Page #1
--------------------------------------------------------------------------
________________
અખો
(તેનું જીવન, તત્વચિંતન અને તેના
સમયનો સમાજ)
વ્યાખ્યાનક્તાં શ.રા. નર્મદાશંકર દેવશંકર મહેતા બી.એ.
પ્રકાશક લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર
અમદાવાદ
For Personal & Private Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
અખો (તેનું જીવન, તત્ત્વચિંતન અને તેના સમયનો સમાજ)
: વ્યાખ્યાનકર્તા : રા.રા. નર્મદાશંકર દેવશંકર મહેતા બી.એ.
भारतीय
:
:
विधामा
રામ
ઠા
ક
: પ્રકાશક : લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર ગુજરાત યુનિવર્સિટી બસ સ્ટેન્ડ પાસે, નવરંગપુરા,
અમદાવાદ ૩૮૦૦૦૯
For Personal & Private Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
લા.દ. શ્રેણી : ૧૪૫
અખો
વ્યાખ્યાનકર્તા રા. રા. નર્મદાશંકર દેવશંકર મહેતા બી.એ.
પ્રકાશક જિતેન્દ્ર બી. શાહ
નિયામક લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર
અમદાવાદ
© લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર
પુનર્મુદ્રણ : ૨૦૦૯ ISBN-81-85857-27-X
પ્રત : ૫00
કિંમત : રૂ. ૫૦-૦૦
મુદ્રક
સર્વોદય ઓફસેટ
અમદાવાદ,
For Personal & Private Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય
ગુજરાતના જાણીતા દાર્શનિક શ્રી નર્મદાશંકર દેવશંકર મહેતાએ સને-૧૯૨૭માં સ્વ. રા.બ.કમળાશંકર ત્રિવેદી વ્યાખ્યાનમાળામાં અખા ઉપર વ્યાખ્યાન આપ્યાં હતાં. આ વ્યાખ્યાનમાળામાં તેમણે બે વ્યાખ્યાન આપ્યાં હતાં. તેમણે અખાનું જીવન, અખાનું તત્ત્વચિંતન અને અખાના સમયનો સમાજ – આ વિષયોને બે વ્યાખ્યાનમાં આવરી લીધાં હતાં. ત્યારબાદ તે વ્યાખ્યાનો પ્રકાશિત પણ થયા હતા. ૮૦થી વધુ વર્ષો પૂર્વે પ્રકાશિત થયેલ વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યાનો હાલ ઉપલબ્ધ ન હોવાથી તેનું પુનઃ પ્રકાશન કરવામાં આવી રહ્યું છે. આ પ્રકાશનથી જિજ્ઞાસુઓને લાભ થશે તેવી મને આશા છે,
- જિતેન્દ્ર શાહ
For Personal & Private Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના (પ્રથમ આવૃત્તિની)
સ્વ.રા. બ. કમળાશંકર, ત્રિવેદીના સ્મારકને માટે થયેલી વ્યાખ્યાનમાળાની યોજના અનુસાર ચાલુ વર્ષની તા. ૩૦મી જાન્યુઆરીએ સુરતના રા. બ. નગીનચંદ હોલમાં “અખો-તેનું જીવન, તેનું તત્ત્વચિન્તન, અને તેના સમયનો સમાજ' એ વિષય ઉપર બે વ્યાખ્યાન ગુજરાતના જાણીતા વિદ્વાન રા. રા. નર્મદાશંકર દેવશંકર મહેતા, બી. એ., એમણે આપ્યાં હતાં. આરંભમાં જ સ્મારકની વ્યવસ્થાપક સમિતિ આવા સુપ્રતિષ્ઠિત વક્તાને મેળવવામાં સફળ થઈ એ ઘણું હર્ષપ્રદ કહેવાય. અખાના ઊંડા અભ્યાસને પરિણામે એને વિષે તથા એના તત્ત્વચિન્તનને વિષે જે કંઈ ખોટી ભ્રમણાઓ વિદ્વદ્વર્ગમાં તેમ જ સામાન્ય વર્ગમાં પ્રચલિત હતી તે દૂર કરવાનો પ્રયત્ન એમણે પોતાનાં વ્યાખ્યાનોમાં કર્યો હતો. એ વ્યાખ્યાનો એમણે માત્ર પોતાના ગુરુ તરફની પૂજયબુદ્ધિને લીધે જ કર્તવ્ય સમજીને આપ્યાં હતાં. અને એ અંગે થયેલા શ્રમ તથા ખરચ બદલ કંઈ પણ પારિતોષિક લેવાની ના પાડીને એમણે મારક સમિતિને વિશેષ ઉપકૃત કરી છે. એ સમ્બન્ધમાં એમના એક પત્રમાં તેઓએ લખ્યું હતું કે “As rgards your offer of travelling expenses for my journey to Surat, I may inform you that my reverence for the late R. B. K. P. Trivedi was such that I would not be justified in receiving anything from the Memorial Fund. On the contrary my lectures may be treated as Įs feront to the immortal Purusha of the late R. B. Trivedi.”
એ વ્યાખ્યામની છાપખાના માટેની નકલ તૈયાર કરવાનો બોજો સિનિયર ટ્રેઈન્ડ શિક્ષક રા. રા. ભીખાભાઈ વીરાભાઈ મકવાણાએ પોતાનાં શિરપર ઉપાડી લીધો હતો, અને એમણે પણ સ્વર્ગસ્થ તરફથી પોતાની શિષ્ય તરીકેની પૂજયબુદ્ધિને લીધે પોતાની મહેનત બદલ કંઈપણ મહેનતાણું લેવાની ના પાડી પોતાની ઉદારતા તથા માનવૃત્તિ દાખવી તે બદલ હું એમની સમિતિ તરફથી આભાર માનું છું.
સુરત
મોહનલાલ પાર્વતીશંકર દવે મંત્રી, સ્વ. રા. બા. કમળાશંકરસ્મારકની
વ્યવસ્થાપક સમિતિ
તા. ૨૧-૩-૨૭
For Personal & Private Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
૧.
અખાને લગતું વાડ્મય
(1) પ્રસિદ્ધ મુદ્રિત સાહિત્ય *અખાજીના છપ્પા, અમદાવાદની પુસ્તક વૃદ્ધિ કરનાર મંડળી તરફથી પ્રસિદ્ધિ પામેલા. ઈ. સ. ૧૮૫૨. જૂનાં કાવ્યોદહન તથા બૃહત્કાવ્યદોહનમાં આવેલા છૂટક ગ્રંથો, વિભાગ-૧થી ૮. અખાની વાણી-કવિ હીરાચંદ કાનજીની બાળબોધ લિપિમાં, ઈ. સ. ૧૮૬૪, સંવત ૧૯૨૦. અખાની વાણી-ઓરીએન્ટલ છાપખાનાના માલિકે પ્રસિદ્ધ કરેલી, ઈ. સ. ૧૮૮૪, સંવત ૧૯૪૧. અખાની વાણી-મણિલાલ મહાસુખરામની કંપની મુંબઈ, ઈ. સ. ૧૮૯૪, સંવત ૧૯૫૦ અખાની વાણી અને ગંગવિનોદ-મહાદેવ રામચંદ્ર જાગુષ્ટ, અમદાવાદ, ઈ. સ. ૧૯૦૪, સંવત ૧૯૬૦. અખાની વાણી-(વિવિધ ગ્રંથમાલામાં પ્રસિદ્ધ થયેલી, પુસ્તક ૫૧, પર રૂપે) *અખાની વાણી-ભિક્ષુ અખંડાનંદની સસ્તા સાહિત્યની પ્રથમવૃત્તિ. “સસ્તુ સાહિત્યની પ્રથમ આવૃત્તિ ઈ. સ. ૧૯૧૪, સંવત ૧૯૭૧. *અખાની વાણી તથા મનહરપદ-(પુષ્કળ પદો તથા સોરઠાના ઉમેરા સાથે) સસ્તા સાહિત્યની દ્વિતીયાવૃત્તિ, ઈ. સ. ૧૯૨૪, સંવત ૧૯૮૧.
*() લેખો પ્રતો લેખી ગ્રંથોનો ગુટકો નં. ૧-રા. હીરાલાલ ત્રિભોવનદાસ પારેખે અમદાવાદ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી તરફથી આપેલો. ટિપ્પણી-આ ગુટકામાં નીચેના ગ્રંથોનો સંગ્રહ છે. ગ્રંથ
કર્તા અખેગીતા ચિત્તવિચાર
૧. ૨.
અખો અખો
નોધ : આ પુસ્તકને વ્યાખ્યાનમાં આધાર તરીકે લેવામાં આવ્યું છે. * આ ચિહ્નવાળાં પુસ્તકો વ્યાખ્યાન સમયે રજૂ હતાં.
For Personal & Private Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
3. સુરતીબાઈનો વિવાહ
ધીરો પદ્યસંગ્રહ (૨૮ પદ્ય)
નરસિંહ મહેતા તિથિઓ ચિંતામણિ
સુંદરદાસજી ચિંતામણિ
પ્રીતમદાસ આરતી
રામાનંદ (?) એક પદ્ય
કબીર પડ્યો
કૃષ્ણજી મહારાજનાં લેખી ગ્રંથોનો ગુટકો (નં. ૨)- રા. હીરાલાલ ત્રિભુવનદાસ પારેખ તરફથી મળેલો.
સંજ્ઞા મા. ટિપ્પણી-આ ગુટકામાં નીચેના ગ્રંથો સમાયા છે. ૧. અખેગીતા
અખો ૨. વિચારમાલ
(આઠ “વિશ્રામવાળી) ૩. પંચીકરણ
અખો ૪. પઘો (૧૮૯)
કૃષ્ણજી મહારાજનાં ૫. વિષ્ણુપદો
(પાછળથી ગુટકામાં દાખલ થયેલાં છે.) લેખી ગ્રંથોનો ચોપડો નં. ૩- ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના હસ્તલિખિત ગ્રંથસંગ્રહમાંથી નં. ૧૪૫૩૫ સંજ્ઞા રૂ. ટિપ્પણી-આ સંગ્રહમાં નીચેના ગ્રંથો છે :૧. પદો (૭૮)
અખાન બ્રહ્મલીલા
અખાની ‘વસ્તુ તો સદોદિત જાણીએ”-પદ (૮૦)
અખાનું આપે ન આવે ત્યાં ઉલ્લાસી-૮૧
અખાનું અખાજીના વાર (૨)
અખ આપે સો ગેબી અવાજ (૮૩)
અખો
ગોપાળ
For Personal & Private Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
અખો અખો અખો અખો અખો અખો અખો
૧ 3.
૧૪.
અખો અખો
9િ. ઝીલતું ઝીલતું સંતસંગત્યરૂપ જાન્હવી (૮૪)
અખાજીના કક્કા (૮૫)
પંચીકરણ ૧૦. અખાજીના મહિના ૧૧. અખાજીના છપ્પા (વિભ્રમ-અંગ માત્ર છે.)
અખાકૃત સાખી ચિત્તવિચાર સંવાદ (મહાવિદ્યા મુક્તિદાયિની)
અખેગીતા ૧૫. ‘ભટ પંડિત નૈવેદી વૈષ્ણવ ગર્વ કરે તે ઘેલા ૧૬. અનુભવીઓ ઘેર લેને પૂરણપદ નિજધામ ૧૭. રામ નિહાળો ને સંશય ટાળો ૧૮. આ ગોકુળ માંહેલી ગોપિકા ભલે સરજી ભગવાન (?).
આ ભાગના અંતમાં સંવત ૧૯૬૯ની ખાનગી નોંધ છે. બીજા ગ્રંથો સમાયેલા (અડધો ભાગમાં) વેદાન્ત વિવેક મુક્ત મંજરી બ્રહ્મજ્ઞાનવિચાર ગોરખ ગણેશની ગઇ પતિત ગ્રંથ જ્ઞાનનદી (ગ્યાનદી) ચંદ્રાણ? કબીરજીની બાવની . અધ્યાત્મવિચાર
કબીર રોહીદાસની ગોષ્ઠ ૧૦. રામાનંદ કબીરજીકો જ્ઞાન તિલક
કબીરજીની રામરક્ષા ૧૨. રામાનંદ કી રામરક્ષા. ૧૩. ગોરખનાથજીની પ્રાણ સાંકળી
૩.
૪ u
6
s
૧૧.
For Personal & Private Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
૧૮. કબીરજીકી રમણી ૧૫.
હરિદાસકૃત ભગવદ્દગીતા ૧૬. હરિરસ ૧૧. અધ્યાત્મરામાયણ
અખાજી કૃત પરજીઓ દુહા-ગુજરાત વ. સો.ની લેખીપ્રત નં. ૩૮૩ સંજ્ઞા. ૩. ટિપ્પણી:-આ દુહા અને સસ્તા સાહિત્યની બીજી આવૃત્તિમાં છપાયેલા સોરઠા એક જ છે. છપાયેલી પ્રતના સોરઠા ઘણા અશુદ્ધ છે; લેખી પ્રતના દુહા શુદ્ધ છે. પ્રસિદ્ધ પ્રતમાં પેન્સીલથી સુધારણા કરવામાં આવી છે. તે પાઠ ભેદ બતાવે છે. આ ચિહ્નવાળું મા. સંજ્ઞાવાળું લખી સાહિત્ય વ્યાખ્યાન સમયે અવલોકન કરવા સારૂ રજુ રાખવામાં આવ્યું હતું.
(૩) નિબંધો અને વિવેચનો :૧. Classical Poets of Gujarat by G. M. Tripathi.
Milestones in Gujarati Litearature Vol. I. (Chapter V. Poets of the 17th Century). Krishnalal M. Javeri. અખો અને તેનું કાવ્ય-નર્મદાશંકર દેવશંકર મહેતાનો નિબંધ. ધી સોશીઅલ એન્ડ લિટરરી એસોસિયેશન તરફથી ઉજવાતી જયંતીઓમાં બીજી જયંતી વખતે વંચાયેલો નિબંધ છે. તા. ૫-૪-૧૯૦૩. સતા સાહિત્યની અખાની વાણી-બીજી આવૃત્તિમાં છપાયો છે. ગુર્જર કવિઓ અને તેમના ગ્રંથો-કવિ અખા ભગતનું વાંચવા જોગ વૃત્તાંત માસિક હિંદીગ્રાફિક, પુસ્તક ૧, અંક ૧૦મો, ઈ. સ. ૧૯૮૭. અખા ભગત અને તેમની કવિતા-અંબાલાલ બુલાખીરામ જાનીનો નિબંધ, દ્વિતીય સાહિત્ય પરિષદમાં વંચાયેલો. અખાનો પરિચય-સ્વામી સ્વયંજયોતિનો લેખ સસ્તા સાહિત્યની “અખાની વાણી
સાથે છપાયેલો. ઈ. સ. ૧૯૧૮, સંવત ૧૯૭૧. 9. સંતોની વાણી-સંગ્રહકાર અને પ્રકાશક ભગવાનજી મહારાજ, કહાનવા બંદર તાલુકા
જંબુસર-ભરૂચ ઈ. સ. ૧૯૨૦, સંવત ૧૯૭૬ .
For Personal & Private Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
પ્રથમ વ્યાખ્યાન (૧) અખાનું જીવન અને પરિસ્થિતિ
અખાનું ફરજીવન
રાજ્ય પરિસ્થિતિ ગુજરાતમાં હિંદુરાજ્યના અસ્ત પછી મુસલમાન રાજયના ઉદય તથા અસ્ત પ્રસંગો ઈ.સ. ૧૪૧૧થી ૧૮૧૮ સુધીમાં ચાર આવી ગયા છે. અને તેના અંગે ગુજરાતની રાજધાની અમદાવાદની ચઢતીપડતીના પણ ચાર સમયો આવ્યા છે. સુલતાન અહમદ પહેલાએ અમદાવાદ નગરની સ્થાપના ઈ.સ. ૧૪૧૧માં કરી. ત્યાંથી તે ઈ.સ.૧૫૧૧ સુધીના શતકમાં અમદાવાદના સ્થાનિક મુસલમાન રાજાઓએ તે શહેરની સારી આબાદી કરી હતી. ત્યાર પછીનાં સાઠ વર્ષ (ઈ.સ.૧૫૧૨થી ૧૫૭૨) સુધીમાં તે નગરની પડતી આવી; અને મોગલ બાદશાહ અકબરે તે નગરમાં તા.૧૮-૧૧-૧૫૭૨માં જીત કરી પ્રવેશ કર્યો. ત્યારપછી મોગલ શહેનશાઈના પ્રાંત તરીકે ગુજરાતની રાજ્યક્રાંતિ થઈ, અને તે રાજ્યતંત્રના સમયમાં (ઈ.સ.૧૫૭થી ૧૭૦૭) મોગલ રાજવંશીઓ સૂબા તરીકે ત્યાં રહેતા મોગલાઈની પડતી ઔરંગજેબના રાજયસમયથી થઈ, અને ત્યારપછી અમદાવાદાની પણ ૧૭૦૭થી ૧૭૧૮ સુધીમાં પડતી થઈ. ત્યાર પછી પાંચમા સમયમાં (૧૮૧૮થી આજસુધી) બ્રિટિશ રાજ્યની છત્રછાયા નીચે અમદાવાદ પુનઃ વ્યાપારધંધામાં ચઢતું થયું.
For Personal & Private Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
મોગલાઈ રાજ્યમાં ગુજરાતી સાહિત્યનું ખેડાણ
ગુજરાતમાં મોગલાઈ રાયની પ્રતિષ્ઠાનાં ૧૩૫ વર્ષ (૧૫૭૨૧૭૦૭) સુધીમાં ગુજરાતી સાહિત્યક્ષેત્રમાં ત્રણ રત્નો પાક્યાં છે. (૧) જ્ઞાની ભક્તરત્ન તે અખો, (૨) કવિરત્ન તે પ્રેમાનંદ (૧૬૩૬-૧૭૩૪), (૩) કથાકારરત્ન તે સામળભટ (૧૬૪૦-૧૭૩૦). સત્તરમા સૈકામાં ગુજરાતમાં મોગલાઈ રાજ્ય સમયમાં પરદેશીઓ અમદાવાદમાં વ્યાપાર અર્થે આવી વસ્યા હતા. ઈ.સ.૧૬૧૩માં મી. ઓલ્ડવર્થ બત્રીસ વેપારીઓ સાથે આવી વસ્યો હતો. જહાંગીર બાદશાહની પરવાનગીથી સર ટોમસ રો ઈ.સ.૧૬૧૭માં આવ્યો હતો. વલંદાઓએ ઈ.સ.૧૬૧૮માં કોઠી નાખી હતી. જહાંગીર બાદશાહે હાલના સ્વામીનારાયણના મંદિરથી ૩૦૦ વાર દૂર ટંકશાળ સ્થાપી. આ પ્રમાણે પરદેશીઓની અવરજવરને લીધે, વેપારધંધાના ઉત્તેજનને લીધે, અને રાજ્યની આબાદીને લીધે અમદાવાદનાં પરાંઓમાં ઘણી વસ્તી જામી હતી. અમદાવાદ શહેરની નજીકના જેતલપુર ગામમાં આપણા જ્ઞાની ભક્ત અખાનો સોનીની નાતમાં જન્મ થયો હતો. અખો પોતાને કવિ સંજ્ઞા આપતો નથી, પરંતુ તેની પ્રસિદ્ધિ ‘અખા ભગત’ તરીકે થઈ છે. પરંતુ તે ખરી રીતે એકલો ‘ભગત’ જ ન હતો પરંતુ એક અનુભવી જ્ઞાની મહાપુરુષ હતો. તેથી આપણે તેને જ્ઞાની ભક્ત એવી વિશિષ્ટ સંજ્ઞા આપીએ છીએ. તેનામાં તત્ત્વજ્ઞાન અને ભક્તિ બેનું સંમિશ્રણ છતાં તેના ચિત્તનો રંગ કેવળ તત્ત્વજ્ઞાનને દર્શાવનાર ધોળો ન હતો. તેમ કેવળ ભક્તિને દર્શાવનાર લાલ ન હતો, પરંતુ તેનો રંગ ‘ભગવો’ અથવા કાષાય હતો.
અખો
અખાના જીવન સંબંધી મળી આવેલી માહિત
જેતલપુરથી તે અમદાવાદ આવી વસ્યો હતો. તેનું રહેવાનું ઘર અમદાવાદમાં ખાડીઆમાં દેસાઈની પોળમાં રા, બા રણછોડલાલ છોટાલાલ અથવા હાલના સર ચિનુભાઈના મકાનની પાસેના કૂવાવાળા ખાંચામાં હતું, અને જે ઓરડામાં તે નિવાસ કરી રહ્યો હતો, તેને અદ્યાપિ ‘અખાનો ઓરડો' કહે છે.
અખાના ક્ષરદેહના વંશજો પૈકી હાલ વિદ્યમાન લલ્લુભાઈ ધોળીદાસ પોતાની પેઢી નીચે પ્રમાણે અખા સાથે જોડી બતાવે છે.
For Personal & Private Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
અખો
રહીઆદાસ
ગંગારામ
અખેરામ (અખો)
ધમાસી
ભૂખણ
અનોપચંદ
મગનલાલ
ધોળીદાસ
લલ્લુભાઈ
આ પેઢીનામું વહીવંચાના ચોપડાનું નથી, પણ મોઢે ઉતરાવેલું છે. અખો બાળપણથી જ સાધુસંતોના સંગનો રસીઓ હતો. તેની સ્ત્રી કંકાસિયા સ્વભાવની હતી.
સમાજનું તે કાળનું સ્વરૂપ તે કાળનો ગુજરાતી સમાજ ભલો, ભોળો હતો. છતાં ગુજરાતીઓની વ્યવહાર જાળવવાની ઝીણવટ સારી હતી. લડવાડ કરી જીતવાને બદલે સમજીને તોડ નિકાલ લાવવાની પદ્ધતિ પસંદ થતી હતી. ઉદાહરણ- “જ્ઞાની વિવેકી ઠેરવ્યા રાય ત્યારે આસુરીનાં થાણાં ઉઠી જાય.
અદલ થયું સવાશેર, વિષ્ટિ કરતાં ચૂક્યું વેર. આનંદ મંગળ ઓચ્છવ થાય, હરિના જન તે હરિ જશ ગાય.”
છપ્પા ૦૭ ૨. સમાજમાં વિનોદને સ્થાન હતું. ચામખેડાના ખેલ, કાષ્ઠપુતળીના ખેલ, નાટક કરનારી ટોળીઓના ખેલ થતા હતા. અને અખો તે વેશ જોઈ
For Personal & Private Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
અખો માર્મિક વચનો બોલતો હતો. (છપ્પા કવિઅંગ ૨૧-૨૩, ફુટકળ અંગ ૭ર૬-૭૨૯: વિશ્વરૂપ અંગ ૧૫૦.)
૩. બાળ લગ્નનો પ્રચાર હતો. ઉદાહરણ :- “ગુરૂ જૈ બેઠો હોંશે કરી, કંઠે પાણ શકે કેમ તરી.
જ્યમ નાર નાનડી હવું પ્રસૂત, વળતી વાપે નહિ અદ્ભુત.' ૪. કવિઓમાં રાગદ્વેષ હાલના જેવા જ હતા. ઉદાહરણ :- “કવિતા થયે ન કાઢ્યું કર્મ, અખા ન સમજે મૂળગો મર્મ,
મહા પુરુષ કહાવે માંઈ બલી, વેષ પહેર્યો પણ ટેવ ન ટળી, સ્તુતિ નિંદા અદેખાઈ આધ, પેરે ખાઈ પણ વાધી વાળ, અખા કૃપાવિના જીવ બુધી, પાક્યું ઈદ્રવારણું ને કટુતા વધી.”
(છપ્પા ર૬૬) અખાના કાળનો નિર્ણય ૧૬૧૫-૧૬૭૫ અખાના જીવનસમયનો નિર્ણય બાહ્ય સાધનો દ્વારા થઈ શકે એમ નથી; પરંતુ તેના ગ્રંથોનાં આંતરસાધનો વડે લગભગ વિશ્વાસપાત્ર રીતિએ થઈ શકે છે. તે પ્રમાણે તેનો સમય ઈ. સ. ૧૬૧૫-૧૬૭૫ના અરસામાં પડે છે.
“અખેગીતા' નામનો તેનો પ્રકરણ ગ્રંથ તેની પ્રૌઢ મતિનું ફલ છે. તે ગ્રંથના અંતમાં તે લખે છે કે :
સંવત સત્તર પચલોતરો, શુક્લ પક્ષ ચૈત્ર માસ
સોમવાર રામનવમી, પૂરણ ગ્રંથ પ્રકાશ.” સંજ્ઞા ટુ વાળી લેખી પ્રતમાં પૃષ્ઠ ૬૩માં સંવત ૧૭૦૫ એવા આંકે બાંધેલા શબ્દો છે. તેથી તથા જે માસ, પક્ષ, તિથિ અને વારનો યોગ આપ્યો છે તે પ્રમાણે સંવત ૧૭૦૫ની સાલ ચોક્કસ થઈ શકે છે. અખાના છપ્પાના છેલ્લા ફુટકળ અંગ’ના આરંભમાં તે ઘણું કરીને પોતાના ઉદેશી લખે
For Personal & Private Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
અખો
તિલક કરતાં ત્રેપન વહાં, જપમાળાનાં નાકાં ગયાં. તિરથ ફરી ફરી થાક્યા ચરણ, તોએ ન પહોંચ્યા હરિને શરણ.”
મારા અનુમાન પ્રમાણે છપ્પામાં તે બ્રહ્માનંદ ગુરુનો સ્પષ્ટ ઉલ્લેખ કરતો નથી, અને “અખેગીતામાં તેમના નામ વડે નિર્દેશ કરે છે. તેથી “અખેગીતા' છપ્પા પછીની જણાય છે. અને તે ત્રણ ચાર વર્ષ પછી લખાઈ હોય તો સંવત ૧૭૦૫ અથવા ઈ. સ. ૧૬૪૯માંથી છપ્પન વર્ષ બાદ કરીએ તો અખાને જન્મ સમય ૧૫૯૩ અથવા લગભગ ૧૬૦૦ આવે. શ્રીકૃષ્ણલાલ ઝવેરી જન્મસમય ઈ. સ. ૧૬ ૧૫ દર્શાવે છે. તે આ કાલનિર્ણય સાથે ઘણે ભાગે બંધબેસતો આવે છે.
તે સંબંધમાં કેટલાક અનુમાનોમાં દોષ. અખાના જીવનસમયના નિર્ણયમાં તેની પ્રાપ્તિઅંગ”ની નીચેની પંક્તિઓનો ઉપયોગ શ્રી અંબાલાલ બુલાખીરામ જાનીએ પોતાના “અખા ભક્ત અને તેની કવિતા”એ નિબંધમાં કર્યો છે, તથા સ્વામી સ્વયંજયોતિએ અખાનો પરિચય”એ નિબંધમાં કર્યો છે :બાવનેથી બુધ્ધ આદી વટી, ભણ્યા ગણ્યાથી રહી ઉલટી”
(““પ્રાપ્તિ અંગ.” ૨૪૨) શ્રી અંબાલાલ જાની લખે છે કે - ““અખા ભગતના જન્મમરણ સંબંધી સાલ વગેરેની માહિતી મળતી નથી” પરંતુ ઉપર જ એક પંક્તિ
બાવનથી'ઇત્યાદિ આપેલી છે. તે જોતાં તથા “ત્યાર પછી ઉઘડી મુજ વાણએ પંક્તિનો સંબંધ તેની સાથે ઘટાવતાં અનુમાન કરી શકાય છે કે કવિએ પોતાના પ્રયાસનો પ્રારંભ બાવન વર્ષની ઉંમરે કર્યો હોય.
અખેગીતા" એ અખા ભગતનો પ્રથમ ગ્રંથ છે. તેમાં ૧૭૦૫ની સાલ આપેલી છે, તો તે ઉપરથી ૧૬૫૩ની સાલમાં અગર તે અરસામાં કવિ જન્મ્યા હોય એમ અનુમાની શકાય. વનમાં પેઠા પછી કવિતા કેમ કરી શક્યા એવી કોઈ ને શંકા થાય તો તેનું નિરાકરણ આ છે કે :
આવાજ ભાવનાં વાક્યો સ્વામીસ્વયંજયોતિ પણ લખે છે.
For Personal & Private Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
અખો
પરંતુ ઉપરના અવતરણ ઉપરથી જે બે અનુમાનો તારવ્યાં છે
૧. અખાએ બાવન વર્ષની ઉંમરે પોતાનો લખવાના પ્રયાસનો પ્રારંભ કર્યો; અને (૨) “અખેગીતા” એ અખા ભગતનો પ્રથમ ગ્રંથ છે-તે મારા નમ્ર અભિપ્રાય પ્રમાણે યોગ્ય નથી. પ્રથમ અનુમાન-‘‘બાવનેથી બુધ્ય આધી વટી ભણ્યા ગણ્યાથી રહી ઉલટી'' એ પંક્તિમાં ‘બાવન’ વડે બાવન વર્ષનો અર્થ જે કરવામાં આવે છે તે જ ભ્રમ છે. અખો ‘બાવન' શબ્દનો જે ઉલ્લેખ કરે છે તે બાવન વર્ષનો નહિ, પરંતુ ગુજરાતી લિપિના પ૨ અક્ષરોને લગતો કરે છે અને આ ઉલ્લેખ તે ઘણાં સ્થળે કરે છે. જુઓ નીચેની પંક્તિઓ, ૧. બાવનથી બુધ્ધ આધી વટી, ભણ્યાગણ્યાથી રહિ ઉલટી'.
,,
(‘‘પ્રાપ્તિઅંગ” ૨૪૨) ૨. ‘બાવન બાહરો રે, હિર નાવે વાણી માંહ્ય” (અખાનું પદ ૧૯મું) ૩. રાજ્ય આશરો અક્ષરનો અખા, જે છે બાવનથી વળી બાર' (અખાનું પદ ૧૩૭મું) ૪. ‘બોલું બાવન માંહ્ય, એ બુધ્ધ વિલાસ બુધ્ધે કર્યો.” (સોરઠા, ૧૧૧) આ બધાં અવતરણોમાં અખો એમ કહેવા માગે છે કે હરિતત્ત્વ અથવા પરમાત્મતત્ત્વ બાવન અક્ષરની શબ્દજાળથી પર છે. અને તે (બાવન અક્ષરથી બ્હાર' એટલે શબ્દ બ્રહ્મથી તે વસ્તુ અથવા પરબ્રહ્મ ચઢીઆતું છે. મનુષ્યનાં જ્ઞાનનાં સાધનો બુદ્ધિ તથા વાણી તે ‘બાવન બ્હાર’ના) તત્ત્વને સ્પર્શ કરી શકતાં નથી માત્ર તેનો આશ્રય લેવામાં આવે છે. જેઓ તે ‘બાવન’ અક્ષરની શબ્દજાળમાં ગુંચાઈ પંડિતો ગણાય છે તેવા ‘ભણ્યાગણ્યાથી’ તે બુદ્ધિ ઊલટી અથવા ઊંધી રહે છે. સારાંશ શબ્દશાસ્ત્રમાં ગૂંચાયેલા આ બાવનજ્હારના તત્ત્વને ઓળખી શકતા નથી.
૬
બીજું અનુમાન કરવામાં આવે છે કે ‘‘અખેગીતા'’તે અખાની પહેલી કૃતિ છે તે પણ અયોગ્ય છે. ‘“અખેગીતા” એ છુટક પદોનો સંગ્રહ નથી. પરંતુ પ્રકરણ ગ્રંથ છે. તેમાં વૈષ્ણવબ્રહ્મસંબંધ કરાવનાર શ્રીગોકુળનાથજીથી સંતોષ નહિ પામેલા અખાએ કાશીનિવાસ કરી રહેલા બહ્માનંદગુરુના સંબંધ
For Personal & Private Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
અખો
૭
થયા પછી પોતાના અધ્યાત્મશાસ્ત્રના વિચારો પ્રકરણ દ્વારા જણાવ્યા છે. તે ગ્રંથના મંગલ વાક્યમાં અખો શ્લેષ છાયા વડે બ્રહ્માનંદ ગુરુનો ઉલ્લેખ કરે છે ઃ
‘‘ચરણ ચિંતવીને સ્તુતિ કરૂં ચિશક્તિ બ્રહ્માનંદની.’’
આ બ્રહ્માનંદ ગુરુનો તેને સંબંધ ઉત્તર અવસ્થામાં થયો છે, પૂર્વાવસ્થામાં નહિ. બ્રહ્માનંદ ગુરુનો ઉલ્લેખ તે વારંવાર ઉત્તરાવસ્થાનાં કેટલાંક પદોમાં કરે છે. ઉદાહરણ તરીકે :
(૧) સદ્ગુરુની સંગત કરીએ, મન ક્રમ વચને તન મન ધરીએ. બ્રહ્માનંદ નિજસુખ અનુસરીએ તો, મોટો મહિમા ગુરુ દેવનોરે. (અખાની વાણી, પૃ. ૨૮૬) (૨) બ્રહ્માનંદ સાગરમાં ઝોલતાં, નવ જાણ્યું તે દિનને રાત. (અખાની વાણી, પૃ. ૨૯૪) (૩) બ્રહ્માનંદ સ્વામી અનુભવ્યો રે, જગ ભાસ્યો છે બ્રહ્માકાર. (અખાની વાણી, પૃ. ૨૯૬)
આ પ્રમાણે બાવન વર્ષે અખાએ પોતાની વાણી પ્રજા સમક્ષ ઉઘાડી, અથવા ‘‘અખેગીતા’’ તે પહેલો જ ગ્રંથ છે- એ અનુમાનો બાજુએ રાખી સંવત ૧૭૦૫માં ‘“અખેગીતા” લખાઈ અને તેની ઉંમરનાં ત્રેપન છપ્પન વર્ષ થયા પછી તે લખાઈ એ અનુમાન સ્વીકારવા યોગ્ય છે. અને તે અન્વયે અખાનો જન્મ સમય સંવત ૧૬૪૯માં આવે એટલે ઈ. સ. ૧૫૯૩ અથવા ૧૬૦૦ના અરસામાં આવે તેમ છે.
અખાના ઉપર આવી પડતો વૈષ્ણવ ગુરુની અણઘટતી નિંદાનો આરોપ ખોટા પાઠની માન્યતાથી બંધાયલો છે અને તે આરોપ સત્ય પાઠથી દૂર થાય છે.
અખાના જીવન સમય ઉપર આડકતરી રીતે પ્રકાશ નાખનારાં વાક્યો પૈકી ‘“ગુરુ કર્યા મેં ગોકુળનાથ'' (પ્રપંચ અંગ, ૧૬૭) એ વાક્ય વિચારવા યોગ્ય છે. આ આરંભના પાદ સાથેના ત્રણ પાદો લોકોક્તિની પરંપરામાં ભ્રષ્ટ થયા છે. અને તેથી કરીને અખાના ઉપર વૈષ્ણવ ધર્મ સંપ્રદાયનો તે
For Personal & Private Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
અખો નિંદક છે એવો આક્ષેપ આવી પડ્યો છે. શ્રી કૃષ્ણલાલ ઝવેરીના
Milestones in Gujarati Literature Vol. 1 પૃ. ૬૧માં આ છપ્પો નીચે પ્રમાણે છપાયો છે :
ગુરુ કીધા મેં ગોકુળનાથ, ઘરડા બળદને ઘાલી નાથ; ધન હરે ધોકો નવ હરે, એ ગુરુ કલ્યાણ શું કરે (પૃ. ૧૬૦)
પ્રોફેસર ગજેન્દ્રશંકર પંડ્યા પોતાના તા. પ-૧ર-ર૬ના “પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વિશિષ્ટ અંગો” એ વિષય ઉપરના ભાષણમાં આ પાઠનો અનુવાદ કરે છે. સસ્તા સાહિત્યની અખાની વાણીમાં આ પાઠને બદલે નીચે પ્રમાણે પાઠ છે :
ગુરુ કર્યા મેં ગોકુળનાથ, ગુરુએ મુજને ઘાલી નાથ;
મન ન મનાવી સદ્ગુરુ થયો, પણ વિચાર નગરાનો રહ્યો.
આ બંને પાઠો કઈ લેખી પ્રત ઉપરથી ઉદ્ધત થયા છે તે જણાતું નથી, પરંતુ મને લાગે છે કે પ્રથમ પાઠ તો લોકોક્તિને અનુસાર ઊતરી આવ્યો હશે, અને બીજો પાઠ કદાચ કોઈ લેખી પ્રતને આધારે હશે, પરંતુ ઈ. સ. ૧૮૫૨ની સાલમાં છપાયેલા અને અમદાવાદની પુસ્તક વૃદ્ધિ કરનાર મંડળ તરફથી પ્રસિદ્ધ થયેલા અખાજીના છપ્પામાં પાઠ નીચે મુજબ છે :
ગુરુ કર્યા મેં ગોકુળનાથ, નગરા મનને ઘાલી નાથ;
મન મનાવી સગુરુ થયો, પણ વિચાર નગુરાનો નગુરો રહ્યો.
આ જૂનામાં જૂનો પાઠ સપ્રમાણ છે અને શુદ્ધ છે. પ્રકરણ વડે સમજાય છે કે લોકરૂઢિને વશ વર્તી તેણે શ્રીગોકુળનાથજીને ગુરુ કર્યા, અને પોતાના નગુરા' એટલે ગુરુ વિનાના અને વગર નાથના બળદ જેવા મનને નાથ ઘાલી તથા મનનું માત્ર સમાધાન કરી સગરા એટલે ગુરુવાળો થયો, પરંતુ તેના વિચાર જે સ્વતંત્ર હતો તે “નગુરો” એટલે ગુરુભાવવાળો ન રહ્યો.
આ ત્રીજો પાઠ જે ખરો છે તેમાં ગોકુળનાથજી ગુરુની પ્રથમ પાઠમાં જે નિંદા છે તે નથી. તેમ બીજા પાઠમાં જે “મન ન મનાવી સદ્દગુરુ થયો એ અર્થહીન પાઠ છે તે ત્યજી દેવાય છે. આ ત્રીજા પાઠથી આપણે બે
For Personal & Private Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
અખો સત્ય મુદ્દા તારવી શકીએ છીએ :
(૧) અખાએ બ્રહ્મસંબંધની વૈષ્ણવી દીક્ષા ગોકુળનાથજીની પાસે લીધી હતી; અને તે પણ ગોકુળમાં કારણ કે આ પંક્તિ પહેલાંની પંક્તિમાં તે લખે છે કે :
“ઘણાં કૃત્ય કર્યા મેં બાહ્ય, તોએ ન ભાગી મનની દાઝ, દર્શનવેશ જોઈ બહુ રહ્યો, પછે ગુરુ કરવાને ગોકુળ ગયો.”
લોકો જયપુરમાં દીક્ષા લીધાનું જણાવે છે તે આ વાક્યથી ખોટું પડે છે. બ્રહ્મદીક્ષા તેણે ગોકુળમાં લીધી જણાય છે.
(૨) આ બ્રહ્મસંબંધની વૈષ્ણવી દીક્ષા તેણે સ્વીકારી પરંતુ તેના વિચારનું સ્વાતંત્ર્ય જેવું ને તેવું જ રહ્યું, અને તે આગલી પંક્તિમાં લખે છે કે :
“વિચાર કહે પામ્યો શું અખા, જન્મ જન્મનો ક્યાં છે સખા, બહુ કાળ હું રોતો રહ્યો, આવી અચાનક હરી પ્રગટ થયો. ત્રણ મહાપુરુષ ને ચોથો આપ, જેનો ન થાયે વેદ ઉથાપ, અને ઉર અંતર લીધો જાણ, ત્યાર પછી ઉઘડી મુજ વાણ. પરાત્પર બ્રહ્મ પરગટ થયા, ગુમ દોષો તે દિનના ગયા, અય્યત આવ્યાનું એ એંધાણ, ચવ્યું ન ચાવે એ અખો અજાણ.
જે નરને આત્મા ગુરુ થશે, કહ્યું અખાનું તે પ્રીછશે.” આ પ્રમાણે પોતાના અંતર્યામી આત્મદેવને અશ્રુત ભગવાન રૂપે ઓળખી તે ગુણદોષો વિનાનો થઈ તૃપ્ત થયો.
ઉપરની પંક્તિઓમાં “ગોકુળનાથ” અને “ત્રણ મહાપુરુષ” એ વૈષ્ણવ સંપ્રદાયની ઐતિહાસિક વ્યક્તિઓ છે.
શ્રીમદ્ વલ્લભાચાર્ય – શુદ્ધાદ્વૈત સંપ્રદાયના આચાર્યશ્રીને વૈષ્ણવો (ઈ. સં. ૧૪૭૯-૧૫૩૧) “મહાપ્રભુજી'' નામથી વ્યવહરે છે. તેમના વડીલ પુત્ર ગોપીનાથજીનો દેહ વહેલો પડી ગયો હતો, અને બીજા પુત્ર શ્રી વિઠ્ઠલનાથજીને સાત પુત્રો હતા. શ્રી વિઠ્ઠલનાથજીનો દેહ ઈ. સ. ૧૫૮૬માં પડ્યો હતો. અકબર બાદશાહે (ઈ. સ. ૧૫૫૫-૧૬૦૫) શ્રી વિઠ્ઠલેશ્વરને
For Personal & Private Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
અખો
૧૦ ગોકુળ તથા જતીપુરા ગામો સનંદથી ઇનામમાં આપ્યાં હતાં. અને વિઠ્ઠલનાથજીને વિપ્ર અથવા દીક્ષિત સંજ્ઞા હતી તેમને ગાયો ચરાવવાની ગોચરની છૂટ મોગલાઈથી મળ્યા પછી શ્રીવિઠ્ઠલનાથજીને સ્વામી અથવા શ્રીગુંસાઈજી સંજ્ઞા મળી હતી. આ શ્રીવિઠ્ઠલનાથજી તે વૈષ્ણવ સંપ્રદાયના બીજા મહાપુરુષ ગણાય છે. તેમને સાત પુત્રો હતા, તેમાં શ્રીગોકુલનાથજી ચોથા લાલજી ગણાય છે. તેમને શ્રીગોકુલેશની સેવા મળી હતી. એમને ત્રીજા મહાપુરુષ કહે છે. આ શ્રીગોકુળનાથજીનો સમય શ્રી વિઠ્ઠલનાથજી પછીનો આવે અને શ્રીવિઠ્ઠલનાથજી ઈ.સ.૧૫૮૬માં વિરમ્યા હતા. એટલે નિદાન પચાસ વર્ષ પછી એટલે ઈ.સ. ૧૬૩૬ના અરસામાં શ્રીગોકુલનાથજી પ્રૌઢ ઉંમરના હોઈ અખાને બ્રહ્મસંબંધ આપી શકે તેવા હોઈ શકે. ટૂંકામાં શ્રીગોકુળનાથજી-જે વૈષ્ણવ સંપ્રદાયના ત્રીજા મહાપુરુષ-તેમણે અખાને બ્રહ્મસંબંધ કરાવ્યો જણાય છે; અને ત્રણ મહાપુરુષ, (વલ્લભાચાર્ય-મહા પ્રભુજી, વિઠ્ઠલનાથજી-શ્રીગુસાંઈજી, અને ગોકુળનાથ) ઉપરાંત પોતાના અંતર્યામી આત્મગુરુને અખાએ પોતાના ઉદ્ધારમાં નિમિત્ત માન્યા છે.
શ્રીગોકુળનાથજીનો આ સંબંધ પણ અખાના સમયને ૧૬૧૫-૧૬૭૫ને આડકતરી રીતે ટેકો આપે છે. મને લાગે છે કે અખાએ પૂર્વાવસ્થામાં શ્રીગુંસાઈજીનો વૈભવ પણ પ્રત્યક્ષ જોયો જણાય છે. એમ તેની સંતપ્રિયાના ૫૦ તથા ૧૯મા આંકની કડીઓથી સ્પષ્ટ સમજાય છે.
માયા કે રંગ દેખી ક્યું મનોહર, માનત હે જગદીશ ગુંસાંઈ સીખી સુની ગલ મારે ગુસાંઈ, ક્યું જોગ પવન કુંભ ખાલી સો ગાજે.”
અખો કવિ પ્રેમાનંદનો સમકાલીન હોઈ શકવા સંભવ છે. અખાના જીવન સમય ઉપર આડકતરી રીતે પ્રકાશ નાખનારું બીજું સાધન તેના શ્લેષ છાયાવાળા છપ્પા છે. જેમાં તે પ્રમાનંદનો ઉલ્લેખ કરતો હોય એમ મને જણાય છે. છપ્પાના ફુટકળ અંગમાં નીચેના છપ્પા આવે છે -
“તૃણ તરુવરને અગ્નિનો ભય, આકાશ દાક્યું તે કોઈ નવ કહેય. એમ અલ્પ આનંદ સદા સખપાય, અખા પ્રેમાનંદનો પ્રલય ન થાય. પ્રેમાનંદની ભકિત આકરી, વસમી વાટ મહા ખરેખરી ૭૨૬
For Personal & Private Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
અખો
૧૧ કામરહિત તે કામનો વેશ, તેનો જ્ઞાની પંડિતને ન લાધે દેશ. પ્રેમાનંદી જ્યાં માય ને વાય, અલ્પાબંદીને અટપટું જણાય. ૭૨૭ અલ્પાનંદી પોતાને પ્રેમાનંદી ભણે, જેમ વાંઝણી પુત્ર ખોળામાં ગણે વાંઝણી પુત્ર શોભા અભિમાન, પણ ઉદરમાં નથી ઉપર્યું ગણે સંતાન એમ અલ્પાનંદી પોતાને ગણે ભલ, અખા પ્રેમાનંદ નથી ઉપન્યો પલ ૭૨૮ એમ ગાય વજાડે ગુણીજન ઘણા, રગે રૂપાળા નહિ કંઈ મણા કંઠે સૂર તાળીને તાન, ગમે ગંધર્વને પાતરનું ગાન. પણ અખા એતો કસબણ કહેવાય, પતિવ્રતા પૂર્વે તેમ ગાય. ૭૨૯”
કવિ પ્રેમાનંદનો જીવનકાળ સંવત ૧૬૯૨-૧૭૯૦ (ઈ. સ. ૧૬૩૬૧૭૩૪)નો લગભગ નિર્ણત થયો છે. તેની પહેલી કૃતિ “સ્વર્ગ નિસરણી” અને બીજું કાવ્ય ““લક્ષ્મણાહરણ છે. આ બીજું કાવ્ય રચ્યા સાલ ૧૭૨૦ની છે. (જુઓ પૃ. ૨૩, ““પ્રેમાનંદ', સયાજી સાહિત્યમાળા.) આ ઉપરથી તેની પહેલી કૃતિ કદાચ સંવત ૧૭૧૫ના અરસામાં થઈ હોય તો સંભવિત છે. તે પહેલાં કવિ પ્રેમાનંદે ભાણભટીઆ ટોળી સ્થાપી હતી. તેની ટોળીમાં લગભગ ૧૦૦ માણસો હતાં, તેમાં બાવન મુખ્ય હતા. કવિ વલ્લભ કહે છે :
છે નવદાસ અને ભાઈ ચારજ, રત્નભલાં દ્રય શિષ્ય કહાવે. છે ભવરાશ, અને બાઈ રબારજ, રત્ન મળ્યાં કઈ વિશ્વ વહાવે. છે વીર પંચજ જી ગણીએ ત્રય, નંદ ચતુરનું નામ સુહાવે. છે "વીર વલ્લભ શે ગણીએ ગણ, એકજ પ્રેમનું નામ કહાવે.
ઉપર પ્રમાણે પરની ટોળી હતી. આ ટોળી પોતાને “પ્રેમાનંદી” ગણી ગુજરાતમાં ફરતી હતી. કવિ પ્રેમાનંદના નામથી તેઓ વેશ ભજવતા હતા. અને ભક્તિની હિમાયત અને મહિમા પ્રજામાં વધારતા હતા. આ વેશધારી ટોળી જોઈ કવિ પ્રેમાનંદની સાચી સાચી ‘‘આકરી ભક્તિ” વિનાના આ “અલ્પાનંદી” અનુયાયીઓ પોતાને ““પ્રેમાનંદ” પ્રકટ્યો છે એમ માની લે છે. જેમ વાંઝણી પુત્ર પોતાના ખોળામાં ગણે તેમ તેઓ પ્રેમાનંદ ખોળામાં છે એમ ગણે છે. અને આ ટોળી વેશધારી ગંધર્વ અને પાતરો જેવા છે, એવો કટાક્ષ ઉપરના અખાના છપ્પામાં શ્લેષ છાયા વડે તરવરે છે. આ છપ્પામાં
For Personal & Private Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
૧૨
અખો કવિ પ્રેમાનંદ પ્રતિ અખાની માનવૃત્તિ જણાય છે. પણ ટોળીના માણસો પ્રતિ ઉપહાસવૃત્તિ જણાય છે.
સંવત ૧૭૦૫માં અખાએ “અખેગીતા” પૂરી કરી અને તે તેની પ્રૌઢ વયની કૃતિ છે. તો તેનો જન્મ સમય લગભગ ૫૩ વર્ષ બાદ કરતાં નિદાન સંવત ૧૬૫રના અરસામાં આવે એવું આપણે ઉપર કહી ગયા છીએ. પ્રેમાનંદની ટોળી સંવત ૧૭૧૦ સુધીમાં અખાએ ફરતી જોઈ હોય તો તે સમયે અખાની ઉંમર નિદાન ૧૮ વર્ષની હોઈ શકે, અને કવિ પ્રેમાનંદ તે સમયે ઊછરતી કીર્તિવાળા યુવાન હોઈ શકે. - કવિ કાલિદાસની મેઘદૂતની દિનાનાં પથ વિચરતાં ક્ષિપ્ત દસ્તાવેજો પાન – એ પંક્તિ ઉપર ટીકાકાર મલ્લિનાથ બૌદ્ધ દિનાગાચાર્યનો કવિ કાલિદાસ ઉલ્લેખ કરે છે, એવું શ્લેષ છાયા વડે જણાવે છે. તેવી આ મારી કલ્પના પ્રથમ દર્શને જણાશે. પરંતુ ઐતિહાસિક સત્ય બીજ પ્રમાણોથી સાબિત થઈ શકે તો તે નિરાલંબ કલ્પના નથી એમ સહજ સમજાશે.
આ સંભાવના સંબંધમાં મારે કહેવું જોઈએ કે અખાના છપ્પાની જૂનામાં જૂની લેખીપ્રત મને મળી શકી નથી. ઈ. સ. ૧૮૫૨ની સાલમાં અમદાવાદની પુસ્તક વૃદ્ધિ કરનાર મંડળી તરફથી પ્રસિદ્ધ થયેલા છપ્પામાં ફુટકળઅંગ સસ્તા સાહિત્યની પ્રતમાં ૬૬રમો છપ્પો છે ત્યાં સુધી આવી અટકે છે. અને ઉપરના છપ્પા ત્યાર પછીના જણાય છે. પ્રક્ષિપ્ત ભાગ હોય તો ઉપરનું અનુમાન નિરાધાર સમજાય.
અખાના સંસારી જીવનના પરિવર્તનનાં નિમિત્તો અખાના સંસારી જીવનનું પરિવર્તન કરનારા બે પ્રસંગો થયા હતા :
(૧) જહાંગીર બાદશાહે સ્થાપેલી ટંકશાળમાં તે કામ કરતો હતો, તેના ઉપર ચોખી ચાંદીમાં હલકી ધાતુ મેળવવાનો આરોપ આવ્યો હતો, તેમાં તે નિર્દોષ ઠર્યો હતો, અને તે કાચા બંધનમાંથી છૂટ્યો હતો. આ પ્રસંગથી તેનું મન વિરક્ત થયું હતું.
(૨) બીજો પ્રસંગ પડોશમાં ધર્મની બહેન તરીકે માનેલી એક બાઈને
For Personal & Private Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
અખો
૧૩ તેણે કંઠી સોનાની ઘડી આપી. મૂળ સોનું રૂ. ૩૦૦)નું હશે. તેણે પોતાના પદરનું રૂ. ૧૦૦)ના આશરાનું સોનું ઉમેરી કંઠી રૂ. ૪૦૦)ની કિંમતની કરી આપી, સોની સગી બહેનનું પણ ન છોડે. એવી માન્યતાને વશ થઈ તે બાઈને અણવિશ્વાસ આવવાથી, ભેળસેળથી વજન વધારી આપ્યું હશે એમ સમજી કંઠી તોડી સોનાનો કસ કઢાવ્યો, અને તેની ખાત્રી થઈ કે તેનો દાગીનો રૂ. 300) ઉપરાંતની કિંમતનો છે. તે કંઠી ફરીથી સંધાવવા અખા પાસે આવી, અને કંઠી શી રીતે તૂટી તે બાબતની ચોકશી કરતાં તે બાઈએ સાચી હકીકત કહી દીધી. આ પ્રસંગથી પણ તેનું મન સંસારથી ઘણું ખાટું થઈ ગયું.
આ બે વિરાગના પ્રસંગોની ઊંડી અસરને લીધે તે તે જમાનાના સાધુઓના ફરતા ઝુંડમાં તીર્થયાત્રાએ નીકળી પડ્યો. તે જમાનામાં હિંદુસ્તાનમાં સાધુસંતોનાં ઝુંડો ભજનકીર્તન કરતાં તીર્થયાત્રાએ ફરવાવાળાં બહુ હતાં. તીર્થયાત્રાના ઉદ્દેશનો પ્રસિદ્ધ શ્લોક તેણે પોતાના જીવનના ધ્યેયમાં ઉતાર્યો જણાય છે.
मार्गे मार्गे निर्मलं साधुवृंदम् - વૃંદે વૃકે તત્ત્વચિંતાનુવઃ |
वादे वादे जायते तत्त्वबोधः बोधे बोधे सच्चिदानंदभासः ॥
પ્રાચીન ભાગવત સંપ્રદાય અને શ્રીમદ્ વલ્લભાચાર્યના શુદ્ધાદ્વૈત સંપ્રદાયમાં ભેદ આ પ્રવાસમાં તે સમયમાં નિદાન સો વર્ષથી સ્થપાયેલા શ્રી વલ્લભાચાર્યજીના શુદ્ધાદૈત મતનો સામાન્ય જનોમાં સારો પ્રવેશ થઈ ચૂક્યો હતો. તે ભક્તિસંપ્રદાય જૂના પાંચરાત્ર સિદ્ધાન્તના ભાગવત સંપ્રદાય કરતાં જુદા પ્રકારનો હતો. પાશુપત સંપ્રદાયનો પશ્ચિમમાં સર્વાશ લોપ થઈ ગયો હતો. મુસલમાની રાજયમાં હિંદુઓના શુદ્ધ આચાર ધર્મને, તથા મૂર્તિપૂજા અને આચાર્યના શરીરમાં શ્રી કૃષ્ણના સર્વભાવોના સ્થાપનપૂર્વક ભક્તિ
For Personal & Private Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
૧૪
અખો
કરવાની પ્રથાની સારી રીતે સ્થાપના થઈ ગઈ હતી. તેમાં પણ પાર્થસારથિ શ્રીકૃષ્ણની પૌરુષ ભાવનાને બદલે ગોપીવલ્લભ શ્રીકૃષ્ણની લલિત ભાવના પ્રવેશ પામી હતી.
લોક સમાજ વૈષ્ણવોના ભક્તિપ્રધાન ધર્મમાં રચી પચી રહ્યો હતો; અને સ્માર્તોનો જ્ઞાનપ્રધાન ધર્મ સંકુચિત થયો હતો.
જૂનો શાંકરવેદાન્તનો સ્માર્ત સંપ્રદાય જેમાં ભક્તિ ગૌણ અને જ્ઞાન મુખ્ય તેનો પ્રચાર માત્ર વિદ્વાન શિષ્ટ સંન્યાસીઓમાં અથવા અવધૂત યોગીઓમાં હતો. પરંતુ જમાનાનો વેગ વિચારને બદલે આચારમાં વધારે વળ્યો હતો. મુસલમાનોનો જેટલો મૂર્તિનો વિધ્વંસક વેગ પાછલાં પાછલાં પાંચ છ સૈકામાં થયો તેના પ્રત્યાઘાત તરીકે નવાં મંદિરોમાં, અને આચાર્યાદિનાં શરીરોમાં મૂર્તિપૂજાનો આગ્રહ હિંદુ પ્રજામાં તેટલો જ ઘર ઘાલી બેઠો હતો. તેથી અમૂર્ત બ્રહ્મના તાત્ત્વિક વિચાર કરનાર સાધુસંન્યાસીઓ ઘણે ભાગે તીર્થયાત્રાનાં સ્થળોમાં અને કાશી આદિ પ્રાચીન વિદ્યાનાં પ્રતિષ્ઠિત પામેલાં સ્થાનોમાં રહેતા હતા. આ આચારને ગૌણ માનનાર અને વિચારને પ્રાધાન્ય આપનાર સંન્યાસીઓ વેદાન્તશાસ્ત્રના ગ્રંથોનું શ્રવણ કરાવવાનો નિયમ પાળતા હતા. શ્રોતાવર્ગ શ્રવણનો લાભ લે છે કે કેમ તે બાબતનો નિર્ણય કરવાની ગરજ ભાગ્યેજ સંન્યાસીઓ રાખતા. કોઈ વિલક્ષણ તત્ત્વજ્ઞાનના રસિક અને વિવેકવૈરાગ્યાદિ સાધનવાળા આ શ્રવણના નિયમિત સેવન વડે મૂલ સંસ્કૃત ભાષાના ગ્રંથોનાં રહસ્યો લોકભાષામાં સમજી લેતા. આવો પ્રસંગ અખાને મણિકર્ણિકાના ઘાટ ઉપર એક નાના મઠમાં થોડા શ્રોતાઓને અત્યંત નિઃસ્પૃહતાથી શ્રવણ કરાવતા બ્રહ્માનંદ સ્વામીથી અપાતા શ્રવણનો લાભ મળ્યો.
બ્રહ્માનંદ સ્વામીનો સંબંધ-અખાની શ્રવણનિષ્ઠા
જાતે સોની હોવાથી મઠની દીવાલ બહાર કથાશ્રવણ નિયમિત બાર માસ પર્યંત તેણે કર્યું. એક પ્રસંગે નાનું શ્રોતામંડળ ઝોકાં ખાતું હતું. ત્યારે શ્રવણમાં હોંકારો ભણનાર માત્ર અખો જ જણાયો. તેણે શ્રવણના મુદ્દાઓનો અનુવાદ કર્યો. અને ગુરુએ તેના ઉપર અનુગ્રહ કર્યો. આ બ્રહ્માનંદની
For Personal & Private Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
અખો
૧૫ જ્ઞાનદીક્ષા લીધા પછી અખાની રહેણી-કરણી બદલાઈ ગયાં, અને તેનામાં વિદ્યાનું નવચેતન આવ્યું. આ હૃદયપલટાનો ઉલ્લેખ અખો નીચેના પદમાં કરે છે :“આનંદ વાધ્યોને રંગ ઉલટયો રે, પ્રકટ્યા છે કંઈ પૂરણ બ્રહ્મરે
- સદ્દગુરુને ચરણે આવતાં રે, તિમિર હતાં તે મારાં ટળી ગયાં રે, ઉદીઓ છે કંઈ જ્ઞાન કેરો, ભાણ રે, અખંડ સ્વરૂપે હરિને ઓળખ્યા રે, સરીઆં મારાં સઘળાં, કામને કાજ રે. જે રે માગ્યું તે ગુરુએ આપીયું રે, પૂરી મારા મનડાની આશરે. અખાની ઉપર દયા ઉપની રે, રાખ્યાં હરિએ ચરણની પાસ રે.” આ ગુરુઅનુગ્રહ પછી અખો કહે છે કે :
અખે ઉર અંતર લીધો જાણ, ત્યારપછી ઉઘડી મુજ વાણ”. શુદ્ધ બ્રહ્માત્મજ્ઞાનની ““સુઝ” અથવા સમજણ ઊઘડ્યા પછી તેણે પોતાના સંસારી લૌકિક અનુભવના બળે, ભાષાનું તેનું જ્ઞાન અત્યંત મર્યાદિત છતાં તેના ભીતરના વિચારોને તેણે બળવાન વેગથી માર્મિક વાણીમાં પ્રકટ કર્યા છે. તેની વાણીમાં અલંકારશાસ્ત્રની શોભા નથી, પરંતુ અર્થચેતન્ય ઘણું વેગવાળું છે.
અખાના ભૌતિક ફરજીવન સંબંધમાં આથી વિશેષ માહિતી આપણને મળી શકી નથી.
બ્રહ્માનંદસ્વામી અને તેના બ્રાહ્મણેતર ચાર શિષ્યો બ્રહ્માનંદ ગુરુ સંબંધમાં વિશેષ માહિતી મળી શકતી નથી. સંન્યાસીઓમાં એક નામવાળી ઘણી વ્યક્તિઓ સમકાળે પણ હોય છે. તેથી ગૌડબ્રહ્માનંદીના કર્તા બ્રહ્માનંદ અને અખાના ગુરુ બ્રહ્માનંદ એક જ છે કે ભિન્ન વ્યક્તિ તેનો નિર્ણય થઈ શકે તેમ નથી, કારણ કે શ્રીમધુસૂદનસરસ્વતી (ઈ.સ. ૧૬૦૦)ના ગ્રંથ ઉપર બ્રહ્માનંદે ટીકા લખી છે. અને તે અખાના જીવન કાળમાં હોઈ પણ શકે.
For Personal & Private Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
અખો
૧૬
અખાના ગુરુ બ્રહ્માનંદ સ્વામી ઘણે ભાગે પંડિતોના ગુરુ થવા કરતાં ભોળા અને શુદ્ધ હૃદયના બ્રાહ્મણ જાતિમાં નહિ જન્મેલા અધિકારીજનોને બ્રહ્મવિદ્યાનો ઉપદેશ આપી કૃતાર્થ કરનારા હતા. આ બ્રહ્માનંદને આવા ચાર શિષ્યો હતા :
બ્રહ્માનંદજી
બુટાજી ગોપાળ
અખાજી
નરહરદાસજી ““સંતોની વાણીના સંગ્રહકાર અને પ્રકાશક ભગવાનજી મહારાજ જેમના અખાજી સાતમી પેઢીના ગુરુ થાય, તેઓ એક સાખી સંતોમાં પ્રચલિત જણાવે છે કે :
“અખાએ કર્યો ડખો, ગોપાળે કરી પૅસ,
બૂટે કર્યો કૂટો, નરહરને કહે શીરાવા બેસ” ગોપાળદાસ નામના એક કવિએ ગોપાળગીતા લખી છે. આ કવિ મૂળ સુરતનો વતની હતો, અને તેણે ઈ.સ. ૧૯૫૦માં અમદાવાદમાં ““ગોપાળગીતા' લખ્યાનો ઉલ્લેખ મળી આવે છે. આ કવિ કદાચ આ સાખીમાં જણાવેલો ગોપાળ હોઈ શકે. તેવી જ રીતે બૂટીઆ ભગતનાં પદો પણ છૂટક મળી આવે છે. નરહરિદાસ સંબંધી ચોક્કસ માહિતી નથી, પરંતુ એક નરહરિદાસે સંવત ૧૬૭૭ અથવા ઈ.સ. ૧૯૨૧માં ગુજરાતીમાં એક ભગવદ્ ગીતાનું પદ્યમાં સુંદર ભાષાન્તર કર્યું છે. આ નરહરિ ગ્રંથની અવધિએ :
“શ્રી ગુરુ બ્રહ્મ ચૈતન્ય પ્રસાદ, ગાયો નરહરિએ સંવાદ”એ પ્રકારે ગુરુ અને બ્રહ્મનો અભેદભાવે ઉલ્લેખ કરે છે. તે બ્રહ્માનંદ ગુરુના શિષ્ય હોઈ શકે. પરંતુ બ્રહ્માનંદ એવો સ્પષ્ટ નામનિર્દેશ જણાતો નથી. તેથી ચોક્કસ અનુમાન નીકળી શકતું નથી. નરહરિદાસને નામે ““નરહરિગીતા” ઉપરાંત
વસિષ્ઠસાર” (. ૧૬૭૪) “ભક્તમંજરી” અને “ઉદ્ધવગોપીસંવાદ” નામના ગ્રંથો ચાલે છે. વડોદરા રાજ્યમાં તેની લેખી પ્રતો છે. એમ મને સમાચાર મળ્યા છે.
For Personal & Private Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
અખો
૧૭ અખાજીના ભક્તોની સંપ્રદાયપરંપરા ચાલતી જણાય છે. બ્રહ્માનંદ‘અખો- લાલદાસ- હરિકૃષ્ણ- ૫જીતામુનિનારાયણ- કલ્યાણદાસસ્વામીપૂર્ણાનંદ- ‘દયાનંદ- ભગવાનજી મહારાજ.
જુઓ : “સંતોની વાણી” અક્ષયેવૃક્ષ તા. ૧૨-૧૦-૨૦ ભગવાનજી મહારાજ જણાવે છે કે અખાજીની જેટલી વાણી પ્રસિદ્ધ થઈ છે તેટલીજ બીજી અપ્રસિદ્ધ વાણી તેમના કહાનવા બંગલાના ભજનભંડારમાં છે. આ અપ્રસિદ્ધ વાણીનું સૂચિપત્ર પણ જો પ્રસિદ્ધ કરવામાં આવે તો પણ અખાના સાહિત્ય ઉપર ઘણો સારો પ્રકાશ પડે.
અખાના ક્ષરદેહના પ્રસંગો જેટલા મળ્યા તેનો વિચાર કર્યા પછી તેના ક્ષરાક્ષરદેહનાં એટલે માનસ દેહનાં કાર્યો પ્રતિ આપણે નજર નાખીએ.
૨ – અખાનું ક્ષરાક્ષરજીવન –
તેની કૃતિઓ અખાની કૃતિઓ (૧) હિંદી ભાષામાં અને (૨) ગુજરાતી ભાષામાં રચાયેલી છે. તે જમાનામાં હિંદી ભાષાનો મહિમા વધારે હોવાથી અખાએ પ્રથમ પ્રયત્ન તે ભાષામાં કર્યો જણાય છે. હિંદી ભાષાની તેની કૃતિઓ(૧) “સંતપ્રિયા', અને (૨) “બ્રહ્મલીલા'. ગુજરાતી ભાષાના ગ્રંથો નીચે પ્રમાણે ઉપલબ્ધ થયા છે :
૧. પંચીકરણ ૨. ચિત્તવિચારસંવાદ '૩. ગુરુશિષ્યસંવાદ ૪. અનુભવબિંદુ ૫. અખેગીતા ૧૬. કૈવલ્યગીતા ૬, છપ્પા ૮. છુટક પદો ૯. સોરઠા અથવા દુહા અથવા પરજીઆ
For Personal & Private Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
૧૮
શ્રી કૃષ્ણલાલ ઝવેરી ‘‘પરમપદપ્રાપ્તિ’’ અને ‘‘પંચદશીતાત્પર્ય’' અખાની કૃતિઓમાં ગણાવે છે, પરંતુ તે ગ્રંથો મારા જોવામાં અદ્યાપિ આવ્યા નથી.
વેદાન્તશાસ્ત્રના પ્રકરણગ્રંથોમાં ‘પ્રકરણ’ શબ્દ એ પારિભાષિક છે તેની વ્યાખ્યા નીચે મુજબ છે.
शास्त्रैकदेशसंबद्धं शास्त्रकार्यान्तरे स्थितम् । आहुः प्रकरणं नाम शास्त्रवेदविपश्चितः ॥
અખો
શાસ્ત્રના કોઈ એક દેશ સાથે સંબંધ ધરાવતો, તથા શાસ્ત્રના અમુક પ્રયોજનને સિદ્ધ કરવામાં રોકાએલો જે નાનો ગ્રંથ તેને શાસ્ત્ર તથા વેદને જાણનારા પ્રાણ કહે છે. અખો પોતેજ ‘‘સંતપ્રિયા’ને પ્રકરણ સંજ્ઞા સ્પષ્ટ આપે છે ઃ
“સર્વાંગી પ્રકરણ કહ્યો, કવિત ચોરાશી ચોજ, વીસ કહ્યા મધ્ય દોહરા, કોઈ શાંની દેખી ખોજ.'
અખાના છપ્પા, પદો, સોરઠા વગેરે પ્રકરણરૂપ ગ્રંથ નથી, પરંતુ એક એક ભાવને પ્રકટ કરનારાં નાનાં કાવ્યો છે. અખાએ વેદાન્તશાસ્ત્રનું બ્રહ્માનંદ ગુરુ પાસે જે શ્રવણ કર્યું તેનું તેણે પાકું મનન કર્યું જણાય છે. અને તેના પરિણામમાં જે નિદિધ્યાસન તેનું અનુભવરૂપ ફળ તેણે પોતાની વાણીમાં પ્રકટ કરવા ભારે પ્રયત્ન કર્યો છે.
(સંતપ્રિયા ૧૦૬)
હિંદી કૃતિઓ ૧. સંતપ્રિયા
મને લાગે છે કે આ પ્રકરણગ્રંથ અખાનો મધ્યમાવસ્થાનો જણાય છે. તેમાં તે પોતાને ‘‘સોનારા’' શબ્દથી વર્ણવે છે. આ પ્રકરણનું એક અંગ જ સસ્તા સાહિત્યની અખાની વાણીમાં પ્રસિદ્ધ થયું હોય એમ જણાય છે. તેનું મૂળ પ્રકરણ ‘‘સર્વાંગી’’ છે. મને લાગે છે કે તેના મૂલ ગ્રંથના ચાર અંગો હોવાં જોઈએ. પહેલું અંગ જે પ્રસિદ્ધ થયું છે તેમાં પરબ્રહ્મ જે પરોક્ષ છે તે
For Personal & Private Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
અખો
૧૯ સંત અનુભવી પુરુષમાં અપરોક્ષ છે- એ પ્રતિપાદ્ય વિષય જણાય છે. બીજા ત્રણ અંગોમાં તે (૧) પરબ્રહ્મપીઠનું સ્વરૂપ, (૨) તે વસ્તુ અને વિશ્વનો ભેદ; અને (૩) વસ્તુતત્ત્વ એટલે બ્રહ્મરૂપી-અરૂપી થઈ રમે છે - એ પ્રતિપાદન કરે છે. આ ચાર અંગો મૂલ ગ્રંથનાં છે. એમ તેના છેલ્લા દોહરાથી સમજાય છે :
“અબ કહુ પરબ્રહ્મપીઠના, વસ્તુ વિશ્વકો ભેદ
રૂપ-અરૂપી વહી રમે, જે જગત દુર્લભ દેવ.” જે પ્રકરણગ્રંથનું પ્રથમ અંગ “સંતપ્રિયા” નામથી પ્રકટ થયું છે તેમાં પરબ્રહ્મ જે સામાન્ય દષ્ટથી પરોક્ષ છે તે સંતશરીરમાં ગુરુકળથી અપરોક્ષ થાય છે- એ શાસ્ત્ર એક દેશના સિદ્ધાન્તને વર્ણવવા તેણે પ્રયત્ન કર્યો છે. સંતશરીરમાં પરબ્રહ્મ શી રીતે પ્રત્યક્ષ થાય છે તેની પ્રણાલિકા તેણે નીચે પ્રમાણે ગોઠવી જણાય છે. પ્રથમ તો સદ્ગુરુ ચરણનું શરણ અધિકારી અને કરવું જ જોઈએ. આ સંબંધમાં તે કહે છે કે :
“સદગુરુ ચરન શરન રહે બિન, ભવ ભવ સારો સો બહોત વિરાસે, સદ્ગુરુ ચરન શરન ગ્રહે બિન, દાની કરન સંસે પરે સાંસ, સદ્ગુરુ ચરન શરન સોનારા, ર્વે હરિરૂપ કરે મન આસે”.
આ સદ્ગુરુ શરણરૂપ પ્રથમ સાધન જે સાધી શકે છે તેને ગુરુ દ્વારા હરિભજનનું બીજાં સાધન મળે છે. અખો કહે છે કે :
, “મનસા વાચા કરમના હરિ ન ભજ્યો પ્રિય જાન.
અનંત વિષય રસમેં પચ્યો, પુની ગયો પસારે પાન” 'જે મન વાણી એ કર્મ વડે હરિને પોતાના પ્રિય આત્મારૂપે જાણી જેણે ભયો નહિ, પરંતુ અનેક પ્રકારના વિષયરસમાં રચી પચી રહ્યો તે મરતી વખતે હાથ પસારી જીવનનું ધ્યેય સાધ્યા વિના ચાલ્યો જાય છે. હરિને આત્મારૂપે ઓળખી ભજવામાં ગુરુનો અનુગ્રહ જરૂરનો છે. અખો કહે છે કે રામચંદ્ર જો કે વિષ્ણુના અવતાર હતા તો પણ પોતાના સ્વરૂપને ઓળખવામાં વસિષ્ઠ ગુરુનો તેમને આશ્રય લેવો પડ્યો હતો. તો કર્મબંધનને
For Personal & Private Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
અખો
૨૦ વશ વર્તનારા જીવનનો ગુરુઅનુગ્રહ વિના ઉદ્ધાર શી રીતે થાય -
“અશ્રુત ગોત્ર જન રામકા, હંસ બરન હરિરૂપ
ગુરુ ગોવિંદ જબરી મિલ્યા, તબ હી ભયા તરૂપ” અખાના અભિપ્રાય પ્રમાણે સદ્ગુરુચરણશરણ અને હરિભજન એ બે સાધન સાધનારને ઉત્પત્તિમાં ઊંચા વર્ણમાં જન્મ હોવો જ જોઈએ એવો નિયમ નથી. આ બે સાધન જો સધાય તો હરજિનને જ્ઞાનવડે હરિરૂપ બનવામાં જાતિનો પ્રતિબંધ નથી :
“ચમાર જૂલાહા નાઈધુનીઆ, દાદુ રે દાસ, સેના કબીરાઈ રામ સોનારા, અગ્નિ કિસીકી જવાલા, મધ્ય પડ્યો સો કીનો અપનાઈ.”
આ કવિતામાં કહ્યા પ્રમાણે ચમાર, હજામ, દાદુ, ખાટકી, સોની મહંતો વર્ણવ્યા છે. તે સર્વ જેમ અગ્નિની જવાલામાં નાખેલો પદાર્થ અગ્નિમય થઈ જાય છે, તેમ હરિમાં તન્મય થયેલો હરિરૂપ બને છે. પરંતુ ભક્તિજન્ય હરિપણાનું જ્ઞાન તે કંઈ આવેશરૂપ નથી, પરંતુ સાચો અનુભવ છે :
સર્વાતીત સબજા વિષે, સબ સમેત અબ શૂન્ય
ઓં સ્વરૂપ હુરન ભયો, નાહીં જ્ઞાન નહિ ન્યૂન. આ અનુભવબળથી “જહાં પરપંચ તહાં પુરુષોત્તમ” એ પ્રકારે દષ્ટિનો પલટો થાય છે. આ જગતમાં હરિભાવ પ્રકટ થયા વડે જે દિવ્ય દૃષ્ટિ ઊઘડે છે તેના સંબંધમાં અખો લખે છે કે :
જો દિવ્ય દૃષ્ટિ દીની ગુરુ દેવને, તો બ્રહ્મ સોનારા સહી ફલે. વિશ્વમાં હરિની દષ્ટિ ઊઘડવાથી, “નરનર મળે નારાયન નિરગુન” જણાય છે, અને પંચભૂતવાળાં શરીરમાં પંચાતીત અલક્ષ પ્રભુ લક્ષમાં આવે છે. જેઓ સમજણ વિનાની એટલે જ્ઞાન વિનાની કેવળ આવેશવાળી ભક્તિ સેવે છે તેઓ ખલજ્ઞાની થાય છે, પણ શુદ્ધ જ્ઞાની બનતા નથી. અખો આગળ જતાં જણાવે છે કે :
“એહ સૂઝકી બૂઝ સમજસે ન્યારી, કૃતકી બૂજ અગાહે જવું થોરી”— સાચી સૂઝ (સમજણની બૂઝ) અથવા ઓળખ કરવી એ એક ન્યારી કળા છે.
For Personal & Private Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
અખો
૨૧
આવા હરિભક્તના જીવંત શરીરમાં પરબ્રહ્મ પરોક્ષ છતાં અપરોક્ષ થાય છે. એ “સંતપ્રિયા પ્રકરણના પહેલા વિભાગનું તાત્પર્ય અખો વર્ણવે છે. બીજા ત્રણ મુદ્દાઓ ““સંતપ્રિયાના બાકીના ખંડ મળ્યા વિના આપણે ચર્ચા શકીએ એમ નથી.
૨. બ્રહ્મલીલા - હિંદી ભાષામાં રચેલું આ “બ્રહ્મલીલા' નામનું નાનું પ્રકરણ આઠ ચોખરા અને આઠ છંદોમાં ગોઠવાયેલું છે. બ્રહ્મ અથવા હરિ નામનો હીરો શી રીતે મેળવવો તેનું પ્રતિપાદન આ પ્રકરણનો વિષય છે.
બ્રહ્મસ્વરૂપ નિરંજન અને સાંજન એમ બે પ્રકારનું છે. તેમાં નિરંજન એટલે કાજળ વિનાના દીપક જેવું બ્રહ્મસ્વરૂપ કાળ, કર્મ, અને માયાની મેશ વિનાનું છે. તે નિરંજન બ્રહ્મચૈતન્ય પ્રણવ અથવા ઓંકાર શબ્દના પૂર્ણ બિંદુ ભાવ વડે લક્ષણા કરવા યોગ્ય છે. એ બિંદુભાવથી સહજ નીચલો ભાવ તે અર્ધમાત્રા પ્રણવની ગણાય છે અને તે ત્રિગુણતત્ત્વવાળી માયા અથવા અજા (નહિ જન્મેલી) શક્તિ ગણાય છે. આ માયા, અજા, ત્રિગુણમયી પ્રકૃતિ તે નિરંજન બ્રહ્મચૈતન્યનું અંજન એટલે કાજળ જેવી છે. જેના સંબંધ વડે પરમબ્રહ્મચૈતન્ય સગુણબ્રહ્મરૂપ ધારણ કરે છે. પરબ્રહ્મ અથવા નિરંજનબ્રહ્મ અર્ધમાત્રાથી સૂચવાતી માયાના અંજન વડે અપરબ્રહ્મ અથવા સગુણ બ્રહ્મ બને છે. આ યોગ થયા પછી “અજા” ફેલાય છે. અનેક પ્રસૂતિના પ્રભાવને તે દેખાડી દે છે. અખાની પરિભાષામાં આ યોગ થયા પછી સગુણ બ્રહ્મ તે
સ્તુતિ પદારથ” એટલે ઉપાસના અથવા સ્તુતિ કરવા યોગ્ય ચૈતન્ય બને છે, અને અજામાયા તે દષ્ટ એટલે દેખાતા પદાર્થોની સ્વામિની એટલે અધ્યક્ષ બને છે. આ વિશ્વની સ્કૂર્તિ આ ““સ્તુત્યપદાર્થ” અને “દષ્ટ પદાર્થની સ્વામિની” આ બેના અદ્ભુત સંબંધથી જેમ મેઘાડંબરમાં વીજળી ચમકે તેમ થાય છે.
“સગુણ બ્રહ્મ સો સ્તુતિ પદારથ, દષ્ટ પદારથ સ્વામિની
અખા બ્રહ્મ ચૈતન્ય ઘનમેં, ભઈ અચાનક દામિની.” આ ચૈતન્યની વીજળીનો પ્રવેશ થયા પછી ત્રણ ગુણ મૂર્તિઓ-બ્રહ્મા
For Personal & Private Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
અખો
વિષ્ણુ-રુદ્રની તથા તેમની ત્રણ શક્તિઓ શી રીતે પ્રકટ થઈ પંચભૂતોની અને તેનાં કાર્યો કેવી રીતે પ્રકટ થયાં, સૂક્ષ્મ શરીરની અને સ્થૂળ દેહની સમષ્ટિમાં શી રીતે ઉત્પત્તિ થઈ વગેરે અધિદેવ અને અધિભૂત સૃષ્ટિનું વર્ણન આવે છે. ત્યાર પછી અધ્યાત્મ એટલે જીવસૃષ્ટિ અને તેની ચોરાશી લાખ જાતિઓમાં મૂલ ચૈતન્યના અંશો કેવી રીતે પ્રસર્યા છે તે વર્ણવે છે. એક નાના સ્થૂળ શરીરમાં મોહ પામેલું ચૈતન્ય ‘“પુરંજન” એટલે જીવપણાને પામ્યું. આ જીવત્વ પરમ સત્ય વસ્તુ નથી, તેમ મિથ્યા પદાર્થ પણ નથી. અખો સુંદર વાણીમાં જીવત્વનું લક્ષણ આપે છે :–
૨૨
નાંહી મિથ્યા નાંહી સાચો, રૂપ ઐસો જીવકો, જન્મ મરણ ઔર ભ્રમન સંશય, ચલ્યો જાઈ સદૈવકો.
પરંતુ જૂઠો નહિ અને સાચો નહિ એવો ચિદચિગ્રંથિરૂપ જીવ પોતાની પીઠમાં રહેલા શુદ્ધ ચૈતન્યને મહાવાક્યનાં તાત્પર્યરૂપે સમજી જાણે તો જેમ ઈંડું ફૂટતાં સુંદર કોમળ પંખી ઊડવાની શક્તિવાળું પ્રકટ થાય તેમ બ્રહ્મરૂપે વિલસે છે :
જૈસે અંડ પિંડ ફુટે વિહંગા, ઔર રૂપ ભયો ઔર હી રંગા, આગે અંડ મધ્ય ગંદા પાની, ચલન હલન તાકી કોમલ બાની. બાની કોમલ અંગ ખેચર, ભૂચર ભાવના સબ ટરી, તેમેં જંત પ્રસાદ ગુરુ તે, અહંતા અપની ગિરી.
આ બ્રહ્મભાવે પોતાને ઓળખનાર જીવ પૃથ્વી ઉપર રડવડતું ઈંડું નથી, પણ ખેચર એટલે આકાશમાં કોમલ અંગ અને વાણીથી ઉડનારું પ્રાણી બની જાય છે.
“ખોહા ગયો બિચ બલ અજાકો, નાહી તેં ચેતન ભયો. અંધા અચાનક નેન પાયો, દ્વંદ્વ બિચ તે ટટ ગયો. સ્તુતિ પદાર્થ નયન દેખ્યો, દૃષ્ટિ પદારથ ગયો વિલા, મિટી દેહડી ભાવના અબ, સ્વયં ચૈતન હૈ ચલા. કહે અખા એ બ્રહ્મલીલા બડ ભાગી જન ગાયગો. હિર હીરા અપને હૃદયમેં, અનાયસ સો પાયગો.'
For Personal & Private Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
અખો
૨૩ બ્રહ્મલીલા પ્રકરણમાં અખાની વેદાન્તશાસ્ત્રની ઊંડી સમજણ મધુર વાણીમાં સ્પષ્ટ થઈ શકે છે.
ગુજરાતી કૃતિઓ
૧. પંચીકરણ આ એકસોબે ચોપાઈવાળું પ્રકરણ વેદાન્તશાસ્ત્રની પંચીકરણ પ્રક્રિયાને લગતું છે. પંચીકરણ પ્રક્રિયાનો ઉપયોગ લયયોગમાં થાય છે. અને તેના વડે જીવાત્મા પરમાત્મા સાથેનું તાદાભ્ય અથવા એકપણે ઓળખી શકે છે. યોગના ચાર પ્રકારો છે –
(૧) રાજયોગ, જેમાં જીવાત્મા અને પરમાત્માનો પ્રત્યક્ષ ચૈતન્યસંબંધ કરવાની યુક્તિ હોય છે, (૨) હઠયોગ, જેમાં જીવાત્મા પ્રાણાયામની પ્રક્રિયા વડે પરમાત્મા સાથેનો અભેદ સાધી શકે છે, (૩) મંત્રયોગ, જેમાં શબ્દ બહ્મ અથવા ગુરુએ દીક્ષાના ક્રમથી આપેલા મંત્ર વડે જીવાત્મા પોતાનો અભેદ પરમાત્મા સાથે સાધી શકે છે; અને (૪) લયયોગ, જેમાં જીવાત્મા તાત્ત્વિક ચિંતન વડે પોતાના પિંડનાં તત્ત્વોનો બ્રહ્માંડના તત્ત્વોમાં લય સાધી પરમાત્મા સાથે અભેદભાવ મેળવે છે. આ લયયોગનો આધાર પિંડ બ્રહ્માંડના વિવેક ઉપર રહેલો છે. એટલે જે તત્ત્વોમાંથી પિંડ ઘડાય છે તેજ તત્ત્વોમાંથી બ્રહ્માંડ ઘડાય છે. માત્ર તેની અશુદ્ધ કલાને લીધે જીવનો પિંડ અવિદ્યાનો પરિણામ બને છે, ત્યારે ઈશ્વરનો બ્રહ્માંડદેહવિદ્યાનો વિલાસ થાય છે, પિંડ અવિદ્યાનો પરિણામ બનવાથી તેમાં જે ચૈતન્ય આભાસરૂપે સ્કૂરે છે તેને બંધ-મોક્ષ લાગે છે, બ્રહ્માંડદેહવિદ્યાનો વિલાસ હોવાથી તેમાં જે ચૈતન્ય આભાસરૂપે ઝળકે છે તે નિત્ય શુદ્ધ-બુદ્ધ-મુક્ત સ્વભાવવાળું હોય છે. આથી ચૈતન્યવહુ એક સચ્ચિદાનંદઘન પદાર્થ છતાં અવિદ્યાથી ઉપજેલા પિંડમાં બદ્ધ જીવ બને છે. અને વિદ્યાથી વિલસેલા બ્રહ્માંડમાં મુક્ત ઈશ્વર બને છે. બદ્ધ જીવ, જો પિંડબ્રહ્માંડનો વિવેક કરી પોતાની અવિદ્યાજન્ય ઉપાધિઓને લયયોગ વડે વિદ્યાજન્ય ઉપાધિમાં મેળવી શકે, તો તે ક્રમશઃ સાલોક્ય', સામીપ્ય , સારૂપ્ય, સાયુજય, અને કૈવલ્યપ, એમ પાંચ પ્રકારના મોક્ષને ક્રમવડે સિદ્ધ કરી શકે છે.'
For Personal & Private Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
૨૪
અખો પિંડ-બ્રહ્માંડનો વિવેક કરવામાં લયયોગીઓ પ્રણવને આલંબન તરીકે લે છે. આપણી નૈસર્ગક શ્વાસપ્રશ્વાસની ક્રિયાથી પ્રકટ થતા ધ્વનિને સકાર અને હકારના યોગવાળો શબ્દ રોડનું કહે છે. તેમાં “તે ચૈતન્ય પરમેશ્વર હું છું” – એવો ભાવાર્થ આરોપી તે કુદરતી મહાવાક્ય (સોડ)માંથી વ્યંજનવાળો ભાગ બાદ કરી જે કેવળ મૂર્વભેદી શબ્દ શેષ રહે છે તેનું નામ ઓંકાર (ૐ)આ શબ્દ પ્રણવશબ્દ અથવા ઓંકાર એ પરબ્રહ્મનો વાચક શબ્દ છે. આ શબ્દબ્રહ્મ, ચિંતનવડે, અર્થ બ્રહ્મ (પરમેશ્વર ચેતન)ને વ્યક્ત કરે છે. તેથી તેનું બીજું નામ અપરબ્રહ્મ પણ કહેવાય છે. પ્રણવની પરમેશ્વર ચેતન સાથેનો જીવનો અભેદ પ્રકટ કરવાની આ નૈસર્ગિક શક્તિને લીધે વેદાન્તશાસ્ત્રના જ્ઞાનયોગ અને ધ્યાનયોગમાં તેનો ખાસ આધાર લેવામાં આવે છે. આ પ્રણવના ઉદ્ભવની સમજ અખાએ પંચીકરણની ૯૦થી ૯૪ આંકવાળી પાંચ ચોપાઈમાં આપી છે. આ ચાવી વડે પંચીકરણ પ્રકરણ સમજવાનું છે.
પ્રણવ અથવા કારનો નાદબ્રહ્મ સર્વ પિંડોમાં અને સર્વ બ્રહ્માંડમાં અવ્યક્તભાવે વ્યાપી રહેલો હોય છે. જ્યારે તે નાદ-બ્રહ્મ પ્રાણી પદાર્થોમાં અવ્યક્ત દશામાં હોય છે ત્યારે તે પ્રાણીપદાર્થમાં “શૂન્ય” તત્ત્વ ઉદય પામ્યું મનાય છે, જ્યારે તે પરા, પયૅતી, મધ્યમાં અને વૈખરી એ ચાર વાણીના ક્રમથી વ્યક્ત થતો ચાલે છે, ત્યારે તે નાદબ્રહ્મ જાગે છે. અખો કહે છે કે – વસ્તુ વિષે સ્વભાવે શૂન્ય, તેમાં પ્રણવની ઉઠે ધૂન્ય –
(ચોપાઈ-૪) આ પ્રણવનાદ વડે શૂન્યતત્ત્વ સગર્ભ બની ભેદાય છે. અને તેની ત્રણ માત્રા માર, ડેર, મીર વડે આ દશ્ય જગત ઊગી નીકળે છે. આ વિશ્વનો ક્રમપૂર્વક જે પ્રણવોદ્ધારથી વિકાસ થાય છે, તેને અખો “ઉપસર્ગ” કહે છે. આ ઉપસર્ગ વડે પ્રણવની ત્રણ માત્રાથી ભેદાયેલા શૂન્ય અથવા નિરંજન બ્રહ્મચૈતન્યની મૂલ પ્રકૃતિરૂપ ઉપાધિ જે સમભાવે રહેલી હતી તે વિષમભાવે ફૂટ થાય છે અને તે ઉપાધિના ત્રણ ગુણો તમસ, રજસું, અને સત્ત્વ જાગે છે.
For Personal & Private Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
અખો
અખો કહે છે કે પ્રણવદ્વારા ભેદાયેલા સગુણબ્રહ્મચેતનના તમોભાગમાંથી પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, એ પાંચભૂતોની ઉત્પત્તિ થાય છે; અને સત્ત્વગુણમાંથી અધિદૈવસૃષ્ટિ, તથા ઇંદ્રિયસૃષ્ટિ ઉત્પન્ન થાય છે, અને સત્વગુણમાંથી ચાર અંતઃકરણ (મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર), અને પાંચ વિષયો અથવા તન્માત્રાઓ (શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ) પ્રકટ થાય છે. આ ચોવીસ તત્ત્વો અને પચીસમી અવ્યાકૃત માયા જેને અર્ધમાત્રા કહે છે અને છવ્વીસમો મહાવિષ્ણુ અથવા મહાપુરુષનું ચેતન એટલાં તત્ત્વોનો ભાગવતને અનુસાર અખો સ્વીકાર કરી તેના ઉપર પોતે પિંડબ્રહ્માંડની માંડણી (મંડ્ય) કરે છે.
--
પિંડવિવેક
આ છવ્વીસ તત્ત્વોમાં મહાવિષ્ણુ એજ શુદ્ધ ચૈતન્ય વસ્તુ છે, અને બાકીનાં તત્ત્વો તેના વડે ચૈતન્યવાળાં વ્યક્ત દશાનાં તેમજ અવ્યક્ત દશાનાં સમુદ્રના ભરતીઓટ જેવાં તેમાં ઉદય અને અસ્ત પામે છે. પરંતુ જેમ સમુદ્રમાં ભરતીઓટ વડે જળનું ઓછાવત્તાપણું થતું નથી, તેમ મહાવિષ્ણુમાં આ વ્યક્તઅવ્યક્ત તત્ત્વોની ભરતીઓટથી તેના ચૈતન્યરસમાં કમીજાસ્તી થતી નથી. આ મહાવિષ્ણુના ચૈતન્યબળથી અવ્યક્ત માયામાંથી વ્યક્ત તત્ત્વોનો ઉદય થવો તેનું નામ સૃષ્ટિ અથવા “ઉપસર્ગ' તેનો લય થવો તેનું નામ પ્રલય. આ પ્રલય એક કુદરતી એટલે નૈસર્ગિક કાલક્રમથી થાય છે. પે બીજો યોગ વડે અથવા ઉપાય વડે સિદ્ધ થાય છે. જેમ ઊભરાયેલું દૂધ ઊભરાઈને શમી જાય, અથવા તેને અગ્નિથી દૂર કરવામાં આવે ત્યારે શમી જાય તેમ લયયોગ વડે આ જગતનો ઊભરો શમે છે, અને જીવાત્મા પોતાના સાચા શાંત મહાવિષ્ણુસ્વરૂપને યોગનિદ્રાથી મેળવી શકે છે. જે જીવાત્મા ભોગનિદ્રામાં છે, તેને મહાવિષ્ણુની યોગનિદ્રામાં લઈ જવો તેનું નામ લયયોગ. ત્યારે સૃષ્ટિપ્રક્રિયા સમજ્યા વિના લયયોગની કળા હાથમાં આવતી નથી તે સહજ સમજાશે.
3
૨૫
ઉપર જણાવેલા પ્રણવના બલથી જે અવ્યાકૃત બીજ ભેદાઈ તેનો તમોભાગ છૂટો પડે છે, તેમાંથી પંચભૂતોની આકાશ, વાયુ, તેજ, જલ,
For Personal & Private Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
૨૬
ઉદય
અખો પૃથ્વી એ રૂપે ક્રમશઃ ઉત્પત્તિ થાય છે. અને આ તત્ત્વો પિંડનાં અને બ્રહ્માંડનાં ઘટકાવયવો બને છે. પિંડમાં આ પંચભૂતનાં પરિણામો કેવી રીતે થાય છે તે છવ્વીસ તત્ત્વોની ગણના કર્યા પછી સમજાવે છે. નીચેના કોષ્ટકથી તેની સમજણ પડશેઃ પૃથ્વીભૂત જલભૂત તેજભૂત વાયુભૂત આકાશ (કઠિનતાધર્મ) (ક્લેદનધર્મ) (દાહકધર્મ) (પ્રસારણધર્મ) (અવકાશધર્મ) ૧. નાડીસમૂહ ૧. શુક્ર ૧. સુધા ૧. શ્વાસોચ્છવાસ ૧. શબ્દનો
(ભૂખ) ૨. માંસ ૨. શોણિત ૨. પિપાસા ૨. નાડીવેગ ૨. શબ્દગ્રહણ
(તરસ) ૩. હાડકાં ૩. વેદ-લાળ ૩. કામ ૩. હેડકી ૩. દેહની
અંદર પોલાણ ૪. રોમ ૪. મૂત્ર-આંસુ ૪. ક્રોધ ૪. છીંક ૪. પાકવિમર્દન
(પકવી છૂટું પાડવું) ૫. ચામડી ૫. કફ પ. આલસ્ય પ. બગાસું ૫. નાશ
આ પંચભૂતનો ઘટકાવયવોથી આપણો સ્થૂલ પિંડ રચાય છે અને તેમાં ઇંદ્રિયો, તેના વિષયો, અને તેને ભોક્તા પ્રતિ લઈ જનારા અધિષ્ઠાતા દેવોની ગોઠવણ નીચે મુજબ છે – ઇન્દ્રિયો
વિષય
અધિષ્ઠાતા દેવ ૧ શ્રોત્ર
૧ શબ્દ ૧ દિગ્ગવતા ૨ વફ
૨ સ્પર્શ ૨ વાયુદેવતા ૩ ચક્ષુ
૩ રૂપ ૩ સૂર્યદેવતા ૪ જિવા ૪ રસ ૪ વરુણદેવતા ૫ ઘાણ (નાસા) ૫ ગંધ
૫ પૃથ્વીદેવતા ૧ વાફ (મુખ) વાણી
સરસ્વતી ૨ પાદ (પગ)
ગતિ ૩ પાણિ (હાથ)
ગ્રહણ
É a ww
વિષ્ણુ ઇન્દ્ર
For Personal & Private Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
મૃત્યુ
અખો ૪ પાયુ (ગુદ) મલવિસર્જન ૫ ઉપસ્થ (જનનેન્દ્રિય) પ્રજોત્પત્તિકર્મ પ્રજાપતિ ૧ મન
મનન ચંદ્ર ૨ બુદ્ધિ
બોધ બ્રહ્મા ૩ ચિત્ત ચિંતન
વિષ્ણુ (બહુનામી) ૪ અહંકાર અહંભાવ
રુદ્ર (“શેષ” દેવ) ટિપ્પણી:- “શેષ” એટલે શેષનાગ નહિ પણ બાકીનો ત્રીજો દેવા સમજવો.
આપણા પિંડમાં ચાર દેતો હોય છે. – (૧) સ્થૂલદેહ, (૨) સૂક્ષ્મદેહ, (૩) કારણદેહ, (૪) મહાકારણદેહ, તેમાં સ્થૂલદેહ ઉપર કહેલાં પંચભૂતોનાં પંચીકૃત અણુઓ વડે, પાંચ જ્ઞાનેન્દ્રિયો વડે, પાંચ કમેન્દ્રિયો વડેએમ પંદર તત્ત્વોના અંશો વડે બનેલો છે.
સૂમદેહનાં ઘટક તત્ત્વો પાંચ તન્માત્રાઓ અને ચાર અંતઃકરણ મળી નવ તત્ત્વો હોય છે.
કારણદેહનાં ઘટક તત્ત્વને ચૈતન્યમાત્રા કહે છે.
મહાકારણદેહ તે ખરી રીતે આપણું કૈવલ્ય એટલે બાકી રહેલું શુદ્ધ ચૈતન્યરૂપ છે. અને તેને ખરી રીતે દેહસંજ્ઞા આપવી યોગ્ય નથી. પણ ત્રણ દેહની સરખામણીમાં તે સ્વરૂપને ચોથા દેહનું માત્ર નામ આપવામાં આવે છે.
આ પ્રમાણે સ્થૂલ + સૂક્ષ્મ + કારણ + મહાકારણ મળી છવ્વીસ
૧૫ + ૯ + ૧ + ૧ તત્ત્વો વડે આપણે દેહાભિમાની ઘડાયા છીએ. તેમાં છેલ્લું તત્ત્વ તે મહાવિષ્ણુથી જુદું નથી, જો કે જુદું હોય તેવું ભાસે છે.
For Personal & Private Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
અખો
૨૮
બ્રહ્માંડવિવેક જેવી રચના પિંડની છે, તેવી રચના બ્રહ્માંડની છે. તફાવત એટલો છે કે પિંડાભિમાનીનો દેહ પંચીકૃત મહાભૂતનો બનેલો છે, ત્યારે બ્રહ્માંડાભિમાનીનો દેહ અપચકૃત પંચમહાભૂતોનો બનેલો છે. પંચીકૃત પંચમહાભૂતની પ્રક્રિયા સમજવાની જરૂર છે :- .
પંચભૂતના પ્રત્યેક ભૂતના અણુના ૧/૨ અડધા ભાગ સાથે બીજા ચાર ભૂતના ૧૮ જોડવાથી જે મિશ્ર અણુ ઉત્પન્ન થાય તે અડધા ભાગવાળા ભૂતના પ્રાધાન્યવાળું તે તે ભૂતનું પંચીકૃત પરમાણુ કહેવાય છે. ઉદાહરણ તરીકે શુદ્ધ પૃથ્વીતત્ત્વના અણુના ૧૨ ભાગ સાથે જળ, તેજ,વાયુ, આકાશનો પ્રત્યેકનો ૧/૮ ભાગ સંમિશ્ર થાય તો એક પંચીકૃત પૃથ્વીનું પરમાણુ બને તેમાં પૃથ્વીના અંશનું પ્રાધાન્ય અને બાકીનાં ચાર ભૂતોનું ગૌણપણું હોય છે. તેવી રીતે બીજાં ભૂતોનું પણ સમજી લેવું.
અખાના અભિપ્રાય પ્રમાણે જીવની સ્થૂલ કાયા પંદર તત્ત્વોથી બનેલી છે, અને તેમાં પંચીકૃત પંચભૂતના પરમાણુઓ કામમાં આવે છે, ત્યારે ઈશ્વરની કાયા અપંચીકૃત પંચભૂતોમાંથી ઘડાયેલી હોય છે –
સત્તર તત્ત્વની ઈશ્વર કાય, પાંચ પ્રાણ ૧૦દશ ઇન્દ્રિય થાય, "મન બુદ્ધિ સહિત સત્તરે તત્ત્વ, સૂત્રાત્માનું તેમાં સત્ત્વ. અપંચીકરણ ઈશ્વરનો દેહ, પંચીકરણ જીવ જે તેહ, પંચીકૃતનું જીવ શરીર, પંચભૂત, દશમાંહી સમીર. પકર્મેન્દ્રિય પજ્ઞાનેન્દ્રિય જ્ઞાન, "પંચ વિષય તન્માત્રા ભાન, "મન બુદ્ધિ ચિત્ત અહંકારને માય, ચૌદે દેવ તેનો અધિષ્ઠાય. સર્વ મળી ચાલે પરચાર.....
આ પ્રમાણે ઈશ્વરનો સચેતન દેહ અપંચીકૃત તત્ત્વોનો ઘડાયેલો તેમાં સત્તર તત્ત્વવાળા હિરણ્યગર્ભ અથવા સૂત્રાત્મા વડે તે જગતનું તંત્ર ચલાવે છે, ત્યારે જીવનો સચેતન દેહ પંચીકૃત ભૂતનો બનેલો પ્રાણ, કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય, પતન્માત્રા(શબ્દાદિ) અંતઃકરણ, ૧માયા (અવિદ્યા) મળી ૩૦ તત્ત્વો અધ્યાત્મમર્યાદામાં ઘડાઈ દસ બાહ્ય કરણો (પ+૫) અને ચાર
For Personal & Private Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
૨૮
અખો અંતઃકરણના ચૌદ અધિદેવ સત્તાનાં ઉપકાર વડે કર્મના બલને અનુસાર દેહયાત્રા ચલાવે છે. જીવની દેહયાત્રા ચલાવનાર ઉપાધિઓનું પુનઃ પંચકોશરૂપે વર્ગીકરણ થાય છે :- (૧) અન્નમય કોશ, એટલે પંચભૂતનાં પરમાણુથી રચાયેલાં પ્રત્યક્ષ અન્નથી પોષાતો દેહ, (ર) તેના ભીતરમાં રહેલો પ્રાણમય કોશ, જેમાં પાંચ અથવા દશ પ્રાણો અને પાંચ કર્મેન્દ્રિયોનો સમાસ થાય છે, લકિક જીવનનો નિર્વાહ અને બલશક્તિનો પ્રભાવ આ કોશ વડે થાય છે; (૩) મનોમયકોશ, જેમાં પાંચ કર્મેન્દ્રિયો અને મનનો સમાસ થાય છે, જે વડે જીવની ક્રિયાશક્તિનું યંત્ર ચાલે છે; (૪) વિજ્ઞાનમયકોશ, જેમાં પાંચ જ્ઞાનેન્દ્રિયો અને બુદ્ધિનો સમાસ થાય છે, જે વડે જીવની જ્ઞાનશક્તિનું યંત્ર ચાલે છે; અને (૫) આનંદમયકોશ, જેમાં જીવત્વનો નિર્વાહ કરનાર માયા અથવા અવિદ્યાનું અણુચૈતન્યની છાયાવાળું હોય છે, જે વડે ઢંકાયેલી અવસ્થાવાળું આપણું આનંદરૂપ જળવાયાં કરે છે.
સચ્ચિદાનંદબહ્મનાં ત્રણ વિશેષણો પૈકી સદ્ વિશેષણ જીવના અન્નમય અને પ્રાણમયમાં સ્પષ્ટ થાય છે. ચિત્ વિશેષણ મનોમય અને વિજ્ઞાનમયમાં પ્રકટ થાય છે. અને આનંદ વિશેષણ ઢંકાયેલા રૂપે આનંદમય કોશમાં વળગેલું રહે છે.
આ પ્રમાણે બ્રહ્માંડના અભિમાની ઈશ્વર અને પિંડના અભિમાની જીવની કાર્ય (દહ) અને કરણોની (ઇન્દ્રિયોની) ઉપાધિઓ લગભગ સમાન વ્યાપારવાળી છે, જો કે ઈશ્વરની ઉપાધિ શુદ્ધ દ્રવ્યમાંથી પ્રકટેલી હોવાથી તેનામાં સર્વજ્ઞતા વગેરે ધર્મો વ્યક્ત રહે છે. અને જીવની ઉપાધિ મલિન દ્રવ્યમાંથી ઊપજેલી હોવાથી તેની જ્ઞાન, ઇચ્છા, અને ક્રિયાશક્તિઓ ઢંકાયેલી અને ઓછા બળવાળી હોય છે. તોપણ મૂલ ચેતન એકરસ બંનેની પીઠમાં હોય છે. અને તે સાથે બંનેની ઉપાધિમાં જે ચિદાભાસ પડે છે તે પણ સમાન બળે જ પડે છે. જેમ સૂર્યચંદ્રના આભાસો જળદર્પણ વગેરેમાં સમાનવેગથી પડે છે, છતાં ઉપાધિની શુદ્ધિ અશુદ્ધિને અનુસાર આભાસની ર્તિ ન્યૂનાધિક પડે છે. જીવચેતનને ઈશ્વરચેતનદ્વારા મોક્ષ થવાનો ક્રમ છે. આ કારણથી મોક્ષની ક્રમપદ્ધતિ અખો આ પ્રમાણે સમજાવે છે :
For Personal & Private Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
છે.
સંજ્ઞા
For Personal & Private Use Only
જીવ ચેતનની જીવચેતનની જીવચેતનની ઈશ્વર ચેતની ઈશ્વર ચેતનની ઈશ્વર ચેતનની બંનેનું સામ્ય થાય ઉપાધિઓ અવસ્થાઓ સંજ્ઞા નવી ઉપાધિઓ નવી અવસ્થાઓ તો કેવા પ્રકારનો
મોક્ષ પ્રકટ થાય વિશ્વ પૂલ શરીર (પિંડ) જાગ્રત (નેત્રમાં વિરાટ સ્થૂલ બ્રહ્માંડ સૃષ્ટિ કાલ સાલોક્ય મોક્ષ (અન્નમય- અભિવ્યક્ત) (
વિષ્ણુ) જુઓ ચોપાઈ પ્રાણમય)
શરીર ૯૫-૯૬ તૈજસ સૂક્ષ્મ શરીર- સ્વમ (કંઠમાં હિરણ્યગર્ભ સૂક્ષ્મ-બ્રહ્માંડ સ્થિતિકાલ સામીપ્ય મોક્ષ
(મનોમય-વિજ્ઞાન અભિવ્યક્ત) સૂત્રાત્મા બ્રહ્મા શરીર
મય) પ્રાજ્ઞ કારણશરીર સુષુપ્તિ (હૃદય) માયાઉપહિત બ્રહ્માંડનું લયકાલ સારૂપ્યમોક્ષ (આનંદમય)
ઈશ્વર (દ્ર) કારણ શરીર સાક્ષી મહાકારણશરીર નિર્વિકલ્પ સમાધિ પરબ્રહ્મ (મહેશ્વર) માયાશરીર તિરોધાન સાયુજયમોક્ષ (તુરીય) અથવા સહજ
(અવ્યાકૃત) અનુગ્રહસમાધિ
ભૂમિકા (અખાએ સ્પષ્ટ કરી નથી)
લયકાલ
સ
hitre
Page #40
--------------------------------------------------------------------------
________________
અખો
તુરીયાતીત “જીવેશ્વર કહેવા નવ રહ્યો, ત્યારે અપંચીકૃત પારે ગયો' કૈવલ્યમોક્ષ એ પ્રપંચી કીધો સમાળ, સદા નિરંતર છે તે સાવ.
(ચોપાઈ-૮૦)
ટિપ્પણી-આ અવસ્થામાં જીવ-ઈશ્વરભેદનો અંશમાત્ર પણ રહેતો નથી. પિંડ-બ્રહ્માંડનો લય યોગવડે જે અભેદ અનુભવ સિદ્ધ કરી આ છેલ્લા મોક્ષને જીવતી અવસ્થામાં સિદ્ધ કરી શકે તેનું વર્ણન ‘પંચીકરણના” અંતમાં અખો કરે છે ઃ
વેદતણાં વચનો છે એહ, નિઃસંદેહ થાય સમજે તેહ, જીવન્મુક્ત તે તેનું નામ, જેણે સંભાળ્યું મૂળગું ધામ. નહિ અવતરીઆ સરખો તેહ, જેણે એમ ન સંભાળી દેહ, મુક્તિબંધનું નહિ અભિમાન, જ્યાં જ્ઞાતા નહિ જ્ઞેય ને જ્ઞાન. ત્રિપુટીરહિત તે છે જ અવાચ્ય “તત્ત્વમસિ” પદ શોધ્યું સાચ્ચ. શાસ્ત્રારથ તેણે પામ્યું શાન, આત્માનુભવ હતું વિજ્ઞાન. મહાપદમાં કહ્યું કે એ દ્વૈત, તે સમજ્યાથી થયું. અદ્વૈત અબ્રહ્મ તે શબ્દજ વિના, એ સમજે અખા વેત્તા આપના. (નોટ-પંચીકરણ સાથે ગુરુશિષ્ય સંવાદનો ભૂતભેદખંડ વાંચવો) (૨) ચિત્તવિચારસંવાદ
૩૧
આ પ્રકરણ પિતા-પુત્રસંવાદરૂપે પણ ગણાય છે. તેમાં ચિત્ત એ પિતા છે. અને વિચાર એ પુત્ર છે. વિચાર વડે ચિત્ત પ્રબુદ્ધ થાય છે અને પોતાના શુદ્ધ ચિન્મયસ્વરૂપને ઓળખતું થાય છે. વેદાન્તશાસ્ત્રની આત્મપ્રબોધની પ્રક્રિયાવડે વિચા૨ (પુત્ર). ચિત્ત (પિતાને) સમજણ આપે છે, અને ચિત્ત છેવટે કહે છે કે :
મારો મુજમાં હવો સમાસ, તુજદ્વારા હવે હવો પ્રકાશઃ હવે રહી નહિ પૂછવા વાત, જેમ છે તેમજ છે સાક્ષાત્ જ્યાં જેવો ત્યાં તેવો હું, એમ જ સરખા હું ને તું, અહંબ્રહ્મ તે સ્વે સાક્ષાત્. સ્વે સ્વેમાં છે સઘળી વાત. તે માટે સુણ ચિત્ત વિચાર, તેને હોયે ભવસંસાર, દમાય નહિ તે દેહને વિષે, કહે અખો એમ સમજો સુખે.
For Personal & Private Use Only
૪૧૧
૪૧૨
૪૧૩
Page #41
--------------------------------------------------------------------------
________________
૩૨
અખો (૩) ગુરુશિષ્યસંવાદ આ પ્રકરણના ચાર ખંડ છે – (૧) ભૂતભેદખંડ, (૨) જ્ઞાનનિર્વેદ ખંડ, (૩) મુક્તમુમુક્ષુ લક્ષણખંડ, અને (૪) તત્ત્વજ્ઞાન નિરૂપણ ખંડ.
અખાના તત્ત્વચિંતનનું સ્વતંત્ર નિરૂપણ કરવાના પ્રસંગે આ પ્રકરણ આપણે આધારરૂપે લઈશું.
(૪) અનુભવબિંદુ આ પ્રકરણ મને લાગે છે કે અખાના શ્રવણ, મનન, નિદિધ્યાસનના ફલસ્વરૂપે છે. તેમાં છત્રીસ છપ્પામાં અખાએ બ્રહ્માત્મઅનુભવ કેવો હોય છે, અને તેની ખુમારી કેવી રહે છે તેનું વર્ણન છે. ચાર છપ્પામાં ફલસ્તુતિ છે અને એકંદર ૪૦ છપ્પા છે.
એ છપ્પા છત્રીસ, દીસે છે મર્મની સાનો,
ચાર કહ્યા ફલસ્તુતિ, વેશ તે બ્રહ્મદશાનો.” આ પ્રકરણને “બિંદુ” નામ આપવામાં અખાએ પ્રાચીન ઉપનિષદોનાં નામનું અનુકરણ કર્યું છે. અથર્વવેદનાં કેટલાંક ઉપનિષદોમાં અમુક વિષયનું એકીકરણ કરી ગંભીર અર્થ ટૂંકામાં જણાવે છે તેવાં ઉપનિષદોને બિંદુ-એટલે કેન્દ્રભાવને પામેલો વિચાર – એવું નામ આપવામાં આવે છે, જેમકે ધ્યાનબિંદુ, અમૃતબિંદુ, નાદબિંદુ. પાછળના વેદ:તશાસ્ત્રનું તાત્પર્ય જેમાં એકત્ર થયું છે એવા શંકરાચાર્યની “દશશ્લોકી” ઉપરની મદુસૂદન સરસ્વતીની ટીકાને “સિદ્ધાન્તબિંદુ” કહે છે. અખાએ શ્રવણકાળે આ ગ્રંથોનાં નામ સાંભળેલાં તે ઉપરથી પોતાના પ્રકરણને “અનુભવબિંદુ” એવું નામ આપ્યું જણાય છે. બિંદુ એટલે ટપકું એ અર્થમાં નહિ. પરંતુ ગંભીરવિચારનું જયાં એકીકરણ છે, એવો ગ્રંથ એમ સમજવાનું છે.
(૫) અખેગીતા અને (૬) કૈવલ્યગીતા આ બે પ્રકરણ પૈકી પહેલી ગીતા અખાની પરિપકવ બુદ્ધિનું ફલ છે. બીજી “કૈવલ્યગીતા” એ નાનું આશાવરી રાગ ૨૪ કડીનું પ્રકરણ છે.
For Personal & Private Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
અખો
પોતે
33
અખેગીતાની રચના ૪૦ કડવાં અને દસ પદવાળી જણાય છે. અખો
“બારે ઉણાં પાંચસે છે, અખેગીતાનાં ચરણ, ચરણે ચરણે આત્મવિદ્યા, અશરણ કેરૂં શરણ.”
એમ કહી પ૦૦ બાદ ૧૨= ૪૮૮ કડીઓનો તે ગ્રંથ જણાવેછે, તેની ધારેલી રચના પ્રમાણે
૪૦ કડવાં × ૧૧ ચરણો = ૪૪૦
૧૦ ૫૬ ×
= ४०
પદ છેલ્લું ૧૧ મું X =
८
આ પ્રમાણે ચરણોની ગણના થવી જોઈએ. પ્રસિદ્ધ પાઠ પ્રમાણે
૩૯ કડવાં ૪ (૧૦+૧)= ૪૨૯ ચરણો
૧ કડવું x (૧૧+૧)= ૧૨
(ચાલીસમું)
૫૬ ૧૦ = ૪૫
૪૫)
૪૮૬
(૪+૪+૫+૪+૩+૫+૪+૪+૪+૮
બે ચરણોનો તફાવત પડે છે. સસ્તા સાહિત્યની બીજી આવૃત્તિનાં પદો “અખેગીતાં’માંથી છૂટાં પાડી પદોના સંગ્રહમાં લીધાં છે. તે યોગ્ય થયું નથી. આથી મૂલગ્રંથનું રૂપ બગડે છે, અને પ્રકરણનું તાત્પર્ય નક્કી કરવામાં અડચણ આવે છે. પ્રથમાવૃત્તિનો પાઠ અભ્યાસકે ઉપયોગમાં લેવો ઘટે છે. આ દસ પદો સસ્તા સાહિત્યકાર બીજી આવૃત્તિમાં પદોના સમૂહમાં “શીરૂઆતમાં આપ્યાં છે” એમ લખે છે. (ફૂટનોટ પૃ. ૪૨)-પરંતુ આ ઉલ્લેખ ભૂલ ભરેલો છે ખરી રીતે અખાની “અખેગીતા'માં અંતર્ગત થયેલાં પદો નીચેના અનુક્રમે પદોના સમૂહમાં છે :
=
For Personal & Private Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
અખો
અખેગીતા”નું પહેલું પદ
સમૂહમાં
................
..........
..........
• • • • • • • •
......
........... ૫૫ ..........
............૧૦૩ ૧૦..........
...........૧૪૬
(૭) છપ્પા આ છપ્પાઓ અખાના ઘણા લોકપ્રસિદ્ધ છે. તેનું વિવેચન =પ-૪૧૯૦૩માં મેં મારા સાક્ષરજયંતીના “અખો અને તેનું કાવ્ય” એ નિબંધમાં કર્યું છે. તેમાં ખાસ ઉમેરવા જેવું નથી. તેથી તે નિબંધમાંથી મારા વિચારો અત્રે ટાંકું છું –
બોધપ્રધાન અખાની કવિતાનો મોટો ભાગ સાતસો છંતાળીસ છપ્પામાં છે, અને ચુંમાળીસ અંગ પાડ્યાં છે. અખાએ આ છપ્પાને વ્યવસ્થાસર ગોઠવવાનો પ્રયત્ન કર્યો નથી, તો પણ તે છપ્પાઓ ભિન્નભિન્ન વખતે લખાયેલા હોવાથી તથા પ્રસિદ્ધ કરવાનાં સાધનો તે સમયમાં હાલના જેવાં નહિ હોવાથી તેણે બુદ્ધિમાં કાંઈ વ્યવસ્થા ધારી હશે પણ તેનાથી તે પ્રકટ રૂપમાં મુકાઈ નથી. અખાના અભ્યાસકને આ અંગોમાં વર્ણવાયેલા વિચારો પ્રતિ લક્ષ આપતાં છપ્પાઓના નીચે પ્રમાણે ચાર વર્ગ પાડેલા જણાશે :
પ્રથમ તો રૂઢ થયેલા સંપ્રદાયોના ધર્મના દોષોના ગ્રહમાંથી છૂટવા સારુ
For Personal & Private Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
અખો
૩૫ તેણે કેટલાંક અંગો રચ્યાં છે. આ અંગમાલાને આપણે દોષનિવારક અંગ કહેશું. આ વર્ગમાં (૧) વેષનિંદા, (૨) આભડછેટનિંદા, (૩) સ્થૂલ દોષઅંગ, (૪) પ્રપંચઅંગ, (૫) ચાન,અંગ, (૬) સૂક્ષ્મદોષઅંગ, (૭) ચાણાકઅંગ (૮) ભાષાઅંગ, (૯) ખળજ્ઞાનીઅંગ, (૧૦) જડભક્તિઅંગ, (૧૧) સગુણભક્તિઅંગ, (૧૨) દંભભક્તિઅંગ, (૧૩) જ્ઞાનદગ્ધઅંગ, (૧૪) દશવિજ્ઞાનીઅંગ, (૧૫) વિભ્રમઅંગ, (૧૬) કુટકળઅંગ.
બીજા વર્ગમાં બ્રહ્મવિદ્યાનાં સાધનોનું મુખ્યત્વે કરીને પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આ વર્ગનું નામ ગુણગ્રાહકઅંગ વર્ગ આપણે આપીશું. તેમાં નીચેનાં તેર અંગોનો સમાસ થાય છે – (૧) ગુરુઅંગ, (૨) સહજઅંગ, (૩) કવિઅંગ, (૪) વૈરાગ્ય અંગ, (૫)વિચારઅંગ, (૬) ક્ષમાઅંગ, (૭) તીર્થઅંગ, (૮) સ્વાતીતઅંગ, (૯) ચેતનાઅંગ, (૧૦) કૃપાઅંગ, (૧૧) ધીરજઅંગ, (૧૨) ભક્તિઅંગ, (૧૩) સંતઅંગ.
ત્રીજા વર્ગમાં બ્રહ્મવિદ્યાના પ્રમેયો અર્થાત્ જાણવા યોગ્ય પદાર્થોનું તથા સિદ્ધાન્તોનું પ્રતિપાદન છે. આ વર્ગને સિદ્ધાન્ત પ્રતિપાદકઅંગ વર્ગ કહીશું. તેમાં નીચેનાં ચૌદ અંગોનો અંતર્ભાવ થાય છે :- (૧) માયાઅંગ, (૨) સૂઝઅંગ, (૩) મદાલસઅંગ, (૪) વિશ્વરૂપઅંગ, (૫) સ્વભાવઅંગ, (૬) જ્ઞાની અંગ, (૭) જીવઈશ્વર અંગ (૮) આત્મલક્ષઅંગ, (૯) વેષવિચારઅંગ, (૧૦) જીવઅંગ, (૧૧) વેદઅંગ, (૧૨) અજ્ઞાનઅંગ, (૧૩) મુક્તિઅંગ, (૧૪) આત્માઅંગ.
ચોથા વર્ગમાં બ્રહ્મવિદ્યાના ફલનું વર્ણન કરતાં કાવ્યો છે. આ ફલપ્રતિપાદક વર્ગમાં (૧). પ્રાપ્તિઅંગ અને (૨) પ્રતીતિઅંગનો સમાવેશ થઈ શકે છે.
અને ઉપરની પ્રથમ પ્રસિદ્ધ થયેલી છપ્પાની આવૃત્તિમાં એકંદર ૪૮ અંગો છે, અને છપ્પાઓની ગણત્રી ૬.૩૯ કરી છે, જ્યારે સસ્તા સાહિત્યની આવૃત્તિમાં એકંદર ૪૫ અંગો છે અને છપ્પાઓ ૭૪૬ છે. સને ૧૮૫રની પ્રતમાં અંગો (નં. ૨૬, ૪૦, ૪૧, ૪૨, ૪૪, ૪૫)નાં નામ નથી અને તે સાથે પંચીકરણના આરંભના ૨૩ છપ્પાને સ્વતંત્ર ૧૪મા અંગ તરીકે આપ્યા
For Personal & Private Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
૩૬
અખો છે. પ્રસિદ્ધ પંચીકરણ તે સ્વંતત્ર પ્રકરણ છે. તેમાં ચોપાઈ છે, ત્યારે આમાં છપ્પાનું રૂપ આપ્યું છે. ખરી રીતે પંચીકરણ એ સ્વતંત્ર જ પ્રકરણ છે, અને છપ્પામાં તેની ગોઠવણી ભૂલથી થયેલી જણાય છે.
(૮) પદો અખાનાં એકંદર ૧૫ર પદોનો સમૂહ સસ્તા-સાહિત્યની બીજી આવૃત્તિમાં છપાયો છે. જેમાં અખેગીતાનાં ૧૧ પદો પણ અંતર્ગત કર્યા છે. છૂટક પદોનું બીજું સાહિત્ય સંતોની વાણીના સંગ્રહકાર અને પ્રકાશક ભગવાનજી મહારાજ પોતાના કહાનવા બંગલામાં છે એમ જણાવે છે. પરંતુ આ અપ્રસિદ્ધ ગ્રંથોની સૂચિ તૈયારી કરી પ્રસિદ્ધિમાં મૂકવામાં ન આવે ત્યાં સુધી તે સાહિત્યની સમીક્ષા થઈ શકે તેમ નથી.
(૯) સોરઠા સસ્તાસાહિત્યની બીજી આવૃત્તિમાં ૨૫૩ સોરઠા છાપેલા છે. પરંતુ આ સોરઠાને જ “અખાકૃત પરજીઆ' કહે છે. તેની એક લેખી પ્રત ગુજરાત વર્નાક્યુલર સોસાયટી તરફથી મળી છે, તે શુદ્ધ છે. તેમાં એકંદર ૩૧૪ દુહા છે. એટલે ૬૧ દુહા પ્રસિદ્ધ આવૃત્તિમાં નથી. તે સાથે પ્રસિદ્ધ થયેલા સોરઠામાં ઘણે સ્થાને અશુદ્ધિ છે, અને તેથી અર્થનો ભ્રમ ઉત્પન્ન થવાનો સંભવ છે.
આ પ્રમાણે અખાની બે હિંદીભાષાની કૃતિઓ અને નવ ગુજરાતી ભાષાની કૃતિઓ પ્રસિદ્ધિને પામી છે. અખાની કૃતિઓ મૂલ પ્રતોના આધારે શુદ્ધ પાઠના નિર્ણયવાળી છપાવવાની ખાસ અગત્ય છે. આ કામ ગુજરાતી સાહિત્યની અભિવૃદ્ધિ ઇચ્છનાર ગુજરાત વર્નાક્યુલર સોસાયટી અથવા વડોદરા રાજ્યના ખાતા તરફથી થશે એમ આશા રાખવામાં આવે છે.
બીજું વ્યાખ્યાન અખાનું અક્ષરજીવન
(૩) (તેનું તત્ત્વચિંતન) અખાની એકંદર મળી આવતી અગિયાર કૃતિઓ (બે હિંદી અને નવ
For Personal & Private Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
અખો
૩૭ ગુજરાતી)નું વિવેચન કર્યા પછી અખાના તત્ત્વજ્ઞાનની સમાલોચના કરવાનું શેષ રહે છે. અખો પોતાને કવિ ગણતો નથી, પરંતુ જ્ઞાની ગણે છે. છપ્પાના કવિઅંગમાં અખો પોતેજ કહે છે કે :
“જ્ઞાનીની કવિતા ન ગણીશ, કિરણ સૂર્યનાં કેમ વરણીશ, શબ્દ તણો છેડો કેમ થાય, આકાશને કેમ તોળ્યું જાય.
એવું વચન અલિંગી તણું, અખા નહિ કોઈ પર આપણું.”
આ દશ્ય જગતની પારના તત્ત્વને ચાર વર્ગના પુરુષો સ્પર્શ કરી શકે છે – (૧) કવિજન, (૨) કલાવિદ (૩) સાધુ અથવા ભક્તજન, (૪) તત્ત્વજ્ઞ. જગતની પીઠમાં રહેલા અભૌતિક ભાવને કવિજન પ્રતિભા વડે જોઈ શકે છે, અને તે શબ્દદ્વારથી સુંદરરૂપે તે ભાવસૃષ્ટિને ઉત્પન્ન કરી સહૃદયજનને સમજાવી શકે છે. કલાવિદો લલિતકલાદ્વારા મૂર્તરૂપમાં અમૂર્તરૂપ ઓળખાવી શકે છે. સાધુજનો હૃદયની અત્યંત શુદ્ધિ વડે અને વીતરાગ ચિત્ત વડે સર્વ પ્રાણીઓના હૃદયના અંતર્યામી સ્વરૂપ સાથે સ્પર્શ કરી શકે છે. તત્ત્વજ્ઞ અથવા જ્ઞાની પુરુષ, શુદ્ધ વિવેકવાળી પ્રજ્ઞાના બળવડે જેવું છે તેવું અભૌતિક સ્વરૂપ ઓળખી શકે છે.
અખાને આપણે ચોથા વર્ગમાં મૂકી શકીએ. તેનામાં સાધુતા અથવા ભક્તિનો રંગ છે. પણ તેની મુખ્ય ચોટ તત્ત્વજ્ઞાન અથવા સમજણ અથવા “સૂઝ” ઉપર છે. વસ્તુની ઊંડી સમજણ અથવા અનુભવ તેણે જૂના બ્રાહ્મણોની પેઠે અધ્યયન દ્વારા અથવા હાલના જમાનાની વાચન પદ્ધતિદ્વારા મેળવ્યો નથી. પરંતુ શ્રદ્ધાપૂર્વક વેદાન્તશસ્ત્રના અનુભવી મહાત્મા બ્રહ્માનંદ પાસેના દીર્ઘકાળના શ્રવણ વડે મેળવી શક્યો છે. એનું શ્રવણ શાસ્ત્રના સિદ્ધાંતોનો અપચો કરે એવું નથી. પરંતુ તેણે જેટલું સાંભળ્યું છે તેટલું તેણે મનમાં ઊંડુ ઉતાર્યું છે. અને વિદ્યાના પકવરસને તેણે મેળવ્યો છે. તે સાથે નિદિધ્યાસન વડે તેણે પોતાના નિશ્ચયો દઢ કર્યા છે. અને તે નિશ્ચંત બ્રહ્મજ્ઞાનને મેળવી શક્યો છે. તેનું બહુશ્રુતત્વ તેના ગ્રંથોના અવલોકનથી સારી રીતે તારવી શકાય છે. મારી તારવણીથી મને લાગે છે કે તેણે નીચેના વેદાન્તશાસ્ત્રના ગ્રંથો સારી રીતે શ્રવણદ્વારા સમજી જાણ્યા છે :
For Personal & Private Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
૩૮
1. અખો ગ્રંથોના નામ
શ્રવણ કર્યાના અનુમાનના આધાર ૧. યોગવાસિષ્ઠ
અખેગીતા' કડવું, અનુભવ બિંદુ. ૨. દત્તગીતા
અખેગીતા', ગુરુશિષ્ય સંવાદ ૩. મહાભારત-શાંતિપર્વ
ગુરુશિષ્ય સંવાદ-બીજો ખંડ ૨૦ નારાયણખંડ
ગુરુશિષ્ય સંવાદ-ત્રીજો ખંડ ૨૯ ૪. ભગવદ્ગીતા
પદ ૩૦ છપ્પા પ૨૨ ૫. ભાગવત
ગુરુશિષ્ય સંવાદ-ખંડ ૩. પંચીકરણ
છઠ્ઠી ચોપાઈ, અનુભવબિંદુ. ૬. પંચદશી
પંચીકરણગ્રંથ, પંચદશી, તાત્પર્ય
નામનો ગ્રંથ, તેનો અપ્રસિદ્ધ ગ્રંથ છે. ૭. આત્મપુરાણદ્વારા અથવા મૂલગ્રંથ
શ્રવણદ્વારા બૃહદારણ્યક ઉપનિષદ્ અનુભવબિંદુ, ૩૩. (શતપથ બ્રાહ્મણનો ચૌદમો કાંડ) છપ્પા પ૭, ૫૦૫. છાન્દોગ્ય ઉપનિષદ
ગુરુશિષ્ય સંવાદ-ખંડ, ૨-૨૪ (ઇન્દ્રવિરોચન આખ્યાન ચિત્તવિચારસંવાદ ૧૩૪. તત્ત્વમસિ પ્રકરણ)
ગુરુશિષ્ય સંવાદ -૪૬ ૮. શંકરભાષ્ય
ગુરુશિષ્ય સંવાદ-૩જો ખંડ. ૯. અધ્યાત્મરામાયણ
અખેગીતા, કડવું ૩. ૧૦. પુરુષસૂક્તમ્
છપ્પા ૭૩. - તત્ત્વજ્ઞાનના મુખ્ય ત્રણ પ્રમેયો છે – (૧) જગતનું સ્વરૂપ, (૨) જગતના જાણનાર જીવનું સ્વરૂપ, અને (૩) તે બેના અધ્યક્ષનું અથવા તેની પીઠમાં રહેલી વસ્તુનું સ્વરૂપ. વેદાન્તશાસ્ત્રમાં આ ત્રણ પ્રમેયોને જગત જીવ અને ઈશ્વર કહે છે. તે શાસ્ત્ર અદ્વૈતવાદી છે. અને તે પણ ચેતનતનો સ્વીકાર કરે છે. આથી જીવ અને
For Personal & Private Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
અખો
૩૯
ઈશ્વરના અધિકરણમાં એકસમરસ ચૈતન્યમય તત્ત્વનો તે સ્વીકાર કરે છે અને તેને બ્રહ્મતત્ત્વ કહે છે. તે તત્ત્વના સત્, ચિદ્, અને આનંદ એવા ત્રણ સ્વધર્મો છે. તે પૂર્ણરૂપે એટલે વિશેષણરૂપે જે ચૈતન્યમાં ઝળકે છે તેને નિત્યસિદ્ધ ઈશ્વર કહે છે, જેમાં તે અપૂર્ણ દશામાં અથવા ઢંકાયેલી દશામાં રહે છે. તેને તેઓ સંસારી જીવ કહે છે. જગત એટલે જીવના અનુભવમાં આવતું વિશ્વ કેવળ શૂન્ય નથી, પરંતુ વ્યવહાર સાધનાર સાચું છે. તે જગત પરમેશ્વરની માયા વડે બ્રહ્મસ્વરૂપમાં વિવર્તરૂપે ભાસે છે, અને જીવને તે અવિદ્યા વડે સાચું છે એવો ભ્રમ થાય છે. આ જગત સાચું છે એવી દૃઢ ભાવનાને જીવચેતન સંસારી દશામાં કર્મના વિપાક અનુસાર જન્મજન્માંતર પામે છે, પરંતુ ભ્રમ નૃિવત્ત થતાં તે પોતાના શુદ્ધ રૂપને ઓળખે છે. તેથી જેમ લાંબું સ્વપ્ન અનેક કાળના રંગને દર્શાવતું છતાં જાગ્રત, અવસ્થામાં એક ક્ષણમાં અળપાઈ જાય છે તેમ વ્યવહારસત્તાના અનાદિકાલના ભ્રમથી સંસારી જીવનો સંસારીપણાનો એટલે બદ્ધદશાનો ભાવ સત્ય બ્રહ્માત્મજ્ઞાન વડે અળપાઈ જાય છે.
૧.
૨.
3.
૪.
૧.
અખો પોતાના નિશ્ચયો ઘણા ગર્ભિત શબ્દોમાં સચોટ જણાવે છે. જગતનું લક્ષણ
જગત નામ જગદીશજ તણું, જોયામાં કારણ છે ઘણું, ચિત્ત સહિત જોતાં તો જગત, ચિત્ત રહિત છે અવ્યક્ત. જો દીસે જગનાથ તો, જગત ન દીસે જન અખાં. કદળીસ્તંભ ઘણાં પડ વળે, વચમાંથી લુંબો નીફળે. જગત કાતરો કેમ મહાભૂત, જે વડે રંગી તે અદ્ભુત, અખા અરૂપી ઉગ્યો જોઈ, પૂર્વ પક્ષ ન કરશો કોઈ. ૫૨ કેતાં પરબ્રહ્મ હરિ, અને પંચ કેતાં પંચભૂત, એ પ્રપંચનામ જૂઠા તણું, એમ પ્રકટ્યો વંધ્યાસુત. ગુરુશિષ્યસંવાદ-પ્રથમ ખંડ, દોહરા ૩૩
જીવનું લક્ષણ
કાર્યોપાધિ તણું નામ જીવ, કારણોપાધિ ઈશ્વર સદૈવ.
ગુશિ સંવાદ ૩ ખંડ ચોપાઈ ૭
For Personal & Private Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
४०
૨.
3.
૪.
૧.
૨.
3.
૪.
૫.
વિદ્યામાં પડતો આભાસ, એટલે ઈશ્વર સર્વાવાસ, અવિદ્યામાંહી પડયો. આભાસ, એટલે હવો જીવ પ્રકાશ. પંચીકરણ ૬૭.
તું તો ચિત્ત ચિની છે લ્હેર, ચિદ્ સાથે કંઈ નથી વેર, જ્યારે સુરત ચાલી તુજ બ્હાર, ત્યારે તું કેવળ સંસાર. તેજ સુરત જો પાછી શર્મ, આવી વસ્તુ પરણે નમે તું વિલાસ પ્રભુ ચેતનતણો, કાં તુ રાખે ભાર આપણો ચિત્તવિચારસંવાદ ૯૧-૯૨.
નાંહી મિથ્યા નાંહી સાચો, રૂપ ઐસો જીવકો જન્મ. મરનોં ભ્રમનસંશય, ચલ્યો જાય સદૈવકો
અખો
(બ્રહ્મલીલા ચો. ૨૯૬)
ઈશ્વરલક્ષણ -
વેદાન્તે જે ઈશ્વર કહ્યો,તે જોવા નહિ કોઈ અળગો થયો, તે ઈશ્વર છે. સર્વાવાસ, જેણે સઘળો શબ્દવિલાસ. ચિરવિ સં૰ ૮૪.
એ તો અખા બહુ ઉત્પાત, ઘણા પરમેશ્વર ક્યાંની વાત. (છપ્પા ફુટકળઅંગ ૬૨૮)
અમૂર્તની મૂર્તિ આ સઉ, અણુનામીનાં નામ જ બહુ. છપ્પા ૫૩૬
બહુ પગને બહુ પાણિ, બહુ નાસા ને બહુનેત્ર બહુ, કરતા ન કરે કાણા, અંગ વિવરણ અળગાં અખા. નીચથી અતિશે નીચે, આચાર તો નવ કર્મ અસંખ્યાનો કીચ, તુંને ન લાગે
ઓસરે,
ત્રીકમા
For Personal & Private Use Only
નર નર મધ્ય નારાયણ નિર્ગુણ સગુણ સો નારા ભેખ કછો હે
સંતપ્રિયા.
સોરઠા ૨૨૨
Page #50
--------------------------------------------------------------------------
________________
અખો
૪૧
(૪) અખાના તાત્ત્વિક સિદ્ધાન્તો અખો માત્ર તત્ત્વચિંતકજ ન હતો, પરંતુ તત્ત્વનિષ્ઠ અથવા બ્રહ્મનિષ્ઠ હતો. તેના સિદ્ધાન્તો તારવવા હોય તો મુખ્યત્વે કરી તેના નીચેના ચાર ગ્રંથોનો આધાર લેવો પડશે :
ચિત્તવિચારસંવાદ તથા ગુરુશિષ્યસંવાદ અખેગીતા તથા કૈવલ્યગીતા
ઉપરના બે સંવાદો તથા અખેગીતાની રચના રચવામાં અખાએ વેદાન્તશાસ્ત્રના સંસ્કૃતમાં રચાયેલા પ્રકરણગ્રંથો તથા ભગવદ્ગીતાને સામા આદર્શરૂપે લીધાં જણાય છે. શંકરાચાર્યના વિવેકચૂડામણિ, ઉપદેશસાહસ્રી વગેરે પ્રકરણગ્રંથો ગુરુશિષ્યના સંવાદરૂપે છે, અને ભગવદ્ગીતાગ્રંથ, જે આપણા હિંદુ ધર્મના સનાતન સિદ્ધાન્તોને કલિયુગમાં યુગધર્મ તરીકે દર્શાવનાર કોઈ અપૂર્વ પ્રતિભામય ગ્રંથ છે તેનાં અનુકરણો સંસ્કૃતમાં લગભગ ચૌદ થયાં છે :–રામગીતા, ગણેશગીતા, શિવગીતા, દેવગીતા, શક્તિગીતા, (વીગીતાથી જુદી છે), કપિલગીતા, અષ્ટાવક્રગીતા, “અવધૂતગીતા, હંસગીતા, શ્રેમગીતા, પાંડવગીતા,
સૂર્યગીતા, બ્રહ્મગીતા, અનુગીતા. આ સર્વ ગીતાઓમાં પૂર્ણાવતારી શ્રી કૃષ્ણના અનુભવોની જેવી સ્પષ્ટ સ્મૃતિ બિલકુલ નથી પરંતુ તે તે લખનારની અનુભૂતિની કંઈ કંઈ ઝાંખી માત્ર છે તેવી તે ઝાંખી પોતાના અનુભવની અખાએ પોતાની “અખેગીતામાં દેખાડી છે. અખાના અનુયાયીઓ તેને અક્ષયગીતા નામ આપે છે, અને તેની લેખી પ્રતના અંતમાં મહાવિદ મોક્ષયિની એવું વિશેષણ આપે છે. આ વિશેષણ વડે તે ગ્રંથનું તાત્પર્ય આપણે સમજી શકીએ એમ છે. તે ગ્રંથમાં સર્વ વિદ્યામાં મોટી બ્રહ્મવિદ્યાનું સ્વરૂપ છે. અને તે પાંડિત્ય મેળવવા નહિ, પરંતુ પોતાના બંધની નિવૃત્તિ કરવા અર્થે છે. તે ગ્રંથનાં ચાલીસ કડવાં અને દસ પદમાં અખાએ :- (૧) બ્રહ્મ અથવા હરિનું સ્વરૂપ, (૨) તેની ઉપાધિરૂપે બનેલી માયાનું રૂપ અને તેનાં પરિણામો, (૩) વૈરાગ્ય, ભક્તિ, અને જ્ઞાનરૂપ સાધનોનો વિચાર, (૪) જીવન્મુક્તિ, અને (૫) વિદેહમુક્તિનું વર્ણન (૬) હરિગુરુ સંતની ભક્તિમાં સર્વ ગહન વિદ્યાની ચાવી છે, અને (૭) અદ્વૈતપદની નિષ્ઠા કેવી હોય - એ સિદ્ધાન્તો સરલ ગુજરાતી ભાષામાં
For Personal & Private Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
અખો વર્ણવ્યા છે. મારા પૃથક્કરણ પ્રમાણે કડવાનું વિષયવર્ગીકરણ અને સંગીત નીચે પ્રમાણે જણાય છે :કડવું વિષય
સંગતિ-પૂર્વાપર ઉપક્રમરૂપ કડવાં ૧-૨ ૧. હરિગુરુ સંત સ્તુતિ. મંગલાચરણ
પ્રાચીન કવિઓ સાથે પોતાની હરિગુરુ સંતની કૃપા વડે જ તે નિકૃષ્ટતા પ્રથમખંડ (૩-૧૬) પોતાનો અનુભવ જણાવે છે. એવી
(જગત-જીવ-વિષયક) પૂર્વના કડવા સાથે સંગતિ છે. ૩. આત્મરૂપ હરિની ઓળખ પ્રાચીનોએ હરિને આત્મારૂપે
ઓળખ્યા હતા. અને જુદા દેવરૂપેનહિ. ૪. હરિને અત્મારૂપે ન ઓળખ- હરિ માયા અને જીવની અ
વાથી જીવનો ભ્રમમય સંસાર વિદ્યાવડે જીવત્વ ઊભું થવાથી ઊભો થાય છે.
હરિને આત્મારૂપે ઓળખાતો નથી. માયાનું સ્વરૂપ. - માયાનો ઉદય અને તેનો વિસ્તાર. ૬. માયા-અવિદ્યાનાં કામકર્મ માયા-અવિદ્યાના જીવ ઉપર
અને ભવ એ પરિણામો. થતાં પરિણામો. માયા બાહ્ય જગતનું પણ જીવની સૃષ્ટિ ઉપરાંત ઈશ્વરની કારણ બને છે.
સૃષ્ટિ પણ માયા વડે ઊભી થાય છે. માયાનો અંત થાય તો સૃષ્ટિ જે નિમિત્તથી સૃષ્ટિ, તે
માત્રનો લય થાય. નિમિત્ત અળપાતાં લય. ૯. માયા નિવૃત્તિના ઉપાયો લય કરવાનાં કારણ શોધવાની
વૈરાગ્ય-ભક્તિ-જ્ઞાન. સ્વાભાવિક અગત્ય ઊભી થાય છે. ૧૦. ભક્તિ એક પંખિણી છે. તેની સર્વ સાધનોમાં ભક્તિ એ
પાંખો જ્ઞાનવૈરાગ્ય છે. અંગી છે અને વૈરાગ્ય અને જ્ઞાન
For Personal & Private Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
43
અખો
એ અંગ છે. ૧૧. આ ભક્તિ તે નિરાશી પ્રેમ- લોકપ્રસિદ્ધ ભક્તિ કરતાં આત્મ
લક્ષણા અને સર્વાત્મભાવના ભાવની લગનીવાળી ભક્તિ વિરહરૂપ સમજવી.
વેદનાવાળી સમજવાની છે. ૧૨. આવી ભક્તિવડે જ્ઞાનનિષ્ઠા સાચી ભક્તિવડે નર નારાયણ
અને હૃદયપલટો થાય છે. બની જ્ઞાનનિષ્ઠ થાય છે.
અને માયા શમે છે. ૧૩- જ્ઞાનનિષ્ઠ-જીવન્મુક્ત જીવન્મુક્તિરૂપ ફલની સિદ્ધિ ૧૬ મહાપુરુષનાં લક્ષણો અને અર્થે આ હૃદયપલટાની અને મહિમા
અજ્ઞાનની નિવૃત્તિની જરૂર છે. બીજો ખંડ (૧૭ થી ૨૩ પરબ્રહ્મવિષયક) ૧૭- બ્રહ્મ વસ્તુ નિરૂપણ નારાયણ અથવા હરિરૂપે
પોતાને ઓળખવાનું પ્રતિપાદન
પ્રથમ ખંડમાં થયું, તે હરિનું શુદ્ધ રૂપ શું? ૧૯ બ્રહ્મવસ્તુને આત્મરૂપે ઓળખ- નિર્ગુણ નારાયણ સ્વામીના પિંડમાં
નાર-ઈશ્વર, માયાજીવના ભેદ સગુણ બને છે.
સમજાવી શકે છે. ૨૦ સંસારનું નાટક શી રીતે ઊભું સગુણરૂપે જગતનું નાટક
થાય છે અને સૂત્રધાર શી રીતે સંસારરૂપે છે, નિર્ગુણભાવ તે અળગો રહે છે?
મૂલપદે રહેવું. અથવા નાટકરસની
સમાપ્તિ છે. ૨૧ નાટકરૂપે અધ્યારોપ અને સંસાર કેવળ પ્રતીતિરૂપ છે.
અવધિએ અપવાદ અથવા અને વસ્તુ બદલાતી નથી. એ લય.
નિર્ગુણપદના જ્ઞાનનું ફલ છે. ૨૨ અધ્યારોપ અને અપવાદનું પ્રતીતિ અને લય શી રીતે
૧૮
For Personal & Private Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
અખો
४४ રહસ્ય દૃષ્ટાન્તો દ્વારા સમજાય છે. વસ્તુ બદલાયા વિના થાય છે
તે સમજવું જરૂરનું છે. ૨૩ આવા અનુભવી-જ્ઞાનની ગતિ સમજનાર દુર્લભ છે. અને અકળ છે.
સામાન્ય જનને પ્રાપ્ત થતા નથી. ત્રીજો ખંડ (૨૪ થી ૨૮)
શબ્દબ્રહ્મ વડે પરબ્રહ્મપ્રાપ્તિ
૨૪ શબ્દબ્રહ્મ અથવા પ્રણવ દ્વારા
બ્રહ્માનુભવ શી રીતે થાય છે.
બીજા ખંડમાં જે પરબ્રહ્મપદનું વર્ણન કર્યું હતું અપરબ્રહ્મ (કાર) શી રીતે સાધન બને છે. શબ્દબ્રહ્મ સાધન છે; પરબહ્મ સાધ્ય છે.
૨૬
શૂન્યવાદ અને બ્રહ્મવાદ અત્યંત નજીકના છે, પરંતુ તેના પાયામાં સિદ્ધાન્તનો ભેદ છે.
૨૫ શબ્દ બ્રહ્મદ્વારા જ્યોતિર્મય
અથવા જ્ઞાનમય બ્રહ્મની
પ્રતીતિ. પ્રણવના અવધિએ જે બિંદુ- ભાવ અથવા શૂન્યભાવ તેમાંથી શૂન્યવાદી અને બ્રહ્મવાદીના નિર્ણયો ઊભા થાય છે. શૂન્ય એટલે જંગત શૂન્ય થયા પછી પૂર્ણબ્રહ્મ કેવળ કહે છે–એ
બ્રહ્મવાદીની ઊંડી સમજ છે. ૨૭ સાચા શૂન્યવાદી કરતાં મિથ્યા
શુન્યવાદી ભયંકર છે, કારણ કે સાચા શૂન્યવાદી વિરાગી હોય છે, મિથ્યાશૂન્યવાદી સંસા
રની આસક્તિવાળા હોય છે. ૨૮ સદેહ છતાં વિદેહી બ્રહ્મવાદી.
સાચા શૂન્યવાદી મિથ્યાશૂન્ય વાદી કરતાં ચઢીઆતા છે, જો કે બ્રહ્મવાદી કરતાં ઊતરતા છે.
દેહ દેખાતો ધારણ કર્યા છતાં વિદેહી સિદ્ધિ કેવી હોય છે.
For Personal & Private Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
પ
અખો
ચોથો ખંડ (કડવાં ૨૯ થી ૩૧)
પરપક્ષમંડન તથા ખંડન ૨૯ છ દર્શનો છે ઉપદર્શનો અનુભવી બ્રહ્મવાદી પરપક્ષના ૩૦ પુરાણ વગેરેના મત મતાંતરો વિચારોનું સમાધાન શી રીતે કરે છે? ૩૧ શું કહે છે અને સત્ય સિદ્ધા ત્તથી કેટલા આઘા છે?
પાંચમો ખંડ (કડવાં ૩૨થી ૩૫)
(ગુરુભક્તિ) ૩૨- હરિગુરુ-સંતની ભક્તિ કેવલ પંડિતોવડે ધ્યેયય બ્રહ્મની ૩૫ વિના તત્ત્વજ્ઞાનનો ઉદય થતો. પ્રાપ્તિ થતી નથી, પરંતુ અનુભવી નથી.
સંતોની ભક્તિ અને તેમની કૃપા વડે
દષ્ટિ ઊઘડે છે. છઠ્ઠો ખંડ (૩૬થી ૩૯)
અદ્વૈતનિષ્ઠા ૩૬-૩૯ અદ્વૈતપદની નિષ્ઠા શી ગુરુભક્તિનું ફલ છે. રીતે બંધાય છે.
ઉપસંહાર (કડવું ૪૦)
ફલસ્તુતિ ૪૦ આ પ્રમાણે ઉપક્રમ અને ઉપસંહારની એકવાક્યતા કરી મધ્યના છે ખંડોમાં અખો પોતાના તાત્ત્વિક સિદ્ધાન્તો સ્થાપવા માગતો હોય એમ સમજાય છે. તેના પોતાના શબ્દમાં કહીએ તો તે અખેગીતામાં ચાર સાધનો અને બે સિદ્ધપદનાં લક્ષણો વર્ણવે છે –
(સાધનમાળા) એમાં જ્ઞાન, ભક્તિ વૈરાગ્ય છે. (કડવાં ૧૦-૧૧-૧૨)
માંહે માયા નિરીક્ષણ દૃષ્ટિ
For Personal & Private Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
અખો
૪૬
(સિદ્ધપદનાં લક્ષણ) જીવનમુક્ત અને મહામુક્તનાં, (કડવાં ૧૩-૧૬) ચહેન (ચિહ્ન) ને વળી પુષ્ટિ; (સમર્થન)
મેં વિષયાનુસારી છ ખંડમાં વર્ગીકરણ કર્યું છે; અખાએ સાધનફલને અનુસાર છ વિભાગ પાડ્યા છે.
અખાના અખેગીતાના પ્રથમ ખંડમાથી તરવાતા સિદ્ધાન્તો
સર્વ સિદ્ધાન્તોની સરખામણીમાં અખાએ પોતાનો તાત્ત્વિક સિદ્ધાન્ત વેદાન્ત ઉપર ઘડ્યો છે, પરંતુ વેદાન્તશાસ્ત્રનો સાચો મર્મ જેઓ મોઢેથી માયાવાદ બોલે છે, અને ઊંડા ભાવથી આ દેખાતા જગતનું મિથ્યાપણું સમજી જાણતા નથી તેમના અનુભવ બહાર રહે છે. અખો રમૂજી વાણીમાં કહે છે કે :
“સાંખ્યને આંખ્ય પા વસાની, જો ચાલે તો ચાલી શકે, વેદાન્તને વાટ સૂઝે સુધી, જો માયા મુખથી નવ બકે”. (“અખેગીતા” કડવું ૩૧-૮)
માયાવાદ માત્ર મોઢે બોલવાની યુક્તિ નથી, પણ અનુભવથી સમજવાની એક કળા છે-એવું અખાનું ખાસ મંતવ્ય છે.
બ્રહ્મની ત્રણ પ્રકારની શક્તિઓ : ચિક્તિ, માયાશક્તિ, પ્રકૃતિશક્તિ
બ્રહ્મતત્ત્વની ચિક્તિનું એક સામર્થ્ય અથવા બલ તેનું નામ માયાઅજા છે. બ્રહ્મચૈતન્યની ચોવીસ જડતત્ત્વરૂપે, અને પચીસમા બદ્ધ પુરુષનો ભાવ આપનારી પ્રકૃતિ શક્તિને પ્રકટ કરી તેને દેખાડી પુનઃ પોતામાં શમાવવાની શક્તિને માયા કહે છે. આ પચીસ તત્ત્વોના રંગો જે આધારમાં ભાસે છે તે છવ્વીસમો પરમાત્મા તે જેવો ને તેવો યથાર્થ રહે છે.
આ ચિક્તિમાં અંતર્ગત રહેલી અને પછીથી બહાર પડતી માયાશક્તિ અખાના અભિપ્રાય પ્રમાણે પરમેશ્વરની આ પટરાણી છે. અને જે પ્રથમ “શૂન્યસ્વામિની’’ એટલે ભેદ ભાવ નહિ પામેલા બ્રહ્મમાં
-
For Personal & Private Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
અખો સંયુક્ત રહી હતી તે છૂટી પડી જગતની ઉત્પત્તિ, સ્થિતિ, અને લય કરનારા ત્રણ ગુણમય દેવોને - બ્રહ્મા, વિષ્ણુ, રુદ્રને પ્રકટ કરે છે. આ શૂન્યસ્વામિની અજા ત્રિગુણમય દેવોની જનની એટલે માતા હતી તે ગુણોનો ભંગ કર્યા પછી તેમની “યોષિતા'- પત્ની થઈ જાય છે. આ કારણથી અખો આ માયા શક્તિને મોટી “નટી” કહે છે.
માયા મોટી જગ માંહે નટીજી તે આગળ કોઈ ન શકે ખટીજી હરિ હર અજથી આગળ વટીજી સમજી ન જાય એવી માયા અટપટીજી
(કડવું ૭મું) બ્રહ્મવસ્તુના સદ્, ચિત્, અને આનંદ નામના સ્વભાવ ધર્મો ભીતરના અધ્યાત્મબળથી સત્વ, રજ, તમ- એ નામના ગુણોનું રૂપ પકડી માયાશક્તિરૂપે પલટાય છે. અખો કહે છે કે :
“જ્યમ જળ જમાયે શીતયોગે, તેહને જડતા પ્રકટે માંહેથી સત્ત્વ, રજ, તમ રૂપે થઈ માયા, પછે એક એકના બહુ થયા.” માયા શક્તિના બંધમાંથી છૂટવાના ત્રણ ઉપાયો :
ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય આ માયા ત્રિગુણાત્મિકા શક્તિરૂપે શૂન્યસ્વામિની થઈ ત્રણ મૂર્તિઓને પ્રકટ કરી તેમની જાયા બની :
પંચભૂતને પંચમાત્રા" તામસના નીપજી રહા, રાજસનાં ઇદ્રિ) દશે, તેના દેવતા. ઈદ્રિય ઇઢિયે તે વસ્યા, આપ આપણું સ્થળ સેવતા. મન બુદ્ધિ ચિત્ત અહંકાર છે, તે સત્ત્વગુણથી ઉપના, એ સૃષ્ટિનાં ચોવીસ કારણ, માયા અબલ રૂપના. પ્રકૃતિ તે પંચવીસમી, પરિવાર સર્વ તેહનો,
પણ છવ્વીસમો પરમાતમા, તે થરથર જ્યમયમ રહ્યો.” આ પ્રમાણે અખાના અભિપ્રાય પ્રમાણે મૂલ ચિક્તિમાં ભીતર
For Personal & Private Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
અખો
૨૪
૪૮ બળરૂપ રહેલી માયાશક્તિ બ્રહ્મતત્ત્વના સચિત્ આનંદ ભાવને પ્રધાન ભાવમાંથી એટલે રૂપમાંથી સત્ત્વ, રજસ્ અને તમન્સ નામના ગુણ એટલે હલકા રૂપમાં લાવી જેમ પ્રવાહી જળ બરફનું રૂપ પકડે તેમ જગતનું રૂપ પકડે છે. અને તેમાં -
તેમાં ભક્તિ (પંખિણી) અને જ્ઞાન વૈરાગ્ય, અંગો (પાંખો). તમો ભાગમાંથી પંચભૂત અને પંચતન્માત્રાઓ ૧૦ રજો ભાગમાંથી દસ ઇન્દ્રિયો પોતપોતાના દેવતા સાથે ૧૦ સત્ત્વ ભાગમાંથી મન, બુદ્ધિ, ચિત્ત અહંકાર નામના ૪
ચાર અંતઃકરણો મળી ચોવીસ તત્ત્વાકાર પરિણામે છે, અને તે ચોવીસ તત્ત્વોને પોષણ આપનારી મૂલ પ્રકૃતિરૂપે પચીસમી ઊભી રહે છે. આ પચીસ વેશ ભજવનારી માયા-નટી જેના આગળ આ વેશ ભજવે છે એવા પરમાત્માના મૂલ સ્વરૂપને કોઈ રીતે ઓછાવત્તા બનાવી શકતી નથી. આ પ્રમાણે આ નાટક ભજવનારી અદૂભુત નટી વડે જે મૂલ ચૈતન્ય આવરણ પામી ઢંકાય છે તે પ્રકૃતિ પાશમાં પડેલો જીવાત્મા ગણાય છે. આ પ્રમાણે બ્રહ્મચૈતન્યની અખાના અભિપ્રાય પ્રમાણે ત્રણ પ્રકારની શક્તિઓ છે :- (૧) મૂલ ચિશક્તિ, (૨) માયાશક્તિ (૩) પ્રકૃતિશક્તિ જુઓઃ- (૧) ચિશક્તિ બ્રહ્માનંદની, - અખેગીતા કડવું ૧ (૨) ઊર્ણનાભ જેમ ઊર્ણા મૂકી, તે મૂકીને પાછી ભખે, તેમ માયા ચિશકિત માટે, મોટું સામ્યર્થ એ વિષે
અખેગીતા કડવું ૭ (૩) પ્રકૃતિ તે પંચવીસમી પરિવાર સર્વ તેહનો કહ્યો. બ્રહ્મચૈતન્યનો સ્વભાવ ધર્મ ચિદૃશક્તિ, અને તેની આવરણ કરનારી માયા શક્તિ વડે તે બ્રહ્મચૈતન્ય વડે તે બ્રહ્મચૈતન્ય જીવનો આભાસ અને બંધ-મોક્ષનો વ્યવહાર ઊભો કરે છે, અને તેની પ્રકૃતિ નામની વિક્ષેપ કરનારી ત્રીજી
For Personal & Private Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
અખો
૪૯
શક્તિ તે માયાથી આવૃત્ત જીવને અનેકાકારવાળું જગત અથવા “દશ્ય’’ પદારથ (જુઓ કડવું ૮મું) દેખાડે છે. આથી બદ્ધ પામેલા આભાસરૂપ જીવને છૂટવાનો માર્ગ પોતે જેનો આભાસ છે તેવા પોતાના છવ્વીસમા પરમાત્માને અથવા હરિને તેણે પોતાના સ્વરૂપ તરીકે ઓળખવાનો છે. કડવાં ૩ થી ૮ સુધીમાં માયાશક્તિ અને તેનાં પરિણામોનું વર્ણન કર્યા પછી નવમા કડવાથી માયા નિવૃત્તિનાં સાધનોનો બોધ અખો કરે છે
-
(૧) પહેલા સાધનને તે હિરનો વિરહ વૈરાગ્ય' કહે છે. પોતાના પરમાત્મા અથવા હિરરૂપ તત્ત્વને જ્યાંસુધી મેળવાય નહિ ત્યાં સુધી જીવને ચેન પડવું જોઈએ નહિ. જેમ માછલું પાણી વિના તરફડે અને તેને કામધેનુના દૂધમાં નાખે તો પણ તેની આપદા દૂર થાય નહિ, તેમ જીવને જો હિરવિરહ સાલે તો જ તે નર હિર થવાને લાયક બને છે.
(૨) આવો હિ૨સંબંધનો વિરહવૈરાગ્ય જેને ઉત્પન્ન થયો છે, તેવો મુમુક્ષુ ખરી રીતે બીજા સાધનરૂપે કોઈ અનુભવી સદ્ગુરુના દ્વારથી “હરિભક્તિને” મેળવે છે. ‘અખાની આ હરિભક્તિ લોકપ્રસિદ્ધ ભક્તિ કરતાં જુદા પ્રકરાની છે. તેનું હરિભક્તિનું સ્વરૂપ દસમા કડવામાં તેણે સ્પષ્ટ કર્યું છે :
તે હિર હિર દેખે સકલમાં, જેહને જીવ જીવ કરી દેખતો, હરિ જાણી હેત ક૨ે સકલમાં, પહેલાં જે ઉવેખતો. હાંરે જાણે થકી ભક્તિ થાયે, તેજ ભક્તિ જાણે ખરી. અજાણે જે આચરે, તેને દ્રોહ થાયે પાછો ફરી. સદ્ગુરુનાં વચન સુણીને, ભક્તિ જેહને ઉપજે. અચિરકાલે તે પામે અત્મા, સદ્ગુરુ વચને જો ભજે. ભાઈ ભક્તિ જેવી પંખીણી, જેહને જ્ઞાનવૈરાગ્ય બેઉ પાંખ છે. ચિદાકાશમાંહે તેજ ઊડે, જેને સદ્ગુરુ રૂપી આંખ્ય છે. દેખે નેત્ર પરબ્રહ્મનાં, પરબ્રહ્મનાં કર્ણ માત્ર. પાદ પાણી પરબ્રહ્મનાં, પરબ્રહ્મ દાતાને પાત્ર. જળે પરબ્રહ્મ સ્થળે પરબ્રહ્મ, સ્વર્ગ મૃત્યુ પાતાલ, ગિરિ ગહર વન વાટિકા, પરબ્રહ્મ જાન ને માલ. (એટલે જાળીઆમાં અને માળીઆમાં)
For Personal & Private Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
પO
પરબ્રહ્મ વિના નહિ ઠામ ઠાલું, એમ દેખે તે ભરપુર જિહાં તિહાં દેખે હરિ ભાઈ, જેનાં પડળ થયાં દૂર. કહે અખો સહુકો સુણો, ભક્તિ આવી તે જંતને.
એવા શુદ્ધ ભજનને પામવા, તમે સેવો હરિગુરુ સંતને. આવી સર્વાત્મભાવનાથી પ્રેમલક્ષણા ભક્તિના પ્રભાવવડે તે સંસારના સર્વ રંગોમાં -
“નિત્ય રાસ નારાયણનો, દેખે તે અનંત અપાર. જિહાં જેવો તિહાં તેવો, નારાયણ નરનાર.”
આ શુદ્ધ પ્રેમલક્ષણા ભક્તિવડે હૃદયનો પલટો થાય છે, અને તે ભક્તને “માયાને ઠામે બ્રહ્મ ભાસે, સંસારનો સંભવ ગયો”
ભક્તિ વડે ઉત્પન્ન થતા શુદ્ધ આત્મજ્ઞાનવડે માયાનો સર્વાશ લોપ થઈ જાય છે.
જાગ્યો ત્યાં થઈ ચેતના, નિદ્રા સાથે સર્વે પળ્યું ત્યમ તુરીયા વડે તિમિર ત્રાસે, ચિત્ત ચમક્યું હું તું તે ટળ્યું.
(કડવું ૧૨)
અખાની ભક્તિ સર્વાવાસ હરિને આત્મરૂપે ભજવાની છે. આ પ્રેમલક્ષણા ભક્તિને તે નિરાશી-ફલની કોઈ પણ પ્રકારની આશા વિનાની બાશીમી નિર્ગુણ ભક્તિ કહે છે, જયારે સગુણભક્તિના એકાશી પ્રકારો સકામભક્તિના છે. આ એકાશી ભક્તિનો ઉલ્લેખ અખો ચિત્તવિચારસંવાદમાં ૩૮૭ થી ૩૯૦ની કડીઓમાં કરે છે. તેનું પૃથક્કરણ નીચે પ્રમાણે શ્રીધર સ્વામીની (જુઓ ભાગવતતૃતીય સ્કંધ, ૨૯મો અધ્યાય) ટીકાને અનુસાર આપણને મળી આવે છે.
For Personal & Private Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
અખો
૫૧
સાત્ત્વિક
રાજસ
કર્મક્ષયને અર્થે હરિપ્રીત્યર્થે વિધિસિદ્ધિ વિજય મેળવવા, યશ મેળવવા, ઐશ્વર્ય અર્થ એટલે | અર્થે
અર્થે મેળવવા શાસ્ત્રની | ૧ આજ્ઞાના પાલન અર્થે
અર્થે
૩
તામસ
હિસાથે | દંભાર્થે માત્સર્યાર્થેિ
૧ ૨ આ પ્રકારે ચિત્તના ત્રણ પ્રકારનાં ભેદો અને પ્રયોજનોને લક્ષમાં લઈ નવ પ્રકારની ભક્તિ થાય. તે પ્રત્યેકને ભજવાના પ્રકારના નવ પ્રકારના ભેદો વડે ગુણવાથી એકંદર ૮૧ પ્રકારની ભક્તિ થાય છે. ભજવાના નવ પ્રકારના ભેદો :
(૧) શ્રવણ, (૨) અર્ચન, (૩) વંદન, (૪) કીર્તન, (૫) પાદસેવન, (૬) સ્મરણ, (૭) દાસત્વ, (૮) સખ્યત્વ, (૯) આત્મનિવેદન. આ સગુણભક્તિનાં રૂપો તથા દંભ ભક્તિ બાબત અખો છપ્પામાં સ્વતંત્ર “અંગોમાં” વિવેચન કરે છે.
અખાના અભિપ્રાય પ્રમાણે મોક્ષની સાધનશ્રેણી :૧. વિરહવૈરાગ્ય ૨. હરિભક્તિ ૩. આત્મદર્શન આ ત્રણ પગથિયાંનીજ છે.
જે મહાપુરુષને આ બ્રહ્માત્મદર્શન સિદ્ધ થયું છે, તેને જીવન્મુક્ત કહે છે. અને તેનાં લક્ષણો તે કડવાં ૧૩-૧૬માં ઘણી ચમત્કારિક વાણીમાં અખો ગાય છે.
For Personal & Private Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
અખો
પર
અખેગીતાના બીજા ખંડનું તાત્પર્ય જીવન્મુક્ત જે પદને પ્રાપ્ત કરી કૃતકૃત્ય થાય છે તેનું વર્ણન અખેગીતાના બીજા ખંડમાં (કડવાં ૧૭-૨૩ સુધીનાં છ કડવા) આવે છે. અખો દૃષ્ટાંતવડે જીવન્મુક્ત મહાપુરુષદ્વારાજ આ પદ સ્પષ્ટ કહે છે. જીવન્મુક્તનું અથવા અનુભવી સ્વામીનું જીવન બ્રહ્મ વસ્તુની ખાત્રી આપે છે.
છો કૈવલ્ય સ્વામી તમો, દિસો ઈશ્વર, માયા જીવ, એ ત્રણ પ્રકારે થાઓ તમે, પણ સ્વભાવે તમે શિવ.” બ્રહ્મચેતન્યના માયા દ્વારથી જીવ-ઇશ્વર વિભાગ અને
પરબ્રહ્મનું અખંડ નિર્વિકાર અધિષ્ઠાન કૈવલ્ય અથવા નિયમુક્ત બ્રહ્મપદ ઈશ્વરરૂપે, માયારૂપે, અને જીવરૂપે ભાસે છે. કૈવલ્યપદનું-ધામ-વીર્ય જયારે માયામાં પડે છે ત્યારે ઈશ્વરભાવ ઉત્પન્ન થાય છે, અને તેના ઐશ્વર્યવડે અનેક આભાસરૂપ જીવો ફુરે છે. શુદ્ધ ચૈતન્ય સૂર્યબિંબ જેવું રહી તેનાં કિરણો કોઈ પચરંગી કાચના મંદિરમાં ઊતરે અને વિચિત્ર રૂપો દેખાય તેમ જીવોના અનેક આભાસો માયાના મંદિર વડે દેખાય છે –
જેમ કાચનું મંદિર રચ્યું, નીલ પીત શુભ્ર શ્યામનું તે ઉપર તપ્યો સૂર જ્યારે, ત્યારે વિચિત્ર રૂપ થયું ધામનું કૈવલ્ય સૂરજ તપે સદા, માયા તે મંદિર કાચ, ઈશ્વરનામ તે તેનું ભાઈ જીવ થઈ માન્યું સાચ. અધિષ્ઠાન તે તમે સ્વામી, તેણે એ ચાલ્યું જાય, અણછતો જીવ હું છું કરે, પણ ભેદ ન પ્રીછે પ્રાય. કહે અખો તમે નાથ નિર્ગુણ, થયા સગુણ વેશે જીવને,
એ કલા તમારી પ્રીછવા, જીવ સેવે હરિગુરુ સંતને. શુદ્ધ કેવલ્યપદ તે સાચો સૂર્ય (નિર્ગુણ) માયાના પંચરંગી કાચમાં તે કૈવલ્યબિંબનાં જે કિરણજાળો ઊતરી અનેકરૂપે જે સૂર્યબિંબ પલટાય તે સગુણ ઈશ્વર અને તે ઈશ્વરના અનેક રંગોમાં સાચાપણું માન્યા કરે એવો
For Personal & Private Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
અખો
૫૩ આભાસ તે જીવ. આ બધા ખેલ એકજ કેવલ્યપદના માયાદ્વારથી ઊભા થાય છે.
આ ઉપરથી જીવનું જીવત ખરી રીતે કલ્પિત ચૈતન્યના આભાસરૂપ છે, જો કે તે આભાસમાં પોતાના ઉત્પાદક બિંબભાવને ઓળખવાનું સામ્યર્થ છે. અખો કૈવલ્ય બ્રહ્મપદ, ઈશ્વરપદ અને જીવપદ એ ત્રણેન વિવેક કરી પહેલાને પરમ સત્ય, બીજાને વ્યવહાર સત્ય, અને ત્રીજાને પ્રતિભાસિક સત્ય માને છે.
કેવલ્યપદ તમે નિજ સ્વરૂપે, ઈશ્વરપદ છે અનંત, મોટું સામર્થ્ય માયાકેરૂં જ્યાં ઉપજે મિથ્યા જંત.
(કડવું ૨૦) પરમ સત્ય તે “નિજસ્વરૂપ”, વ્યવહાર સત્ય તે ઈશ્વરનું “અનંત ઐશ્વર્ય” માયાદ્વારથી પકટ થતું અને પ્રતિભાસિક સત્ય તે “મિથ્યાજંત” એટલે કલ્પિત જીવો. - મિથ્યાજંતુઓ અનંત ઈશ્વરના ઐશ્વર્યને પરમ સત્ય માની મોહ પામે છે, જયારે ઈશ્વર પોતાના શિવપદને એટલે કૈવલ્યપદને સાચું માની મુક્ત રહે છે.
એક જ પરમાવતુ પોતાના અંતર્થ વડે ઈશ્વર, મામા, અને જીવરૂપે શી રીતે ભાસે છે તેનું નીચે પ્રમાણે વર્ણન અખો કરે છે :
જેમ દર્પણ મૂકીએ સામસામાં, તે પ્રતિબિંબ એક એકમાં, તે અન્યોન્ય અનંત થાયે, દષ્ટ પહોચે છેકમાં. તે દર્પણ દર્પણ માંહે રચના, દીસે પ્રકટ પ્રમાણ, એક એકમાં અળગા અળગ, ચંદ તારા બહુભાણ. અનંત ભાસે સામ સામા, એકના ઉદમાં એક, સિદ્ધાન્તને તમો એમ જાણો, કહું વસ્તુ-વિવેક. આદર્શ નિર્મલ અતિ ઘણું, પરબ્રહ્મસ્થાની તેહ, તેહમાં અજા આછી અણછતી, ભઈ આવી ભારો એહ.
For Personal & Private Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
૫૪
અખો તે અજામધ્ય ઉપાધ્ય બહોળી, તે જાણો અહંકૃત્ય, જેમ મુકુરમાં અનંત દીસે, રૂપની સંસ્કૃત્ય. કહે અખો સહુકો સુણો, સંસ્કૃત્ય ન ભામે જંતને, એ ગીતાનું તે હારદ સમજે જો સેવે હરિગુરુ-સંતને.
(કડવું-૨૨) આ પરબ્રહ્મસ્થાની અતિ નિર્મલ આદર્શ ખરી રીતે સાનથી સમજાય છે. કંઈ સામા પદાર્થ તરીકે દેખાડી શકાતું નથી.
“ભાઈ સાને સમજે સંત શૂરા, પણ કર રહીને નથી આલવા, એતો પોતે હુંકારો દે પોતાને, તો જાય કેહને ઝાલવા. તો કહે અખો સહુ કો સુણો, અકળ કળા મહંતને, મરી જીવ્યાનો મર્મ લેવો, સેવો હરિ ગુરુ-સંતને.”
(કડવું-૨૩) આ સાનથી સમજાય એવું મહામુક્તનું વર્ણન છે. જ્યારે પ્રત્યક્ષ અનુભવથી સમજાય તેવું જીવન્મુક્તનું વર્ણન ૧૩-૧૬ કડવાંમાં આપવામાં આવ્યું છે. મહામુક્તને અખો “વિદેહી' કહે છે. તે વિદેહીનું સ્વરૂપ અઠ્ઠાવીસમા કડવામાં પણ વર્ણવે છે.
અખેગીતાના ત્રીજા ખંડનું તાત્પર્ય અક્રમ બ્રહ્મજ્ઞાનનું સાધન-પ્રણવોપાસના-અપર બ્રહ્મવડે
- પરબ્રહ્મની પ્રાપ્તિ “અખેગીતા”ના ત્રીજા ખંડમાં (કડવાં ૨૪-૨૮ સુધીમાં) અખો કૈવલ્યપદ ક્રમવાળાં સાધન શ્રેણીવડે પ્રથમ ખંડમાં મેળવી શકાય છે એમ કહી ગયો છે. તે પદ ક્રમ વિનાના એટલે અક્રમ ભાવવડે મેળવી શકાય છે. એવું જણાવે છે. આ અક્રમ બોધ માર્ગને તે “વણક્રમે હોય પંથનો પાર” એમ કહી સમજાવે છે. આ વણક્રમે આત્મવસ્તુનો બોધ થાય તે સાધનને અજપાજાપ અથવા પ્રણવનું અનુસંધાન કહે છે.
For Personal & Private Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
પપ
અખો નાદબ્રહ્મ (વાચક)
દ્વાર અર્થબ્રહ્મ (વાચ્ય) ૧. પરા વાણીથી પારનો શબ્દ (ચૈતન્ય) પરબ્રહ્મના બોધક ૨. પરા વાણી
(કલ્પના) અરૂપીકામ અથવા સંકલ્પ
પ્રકટાવે ? ૩. પશ્યતી વાણી (કામના) અરૂપી કામ, રૂપી ભાવ
પ્રકટાવે ૪. મધ્યમા વાણી (કલ્પના) રૂપીભાવ રૂપવાળા અનેક
શબ્દના ઘાટો ઘટે ૫. વૈખરી વાણી (ઉચ્ચારો) અનેક ઘાટવાળા પદાર્થો
સમજાવાથી તેવી વાણી વડે
સમજાવવાનો વેગ આવે. શબ્દબ્રહ્મ અથવા પ્રણવના અનુસંધાનને સમજાવનારી અખાની વાણી અત્યંત સ્પષ્ટ ભાવબોધક છે, અને વાણીના પરા-
પતી-મધ્યમા-વૈખરીનું સંસ્કૃત ભાષાનું જે રૂપ સ્પષ્ટ કરવામાં આવે છે તેના કરતાં તે વધારે સરલ છે.
ભાઈ પરાપરથી શબ્દ ઉઠે, તે જુગતે જાડા થાય, પરા છે પરમાત્મા તે, હેં ચૈતન્યઘન રાય'. તે મન ધારાએ મહાતમ ધરે, તે મનને ઉઠે કલ્પના કલ્પનામાં કામના છે, તે કરે બહુ જલ્પના પરાતીત શું હોય પોષણ, તે શબ્દ રૂપ પરા કરે, તે પયંતીએ થાય જાડો, અરૂ૫ ફીટી રૂપ ધરે. મધ્યમાએ ઘાટ ઘડાએ, અને વૈખરી થઈ વિખરે, સંસ્કૃતિ વિદ્યા શબ્દ કેરી, અનંત પ્રકારે ઓચરે. અક્ષર બાવન અનંત રૂપે વેદ પુરાણ સ્મૃતિ લખે. મંત્ર યંત્ર ને વિદ્યા અવિદ્યા, કાંઈ એ ન હોય વાણી પશે.
(કડવું ૨૪) પ્રણવ અથવા શબ્દબ્રહ્મદ્વારા પરબ્રહ્મની ઓળખ કરવાની “વણક્રમ'
For Personal & Private Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
પદ
અખો
વાળી પદ્ધતિને અખો જેમ ધુંધવાતો અગ્નિ છેવટે જ્યોતિનું રૂપ પકડે છે, તેમ સ્વસંવેદ્ય બોધજનક પ્રક્રિયા કહે છે. અખો કહે છે કે શબ્દબદ્મના જયોતિર્જનક સામર્થ્યને શૂન્યવાદીઓ જાણતા નથી અને તેથી પૂર્ણ બ્રહ્મવાદીથી તેઓ જુદા પડે છે. શૂન્યવાદીનો અગ્નિ ધંધવાતો લાકડા જેવો છે, જયારે બ્રહ્મવાદીનો અગ્નિ શુદ્ધ જ્યોત જેવો છે. બૌદ્ધ મતના શૂન્યવાદનો અને વેદાન્તમતના બ્રહ્મવાદનો ભેદ કડવો ૨૫-૨૬-૨૭માં અખો બહુ સરલ ભાષામાં આપણને શીખવે છે - "
ધુંધવાતો ચોખે ભર્યો, તે શૂન્યવાદીનો વાદ, ધૂમ્ર ભર્યો અતિ ધૂખલો, તે ચાલ્યો જાય અનાદ્ય. તે કાષ્ઠ હોય કૃશાનું હોય, કરે તે ઘોર અંધકાર, દારૂના દળથકી ટળ્યો, અને ઝળક્યો નહિ ઝાત્કાર. તેમ શૂન્યવાદીને સત્તા ખરી, પણ આતમ નહિ ઉદ્યોત, કથે પણ તેમનો કલેશ ન ટળે, જેવી ચિત્રામણની જ્યોત. જેમ ચિત્રદીપ દીસવા લાગે, પણ અજવાળું નવ થાય, તેમ શૂન્યવાદી સર્વનાશ કહે, પણ મૂલમહિમા ન પ્રીછાય. તે પ્રપંચને મિથ્યા કહે, પરમાત્મા કહે નથી, કર્મ ધર્મને તે પરઠ, કહે જગત સર્વે શૂન્યથી. કહે શૂન્ય ઉપજે શૂન્ય સમાયે, શૂન્ય માંહે સ્થિતિ કરે, શૂન્યમાં આશય છે તેહનું, કહે મુઓ ફરી નહિ અવતરે. કહે અખો શૂન્યવાદી, " પામે મૂલ તંતન, પ્રભુ પરમાર્થ તેહજ પામે, જે સેવે હરિગુરુ સંતને.
(કડવું ૨૫) ત્યારે શૂન્યવાદ અને બ્રહ્મવાદમાં નીચે પ્રમાણે તાત્ત્વિક ભેદ સમાયેલા છે :બૌદ્ધ મતના શૂન્યવાદમાં અને વેદાન્તમતના પૂર્ણ બ્રહ્મવાદમાં
ક્યાં વિચાર ભેદ સમાયેલો છે ૧. જ્યારે બદ્ધ મતના શૂન્યવાદી જગતનો જેમ અગ્નિ સળગાવવામાં આપણે લાકડાનો ઉપયોગ કરીએ તેમ સત્તા અથવા સદૂભાવ સ્વીકારે છે, પરંતુ તે જગત અથવા પ્રપંચ મિથ્યા છે એમ માને છે, અને તેથી પીઠમાં
For Personal & Private Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
અખો પરમાત્મારૂપ વસ્તુ નથી એમ માને છે, ત્યારે વેદાન્તમતના બ્રહ્મવાદી જગતને અથવા પ્રપંચને વ્યાવહારિક ઉપયોગવાળું લાકડું ખરું માની તેને સળગાવી પરમાત્મારૂપ ઉદ્યોતના સાધન તરીકે તેનો સ્વીકાર કરે છે.
૨. જ્યારે બૌદ્ધમતનો શૂન્યવાદી પ્રપંચને ધુંધવાતું બનાવી જગત જેવું જડરૂપે છે તેવું પણ દેખાડતો નથી તેમ તે ચૈતન્યનું નિર્વાહક છે એમ પણ સમજાવતો નથી પણ વધારે આંખો ચોળાવી અંધકાર ઊભો કરે છે, ત્યારે વેદાનતમતના બ્રહ્મવાદી જગતને સળગાવી શુદ્ધ જયોત જેવા આત્મસાક્ષાત્કારને પ્રકટ કરી દેખાડે છે. બૌદ્ધ શૂન્યવાદીની સમજણ ચિત્રામણના દીવા જેવી છે, જયારે વેદાન્ત બ્રહ્મવાદીની સમજણ સાચા દીવા જેવી છે.
૩. જયારે બૌદ્ધમતના શૂન્યવાદી કર્મધર્મની વ્યવસ્થા કરી શકતા નથી, ત્યારે વેદાન્તમતના બ્રહ્મવાદી કર્મધર્મની વ્યવસ્થા બતાવી મૂલ તંતુને જેવું ને તેવું જણાવે છે.
અખેગીતાના ચોથા ખંડનું તાત્પર્ય પરપક્ષોનું વર્ણન અને ખંડન અને અનુભવી મહાપુરુષના હાથમાં
અદ્વૈતનિષ્ઠાની ત્રિજોરીની કુંચી અખાએ “અખેગીતા”ના ત્રણ ખંડમાં પોતાના તાત્ત્વિક સિદ્ધાન્તોની સમજણ આપ્યા પછી, પરપક્ષોની કેવી સમજણ છે, અને તેમાં કેવા દોષો હોય છે તેનું વર્ણન ચોથા ખંડનાં કડવાં ૨૯, ૩૦, ૩૧માં કર્યું છે અને જણાવે છે કે સાંખ્યશાસ્ત્રવાળાની દૃષ્ટિ પા વસાની ખરી છે, પરંતુ વેદાન્તની દૃષ્ટિ પૂરી છે, પણ તેની નિરાવરણ દષ્ટિ ક્યારે ગણાય કે તે વેદાન્તી મોઢેથી માયાનાં બકવાદ કરનારો ન હોય પરંતુ અનુભવી જ્ઞાની હોય તો જ.
અખેગીતાના પાંચમા અને છઠ્ઠા ખંડનું તાત્પર્ય આવા અનુભવી સંતને જેઓ મેળવી શકે છે અને તેની સેવા અને ગુણોનું અખંડ ચિંતન કરી જાણે છે તેને જ આ દસ્તર સંસાર તરવાની નૌકા મળે છે :
For Personal & Private Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
૫૮
અખો
“નર નારાયણ એક વર્તે, વંદનીય તે નર સદા, દુસ્તર તારક નાવ હરિજન, નિઃકારણમાંહે મુદા. કહે, અખો સુખે હોય, યોગક્ષેમ મહંતને,
દેહધારી સરખા દીસે, પણ રહે પદ અનંતને. અખેગીતાની “મોક્ષદાયિની બ્રહ્મવિદ્યા”ની કૂંચી અખાએ હરિ ગુસંતના હાથમાં સોંપી છે. અને તેનો ટકોર તે પ્રત્યેક કડવાના અંતમાં ઘંટનાદ જેવો કરે છે.
..............તો સેવો હરિગુરુ સંતને. અખેગીતાની “મોક્ષદાયિની બ્રહ્મવિદ્યા”ની ત્રિજો રી તેની “અદ્વૈતનિષ્ઠા” તેનું વર્ણન કડવા ૩૬માં છે તેમાં આવી સમાયેલી છે, ત્યારે તેની કૂંચી “હરિગુરુસંત”ની સેવામાં છે.
“એ ગીતા તે દ્વૈત સમાવેજી વાગજાલ વાગે ત્યારે લક્ષ્ય આવેજી.” આથી દ્વતશમનમાં અખેગીતાનું રહસ્ય છે. અત્ર સ્વાભાવિક પ્રશ્ન થશે કે વૈત અથવા જગતભેદ, જીવભેદ જે આપણા અનુભવમાં આવે છે તેનું શમન શી રીતે થાય?
આ દૈત અથવા ભેદનું સ્વરૂપ અને તેને શમાવવાના પ્રકારો અખાએ વધારે સ્પષ્ટતાથી તેના ચિત્તવિચારસંવાદ અને ગુરુશિષ્યસંવાદમાં આપ્યા છે. પ્રથમ ગ્રંથમાં ઘણે ભાગે દૃષ્ટિસૃષ્ટિવાદનો સ્વીકાર કર્યો છે, અને બીજામાં સૃષ્ટિદષ્ટિવાદનો સ્વીકાર કર્યો છે. બંને પ્રક્રિયામાં સચ્ચિદાનંદ બ્રહ્મતત્ત્વજ પરમાર્થ સત્ય છે એ દેખાતો સંસાર તેની સરખામણીમાં ખોટો જો કે વ્યવહાર સાધનાર સત્ય છે. દષ્ટિસૃષ્ટિના વાદમાં આપણા અનુભવમાં આવતું જગત આપણા ચિત્તે અનાદિકાલની નામરૂપની મિથ્યા વાસનાથી ઊભું કરેલું છે, અને તે સચ્ચિદાનંદ બ્રહ્મનામના અધિષ્ઠાનને સમજવાથી શમે છે. એવું પ્રતિપાદન છે. દ્વતની દૃષ્ટિથી જગતની સૃષ્ટિ, અને દ્વતની દષ્ટિ પલટાઈ જાય તો બ્રહ્મદર્શન એ પહેલા વાદનું તાત્પર્ય છે. બીજા વાદમાં માત્ર જીવની દૃષ્ટિ ઉપર જ સૃષ્ટિનો આધાર નહિ માનતાં વ્યવહાર સત્તાવાળું
For Personal & Private Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
૫૯
અખો જગત પરમેશ્વરની ઇચ્છા અથવા સંકલ્પબલથી ઉત્પન્ન થયું છે. તે સઘળા જીવોનું સમાન વ્યવહારનું સાધન છે. તે “સિદ્ધ અથવા ભૂત” સૃષ્ટિ ઉપર જીવો અનેક પ્રકારની સાધ્ય અથવા ભાવની દષ્ટિઓ ઊભી કરે છે. જેમ એક સ્ત્રી જાતિનું શરીર પાંચ ભૌતિક ઉત્પન્ન થાય તે ઈશ્વરની સૃષ્ટિ, તેના ઉપર માતપિતાની વાત્સલ્યભાવની દૃષ્ટિ, પતિની દાંપત્ય ભાવની દૃષ્ટિ, પુત્રોની માતૃભાવની દષ્ટિ, જારની ભોગ્યભાવની દષ્ટિ, એવી અનેક દૃષ્ટિ ઊભી થાય છે.
આ પ્રત્યેક પરમેશ્વરના સૃષ્ટપદાર્થ ઉપર જીવોની ભિન્ન દૃષ્ટિથી ઉત્પન્ન થયેલું વૈત તે માત્ર દસત્ય છે એટલે દેખાવમાત્ર સત્ય છે. તે સિદ્ધ સત્ય નથી. અખો કહે છે કે દૈતશમનની પહેલી પ્રક્રિયા મહાભૂત અને તેના વિકારોનું સાચાપણું અને જીવોએ ઊભી કરેલી સૃષ્ટિનું ખોટાપણું સમજવુંએ પાયા ઉપર રચાયેલી છે. આ પ્રક્રિયાને અખો પંચભૂતભેદ કહે છે, અને તેનું પ્રતિપાદન તેણે “ગુરુ-શિષ્ય સંવાદ”ના પહેલા ખંડમાં તથા “પંચીકરણ”માં કર્યું છે. ' પરંતુ આ પંચભૂતની પરમેશ્વરથી સરજાયેલી સૃષ્ટિ તે જો કે જીવોની દૃષ્ટિસૃષ્ટિ કરતાં વધારે સાચી છે, પરંતુ તેજ પરિણામી સત્ય છે, એવું માનવું એ પણ મોટી ભૂલ છે. આ પાંચે તત્ત્વો અને તેનાં પરિણામો પરમેશ્વરની ભૂત-સષ્ટિ છે, પરંતુ તે ચેતનના આધારવિના ક્ષણભર ટકે તેવી નથી. જેમ માતાપિતાની, પતિની, પુત્રની, અને જારની એક જ સ્ત્રી શરીરમાં ઊભી થયેલી માનસમૃષ્ટિ એકબીજામાં બાધિત થવાથી મિથ્યા છે, અને પંચભૂતના પરિણામરૂપે તેં વિકારી શરીર છે. તે આ પંચભૂતથી ઉત્પન્ન થયેલું વિશ્વ પણ તેના નામરૂપ ભેદોમાં પરસ્પર બાધિત થાય છે. એકનું દ્રવ્ય બીજામાં નથી. એકની ભાવશક્તિ બીજામાં નથી, એકની ક્રિયાશક્તિ બીજામાં નથી, આ દ્રવ્યભેદ, ભાવભેદ અને ક્રિયાભેદવડે પંચભૂતની સૃષ્ટિ પણ છેવટના સત્ય રૂપે ગણાય તેવી નથી, જેવી રીતે જીવની દષ્ટિસૃષ્ટિનું આધાર સત્ય ઈશ્વરની સૃષ્ટિ છે, તેમ ઈશ્વરની લોકપ્રસિદ્ધ સૃષ્ટિનું આધાર સત્ય ઈશ્વરના સચ્ચિદાનંદરૂપ સ્વભાવ ઉપર રહેલું છે. આથી અખો કહે છે કે :
For Personal & Private Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
૬૦
અખો
ભૂતભેદ ચૈતન્યની લહેરો છે ભૂતભેદ કહો સારોદ્ધાર પાંચને ચેતન આધાર, ચેતનની લહેરો મહાભૂત, લહેરોનું પ્રતિબિંબ અદ્દભૂત. ભૂત ઉપજે વરતે શમે, કોઈ કાળે મહાભૂત આથમે, ચેતન સાગર જેમ છે તેમ, એકે કંઇ નહિ ગુણ કર્મ.
(ગુરુ. શિ. સંવાદ, ૪૪-૪૫) આ પ્રમાણએ પંચભૂત અને તેના પરિણામરૂપ જગત બ્રહ્મચૈતન્યરસની લહેરો છે. તે કંઈ ભિન્ન નવાં તત્ત્વો નથી. આ લહેરો સાગરના ભીતર સત્ત્વબલથી અને બહારના આકર્ષણ બલથી જેમ ઊપજે છે તેમ ચૈિતન્યશક્તિની માયાશક્તિવડે પ્રકૃતિશક્તિ જાગતાં ભૂતભેદની લહેરો થાય છે. ભૂત લહેરોનું પૃથક્કરણ, અખાએ “પંચીકરણમાં” સ્પષ્ટતાથી કર્યું છે. અને તે બાબત આપણે પ્રથમ અખાના “ક્ષરાક્ષર જીવનના” પ્રસંગમાં વિચારી ગયા છીએ, તેનું આ સ્થાને અનુસંધાન કરવું જોઈએ. અને તે માયા શક્તિના અભાવતી ઉત્પન્ન થયેલા ચૈતન્ય આભાસો જેને જીવ નામ આપવામાં આવે છે - તેના બળથી ભૂતભેદની લહેરો ભોગ-મોક્ષ સધાવે છે. અખો કહે છે કે, આ ઊંડી સમજણથી જગત ભેદ શમે છે એટલું જ નહિ, પણ જીવભેદ પણ શમે છે -
ચિત્તભેદ પણ ચિહ્ની લહેરો છે તું તો ચિત્ત ! ચિનિ છે લહરે, ચિત્ર સાથે કંઈ નથી વેર,
જ્યારે સુરત ચાલી તુંજ બહાર, ત્યારે તું કેવળ સંસાર. તે જ સુરત જો પાછી શમે, આવી વસ્તુ પરાણે નમે, તું વિલાસ પ્રભુચેતનતણો, કાં તું રાખે ભાર આપણો.
(ચિત્તવિચારસંવાદ ૯૧-૯૨) વેદાન્તના ઈશ્વરવાદમાં અને બીજામતના ઈશ્વરવાદમાં ભેદ
આથી સ્પષ્ટ થાય છે. પરમેશ્વરનું મહાચેતન એક બાજુએ માયાદ્વારથી પંચભૂતભેદવાળું જગતના તરંગો ઊભા કરે છે ત્યાંથી બીજી બાજુએ
For Personal & Private Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
૬૧
અખો અવિદ્યાદ્વારથી અનેક ચિત્તો એટલે અભિમાની જીવની લહેરોને ઊભા કરે છે. એક ભોગ્ય બને છે, બીજા ભોક્તા બને છે. જેમ એક મોટું મોજું નાનાને દબાવી સમુદ્રના અનેક રંગો અને વૈભવો ઉપજાવે છે, તેમ ચેતનસાગરના અભિમાની રૂપ મોજાંઓ-બ્રહ્માદિ દેવી તરીકે મોટાં થઈ-નાનાં જંતુના અભિમાનીઓને અને પંચભૂતની લહેરોને દબાવે છે, અને અંકુશમાં રાખે છે. પરંતુ બ્રહ્માથી માંડી નાના કીટપર્વતના જીવત્વના આભાસો અને પંચભૂતની લહેરો બ્રહ્મચૈતન્ય અથવા આધારચૈતન્ય વિના બિલકુલ સત્તા વિનાનાં છે. આથી વધારે ઊંડી સમજણથી પરમેશ્વરની સૃષ્ટિના સંબંધમાં છેવટનું સત્ય છે. એ મંતવ્યનો મહિમા ખોટો ઠરે છે. અખો કહે છે કે આ કારણથી તટસ્થ અથવા નિમિત્તકારણવાળા પરમેશ્વરવાદ કરતાં વેદાંતનો અભિન્ન નિમિત્ત અને ઉપાદાનવાળો અંતર્યામી ઈશ્વરવાદ ચઢિયાતો છે :
વેદાંતે જે ઈશ્વર કહ્યો, તે જોવા કોઈ નહિ અળગો થયો. તે ઈશ્વર છે સર્વાવાસ, જેણે સઘળો શબ્દ વિલાસ. જે ઘટ જેવો ઉગે રંગ, તેણે તેવું બાંધ્યું અંગ પ્રભુસામર્થ્ય તણો નહિ પાર, જે હું દ્વાર હોય વિસ્તાર
(ચિત્તવિચારસંવાદ ૮૪, ૮૫) આ મુદ્દા ઉપર જો કે શ્રી શાંકરભાષ્યમાં જગતકારણની પ્રક્રિયા પર પથરનું-પ્રતિપાદન છે, તો પણ પરમતાત્પર્ય નિર્વિશે. બ્રહ્મચૈતન્યમાં છે એમ અખો જણાવે છે.
સાંભળ સંમત કહું તુંજ અંગ, શંકરભાષ્ય તણો જે રંગ.
કાર્યોપાધિતણું નામ જીવ, કારણોપાધિ ઈશ્વર સદેવ, જીવેશ્વરનું કારણ જેહ, પરબ્રહ્મ ત્યાં કહીએ તેહ.
જીવ ઈશ્વર બ્રહ્મને વિષે, વ્યોમ ચિત્ર માયા રહી લખે.
(ગુ. શિ. સંવાદ ત્રીજો ખંડ ૩-૩૧)
For Personal & Private Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
અખો શાંકરમતનું તાત્પર્ય સૃષ્ટિવાદમાં અથવા કાર્યકારણવાદમાં નથી,
પરંતુ બ્રહ્માત્મક્યની સમજણમાં છે શાંકરસિદ્ધાંતને અનુસાર વેદાન્તનું તાત્પર્ય જગતની કારણ પ્રક્રિયા પરમેશ્વરકારણથી છે. એવું સાબિત કરવામાં આવતું નથી, પરંતુ કાર્યને કારણવિના નથી, અને તેથી જે છેલ્લું કારણ છે તે પરમસત્ય છે, એ સાબિત કરવામાં છે.
જેમ એક આગિયો સૂર્યના મહિમાને જોઈ મોહ પામે અને પોતાની તુચ્છતા માન્યા કરે અને જેમ સૂર્ય પોતાના મહિમાનું ભાન કરી આગિયાની તુચ્છતા પ્રતિ ઉપહાસ કરે તો તે આગિયો અને સૂર્ય બંને મોહનિદ્રામાં છે. એકનો મોહ બીજાની મોટાઈ પ્રતિ ભાર મૂકવાથી થયો છે. બીજાનો મોહ સામાની નાનમ પ્રતિ ભાર મૂકવાથી થયો છે. પરંતુ આ મોટમ નાનમ બંને મોહજન્ય છે, અને સાચું બળ બંનેનું તેની સ્કુરણા પામવાની શક્તિમાં છે. તે ફુરણ પામવાની અંતર્યામી શક્તિ વડે જ બંને નાનામોટા ગણાય છે.
જીવ-ઈશ્વર ભેદ વ્યાવહારિક ખરા છે, પરંતુ એમાં
અધિકરણ એક પરબ્રહ્મ ચેતન પરમ સત્ય છે આથી ખરો મહિમા આગિયા અને સૂર્યનો તેની સ્વંતત્ર ફુટતામાં છે, નાના મોટા પ્રકાશમાં નથી, આ દૃષ્ટાન્તની પેઠે જીવ ઈશ્વરનો ભ્રમ છે. જે અભિમાનીનો આ ભ્રમ દૂર થયો છે તે “મહામુક્ત” તેને અખો તજ્જ્ઞ, સ્થિતપ્રજ્ઞ, વિદેહી-ગુરુ ગોવિંદ -એવાં અનેક નામથી પ્રબોધે છે. આ સમજણ અથવા “સૂત્ર”વાળો મહામુક્ત પુરુષ જીવભાવ અને ઈશ્વરભાવથી પર છે. તેવા પુરુષના ઐહિક જીવન સંબંધમાં કોઈ પણ પ્રકારની લોકમર્યાદા અથવા શાસ્ત્રમર્યાદા મૂકી શકાય તેમ નથી.
તે સમજનાર “મહામુક્ત” તત્ત્વજ્ઞ-સ્થિતપ્રજ્ઞા
અખાના અભિપ્રાય પ્રમાણે આ “તત્ત્વદર્શી મહાપુરુષ” (ગુ. શિ. સં. ત્રીજો ખંડ ૭૦-૭૮) ગમે તે પ્રકારની જીવનની ભૂમિકામાં હોઈ શકે છે. તેવા મહાપુરુષ શુક જેવા યોગી હોય, કૃષ્ણ જેવા ભોગી હોય, રામ જેવા શત્રુનો નાશ કરવાના વ્રતવાળા સદેહી (દેહાભિમાનવાળા) રાજર્ષિ હોય,
For Personal & Private Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
૬૩
અખો જનક જેવા રાજધર્મનું પાલન કરનાર વિદેહી (દહાભિમાન વિનાના) રાજર્ષિ પણ હોય, અને સંસારયજ્ઞમાં ચોક્કસપણે કામ કરનાર વસિષ્ઠ જેવા કર્મઠ પણ હોય. મહાપુરુષના આ પાંચ પ્રકાર :
તે યોગી, ભોગી, સદેહી, વિદેહી, કર્મઠ પૈકી
ગમે તે ભૂમિકામાં જીવન ગાળનાર હોય યોગી, ભોગી, સદેહી, વિદેહી, અને "કર્મઠ છતાં તેની ઓળખ કરવાનાં ત્રીસ લક્ષણો છે. આ ત્રીસ લક્ષણો અમુક મુક્ત મહાપુરુષ છે કે બદ્ધજીવ છે તે ઓળખી શકાય છે. આ ત્રીસ લક્ષણોનું વર્ણન અખો નીચે પ્રમાણે કરે છે :
(ગુરુ શિ. સંવાદ ત્રીજો ખંડ ૯૮-૧૧૧) મહામુક્તને ઓળખવાનાં અસાધારણ ત્રીસ લક્ષણો “સત્ય ભાષણ, ક્ષમા, અદ્રોહ, “આત્મભાવ, કરુણા, ધીરત્વ, બાહ્યસૃષ્ટિમાં સમભાવ, ‘બાહ્ય આભ્યાંતર પવિત્રતા, “હૃદયનું કોમળપણું, ૧૯અન્યને તારવાનો વેગ, 11નિષ્કિચનતાની સમજણ, બ્રહ્મચર્ય, સત્ય વૈરાગ્ય તત્ત્વવિભાગની શક્તિ અથવા વિવેકજ્ઞાન, "હરિશરણતા, ૧૬ અંત:કરણની શુદ્ધિ અથવા શીતલતા, ૧૭મતીઆપણું અથવા મતાંધતાનો અભાવ, “અદીનત્વ, ૧૯પરમ ગાંભીર્ય, ચાતુર્ય, ૨ ખડૂમિથી ન દબાવાપણું, નિરભિમાનિત્વ સર્વાત્મદષ્ટિ, સર્વદાન કરવાની વૃત્તિ (કલ્પદ્રુમતા), આર્તવ્રાણ, “મૈત્રી, નિષ્કામ ભગવદ્ભક્તિ, બાહ્યસંગી અંતઃ અસંગી, સમદર્શિત્વ, યથા પ્રારબ્ધ જીવના ઘરમાં અથવા વનમાં જવાની મિથ્યા લોલુપતા નહિ.
આ ત્રીસ લક્ષણો મહામુક્તનાં સિદ્ધ ચિહ્નો છે અને મુમુક્ષઓનાં સાધનો છે. શુદ્ધજ્ઞાની જ મહામુક્ત હોઈ શકે. તેને ઓળખવા સારું સાધ્ય કરવાયોગ્ય ગુણો છે. શુદ્ધજ્ઞાની જ મહામુક્ત હોઈ શકે તેને ઓળખવા સારુ અખો દસ પ્રકારના જ્ઞાનીઓ ગણાવે છે.
For Personal & Private Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
અખો
(૧) શુષ્કજ્ઞાની, (૨) જ્ઞાન દગ્ધ, (૩) વિતંડાશાની, (૪) ખલજ્ઞાની, (૫) નિંદક જ્ઞાની, (૬) ભ્રમજ્ઞાની, (૭) ઠજ્ઞાની, (૮) શઠજ્ઞાની, (૯) શૂન્યવાદી, (૧૦) શુદ્ધજ્ઞાની.
૬૪
મહામુક્ત દવિધિ જ્ઞાનીઓ પૈકી દસમો શુદ્ધ જ્ઞાની છે જુઓ છપ્પા દવિધ જ્ઞાની અંગ. જુઓ જ્ઞાનદગ્ધ અંગ
પરંતુ આ મુક્ત લક્ષણની સિદ્ધિ થવામાં અખો ભક્તિ સાથે જ્ઞાન અને વૈરાગ્ય બેની ખાસ જરૂર માને છે. તેમાં પણ વૈરાગ્ય ઉપર તે વધારે ભાર મૂકે છે. વૈરાગ્ય હશે તો તત્ત્વજ્ઞાન તણાતું આવશે, વૈરાગ્ય વિના તત્ત્વજ્ઞાન ઉત્પન્ન થતું જ નથી અને કદાચ થાય તો કાચા ઘડામાં પાણી સરી જાય તેમ તે સરી જાય છે. જ્ઞાનની નિષ્ઠા વૈરાગ્ય વિના બંધાતી નથી.
નવ પ્રકારના જ્ઞાનીઓ જ્યારે દસમાને ઘેર જાય ત્યારે સૂઝ આવે “દસ પ્રકારના જ્ઞાનીઓ લખ્યા પણ નવે તે દસમા વિણ મિથ્યા, નવેનો લક્ષ્ય ત્યારે શુદ્ધ થાય, જ્યારે અનુભવ દસમો ઘેર જાય’ આવા શુદ્ધ જ્ઞાનીઓનાં ટોળાં હોતાં નથી. તેઓ વિરલ હોય છે વૈરાગ્યનાં બે રૂપો :- ૧. જ્ઞાનનિર્વેદ, ૨. વસ્તુવૈરાગ્ય.
“જ્ઞાનીનાં ન હોય ટોળાં ટોળ, મુક્તા ન હોય સર્વ ગજ કપોલ. શબ્દવેધી જોધા કોઈ તંત, શંખ સકળ હોય દક્ષિણાવંત બહુમાં નિપજે કોઈ એકજન, બાકી અખા રમાડે મન” (છપ્પા ૩૬૨)
જગતના ભેદવાળા પ્રાણી પદાર્થો પ્રતિ આપણને વૈરાગ્યબુદ્ધિ બે રીતે સામાન્ય દૃષ્ટિથી ઉત્પન્ન થતી જણાય છે. કાંતો દુઃખના અનુભવથી આપણને નિર્વેદ થાય, અથવા વિષયોના દોષોના ભાન વડે નિર્વેદ થાય. દુઃખથી ઉત્પન્ન થનારો વૈરાગ્ય બીજા વિષયો મળી આવતાં અને દેશકાલ અને વસ્તુની સ્થિતિ બદલાતાં અળપાઈ જાય છે અથવા જગત તરફ તે દ્વેષબુદ્ધિ ઉત્પન્ન કરે છે. અખો આ વૈરાગ્યને નિરુપયોગી માને છે :
For Personal & Private Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
અખા
૬૫
જન જાણે છે જે વૈરાગ્ય, તે ત્યાં સામો ઉપજે રાગ. વૈરાગ્ય હોય ત્યાં હોય દ્વેષ, તે ત્યાં સામો બાંધે ક્લેશ. આ પાપોનો થાય ત્યાગ ત્યારે અખા સાચો વૈરાગ્ય.
(છપ્પા ૬૧૧) વૈરાગ્યમાં વૈષની છાયા હોવી ન જોઈએ વિષયોના સાચા પાંચ ભૌતિક વિકારો તરીકેનું જ્ઞાન થવાથી જે નિર્વેદ પ્રકટે તેને અખો “જ્ઞાનનિર્વેદ” કહે છે અને તેનું બીજું નામ વિવેકથી ઉત્પન્ન થનારો વૈરાગ્ય અથવા અપર વૈરાગ્ય શાસ્ત્રમાં કહે છે. ગુરુ શિષ્ય સંવાદના બીજા ખંડમાં આ વૈરાગ્યનો બોધ છે. તત્ત્વજ્ઞાનના ઉદયનો આધાર આ જ્ઞાનનિર્વેદ ઉપર છે.
પરમવસ્તુ જે પ્રકારની સચ્ચિદાનંદ એકરસ છે, અને જીવ ઈશ્વરભેદ વાસ્તવ નથી એવી ઊંડી સમજણથી ઐશ્વર્યાદિ સર્વ પ્રપંચમાં વૈરાગ્ય સિદ્ધ થવો તેને અખો “વસ્તુવૈરાગ” કહે છે. તેના ઉપર તત્ત્વજ્ઞાનની નિષ્ઠાનો આધાર છે.
: “વસ્તુ વૈરાગ્ય હોય તો મન, તો વસ્તુ પ્રીછે લે જન, પ્રત્યક્ષ વસ્તુ ન દેખે તેહ, જેને દશ્ય ઘણી છે દેહ. દશ્ય નિવારે તો છે રામ, સ્વૈપદ આપ તુરીયા ધામ. રૂપ વસ્તુ વૈરાગ્ય તું, સાંભળ કહું તુજ તન, અચવ્યું આપ વિચારતાં, નામ ટળે પુરંજન.”
(ગુરુ શિસં, ત્રીજો ખંડ ૨૦-૨૨) વૈરાગ્યના ફલરૂપે તત્ત્વજ્ઞાન વિવેકજન્ય વૈરાગ્ય અથવા અખાની પરિભાષાં કહીએ તો “જ્ઞાન નિર્વેદ” અને પરમવૈરાગ્ય અથવા અખાની પરિભાષામાં કહીએ તો “વસ્તુવૈરાગ્ય” વિના તત્ત્વજ્ઞાન પ્રકટ થતું નથી. આ તત્ત્વજ્ઞાનના ઉદયનો અને તેની નિષ્ઠાનો આધાર આ બે પ્રકારના વૈરાગ્ય ઉપર છે. ગુ. શિ, સંવાદના ચોથા ખંડમાં અખો તત્ત્વજ્ઞાનનું નિરૂપણ કરે છે. રાગ અને વૈષવાળી આપણી દષ્ટિ અથવા જ્ઞાનવાળી ચિત્તની સ્થિતિ વસ્તુને જેવી છે
For Personal & Private Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
૬૬
અખો
તેવી દેખાડી શકતી જ નથી. આપણા અંતઃકરણને અવિઘાદોષ અંધારી આપે છે. અને રાગદ્વેષ ખોટા રંગમાં વસ્તુને દેખાડે છે. અવિદ્યાવડે જે અંતઃકરણની સ્થિતિ થાય તેનું નામ “અદેષ્ટતત્ત્વ”. અખો કહે છે કે
=
અદૃષ્ટિતત્ત્વ વડે શૂન્યનો સ્વીકાર
જ્યારે પ્રકટ્યું અદૃષ્ટિતત્ત્વ, શૂન્ય કેરૂં કહીએ તે સત્ત્વ (ગુ શિ સંવાદ ચોથો ખંડ ૪૨) દૃષ્ટિ અદૃષ્ટિતત્ત્વ વડે અનુભવાતા દ્રવ્યદ્વૈત, ભાવદ્યુત, ક્રિયાક્રેત
રાગ દ્વેષથી હણાયેલું અંતઃકરણ જે અનુભવ મેળવે તે લક્ષાલક્ષ અથવા પક્ષાપક્ષવાળો હોય છે. આ લક્ષ્યાલક્ષ્મવાળું અથવા પક્ષાપક્ષવાળું ચિત્ત જો કે જ્ઞાન મેળવે છે, પરંતુ તે અપૂર્ણ અને ખંડવાળું જ્ઞાન હોય છે. તાર્કિકોનું સઘળું જ્ઞાન આ વર્ગમાં પડે છે. આ જ્ઞાન ભેદ-અભેદને વળગે છે. કાર્યકારણના વાદમાં જકડાય છે અને જ્ઞાન મેળવનાર તત્ત્વને બાજુ ઉપર મૂકી જ્ઞેયનેજ સત્ય માની વ્યવહાર કરે છે. આ પ્રકારનું લક્ષ્યાલક્ષ્મવાળું, પક્ષાપક્ષવાળું, ભેદાભેદવાળું જ્ઞાન “ષ્ટિ-અદૃષ્ટિતત્ત્વ' કહેવાય છે. તે વડે એક અદ્ભુતબ્રહ્મ ઉપર ત્રણ પ્રકારના દ્વૈતના આરોપો ઊભા થાય છે. એક સચ્ચિદાનંદ અદ્વિતીય બ્રહ્મતત્ત્વને સ્થાને પંચભૂતો તેનાં ચૌદ લોકવાળાં ભોગ્યસ્થાનો તે તે લોકમાં ભોગ ભોગવનાર મનુષ્ય, દેવ, પક્ષી અનેક ભોક્તાઓ વગેરે દ્રવ્ય દ્વૈત ઊભું કરવામાં આવે છે.
આ પંચભૂતો, તેના કાર્યરૂપ, ભોગ્ય લોકો અને તેના અનેક ભોક્તાઓ રૂપી દ્રવ્યદ્વૈત ઊભું થયું તેના ઉપર ભાદ્વૈત ઘડાય છે. દરેક પિંડના જુદા જુદા રંગો, અકારણ રાગદ્વેષો ભાવદ્વૈતનાં એટલે ચિત્તના ધર્માધર્મ; જ્ઞાનઅજ્ઞાન વૈરાગ્ય-અવૈરાગ્ય, ઐશ્ચર્ય-અનૈશ્ચર્ય એવા આઠ ભાવોના ભેદ વડે એક તરફ ધર્મ જ્ઞાન વૈરાગ્યની પરાકાષ્ઠાવાળા બ્રહ્મદેવની અને બીજી તરફ અધર્મ અજ્ઞાન, અવૈરાગ્ય અને અનૈશ્વર્યની પરાકાષ્ઠાવાળા ક્ષુદ્ર જંતુની ભેદભાવના ઊભી થાય છે; અને ભેદભાવનામાં ફસાયેલાં પ્રાણીઓ ભાવદ્યુતથી હણાયેલાં તત્ત્વજ્ઞાન મેળવી શકતાં નથી.
For Personal & Private Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
અખો
દ્રવ્યદ્વૈત ઉપર ભાવäત ઊભું થયા પછી ક્રિયાäત ઊભું થાય છે. પ્રત્યેક પિંડના જુદા ભાવો હોવાથી અને જુદી વાસનાઓ હોવાથી તેની ક્રિયા નિયમ કરી જુદી પડે છે. અને તેથી ક્રિયાએ કરીને સર્વ પ્રાણી પદાર્થો વસ્તુતઃ જુદા છે એવું માની લેવામાં આવે છે.
દ્રવ્યત, ભાવકૅત, અને ક્રિયાતને વળગનારી જીવની સમજણ તે લક્ષાલક્ષવાળી, પક્ષાપક્ષવાળી, દષ્ટિઅદૃષ્ટિ તત્ત્વવાળી ગણાય છે. તેવી દષ્ટિ વ્યવહાર સાધે છે, પણ પરમાર્થ જોઈ શકતી નથી. તેવી દષ્ટિ આધાર ચૈતન્યને જોતી જ નથી. જે ચૈતન્ય ઉપર આ ત્રણ દ્વૈતના ઘાટ ઘડાયા છે, તે પીઠ ઉપર આ ત્રણ પ્રકારના નાટકના રંગો છે, એ સ્મૃતિ જતી રહે છે. આ ત્રણ પ્રકારના દ્વૈતના રંગો આ જમાનાના “સીનેમાના” ખેલો જેવા છે અને અખાના ગામડે ગામડે આળા ચામડામાં દીવાની મદદથી દેખાડાતા ચામખેડાના ખેલો જેવા છે. (જુઓ ચિત્તવિચારસંવાદ ૨૭૧-૨૭૮ છપ્પાના વિશ્વરૂપઅંગ ૧૫૦-૧૫૩, ચામખેડાના ખેલ સંબંધમાં)
દષ્ટિતત્ત્વવડે વસ્તુશાન અથવા સાચું તત્ત્વજ્ઞાન વૈરાગ્યના પ્રભાવથી જ્યારે ચિત્તને અવિદ્યાની અંધારી, અને રાગદ્વેષના રંગવાળાં ચશમાં દૂર થાય છે ત્યારે અનુભવીને “દૃષ્ટિતત્ત્વ” ઊઘડે છે. આ સંબંધમાં અખો કહે છે કે :
“દષ્ટિdવ પ્રકયું જ્યાં જ્ઞાન, ત્યારે ટળયું પ્રકૃતિનુ માન, દષ્ટિતત્ત્વ તે એનું નામ, જે દેખીએ દષ્ટ ધામ.” આ દેષ્ટિતત્ત્વ વસ્તુને વળગે છે ત્યારે અદિતત્ત્વ શૂન્યને વળગે છે. જ્યારે પ્રકટ્ય અદૃષ્ટિતત્ત્વ, શૂન્ય કેરૂં કહીએ સત્ત્વ, પરાત્પર પરબ્રહ્મ ચૈતન્ય જેહ, વસ્તુ નામ ત્યાં કહીએ તેહ. વસ્તુતા પ્રકટે જે અંગ, ત્રણ દ્વૈતનો તેને થાયે ભંગ, પાપે વસ્તુ નો છે સ્વભાવ, ટળે કૈ તને આપે થાય.
આ “મોટાનો અનુભવ મહા, તે નહિ છીલર/ક્ષુદ્રને સાધ્ય”. આ દષ્ટિતત્ત્વ વડે મહા અનુભવ અથવા બ્રહ્માત્મક્ય વસ્તુનું ભાન
For Personal & Private Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
૬૮
અખો અથવા “સૂઝ” પછી જીવન્મુક્તને “અણલિંગી” અવસ્થા પ્રકટે છે. (જુઓ છપ્પા-સૂઝઅંગ ૧૨૧-૧૨૪ ગુરુ. શિ. સંવાદ ત્રીજો ખંડ ૩૨-૩૩.)
લિંગભેદ અને અણલિંગીપદનું વર્ણન અખાની “સૂઝવડે જે અણલિંગી પદ પ્રાપ્ત થાય છે એ પરિભાષા કંઈક ખાસ સમજવા જેવી છે. જે વડે કોઈ પણ પ્રાણી પદાર્થની ફૂટ થાય અથવા જૂદા રૂપમાં ઊગી નીકળે અથવા જન્મે* તેનું નામ “લિંગ”. જેમાં કાર્ય સૂક્ષ્મભાવે ઉત્પત્તિ પૂર્વે રહે છે, જેમાં કાર્ય પ્રકટ થાય છે અને જેમાં તે કાર્ય શમે છે અને જે વડે પરમેશ્વરની લક્ષણા થાય છે તેનું નામ “લિંગ”. “લિંગો” કારક હોય, એટલે ઉપાદાન કારણરૂપે હોય, અને જ્ઞાપક પણ હોય. અચેતન લિંગો કારક છે. ચેતનલિંગ જ્ઞાપક ગણાય છે. વેદાન્તશાસ્ત્રનાં લિંગો અને શેવાગમોના લિંગોનું વર્ગીકરણ,
તેની શક્તિઓ, તેનાં અંગસ્થળોનું પ્રતિપાદન આ પરમેશ્વરનું લક્ષક “લિંગ” ચાર રૂપો ધારણ કરે છે અને તેમાંથી જે ફુટ અથવા પરિણામ થાય છે તેને “હ” અથવા “અંગસ્થલ” કહે છે. લિંગ એ કારણ, ત્યારે દેહ તે કાર્યનું લિંગ તે કાર્ય કરનાર સામર્થ્ય અથવા વીર્ય અથવા બલ, ત્યારે “અગસ્થલ” અથવા યોનિ તે કાર્યનું પ્રકટ થવા અધિકરણ. આ મૂલ પરિભાષા શૈવ આગમની છે. અને તેનો સ્વીકાર સાંખ્યયોગમાં, અને વૈદિક અને પૌરાણિક ધર્મમાં નામાંતરે અને રૂપાંતર થયો છે. વેદાન્તશાસ્ત્રમાં એમ માનવામાં આવે છે કે આ લિંગના ચાર પ્રકાર છે :- (૧) મહાચૈતન્ય અથવા પરબ્રહ્મરૂપ વસ્તુ તે મહાકરણલિંગઃ તેની શક્તિનું નામ સહજા અથવા
(योगशिखोपनिषद्)
सूक्ष्मत्वात्कारणत्वाच्चलयनाद् गमनादपि । लक्षणात्परमेशस्य लिंगमित्यभिधीयते ॥ लिंगशब्देन विद्वांसः सृष्टिसंहारकारणम् । लयादागमनाच्चहुदुर्भावानां पदमव्ययम् ।।
(તંત્રી
)
For Personal & Private Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
અખો
૬૯ સ્વતંત્ર ચિલ્શક્તિ અને તેનું અંગસ્થળ અભિવ્યક્તિનું સ્થાન કેવલ્ય માનનારા જ્ઞાનીનો દેહ, (૨) તે મહાકારણલિંગમાંથી બીજું લિંગ થાય છે. તેનું નામ કારણલિંગ; તેની શક્તિ તે ચેતના, અને તેનું અંગસ્થલ તે ઈશ્વરનો દેહ. (૩) કારણલિંગમાંથી ત્રીજુ લિંગ ઉદય પામે છે તેનું નામ સૂક્ષ્મલિંગ, તેની શક્તિ તે વિષયોની વાસના અને તેનું અંગસ્થલ તે જીવનો દેહ. (૪) સૂક્ષ્મલિંગમાંથી ચોથું લિંગ પ્રકટે તેનું નામ ભૂલવિંગ, તેની શક્તિ તે સ્કૂલ શરીરને ઉત્પન્ન કરવાની વિષયને ભોગવવાની ભાવના અને તેનું અંગસ્થલ તે આપણો પ્રત્યક્ષ સ્કૂલ દેહ જે વડે સ્કૂલ ભોગો ભોગવાય છે. આ ચાર વેદાન્તનાં મહાકારણ, કારણ સૂક્ષ્મ અને સ્કૂલ લિગોની શૈવાગમમાં અનુક્રમે મોક્ષલિંગ, જ્ઞાનલિંગ(ભાવલિંગ), યોગલિંગ (પ્રાણલિંગ), એ ભોગલિંગ (ઇલિંગ) એવી સંજ્ઞાઓ છે.
આ ચાર પ્રકારના લિંગોમાં જે સ્થલ અથવા અંગસ્થાન છે, અથવા પિંડ છે તેમાં છવ્વીસ તત્ત્વો સમાયેલાં છે.
નીચે આપેલું કોઇક શૈવાગમ પ્રમાણે અને અખાના વેદાન્ત પ્રમાણે તત્ત્વોનું વર્ગીકરણ કેવું છે તે સ્પષ્ટ કરી શકશે.
શૈવાગમસંજ્ઞા વેદાન્તસંજ્ઞા તત્ત્વસંજ્ઞા તત્ત્વોનાં નામ ૧. ભોગલિંગ પૂલસ્થ-અંગમાં (૧૫) (૫) ભૂતના પંચકૃત (ઇષ્ટ, લિંગ) (૧૫)-ધર્મપ્રેમ કલા (૫) જ્ઞાનેન્દ્રિયો. નિમિત્ત જીવના
(૫) કર્મેન્દ્રિયો. અંગOલમાં-સુખ ૧૫ સમાય છે. અને ફળ દુઃખનું
સ્થળમાં પિંડાકાર ભોગવા શિવના
બને છે. લિંગીલમાં-ભક્તિરસનું ફળ ભોગવાવે.
For Personal & Private Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
૭)
અખો ૨. યોગલિંગ સ્થૂલસ્થ-અંગમાં (૯) પંચભૂતની અપચકૃત (પ્રાણાલિંગ) -ઐશ્વર્યભક્તિ
૫ તન્માત્રાઓ જીવના અંગસ્થલ- અને ૪ અંતઃકરણ માં કામવાસના વડે - ૯ સમાય છે. ધર્માધર્મના નિમિત્તથી
અને તે કામસુખ ઉપજાવે
સ્કૂલના અંતર્ગત શિવના લિંગથલમાં
રહે છે. વૈરાગ્યવાસના વડેજીવોના કલ્યાણઅર્થે
અનુગ્રહવૃત્તિનો વેગ કરાવે. ૩. જ્ઞાનલિંગ કારણ-સ્થલઅંગમાં- (૧) ચૈતન્યમાત્રા જેમાં (ભાવલિંગ) -જ્ઞાન. જીવના
ચિદાભાસ હૂરે છે, તે અંગOલમાં
ઈશ્વરના દેહમાં પ્રકટ અવિદ્યાની ક્ષોભવાળી હોય છે, અને જીવ ચેતનાવડે લૌકિક દેહમાં તેની છાયા હોય જ્ઞાન પ્રકટાવે.
છે. શિવના લિંગસ્થલમાંવિદ્યાની ક્ષોભવાળી ચેતના
વડે અલૌકિક જ્ઞાન પ્રકટાવે. શૈવાગમસંજ્ઞા વેદાન્તસંજ્ઞા તત્ત્વસંશા તત્ત્વોનાં નામ ૪. મોક્ષલિંગ મહાકારણ- (૧) મહાવિષ્ણુ અથવા
જીવનું અંગલિ નારાયણનું સર્વાવાસનહિ શિવનું લિંગ વાળું ચિન્મય શરીર, સ્થલ તે મહાવિષ્ણુનું અથવા મહામુક્તનું દેખાતું શરીર.
For Personal & Private Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
અખો
૭૧
પચ્ચીશ તત્ત્વપર્યંતનાં અણુઓથી ઘડાએલું વીર્યવાળું જ્યાં સુધી કારણ (જ્ઞાનલિંગ સૂક્ષ્મભોગલિંગ) અને સ્થૂળલિંગ (ભોગલિંગ) વિદ્યમાન હોય ત્યાં સુધી સચેતનભાવવાળું જીવન, ઇન્દ્રિયોની ચેષ્ટાવાળું જીવન, અને સ્થૂળ વિષયોને ભોગવનારું જીવન પ્રગટ થયા વિના રહેતું નથી. આ પુનઃ પુનઃ નવી ફુટ કરાવનાર ખરી રીતે આ લિંગોનો સદ્ભાવ અને તેની શક્તિઓ છે. આ સર્વ લિંગો છેવટના અલિંગ અથવા અણુલિંગી મહાવિષ્ણુમાં પોતાની ચેતના, વાસના, અને વિષયભાવનાવાળી ત્રણ પ્રકારની શક્તિસહિત જ્યાં સુધી શમે નહિ ત્યાં સુધી જન્મમરણની પ્રેત્યભાવની એટલે મરીને ફરી ઉત્પન્ન થવાની પરંપરા અટકી શકે જ નહિ. ચોથા અણુલિંગી મહાકારણપદમાં જેઓ મહાઅનુભવબલથી આવી શમે તેમનાં ત્રણ પ્રકારનાં લિંગો ત્રણ પ્રકારની શક્તિઓ અને ત્રણ પ્રકારનાં અંગસ્થળો શમે છે. અને આ સ્થિતિ પ્રકટ થવી તેને “મહાવિદેહા” અથવા મહામુક્તની સ્થિતિ કહે છે. મહામુક્ત પુરુષનું શરી૨ મહાવિષ્ણુનું જ્ઞાપકલિંગ છે. તેની ઉપાસનાથી સાધક અનુક્રમે ભોગલિંગ, યોગલિંગ, જ્ઞાનલિંગ, અને મોક્ષલિંગનાં ફળો મેળવી શકે છે.
મહાવિદેહા શક્તિવાળો મહામુક્ત પુરુષ અખાના અભિપ્રાય પ્રમાણે પારસમણિ જેવો છે.
“જેમ પારસ તેમ જ્ઞાતા જન, મૂળમાં તે મૂકાવે ચિહ્ન, જીવ ટાળીને સ્વે શિવ કરે, તજજ્ઞ પુરુષ મહાતમ ધરે. જે કરે આપ સરખો તાત, એ બ્રહ્મવેત્તાની મોટી વાત, તે માટે કરવો સત્સંગ, તો સમજીએ વસ્તુ પ્રસંગ.” (ગુશિ સંવાદ ત્રીજો ખંડ (૬૭-૬૮)
સમજતાં શ્રીપતિ સ્વે થાય, અખા એ કૈવલ્યકંદ રે, આ તું પૂરણ પુરષોત્તમ પરબ્રહ્મ, દેખું છું હાજર હજુર રે.
સત્તરમા સૈકાના સોની જેવી સંસારી લોલુપતાવાળી નાતમાં અવતરેલા સામાન્ય કેળવણીવાળા, સંસ્કૃત વગેરે વિદ્યાના પાંડિત્ય વિનાના એક
(કૈવલ્યગીતા ૨૪)
For Personal & Private Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
અખો
૭૨
સાધારણ ગણાતા અખા જેવા મનુષ્યે બ્રહ્માનંદ જેવા પારસમણિ પાસેથી કેવી રીતે સુવર્ણભાવ મેળવ્યો તેની છાયા સમજવાને આપણે આ જમાનાના બહુ સાધનવાળા છતાં, પણ જ્ઞાન-વૈરાગ્યમાં દરિદ્રીઓ સમર્થ થઈએ તો આ જ્ઞાની-ભક્ત-કવિ અખાના પુણ્યસ્મરણ વડે દૈવી સંપત્તિવાળા બનવા ભાગ્યશાળી થઈએ એ જ આ સ્મારક વ્યાખ્યાનનું પ્રયોજન છે.
લેખ સમાપ્તિ : ૨૩-૧-૨૭ શાંતકુંજ (સાંટાક્રૂઝ) વ્યાખ્યાન તારીખ ૩૦-૧-૨૭
સુરત
For Personal & Private Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________ भारतीय सस्का विधामदि પ્રકાશક લા.દ.ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર અમદાવાદ For Personal & Private Use Only