Book Title: Aptavani 05 06
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 161
________________ આપ્તવાણી-૬ ત્યારે કહે, ‘હા, એક દહાડામાં બહુ ભયંકર દોષ બંધાય.' કારણ કે એ તો સાચો મોહ છે, એટલે એક દા'ડામાં જ આખા ત્યાગનું ફળ જતું રહે અને સ્વરૂપજ્ઞાની ‘મહાત્માઓનો’ ગમે તેટલો મોહ હોય તોય તેનું કશું જ જાય નહીં ! આ વાતને જ સમજવાની છે. આ ચારિત્રમોહ બહુ બહુ ઝીણી વસ્તુ છે. ૧૧૯ શરીરને પોષણ માટે જ ખોરાક લેવો. એમાં લોકો એમ ના કહે કે ભઈએ મોહ કર્યો છે, પણ એમાં જાતજાતની ચટણી, અથાણાં બધું લે, કેરીનો રસ લે, તેને જગત તમારામાં મોહ છે એમ કહે. અરે ! મને હ કહેને ? હું કેરી, અથાણાં, ચટણી ખઉં ત્યારે મનેય કહે. પણ એ વર્તન મોહ છે, એનો આપણે નિકાલ કરીએ છીએ. નિકાલ કર્યો એટલે ફરી નહીં ઉત્પન્ન થાય. જે પહેલાંનો ‘ડિસ્ચાર્જ’ સ્વરૂપે હતો તે જાય છે. પ્રશ્નકર્તા : લોકો એને નહીં કબૂલ કરે. દાદાશ્રી : લોકો એને સમજેય નહીં, એ તો આને મોહ જ તરીકે જુએ. મહાવીર ભગવાન એ મોહ જ જોતા હતા. મોહ તો કપડાં પહેરવાં એનું નામેય મોહ ને નાગું ફરવું એનું નામેય મોહ છે. બંનેય મોહ છે. પણ ‘ડિસ્ચાર્જ’મોહ છે. પહેલાં ‘હું ચંદુલાલ છું’ માનીને ઊંધો જ ચાલ્યા કરતો હતો, તો હવે છતો થયો. દૃષ્ટિ એની બધી સુધરી ગઈ. એટલે હવે નવા મોહનો અંદર જથ્થો ઊભો થાય નહીં. પણ જૂનો મોહ છે. એનાં પરિણામ આવે છે, એ તો ભોગવ્યે જ છૂટકો ને ? પ્રશ્નકર્તા : એટલે દૃષ્ટિમોહથી ચારિત્રમોહ ઊભો થયો એમ ? દાદાશ્રી : દૃષ્ટિમોહ ને ચારિત્રમોહ, એ બે મોહ ભેગા થાય ત્યારે એને ‘અજ્ઞાનમોહ' કહેવામાં આવે છે. જગત આખુંય એ મોહથી જ સપડાયું છે ને ? આમાંથી એક સૂઈ જાય તો બીજાનો તો ઉકેલ આવી જશે, એમ કહે છે. આ દૃષ્ટિમોહ જાય તો બસ થઈ ગયું. પછી ચારિત્રમોહની ચાર આનાય કિંમત નથી. પ્રશ્નકર્તા : પણ એ ચારિત્રમોહને ક્રમિકમાર્ગમાં ગમે તેવી પ્રતિજ્ઞા લઈને અહંકાર કરીને એ કાઢી નાખે છે ને ? આપ્તવાણી-૬ દાદાશ્રી : દૃષ્ટિમોહ જવો જોઈએ તો જ બાકીનો રહ્યો, એને ચારિત્રમોહ ગણાય. એટલે ચારિત્રમોહ ક્યારે કહેવાય ? દર્શનમોહ તૂટે એટલે મોહનું વિભાજન થઈ જાય છે. એમાં એક ભાગ ઊડી ગયો ને જે બીજો ભાગ રહ્યો તે ચારિત્રમોહ, ‘ડિસ્ચાર્જ’મોહ. જો સ્વરૂપનું ભાન થાય તો ‘ચાર્જ’મોહ ઊડી ગયો. એ ‘ચાર્જ’મોહ જ નુકસાનકર્તા છે. ‘ચાર્જ’ મોહ એટલે જ દર્શનમોહ. ૧૨૦ પ્રશ્નકર્તા : પણ લોકો તો ડિસ્ચાર્જમોહને કાઢવા માટે માથાકૂટ કરે છે ને ? દાદાશ્રી : ના. ડિસ્ચાર્જમોહને તો એ લોકો સમજતા જ નથી. જગત તો એને જ ‘મોહ’ કહે છે. ‘ડિસ્ચાર્જ’મોહને કાઢવા માટે બીજો મોહ ઊભો કર્યો છે, એનું નામ ‘ક્રમિકમાર્ગ’. આપણે માટે જુદું કહેવા માગીએ છીએ કે આ બધી પીડામાં શું કરવા ઊતરો છો ? છતું સમજી જાવને ? જો છતું સમજશો તો ઉકેલ આવશે. ત્યારે એ કહે કે છતું સમજાવનાર હોય તો છતું સમજે ને ? છતું સમજાવનાર જ નથી હોતા, ત્યાં શું થાય ? નહીં તો જ્ઞાન તો હતું જ ને, પણ જ્ઞાનીઓ નથી હોતા ત્યાં શું થાય ? આ તમે બધા લાડવા, પૂરી જમો, તો હું કોઈને વઢવા આવું છું? હું જાણું કે એ એના મોહનો નિકાલ કરે છે. પ્રશ્નકર્તા : આમેય તમે ક્યારે કોઈને વઢો છો ? દાદાશ્રી : આ વઢવા જેવું જ નથી. બધાં નિકાલ કરે છે, ત્યાં શું વઢવાનું ? દર્શનમોહ હોય ને તે ઊંધો પડ્યો હોય ત્યારે તો વઢવું પડે. પ્રશ્નકર્તા : કોઈનો ડિસ્ચાર્જમોહ જોઈને તેવી પ્રેરણા મેળવી કે એના કરતાં હું વધારે સારું કરું, એ મોહમાં ઊતરી પડે તે કયો મોહ ? દાદાશ્રી : તેય બધો ડિસ્ચાર્જમોહ જ કહેવાય છે બધો. આપણને એમ દેખાય કે આણે કંઈક નવું ઉમેર્યું છે, પણ એ ઉમેરતો નથી. એ બધું ઉમેરે છે તેય ડિસ્ચાર્જમોહ છે. આ અમારી સાયન્ટિફિક’ શોધખોળ છે.

Loading...

Page Navigation
1 ... 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222