________________
આપ્તવાણી-૬
૧૦૫
૧૦૬
આપ્તવાણી-૬
રાખશો નહીં. આ રૂમ આખો સાપથી ભરેલો હોય તોય પણ પેલો અહિંસક પુરુષ મહીં પેસે તો સાપ ઉપરાછાપરી ચઢી જાય, પણ એમને અડે નહીં !
માટે ચેતીને ચાલજો. આ જગત બહુ જ જુદી જાતનું, તદન ન્યાય સ્વરૂપ છે ! જગતનું તારણ કાઢીને અનુભવના સ્ટેજ ઉપર લઈએ, ત્યારે જ કામ થાય ને ? ‘આનું શું પરિણામ આવશે ?* એની ‘રિસર્ચ’ કરવી પડશે ને ?
આત્મા છે. તેનેય આપણે જાણવું કે “ઓહોહો ! આ પ્રતિષ્ઠિત આત્મા જલેબીમાં તન્મયાકાર થઈ ગયો છે.”
મહાવીર ભગવાને એમના શિષ્યોને શિખવાડ્યું કે તમે બહાર જાવ છો ને લોકો એકાદ લાકડી મારે તો આપણે એમ સમજવું કે લાકડી એકલી જ મારી ને ? હાથ તો નથી ભાંગ્યો ને ? એટલી તો બચત થઈ ! એટલે આ જ લાભ માનજો. કોઈ એક હાથ ભાંગે તો, બીજો તો નથી ભાંગ્યો ને ? બે હાથ કાપી નાખ્યા, ત્યારે કહે પગ તો છે ને ? બે હાથ ને બે પગ કાપી નાખે તો કહેવું કે હું જીવતો તો છું ને ? આંખે તો દેખાય છે ને ? લાભાલાભ ભગવાને દેખાડ્યું. તું રડીશ નહીં; હસ, આનંદ પામ. વાત ખોટી નથી ને ?
ભગવાને સમ્યક દૃષ્ટિથી જોયું, જેથી નુકસાનમાં પણ નફો દેખાય !
છૂટકારાની ચાવી શી ? આ જગતનો કાયદો શો છે ? કે શક્તિવાળો અશક્તિવાળાને મારે. કુદરત તો શક્તિવાળો કોને બનાવે છે કે પાપ ઓછાં કર્યો હોય. તેને શક્તિવાળો બનાવે છે અને પાપ વધારે કર્યો હોય, તેને અશક્તિવાળો બનાવે છે.
જો તમારે છૂટકારો મેળવવો હોય તો એક ફેરો માર ખાઈ લો. મેં આખી જિંદગી એવું જ કર્યું છે. ત્યાર પછી મેં તારણ કાઢ્યું કે મને કોઈ જાતનો માર રહ્યો નહીં, ભય પણ રહ્યો નહીં. મેં આખું ‘વર્લ્ડ” શું છે, એનું તારણ કાઢ્યું છે. મને પોતાને તો તારણ મળી ગયું છે, પણ હવે લોકોને પણ તારણ કાઢી આપું છું.
એટલે જ્યારે ત્યારે તો આ લાઈન ઉપર આવવું જ પડશે ને ? કાયદો કોઈને છોડતો નથી. જરાક ગુનો કર્યો કે ચાર પગ થઈને ભોગવવું પડશે. ચાર પગમાં પછી સુખ લાગે કંઈ ?
ગુના માત્ર બંધ કરો. અહિંસાથી તમને કોઈ પણ જાતનો માર પડવાનો ભય રહેશે નહીં. કોઈ મારશે, કોઈ કેડી ખાશે એટલોય ભય
પ્રશ્નકર્તા : માર ખાધા પછી ‘રિસર્ચઉપર જાય છે ને ?
દાદાશ્રી : હા, ખરી ‘રિસર્ચ' તો માર ખાધા પછી જ થાય. માર આપ્યા પછી ‘રિસર્ચ' ના થાય.
જગત તિર્દોષ - નિશ્ચયથી, વ્યવહારથી ! દાદાશ્રી : લોકોને, પોતાના દોષ દેખાતા નહીં હોય ને ? પ્રશ્નકર્તા : ના દેખાય.
દાદાશ્રી : કેમ ? એનું શું કારણ હશે ? આટલા બધા બુદ્ધિશાળી લોકો છે ને ?
પ્રશ્નકર્તા : બીજાના બધા દોષ દેખાય.
દાદાશ્રી : એય સાચા દોષ નથી દેખાતા. પોતાની બુદ્ધિથી માપી માપીને સામાના દોષ કાઢે. આ જગતમાં અમને તો કોઈનો દોષ દેખાતો નથી.
પ્રશ્નકર્તા ઃ દાદા, આખું જગત નિર્દોષ છે. એ “રીયલ’ ભાવે બરોબર છે, પણ “રીલેટિવ' ભાવે તો એ વસ્તુમાં દોષ રહ્યા કરે જ ને?
દાદાશ્રી : હા, પણ આપણે હવે “રીલેટિવ'માં રહેવા માગતા જ નથી ને ? આપણે તો ‘રીયલ’ ભાવમાં જ રહેવું છે. “રીલેટિવ' ભાવ એટલે સંસારભાવ. તમને “રીલેટિવ'માં ગમે છે કે “રીયલ’માં ?