________________
આપ્તવાણી-પ
૧૧૭
૧૧૮
આપ્તવાણી-૫
હક્કનું બીજાને આપી દે, એ દેવપણું કહેવાય.
મુક્તિતું સાધન - શાસ્ત્ર કે જ્ઞાતી ? જે જ્ઞાન હિતકારી ન થઈ પડે તે ક્યાં સુધી સાંભળવાનું ? ‘જ્ઞાની પુરુષ’ ના મળે ત્યાં સુધી. જ્યાં સુધી ઇદોરી ઘઉં ના મળે ત્યાં સુધી રેશનના ઘઉં મળે તે ખાવા જ પડે ને ? પણ જો ‘જ્ઞાની પુરુષ'નો સંજોગ બાઝે તો તો પછી તમે માંગતાં ભૂલો; અધ્યાત્મમાં જે માગો તે મળે, કારણ કે “જ્ઞાની પુરુષ' એ મોક્ષદાતા પુરુષ છે. મોક્ષનું દાન આપવા આવેલા છે. પોતે મુક્ત થયેલા છે. તરણતારણ થયેલા છે. પોતે તર્યા ને અનેકોને તારવાને સમર્થ છે. ત્યાં બધી જ ચીજ મળે. મને તમે ભેગા થયા એટલે વાત કરું હું તમને. સર્વ જંજાળોમાંથી મુક્ત થવાનું આ સાધન
પરિણામ થતી વખતે બધાં ક્રૂર દેખાય. પણ તે આજે આપણાં નથી. આ તો નિર્જરા થાય છે. એને જોયા કરવાનું કે શી નિર્જરા થાય છે ! એના પરથી શું બંધ પડેલો, કયા ભાવે બંધ પડેલો હતો, આ નિર્જરાનું ‘રૂટ કોઝ” શું હતું, તેની ખબર પડે.
દેવલોકોનું વિચરણ પ્રશ્નકર્તા : સાત ક્ષેત્ર, એમાં દેવો વિચરે ખરા ?
દાદાશ્રી : દેવો તો મનુષ્યો જ્યાં હોય ત્યાં જઈ શકે. ખાસ કરીને તીર્થકરો હોય ત્યાં દેવલોકો વધારે જાય. આપણી ભૂમિકામાં ઓછા આવે. આપણી ભૂમિકા નરી ગંદવાડવાળી, દુર્ગધવાળી હોય તેથી ત્યાં દેવલોકો પધારે નહીં. ‘જ્ઞાની’ હોય ત્યાં દેવલોકો આવે. આ વિધિઓ, પૂજા વગેરે ભણાવે તો ત્યાં પણ દેવલોકો જાય, પછી ભલે ત્યાં “જ્ઞાન” ના પણ હોય !
ધર્મ : અધર્મ - એ એક કલ્પના આ ધર્મો તે કેવા છે ? અધર્મને ધક્કા મારવા, એનું નામ ધર્મ. ધર્મ એકલાને સંગ્રહી રાખવાનો ને અધર્મને ધક્કા મારવાના. કોઈને ધક્કા મારીએ તે કંઈ સારું કહેવાય ?
પ્રશ્નકર્તા : અધર્મને ધર્મમાં બદલી લેવો જોઈએ.
દાદાશ્રી : આ ધર્મ અને અધર્મ એ બેઉ કલ્પિત જ છે ને ? આપણે કલ્પનાથી બહાર નીકળવું છે કે કલ્પિતમાં રખડવું છે ? કલ્પિત તો અનંત અવતારથી ભટક ભટક કરાવે. ધર્મ એટલે કોઈને સારું કરવું, જીવમાત્રને સુખ આપવું. પણ સુખ આપનાર કોણ ? ત્યારે કહે, ‘ઇગોઇઝમ’. ધર્મનું ફળ ભૌતિક સુખશાંતિ મળે અને અધર્મનું ફળ ભૌતિક અશાંતિ રહે. પણ આવા ધર્મ કરતાં પણ જાનવરમાં જવું પડે. જાનવરમાં શી રીતે જાય ? અણહક્કનું ભેળું કરવાના વિચારો આવે તે પાશવતાની નિશાની. એનાથી પશુયોનિ બંધાય. હક્કનું ભોગવો; હક્કની સ્ત્રી, હક્કનાં છોકરાં, હક્કના બંગલા ભોગવો, એ મનુષ્યપણું કહેવાય અને પોતાના
પ્રશ્નકર્તા : ધાર્મિક પુસ્તકો જંજાળમાંથી મુક્ત થવા માટે જ લખાયાં છે ને ?
દાદાશ્રી : હા, પણ ધાર્મિક પુસ્તકો જંજાળમાંથી મુક્ત થવાનું કોઈ જગ્યાએ બતાવતાં જ નથી. એ તો ધર્મ કરવા માટે છે. એનાથી જગત ઉપર અધર્મ ચઢી ના બેસે. એટલે કંઈક સારું એવું શિખવાડે. એનાથી સાંસારિક સુખ મળે, અડચણો ના પડે, ખાવા-પીવાનું મળે, લક્ષ્મી મળે એટલે ધર્મ શિખવાડ શિખવાડ કરે છે. આ તો કો'ક વખત ‘જ્ઞાની પુરુષ' હોય. હું જે વાત કરું છું તે વાત ક્યાંય પણ હોય નહીં. પુસ્તકમાંય ના હોય, કારણ કે આનું વર્ણન થઈ શકે તેમ નથી. એ બધું ‘જ્ઞાની પુરુષ’ પાસે જ હોય. એ તમને સમજાવે તે તમને બુદ્ધિ દ્વારા પકડી શકાય અને તમારો આત્મા કબૂલ કરે તો જ માનજો. | જ્ઞાની” પાસે સીધા થવું પડશે. આડાઈ નામે ના ચાલે અને તમારી ચિંતા જાય, મતભેદ જાય તો જાણવું કે કંઈ સાંભળવાનું ફળ છે. આ તો નથી એકંય મતભેદ ગયો, નથી ધ્યાન સુધર્યું. આર્તધ્યાન ને રૌદ્રધ્યાન થાય છે. એનો અર્થ ધર્મનો એકેય અક્ષર પામ્યો નથી. છતાં મનમાં એમ માની બેસે છે કે ચાલીસ વરસથી હું ધર્મ કરું છું, મંદિરોમાં,