________________
આપ્તવાણી-૬
આપ્તવાણી-૬
આત્મા જ્ઞાયક સ્વભાવમાં જ રહે. જ્ઞાયક એટલે જાણ્યા જ કરવાના સ્વભાવમાં રહે. બીજો સ્વભાવ જ આત્માને ઉત્પન્ન ના થાય.
પ્રશ્નકર્તા : જાણવું એટલે મનને જાણવાનું કે શરીરનાં સંવેદનોને જાણવાનું?
દાદાશ્રી : બધુંય જાણવાનું. મનના વિચારો આવે તેમ જાણવાના, બુદ્ધિ શું શું કરે છે તે જાણવાનું ને અહંકાર શું કરે છે તે જાણવાનું. જેટલા જેટલા સંયોગો છે તે બધાય જાણવાના. સંયોગોની ખબર પડે કે ના પડે ? મનમાં વિચાર આવે ને જાય, તે સંયોગ કહેવાય. ગમે તે વસ્તુ આવે ને જાય તે સંયોગ કહેવાય. અને જે આવતો નથી ને જતો નથી, જે જોનારો છે એ કાયમ રહે છે તે ‘જ્ઞાયક છે. એ જ્ઞાયક આ બધા આવતાજતા સંયોગોને જોયા કરે કે આ ફલાણાભાઈ આવ્યા ને આ ગયા. એવું આ જોયા જ કરે, એ આત્માનો સ્વભાવ ને સંયોગો પાછા વિયોગી સ્વભાવના છે. એટલે આપણે તેમને કહીએ કે અહીં બેસી રહે તોય એ જાય જ !
જ રહે છે. એ વગર તો થાય જ નહીં ને ?
દાદાશ્રી : જગત આખું એવું ને એવું જ રહ્યા કરવાનું. શેય વગર આ જગત કોઈ દહાડોય ખાલી થવાનું નથી ! જ્ઞાતાય રહેવાના ને શેયોય રહેવાના.
પ્રશ્નકર્તા : સિદ્ધક્ષેત્રમાં જાય, ત્યાં સંયોગો નહીં ને ?
દાદાશ્રી : ના, પણ ત્યાં રહીને અહીંના બધા જ સંયોગો તેમને દેખાય. એમને જોવાનું શું ? આ જ જોવાનું. આ મેં હાથ ઊંચો કર્યો તે એમને ત્યાં ઊંચો કરેલો હાથ દેખાય.
પ્રશ્નકર્તા: એમનો જ્ઞાતા-દ્રષ્ટા ગુણ તો કાયમ જ રહે ને ?
દાદાશ્રી : હા, એ જ કાયમ રહે. આત્માનું સ્વરૂપ છે અને જ્ઞાતાદ્રષ્ટા હોય ત્યાં જ આનંદ રહે, નહીં તો આનંદ ના હોય.
પ્રશ્નકર્તા : જ્ઞાતા-દ્રષ્ટા ના હોય તો શું આનંદ ના હોય ?
દાદાશ્રી : ના હોય. જ્ઞાતા-દ્રષ્ટાનું ફળ આનંદ છે. એક બાજુ જ્ઞાતાદ્રષ્ટા થવું ને બીજી બાજુ આનંદ ઉત્પન્ન થવો એવું છે. જેમ સિનેમામાં ગયેલો માણસ સિનેમાનો પડદો ઊંચકાય નહીં, તો ગુંચાયા કરે, સિસોટીઓ વગાડે. એવું એ શાથી કરે છે ? કારણ કે એને દુઃખ થાય છે કે જે જોવા આવ્યો છે તે એને જોવા મળતું નથી. શેયને જુએ નહીં ત્યાં સુધી એને સુખ ઉત્પન્ન ના થાય. તેવી રીતે આત્મા શેયને જુએ ને જાણે કે મહીં પરમાનંદ ઉત્પન્ન થાય. હવે રાત્રે એકલો ઓરડીમાં સૂઈ ગયો હોય તો ત્યાં શું જોવાનું ? ત્યાં ક્યા ફોટા જો જો કરવા ? તો ત્યાં અંદરનું બધું દેખાય. છેવટે ઊંધેય દેખાય, સ્વપ્નય દેખાય.
પ્રશ્નકર્તા : પણ સિદ્ધક્ષેત્રમાં સ્વપ્ન ના દેખાય ને ?
દાદાશ્રી : ના, ત્યાં સ્વપ્ન ના હોય. સ્વપ્ન તો આ દેહ છે તેથી છે અને અત્યારે આય ઉઘાડી આંખનું સ્વપ્ન છે. જ્ઞાનીઓને ઊંઘ ના હોય. એમને તો જોવાનું ચાલુ જ હોય. એમને બીજા પ્રદેશમાં જોવાનું મળે, બાકી
તમને માનવસ્વભાવ હતો ત્યાં સુધી મનમાં વિચાર આવતા હતા તેને, ‘મને વિચાર આવે છે” એમ કરીને તન્મયાકાર રહેતા હતા. હવે તમને તન્મયાકારપણું ના રહે. એ છૂટો રહે; કારણ કે માનવ સ્વભાવ એ પૌગલિક સ્વભાવ છે અને હવે આ આત્મસ્વભાવ છે. આત્મસ્વભાવ એ
અવિનાશી સ્વભાવ છે ને પેલો વિનાશી સ્વભાવ છે. એ તો આવે ને જાય, તેને જોયા કરવાનું.
પ્રશ્નકર્તા: દાદા, સંયોગો જ ના હોય તો ? દાદાશ્રી : સંયોગો ના હોય તો તો આત્મા ના હોય. પ્રશ્નકર્તા : શું ત્યાં આત્મા ના હોય ?
દાદાશ્રી : ના, સંયોગો ના હોય તો, આત્મા જુએ શું? સંયોગોની હસ્તી નહીં તો આત્માનીય હસ્તી નહીં.
પ્રશ્નકર્તા તો એનો અર્થ એવો થયો કે જડ અને ચેતન બન્ને સાથે