તમે બોલ્યા કે ‘મને આ દુઃખ થયું છે” એવું બોલ્યા કે એ ૧૦૦ ટકા થઈ ગયું ! પ્રશ્નકર્તા : હું શરીરની જોડે ભેગો થઈ ગયો. એટલે મને ૨૫ ટકા ને બદલે ૧૦૦ ટકા દુઃખ લાગી જાય છે. દાદાશ્રી : જગત આખું ‘હું જ ચંદુલાલ છું' એવું જ જાણે છે. આ તો આવો જુદો વ્યવહાર, હવે તમે શીખ્યા ! પ્રશ્નકર્તા : પણ હવે ‘ચંદુલાલને દુ:ખ છે' કહીએ તો દુઃખ ૨૫ ટકાનું ૨૫ ટકા જ રહે ને ? દાદાશ્રી : હા, પછી વધે નહીં. નહીં તો ૧૦૦ ટકા થઈ જાય. આ તો લોકોને ભાન જ નથી. તે દુ:ખોને ઊલટાં વધારી નાખે છે. પોતાનાં દુ:ખોનું વર્ણન કરીને દુઃખોને ઊલટાં વધારી નાખે છે ! લોકો ચિંતા કર્યા કરે છે ને ? આ ચિંતા કરવાનીય હદ હોય. બધાં કંઈ ‘જ્ઞાની' હોતાં નથી કે જેમને ચિંતા ના જ થાય. એટલે એનો કંઈ નિયમ હોય કે ના હોય ? ક્યાં સુધી ચિંતા કરવી ? ચિંતા એટલે ચિંતવન કર્યા કરવું કે હવે શું કરીશું ? આ તો ભગવાન વગોવાય, કુદરત વગોવાય ! પછી ન્યાય જેવું રહ્યું જ ક્યાં ? અઢી વર્ષનો બાબો, નાનો બાબો મરી ગયો હોય તોય રડે ને બાવીસ વર્ષનો પૈણાવેલો મરી ગયો હોય તોય રડે, ને પાંસઠ વર્ષનો થેંડો મરી જાય તોય રડે ! ત્યારે તને આમાં સમજણ શી પડી ? ક્યાં રડવાનું ને ક્યાં નહીં રડવાનું, એ સમજતો જ નથી ! પ્રશ્નકર્તા: આ રીતે બુદ્ધિનો ઉપયોગ તો કોઈ દહાડો થયો જ નથી. દાદાશ્રી : એ નહીં થાય ત્યાં સુધી જગતમાં સુખ કેમ પડે ? મનુષ્યોને, જનાવરોને સુખ જ છે. મનુષ્યોને કંઈ દુઃખ હોતું હશે ? ફક્ત આમને ભોગવતાં નથી આવડતું એટલું જ છે. આ વાત બધા માનસશાસ્ત્રીઓને આપવાની છે. આનાથીય

Loading...

Page Navigation
1 ... 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222