________________
પ્રકાશકીય
ગુજરાતના જાણીતા દાર્શનિક શ્રી નર્મદાશંકર દેવશંકર મહેતાએ સને-૧૯૨૭માં સ્વ. રા.બ.કમળાશંકર ત્રિવેદી વ્યાખ્યાનમાળામાં અખા ઉપર વ્યાખ્યાન આપ્યાં હતાં. આ વ્યાખ્યાનમાળામાં તેમણે બે વ્યાખ્યાન આપ્યાં હતાં. તેમણે અખાનું જીવન, અખાનું તત્ત્વચિંતન અને અખાના સમયનો સમાજ – આ વિષયોને બે વ્યાખ્યાનમાં આવરી લીધાં હતાં. ત્યારબાદ તે વ્યાખ્યાનો પ્રકાશિત પણ થયા હતા. ૮૦થી વધુ વર્ષો પૂર્વે પ્રકાશિત થયેલ વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યાનો હાલ ઉપલબ્ધ ન હોવાથી તેનું પુનઃ પ્રકાશન કરવામાં આવી રહ્યું છે. આ પ્રકાશનથી જિજ્ઞાસુઓને લાભ થશે તેવી મને આશા છે,
- જિતેન્દ્ર શાહ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org