________________
અખો
૧૭ અખાજીના ભક્તોની સંપ્રદાયપરંપરા ચાલતી જણાય છે. બ્રહ્માનંદ‘અખો- લાલદાસ- હરિકૃષ્ણ- ૫જીતામુનિનારાયણ- કલ્યાણદાસસ્વામીપૂર્ણાનંદ- ‘દયાનંદ- ભગવાનજી મહારાજ.
જુઓ : “સંતોની વાણી” અક્ષયેવૃક્ષ તા. ૧૨-૧૦-૨૦ ભગવાનજી મહારાજ જણાવે છે કે અખાજીની જેટલી વાણી પ્રસિદ્ધ થઈ છે તેટલીજ બીજી અપ્રસિદ્ધ વાણી તેમના કહાનવા બંગલાના ભજનભંડારમાં છે. આ અપ્રસિદ્ધ વાણીનું સૂચિપત્ર પણ જો પ્રસિદ્ધ કરવામાં આવે તો પણ અખાના સાહિત્ય ઉપર ઘણો સારો પ્રકાશ પડે.
અખાના ક્ષરદેહના પ્રસંગો જેટલા મળ્યા તેનો વિચાર કર્યા પછી તેના ક્ષરાક્ષરદેહનાં એટલે માનસ દેહનાં કાર્યો પ્રતિ આપણે નજર નાખીએ.
૨ – અખાનું ક્ષરાક્ષરજીવન –
તેની કૃતિઓ અખાની કૃતિઓ (૧) હિંદી ભાષામાં અને (૨) ગુજરાતી ભાષામાં રચાયેલી છે. તે જમાનામાં હિંદી ભાષાનો મહિમા વધારે હોવાથી અખાએ પ્રથમ પ્રયત્ન તે ભાષામાં કર્યો જણાય છે. હિંદી ભાષાની તેની કૃતિઓ(૧) “સંતપ્રિયા', અને (૨) “બ્રહ્મલીલા'. ગુજરાતી ભાષાના ગ્રંથો નીચે પ્રમાણે ઉપલબ્ધ થયા છે :
૧. પંચીકરણ ૨. ચિત્તવિચારસંવાદ '૩. ગુરુશિષ્યસંવાદ ૪. અનુભવબિંદુ ૫. અખેગીતા ૧૬. કૈવલ્યગીતા ૬, છપ્પા ૮. છુટક પદો ૯. સોરઠા અથવા દુહા અથવા પરજીઆ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org