Book Title: Aptavani 04
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 16
________________ ધર્મ છે. ઇન્દ્રિયજન્ય જે જે છે તે ‘રિલેટીવ’માં જાય અને ‘રિયલ' છે, તેથી જ ‘રિલેટીવ’ ઊભું થયું છે ! ‘રિલેટીવ’ અવસ્થા સ્વરૂપ છે. ‘રિયલ’ તત્વ સ્વરૂપે છે. ધર્માધર્મ આત્મા મૂઢાત્મા - રિલેટિવિટી. જ્ઞાનઘન આત્મા અંતરાત્મા - રિયાલિટી. વિજ્ઞાનને આત્મા પરમાત્મા - એબ્સોલ્યુટ. આર્તધ્યાન, રૌદ્રધ્યાન જાય તે ધર્મસાર. જયારે મર્મનો સાર એટલે મુક્તિ ! જગતનો સાર વિષયસુખ ને ધર્મનો સાર આર્તધ્યાન, રૌદ્રધ્યાનથી વિમુક્તિ ! અને સમયસાર એટલે સ્વાભાવિક પરિણતિ, સ્વપરિણતિ ઉત્પન્ન થઈ. ધર્મ ‘રિલેટીવ’ હોય ને વિજ્ઞાન ‘રિયલ’ હોય. ‘વિજ્ઞાન’ અવિરોધાભાસવાળું, સૈદ્ધાંતિક ને સ્વયં ક્રિયાકારી હોય ! ૧૭. ભગવાનનું સ્વરૂપ જ્ઞાતદષ્ટિથી આપણે ઇશ્વરના અંશ ના હોય, ઇશ્વરના ટુકડા ના હોય. આપણે સવશ છીએ. આવરણ દૂર થાય ને પ્રગટ થાય તેટલી જ વાર ! ભગવાન કણ કણમાં હોય તો તેને ખોળવો ક્યાં ? સંડાસ કયાં જવું ? પછી તો જડ-ચેતનનો ભેદ જ ના રહે ને ? જીવ માત્રમાં ભગવાન મહીં રહેલા છે. જે વસ્તુમાં માલિકીભાવનું આરોપણ થયેલું છે, તે તેનાથી દૂર કરતાં માલિકને દુ:ખ થાય તેને સંકલ્પીચંતન કહ્યું. ખરેખર તો જયાં જ્ઞાન-દર્શન છે ત્યાં ચેતન છે. ભાવવી. - દાદા ભગવાન. આ બ્રહ્માંડના તમામ જીવોને ભગવત્ સ્વરૂપે દર્શન કરું છું બોલે ત્યાં તમામ ‘રિલેટીવ' ધર્મો સમાય છે. સ્વને જાણ્યા પછી સ્વનો સ્વાધ્યાય થાય. ‘સ્વ'ને જાણ્યા વિના જે કંઇ પણ કરવામાં આવે તે પરાધ્યાય છે ! અનાદિકાળથી જેને ‘જ્ઞાતા’ માનેલો તે જ ‘રોય' થાય ત્યારે નિજસ્વરૂપનું ભાન થયું કહેવાય ! અજ્ઞાનથી નિવૃતિ એનું નામ મોક્ષધર્મ. અજ્ઞાનથી નિવૃતિ થયા બાદ વિજ્ઞાન ઉત્પન્ન થાય તેનું નામ મોક્ષ ! ૧૯. યથાર્થ ભક્તિમાર્ગ ! જયાં સુધી મહીં બિરાજેલા ભગવાનના પ્રત્યક્ષ દર્શન થતાં નથી ત્યાં સુધી મૂર્તિ સન્મુખે પરોક્ષ પ્રાર્થના પણ પ્રત્યક્ષ ભણી જાય. તે માટે, “હે વીતરાગ ભગવાન ! તમે મારી મહીં જ બેઠા છો પણ મને તેની ઓળખાણ નથી તેથી તમારાં દર્શન કરું છું. મને આ જ્ઞાની પુરુષે શીખવાડયું છે તેથી આ પ્રમાણે તમારાં દર્શન કરું છું. તો તમે મને મારી ‘પોતાની’ ઓળખાણ થાય એવી કૃપા કરો.” - દાદા ભગવાન. આ મુજબ બધે દર્શન કરવાં. પાંચ ઇન્દ્રિયોથી ઇશ્વરપ્રાપ્તિ માટે જે કંઈ પણ થાય તે ભક્તિ છે. પ્રત્યક્ષ ભક્તિથી ભગવાન ભેગા થાય. પરોક્ષ ભક્તિથી ધીમે ધીમે ઊર્વીકરણ થયા કરે. પ્રત્યક્ષ ભક્તિ એટલે કે જયાં ભગવાન પ્રગટ થયા છે, તેમની ભક્તિ. તેનાથી મોક્ષ મળે. ભક્તિની સૂક્ષ્મતાના ભેદો છે. નામજાપથી એ સ્થૂળ ભક્તિ, સ્થાપનાથી એ સૂક્ષ્મ, દ્રવ્યથી એ સૂક્ષ્મતર ને ભાવથી એ સૂક્ષ્મતમ ભક્તિ ૧૮. જ્ઞાતાપદની ઓળખ ! ત્રણ વસ્તુની મોક્ષમાર્ગમાં જરૂર છે. (૧) આત્મા પ્રાપ્ત કરવાની તીવ્ર ઇચ્છા. (૨) જ્ઞાની પુરુષ પ્રાપ્ત કરવાની તીવ્ર ઇચ્છા. (૩) જ્ઞાની પુરુષ ના મળે તો જ્ઞાની પુરુષ પ્રાપ્ત હો એ ભાવના ભક્તિમાર્ગથી મોક્ષ કે જ્ઞાનમાર્ગથી ? જ્ઞાનમાર્ગનો એક પાટો નંખાય, ત્યાં સમાંતરે ભક્તિમાર્ગનો બીજો પાટો નંખાય ત્યારે આ ગાડી મોક્ષના સ્ટેશને પહોંચે ! જેટલું જ્ઞાન લાધે તેટલી ભક્તિ સ્વયં પ્રગટ થાય 24 25

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 186