Book Title: Akho
Author(s): Narmadashankar Devshankar Mehta
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 36
________________ મૃત્યુ અખો ૪ પાયુ (ગુદ) મલવિસર્જન ૫ ઉપસ્થ (જનનેન્દ્રિય) પ્રજોત્પત્તિકર્મ પ્રજાપતિ ૧ મન મનન ચંદ્ર ૨ બુદ્ધિ બોધ બ્રહ્મા ૩ ચિત્ત ચિંતન વિષ્ણુ (બહુનામી) ૪ અહંકાર અહંભાવ રુદ્ર (“શેષ” દેવ) ટિપ્પણી:- “શેષ” એટલે શેષનાગ નહિ પણ બાકીનો ત્રીજો દેવા સમજવો. આપણા પિંડમાં ચાર દેતો હોય છે. – (૧) સ્થૂલદેહ, (૨) સૂક્ષ્મદેહ, (૩) કારણદેહ, (૪) મહાકારણદેહ, તેમાં સ્થૂલદેહ ઉપર કહેલાં પંચભૂતોનાં પંચીકૃત અણુઓ વડે, પાંચ જ્ઞાનેન્દ્રિયો વડે, પાંચ કમેન્દ્રિયો વડેએમ પંદર તત્ત્વોના અંશો વડે બનેલો છે. સૂમદેહનાં ઘટક તત્ત્વો પાંચ તન્માત્રાઓ અને ચાર અંતઃકરણ મળી નવ તત્ત્વો હોય છે. કારણદેહનાં ઘટક તત્ત્વને ચૈતન્યમાત્રા કહે છે. મહાકારણદેહ તે ખરી રીતે આપણું કૈવલ્ય એટલે બાકી રહેલું શુદ્ધ ચૈતન્યરૂપ છે. અને તેને ખરી રીતે દેહસંજ્ઞા આપવી યોગ્ય નથી. પણ ત્રણ દેહની સરખામણીમાં તે સ્વરૂપને ચોથા દેહનું માત્ર નામ આપવામાં આવે છે. આ પ્રમાણે સ્થૂલ + સૂક્ષ્મ + કારણ + મહાકારણ મળી છવ્વીસ ૧૫ + ૯ + ૧ + ૧ તત્ત્વો વડે આપણે દેહાભિમાની ઘડાયા છીએ. તેમાં છેલ્લું તત્ત્વ તે મહાવિષ્ણુથી જુદું નથી, જો કે જુદું હોય તેવું ભાસે છે. For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82