________________
આપ્તવાણી-૫
૧૨૩
૧૨૪
આપ્તવાણી-૫
દાદાશ્રી : બહુ મોટી મહત્તા છે ! ગજબનો વિકાસ છે આ ! નહીં તો એક અંશ પણ કષાય ઓછા ના થાય.
સત્સંગની આવશ્યકતા જીવ અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવ્યો તે મોક્ષે જતાં સુધી ‘વ્યવસ્થિત’ છે. માથાકૂટ ના કરે તો ‘વ્યવસ્થિત’ મોક્ષે જ લઈ જાય. પણ માથાકૂટ કર્યા વગર રહે જ નહીં ને ?
પ્રશ્નકર્તા : તો તમારા હિસાબે સત્સંગ એ પણ ખોટી માથાકૂટ જ ને ?
એવું દેખાતું હોય, તો કહેવાનું મન થાય ને ?
દાદાશ્રી : આ વાત તો તમારા પિતાશ્રી હોત ને, તો તે તમને કહેત કે ભઈ હજુ કાચો છે ! ને એમના પિતાશ્રી હોત તો તેય એવું જ કહેત ! આ હિન્દુસ્તાનનો રિવાજ છે. આને જ “ઓવરવાઈઝ'પણું ભગવાને કહ્યું. સાઠ વર્ષના પિતા હતા, તેય કહે કે હજુ છોકરું છે ને ! અલ્યા, શેનું છોકરું ? દાદો થયો ને હવે !
આ તમને જે જ્ઞાન છે ને તે આપણા ગુજરાતીઓમાં છેલ્લી ઘડીએ પડ્યા પછી પણ એવું હોય કે મારું શરીર જતું રહેશે પછી આ છોકરાંઓ શું કરશે ? આ બધી કટેવ છે એક જાતની. ‘વ્યવસ્થિત કરનાર છે. તમે દેખો ત્યાં સુધી એને ઝાલી રાખો ને ! અને તમારા દેખ્યાની બહાર જાય તો ? એટલે આપણને પૂછે એનો જ જવાબ. છોકરાંને અનુભવ હોય કે ના હોય એ આપણે નહીં જોવાનું. ધંધો કરતા હોય તો કો'ક ફેરો મન એવું પણ કહે કે ચાલો, આજે જરા ઘરાક વધારે છે તો છોકરાં છેતરાઈ જશે. માટે ચાલ, હું દુકાને જઈને બેસું ! આવી આપણે ક્યાં પીડા કરીએ ? આપણે છોકરાંને મોટાં કયાં, ભણાવ્યાં, પૈણાવ્યાં, પછી હવે શું લેવાદેવા ? આપણે આપણા આત્માનું કરવું. હવે ‘સબ સંબકી સંભાલો’ એવો કાયદો છે. આ ઘરાક-વેપારીના સંબંધ છે. પહેલાં અજ્ઞાનતાને લીધે ઊંડા ઊતર્યા હતા. હવે જ્ઞાન કરીને આપણને સમજાવું જોઈએ.
અક્રમ માર્ગે અકષાયાવસ્થા જેણે કપાયભાવને જીત્યા, તે અરિહંત કહેવાયો ! ‘હું શુદ્ધાત્મા છું ત્યાં કપાયભાવ રહેતા નથી. શુદ્ધ ઉપયોગ હોય ત્યાં આગળ કપાયભાવ રહેતા નથી. શુદ્ધાત્મા ત્યાં કષાય નહીં ને કષાય ત્યાં શુદ્ધાત્મા નહીં. અક્રમ જ્ઞાન’માં કષાય થતા જ નથી. ક્રમિક માર્ગમાં એવું છે કે અશાતાવેદનીય થાય તો કર્મ બંધાયા વગર રહે જ નહીં. જયારે ‘અક્રમમાં એમાં કર્મ બંધાય નહીં ને એટલો વખત વેદના ભોગવ્યે જ છૂટકો.
પ્રશ્નકર્તા : આ ‘અક્રમ જ્ઞાન’ની મહત્તા ને ?
દાદાશ્રી : હા, માથાકૂટ જ કહેવાય. આ કરવાની જરૂર જ નથી. આ તો ગૃહિત મિથ્યાત્વને લીધે ઊંધું કર્યું તેથી છતું કરવું પડે. ચાખાંડ ધીમે ધીમે ઓગળ્યા જ કરે છે ને ? તેમ આત્મા ધીમે ધીમે મોક્ષ તરફ જ જઈ રહ્યો છે.
સત્સંગેય છેવટે તમને શું કહે છે ? કશું કરશો નહીં. જે પરિણામ થાય એને જોયા કરો.
નિયતિવાદ પ્રશ્નકર્તા : બધું ‘વ્યવસ્થિત’ હોય તો કરવાની કશી જરૂર નથી. વિરોધાભાસ લાગે છે.
દાદાશ્રી : આ બધું ‘વ્યવસ્થિત’ જ છે. પ્રશ્નકર્તા : તો એ નિયતિવાદ થયો કે બધું નક્કી જ છે ?
દાદાશ્રી : ના, નિયતિવાદ થાય તો તો એ આગ્રહ થઈ ગયો. અમે જીત્યા એવું એ કહે. પછી તો નિયતિ ભગવાન જ ગણાય. નિયતિ એકલું કારણ નથી. સમુચ્ચય કારણોથી થયેલું છે. તેથી અમે કહીએ છીએ કે “ઓન્લી સાયેટિફિક સરકમસ્ટેન્સિયલ એવિડન્સ' છે. (ફક્ત વૈજ્ઞાનિક સંયોગિક પુરાવા.) નિયતિવાદ હોય તો તો નિરાંત થઈ જાય ! નિયતિવાદ એટલે અહીંથી દરિયામાં નાખ્યું એટલે કિનારે પહોંચ્યું જ.