Book Title: Akho
Author(s): Narmadashankar Devshankar Mehta
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 64
________________ પપ અખો નાદબ્રહ્મ (વાચક) દ્વાર અર્થબ્રહ્મ (વાચ્ય) ૧. પરા વાણીથી પારનો શબ્દ (ચૈતન્ય) પરબ્રહ્મના બોધક ૨. પરા વાણી (કલ્પના) અરૂપીકામ અથવા સંકલ્પ પ્રકટાવે ? ૩. પશ્યતી વાણી (કામના) અરૂપી કામ, રૂપી ભાવ પ્રકટાવે ૪. મધ્યમા વાણી (કલ્પના) રૂપીભાવ રૂપવાળા અનેક શબ્દના ઘાટો ઘટે ૫. વૈખરી વાણી (ઉચ્ચારો) અનેક ઘાટવાળા પદાર્થો સમજાવાથી તેવી વાણી વડે સમજાવવાનો વેગ આવે. શબ્દબ્રહ્મ અથવા પ્રણવના અનુસંધાનને સમજાવનારી અખાની વાણી અત્યંત સ્પષ્ટ ભાવબોધક છે, અને વાણીના પરા- પતી-મધ્યમા-વૈખરીનું સંસ્કૃત ભાષાનું જે રૂપ સ્પષ્ટ કરવામાં આવે છે તેના કરતાં તે વધારે સરલ છે. ભાઈ પરાપરથી શબ્દ ઉઠે, તે જુગતે જાડા થાય, પરા છે પરમાત્મા તે, હેં ચૈતન્યઘન રાય'. તે મન ધારાએ મહાતમ ધરે, તે મનને ઉઠે કલ્પના કલ્પનામાં કામના છે, તે કરે બહુ જલ્પના પરાતીત શું હોય પોષણ, તે શબ્દ રૂપ પરા કરે, તે પયંતીએ થાય જાડો, અરૂ૫ ફીટી રૂપ ધરે. મધ્યમાએ ઘાટ ઘડાએ, અને વૈખરી થઈ વિખરે, સંસ્કૃતિ વિદ્યા શબ્દ કેરી, અનંત પ્રકારે ઓચરે. અક્ષર બાવન અનંત રૂપે વેદ પુરાણ સ્મૃતિ લખે. મંત્ર યંત્ર ને વિદ્યા અવિદ્યા, કાંઈ એ ન હોય વાણી પશે. (કડવું ૨૪) પ્રણવ અથવા શબ્દબ્રહ્મદ્વારા પરબ્રહ્મની ઓળખ કરવાની “વણક્રમ' Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82