SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ પદ અખો વાળી પદ્ધતિને અખો જેમ ધુંધવાતો અગ્નિ છેવટે જ્યોતિનું રૂપ પકડે છે, તેમ સ્વસંવેદ્ય બોધજનક પ્રક્રિયા કહે છે. અખો કહે છે કે શબ્દબદ્મના જયોતિર્જનક સામર્થ્યને શૂન્યવાદીઓ જાણતા નથી અને તેથી પૂર્ણ બ્રહ્મવાદીથી તેઓ જુદા પડે છે. શૂન્યવાદીનો અગ્નિ ધંધવાતો લાકડા જેવો છે, જયારે બ્રહ્મવાદીનો અગ્નિ શુદ્ધ જ્યોત જેવો છે. બૌદ્ધ મતના શૂન્યવાદનો અને વેદાન્તમતના બ્રહ્મવાદનો ભેદ કડવો ૨૫-૨૬-૨૭માં અખો બહુ સરલ ભાષામાં આપણને શીખવે છે - " ધુંધવાતો ચોખે ભર્યો, તે શૂન્યવાદીનો વાદ, ધૂમ્ર ભર્યો અતિ ધૂખલો, તે ચાલ્યો જાય અનાદ્ય. તે કાષ્ઠ હોય કૃશાનું હોય, કરે તે ઘોર અંધકાર, દારૂના દળથકી ટળ્યો, અને ઝળક્યો નહિ ઝાત્કાર. તેમ શૂન્યવાદીને સત્તા ખરી, પણ આતમ નહિ ઉદ્યોત, કથે પણ તેમનો કલેશ ન ટળે, જેવી ચિત્રામણની જ્યોત. જેમ ચિત્રદીપ દીસવા લાગે, પણ અજવાળું નવ થાય, તેમ શૂન્યવાદી સર્વનાશ કહે, પણ મૂલમહિમા ન પ્રીછાય. તે પ્રપંચને મિથ્યા કહે, પરમાત્મા કહે નથી, કર્મ ધર્મને તે પરઠ, કહે જગત સર્વે શૂન્યથી. કહે શૂન્ય ઉપજે શૂન્ય સમાયે, શૂન્ય માંહે સ્થિતિ કરે, શૂન્યમાં આશય છે તેહનું, કહે મુઓ ફરી નહિ અવતરે. કહે અખો શૂન્યવાદી, " પામે મૂલ તંતન, પ્રભુ પરમાર્થ તેહજ પામે, જે સેવે હરિગુરુ સંતને. (કડવું ૨૫) ત્યારે શૂન્યવાદ અને બ્રહ્મવાદમાં નીચે પ્રમાણે તાત્ત્વિક ભેદ સમાયેલા છે :બૌદ્ધ મતના શૂન્યવાદમાં અને વેદાન્તમતના પૂર્ણ બ્રહ્મવાદમાં ક્યાં વિચાર ભેદ સમાયેલો છે ૧. જ્યારે બદ્ધ મતના શૂન્યવાદી જગતનો જેમ અગ્નિ સળગાવવામાં આપણે લાકડાનો ઉપયોગ કરીએ તેમ સત્તા અથવા સદૂભાવ સ્વીકારે છે, પરંતુ તે જગત અથવા પ્રપંચ મિથ્યા છે એમ માને છે, અને તેથી પીઠમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005555
Book TitleAkho
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar Devshankar Mehta
PublisherL D Indology Ahmedabad
Publication Year2009
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy