Book Title: Aptavani 05 06
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 181
________________ ૧૬૦ આપ્તવાણી-૬ [૨૨] તમને દુઃખ છે જ ક્યાં ? આ સંસારમાં તમને દુ:ખ છે જ ક્યાં? દુઃખ તો દવાખાનામાં છે, જ્યાં પગ ઊંચો બાંધેલો છે ! ભયંકર દાઝેલા છે, તેમને દુઃખ છે. તમને દુ:ખ જ શું પડ્યું છે ? અમથા બૂમાબૂમ કરો છો, વગર કામનાં !!! આમને તો છ-છ મહિનાની જેલમાં ઘાલી દેવા જોઈએ ! તમે સારી વસ્તુને ખરાબ કહો છો, તો ખરાબને શું કહેશો ? દવાખાનામાં જ્યાં દુ:ખ છે તેને દુઃખ કહો ને દુઃખ નથી તેને દુઃખ કેમ કહેવાય ? અમે અમારી જિંદગીમાં ક્યારેય પણ દુઃખ છે એવું બોલ્યા નથી. આવું તો બોલાતું હશે? આપણે શું મૂરખ માણસ છીએ ? બે આની, ચાર આની, આઠ આની, બાર આની, બધું જ સરખું ? દુઃખ તો દવાખાનાવાળાને છે. આ બંગલાઓમાં, પલંગમાં સૂતા છે, તેમને નથી. પગ ઊંચા બાંધેલા હોય, દાઝેલા હોય તેમને તમે જોઈ આવો તો પોતાને દુઃખ નથી એવો ભાસ થાય. કુદરતને માટે પોતાને આનંદ થાય કે ઓહોહો ! કુદરતે કેવી સરસ ‘પ્લેસ’ મને આપી છે ? આ તો લોકોને ભાન જ નથી ને ? આ તો સારાને વગોવ્યો ને નબળાનેય વગોવ્યો ! વગોવણું કરવું એ જ ધંધો છે. આને માણસાઈ કેમ કહેવાય ? કોને તકલીફ કહેવી, એની લિમિટ હોવી જોઈએ કે નહીં ? ‘આજે મને ભૂખ ના લાગી, આજે મને આ તકલીફ. આ તે કેવી મેડનેસ ?” કેટલાક લોકો, મારા પગે ફ્રેકચર થયેલું ત્યારે પગે વજન લટકાવેલું જોઈને કહે, ‘તમને ભગવાને આવું શા માટે દુઃખ આપ્યું હશે ? હવે ભગવાન છે જ નહીં !' અલ્યા, ભઈ, મને ક્યાં દુ:ખ આપ્યું છે ? એ તો તમને એવું લાગે છે. દુઃખ આને કહેવાય નહીં, દુ:ખ તો અહીં કાણું પાડીને ખાવાનું હોય, અહીં કાણું પાડીને પેશાબ કરવાનો હોય, એને દુઃખ કહેવાય. આ નાના બાબાઓ હોય, તેમને બહુ દુઃખ હોય બિચારાઓને. એને દુઃખ થાય ત્યારે રડે ખરો પણ બોલે નહીં કે મને આ દુઃખે છે ! અને આ અક્કરમીઓ ખાતી વખતે નવ રોટલી ખાઈ જાય ને કહેશે કે હું દુ:ખી છું ! શું કહેવાય આ લોકોને ? દુઃખની વ્યાખ્યા હોવી જોઈએ કે ના હોવી જોઈએ ? અને સુખની વ્યાખ્યાય હોવી જોઈએ કે સુખ કોને કહેવાય ? સંસારમાં સુખ અપાર છે પણ લોકોથી ભોગવાતું નથી ! કેવાં સુખો છે ! દૂધપાકેય જોડે મળે ને માલપૂડાય મળે, પાછા ચોખ્ખા ઘીના ! ઘારી મળે, દાળ, ભાત, શાક મળે તોય પણ આ દુઃખી ! આ મનુષ્ય સિવાય બીજાં જાનવરોને પૂછી આવો જોઈએ, ‘દુઃખ છે ?” એવું મનુષ્યમાંય હલકી કોમમાં પૂછી આવો જોઈએ ? પ્રશ્નકર્તા : પણ તમે તો કહો છો કે ઘારી ખાવાની ને પાછું એમાં તન્મય નહીં થવાનું. દાદાશ્રી : એ તમારી લાઈનની વાત છે. તમને જેવું રાજ કરતાં આવડે એવું રાજ કરો ! કેવાં સુખો સામે આવીને ઊભાં રહ્યાં છે, ત્યારે દુ:ખ ગા ગા કર્યા કરે છે ! આ જગતમાં કોઈ કાળે કાણ કરવા જેવું જ નથી. ફક્ત વીસએકવીસ વર્ષની જુવાન છોકરી હોય ને એને કંઈ હૈયું-છોકરું ના હોય ને તે વિધવા થઈ હોય તો તેની કાણ કરવા જેવી ખરી. કાણ એટલે ક્લેશ કરવા જેવી તો કોઈ વસ્તુ જ નથી જગતમાં ! તોય આખો દહાડો ક્લેશ, ક્લેશ ને ક્લેશ ! અલ્યા, શું ભણ્યા ? તમે કેવું ભણ્યા છો ? આનું નામ ભણતર જ ના કહેવાય ને ? “થીયરી' ઑફ રિલેટિવિટી' સમજવી જોઈએ ને ?

Loading...

Page Navigation
1 ... 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222